Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Author(s): Chotalalmuni
Publisher: Nathalal Dahyabhai Shah

View full book text
Previous | Next

Page 139
________________ બ્રહ્મચર્ય ૧૨૧ વિરમણને અર્થે શ્રી ભગવાને સકળ જેને હિતકારી, પરભવને વિષે હિતકારી, આગામી કાલે કલ્યાણકારક, નિર્દોષ, ન્યાયયુક્ત, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનાર એવું પ્રવચન કરેલું છે. તે ચોથા વ્રતની પાંચ ભાવનાઓ નીચે પ્રમાણે છે. અબ્રહ્મચર્યના વિરમણને અથે અને બ્રહ્મચર્યના રક્ષણને અર્થે પહેલી ભાવના સ્ત્રીથી સંસક્ત આશ્રય વજેવા વિષે છે. શય્યા, આસન, ગૃહ, દ્વાર, આંગણું, અગાશી, ગેખ, ભંડશાળા (અનેક પ્રકારની સામગ્રી રાખવાનું સ્થાન), અભિલોકન સ્થાન (અતિ ઉંચું સ્થાન-જ્યાંથી બધું દેખાય), પાછલું ઘર, શણગાર કરવાનું સ્થાન, નાતિકા (નાન કરવાનું ખુલ્લું થાન), જે સ્થાનમાં વેશ્યાઓ રહેતી હોય તે, તથા જે સ્થાને વારંવાર અજ્ઞાનપણે (મેહદોષે કરીને) રતિરાગ વધારનારી સ્ત્રીઓ ઉભી રહેતી હોય તે સ્થાન, તથા જ્યાં બહુવિધ (શંગારાદિકની) કથાઓ કહેવાતી હોય, એ બધાં સ્થાન ઉજવાયોગ્ય છે. સ્ત્રીના સંસર્ગવાળાં સ્થાને કલેશને કરાવનારાં છે. એ અને એ પ્રકારનાં બીજાં સ્થાને પણ વજેવાગ્યા છે. જ્યાં રહેતા મનોવિભ્રમ ઉપજે, (બ્રહ્મચર્ય વ્રતન) ભંગ થાય, બ્રેશન ( અલપ વતભંગ) થાય, જ્યાં આd (ઈષ્ટ વિષય સંગના અભિલાષ રૂ૫) અને રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય, તે તે સ્થાન વવાયોગ્ય છે. પાપભીરૂ (પાપથી મહીનારા)એ એવાં સ્થાન આશ્રય કરવાચોગ્ય નથી. જે સ્થાને વસતાં ઇન્દ્રિયોને રાગ દીતિમાન થાય નહિ તે સ્થાને વસવાગ્ય છે. એ પ્રકારે સ્ત્રી

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183