________________
પરિગ્રહ
વિદ્યા વગેરે-પરિગ્રહ કરવાના કારણરૂપ ધંધા જીવન સુધી તેઓ કર્યા કરે છે. વળી એ મંદ બુદ્ધિના મનુષ્ય પરિગ્રહ સેવવાને અર્થે પ્રાણીઓને વધ કરે છે, જૂઠું બોલે છે, માયા–પ્રપંચ કરે છે, સારી વસ્તુમાં નઠારી વસ્તુ ભેળવીને આપે છે, પારકા દ્રવ્યને લેવાને લેભ કરે છે, પિતાની અને પારકી સ્ત્રીના સેવનથી શરીર અને મનને ખેદ પ્રાપ્ત કરે છે, (વચનવડે) કલહ, (કાચાએ કરી) ભાંડ-ઝગડે, વૈર, અપમાન, અને કદથના પામે છે. ઈચ્છા અને મહેચ્છા રૂપી સેંકડે તૃષાઓએ કરીને તરસ્યા, તૃણ (અપ્રાપ્ત વસ્તુની) એ કરી લોભગ્રસ્ત, અને આત્માના અનિગ્રહવાળા મનુષ્ય નિંદનીય કેધ, માન, માયા અને લોભ કરે છે. વળી પરિગ્રહથી જ નિશ્ચયે (માયા આદિ) શલ્ય, (ત્રણ) દંડ, (ત્રણ) ગર્વ, (ચાર) કષાય, (ચાર) સંજ્ઞા, (પાંચ) કામગુણ, (પાંચ) આસવકમ, (પાંચ) ઇક્રિયવિકાર, (ત્રણ અપ્રશસ્ત) લેડ્યા, સ્વજન સંચાગની મમતા, સચિત્ત -અચિત્ત દ્રવ્યનું મિશ્રણ, ઈત્યાદિ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉપજે છે.
પરિગ્રહનાં ફળ,
તીર્થકર ભગવાને કહ્યું છે કે દેવતા, મનુષ્ય અને આસુરાદિ લેકમાં લેભથી ઉપજેલા પરિગ્રહ જે બીજે કોઈ પરિગ્રહ નથી, પાશ નથી, પ્રતિબંધ નથી. સર્વ લોકમાં સર્વ જીવને પરિગ્રહ વળગેલે છે. પરિગ્રહથી ગ્રસેલા છે પરલેકમાં નષ્ટ થાય છે (સુગતિને પામતા નથી) અને