________________
અદત્તાદાને
૪૩
વાળે, દષ્ટિમાર્ગને આચ્છાદને, કેઈ સ્થળે ગંભીર, કેઈ સ્થળે વિસ્તીર્ણ, (મેઘની પેઠે ગાજતો, ગુંજારવ કરતો, કડાકા કરતો (આકાશમાંના કડાકાની પેઠે), કેઈ ભારે પદાર્થ પડવાથી થતા અવાજના જે અવનિ કરતે, લાંબા કાળ સુધી દૂરથી સંભળાતો એ ગંભીર ઘુઘવાટ કરતા સમુદ્ર છે અને તેમાં મુસાફરી કરનારાઓના માર્ગમાં કેપિત થએલા યક્ષ, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વગેરે હજારો ઉપસગે તથા ઉત્પાત ઉત્પન્ન કરે છે, અને તેમને માર્ગ અવરોધે છે. તે વ્યંતર દેને શાંત કરવાને માટે વહાણવટીઓ બલિદાન, હોમ, ધૂપ, રૂધિરનું બલિદાન, પૂજનઅર્ચન, વગેરે કરવામાં યત્નશીલ રહે છે. સઘળા યુગના અંતિમ યુગ (પ્રલયકાળ) સરખી ઉપમાને ચગ્ય સમુદ્રને અંત બહુ દુષ્કર છે. ગંગાદિક મહાનદીને સ્વામી (સાગર; અત્યંત ભયંકર દેખાય છે. દુઃખે સેવાય છે, જેમાં પ્રવેશવું દુષ્કર છે તે, દુઃખે ઊતરી શકાય તેવ, દુઃખે આશ્રય લઈ શકાય તેવો અને ખારા પાણીથી ભરેલે, એવા સમુદ્રમાં ઉંચા કરેલા કાળા સઢવાળા, ઉતાવળે ચાલે તેવા વહાણમાં બેસીને, દૂર દૂર જઈને, પારદ્રવ્યને હરનારા, અનુકંપારહિત તથા પરલકના ભયથી રહિત ચાર લેકે વહાણવટીઓના વહાણને ભાગે છે અને તેમને લૂંટે છે. ચોરીના સંકટ,
ગામ, આગર, નગર, ગામડું, કવડ, મંડપ, દૃણમુખ (જળ-થળને માર્ગ), પાટણ, આશ્રમ, વણીકાવાસ, દેશ ઈત્યાદિમાં રહેતા ધનિક લેકેને ચાર લોકે હણે છે. કઠણ