________________
અદત્તાદાન
૧૩
શકાતું નથી, મેટા ભયને ઉપજાવનાર છે, બીહામણે છે, પરિમાણરહિત છે, જે મહેચ્છા અને મેલી બુદ્ધિરૂપ વાયુવેગથી ઉછળે છે, આશા-પિપાસારૂપ જે સમુદ્રનું તળીયું છે, જેમાં કામ, રાગ, દ્વેષ, બંધન, અનેક પ્રકારની ચિત્તની ચિંતા ઇત્યાદિ પાણીનાં રજકણ ઉડે છે, તે રજકણથી
જ્યાં અંધકાર છવા છે, જ્યાં મેહનાં આવર્તન અને કાસભાગ મંડલાકારે ભ્રમે છે, ઉંડા ઉતરે છે, ઉ ો ઉછળે છે; વળી જે સસુદ્રમાં ઉંચે આવી નીચે પડતા અને આમ તેમ દેડતા પાઠીન (૫૭) જેવા પાણીના જીવની પેઠે ગર્ભવાસમાં ઊંચ-નીચે પાણીને પડવાપણું રહેલું છે, જ્યાં કષ્ટપીડિત મનુષ્યના રૂદનરૂપ પ્રચંડ વાયુવડે મેલા સંકલ્પ રૂપી તરગે ચાલી રહ્યા છે, જ્યાં વ્યાકુળ તરંગથી પછડાઈને વહેંચાઈ જતું અને અનિષ્ટ મહાન માંથી વ્યાસ જળ પથરાઈ રહેલું છે, પ્રમાદરૂપી રૌદ્ર અને શુદ્ર હિંસક પ્રાણીઓથી ઉપદ્રવ પામીને ઉઠતા એવા મસ્યરૂપી મનુષ્યના સમૂહ જેમાં આવી રહેલા છે, જેમાંના મસ્યરૂપી મનુષ્ય અતિ રૌદ્ર છે, વિનાશ સ્વભાવી છે, ઘણા અનર્થ—અપયશથી ચુક્ત છે, જેમાં અજ્ઞાનમાં ભ્રમતાં અને દક્ષ મ રહેલાં છે, અનુશાંત ઇંદ્રિવાળા મેટા મગરની ત્વરિત ચેષ્ટાએ કરીને જે સમુદ્ર ક્ષોભ પામી રહેલ છે, જેમાં સંતાપરૂપ વડવાગ્નિ (સમુદ્રને અગ્નિ) નિત્ય અતિ ચપલ–ચંચળ રીતે સળગી રહ્યો છે, અત્રણ અને અશરણ મનુષ્ય કે જેમને પૂર્વ કર્મના સંચયથી પાપ ઉદય આવ્યાં છે તેઓના સેંકડે દુઃખના વિપાકરૂપી વમળ જે સમુદ્રના જળમાં