________________
અબ્રહ્મચર્ય
ભાંગનારા છે, મહાશકુનિ અને પૂતના વિદ્યાધરીના વૈરી છે, કંસના મુકુટના એડણહાર (મારનાર) છે, જરાસંધના માનનું મર્દન કરનાર છે, ઘણું શલાકાએ કરી સહિત વિરાજમાન છે, અવિરલ-સમાન શલાકાએ કરી મંડિત એ બીજું કઈ નથી તેવા છે, ચંદ્રમંડળ સરખી કાન્તિવાળા છે, સૂર્યના કિરણકવચથી પ્રસરતા તેજે કરીને જાજવલ્યમાન એવા અનેક દંડવાળા છેત્રે કરીને વિરાજમાન છે; વળી મેટા પર્વતની ગુફાઓમાં વિચરતી નીરગી ગાની પૂંઠે નીપજતા અને નિર્મળ સફેદ વિકસેલા કમળ જેવા ઉજળા ચાસરેથી વિરાજમાન છે; (એ ચામરેનું વિશેષ વર્ણન કરે છે). એ ચામર રજતગિરિ (ચાંદીના પહાડ) ના શિખર જેવા વિમળ છે, ચંદ્રનાં કિરણ સરખા ઉજળા છે, સ્વચ્છ ચાંદી જેવા નિર્મળ છે; પવનથી હાલતાં ચચળ પાણીમાં નાચતાં મેજાએ કરી ક્ષીરેદક સાગરમાં જે કલોલ પ્રસરી રહે છે તેના જેવા ચંચળ એ ચામર વીંઝાઈ રહે છે, માનસરોવરના વિસ્તારમાં વસતી, નિર્મળ વેશ તથા આકારવાળી અને સુવર્ણ પર્વતના શિખર ઉપર બેઠેલી હંસી ચપળ–શીવ્ર ગતિએ ઉંચેનીચે ઉડે તેના જેવા એ ચામરે છે; નાના પ્રકારના મણિરત્ન, મૂલ્યવાન અને તપાવેલા સુવર્ણથી નીપજાવેલા વિચિત્ર દંડથી એ ચામરે શેભે છે એવા પ્રકારના લાલિત્યે કરીને યુક્ત ચામરે રાજાની લક્ષ્મીના સમુદાયને પ્રકાશિત કરે છે; મોટાં નગરમાં નીપજતા અને સમૃદ્ધ રાજાઓવડે સેવાતા, કાળું અગર (કાલાગુરૂ) અને શિલારસ