________________
૧૨૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આખા શરીરના મેલ ઉતારવા, અંગ–વિલેપન, (સુગંધિત) ચૂર્છાથી શરીરને સુવાસિત કરવું, (અગુરૂ આદિના) ધૂપથી શરીરને ધૂપવું, શરીને શણગારવું, જેથી ચારિત્ર કલુષિત થાય તેમ નખ-વા-કેશાદિને સમારવાં, હસવું, ( કુશાસ્ત્રનું ) ભણવું, નૃત્ય, ગીત, વાદત્ર ખજાવવું, નટ-નત ક—મજાણીયા-મલ્લાદિના ખેલ જોવા, ભાંડચેષ્ટા જોવી, ઇત્યાદિ જે હલકા શૃંગારની ખાણ જેવાં છે અને ખીજા પણ એવા પ્રકારે જે તપ-સંયમ-બ્રહ્મચય ના ઘાત-ઉપઘાત કરનારાં હોય તે, બ્રહ્મચર્ચીનું અનુપાલન કરનારે સર્વ કાલે વવાાગ્ય છે. તેના (ઉપર જણાવેલાંને વનારના) અંતરાત્મા નિત્ય તપ-નિયમ-શીલના ચેાગથી ભાવિત થાય છે. (એ તપ-નિયમ-શીલના વ્યાપાર હવે કહે છે). અસ્નાન, દાંતને સાફ ન કરવા તે, પરસેવા–મેલ-ગાઢો મેલ ધારણ કરવા તે (ન ઉતારવા તે), મૌન વ્રત, કેશલેચન, ક્ષમા, ઇંદ્રિયનિગ્રહ, અચલક (વસ્રરહિતતા), ભૂખ-તરસને સહન કરવાં તે, લાઘવ (અલ્પ વસ્ત્ર રાખવાં તે), ટાઢ-તાપ સહેવાં તે, કાષ્ટશય્યા, ભૂમિ પર બેસવું તે, (ભિક્ષાથૅ) પારકે ઘેર જવું તે, (ભિક્ષા) મળે કે ન મળે અથવા ઓછું મળે (તા ખેદ ન પામવા તે), માન-અપમાન–નિદાને સહન કરવાં તે, ડાંસ-મચ્છરના સ્પર્શીને સહેવાં તે, નિયમ, તપ, ગુણ, વિનય, ઇત્યાદિ ચૈાગથી એ અંતરાત્મા ભાવિત થાય છે, અને તે રીતે તેનું બ્રહ્મચય સ્થિરતર-વિશેષ દૃઢ થાય છે. પાંચ ભાવનાએ.
બ્રહ્મચર્ય વ્રતના રક્ષણને અર્થે અને અબ્રહ્નચના