________________
હિંસાકમ
૨૧
-
-
લાખ કુળકે છે. તે જન્મ મરણનાં તીવ્ર દુખે સંખ્યાત કાળ સુધી જોગવતાં પરિભ્રમણ કરે છે.
એકેદ્રિયપણે પૃથ્વી, પણું, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂમ, બાદર, પર્યાપ્ત, અપ્રયત, પ્રત્યેક શરીરધારી, સાધારણુ શરીરધારી (અનંતકાર્યમાં જીવે જન્મ મરણનાં દુઃખ ભોગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સુધી અનિષ્ટ દુખે અનુભવે છે. એકૅક્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષ સમૂહને વિષે છે. કેદાળી, હળ વગેરે શસ્ત્રથી જમીન
દાય તેથી પૃથ્વી કાયમાં જીવને દુઃખ ભોગવવા પડે છે. પાણીમાં રહેલા એકેદ્રિયપણે જીને સ્નાન વગેરેમાં મર્દોવું,
ભાવું (ઉલેચાવું) અને રૂંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાયમાં જીને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકેઢિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પિતે નહિ ઉત્પન્ન કરેલાં એવાં દુઓ પરને અર્થે ભોગવવા પડે છે. કાર્યને અર્થે, પિતાનાં દાસાદિક અને પશુ નિમત્તે તથા ઔષધે-આહાર આદિને માટે એકૅક્રિય જીવોને મનુષ્ય ખાંડે છે, છાલ ઉતારે છે, રાધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, ફૂટે છે, સેકે છે, ગાળે છે, ચેળે છે, સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છેલે છે, (વાળ-રેસાને) ચુટે છે, (પાંદ-ફળ માટે) ઝુડે છે, અગ્નિથી બાળે છેઃ ઈત્યાદિ રીતે એકેંદ્રિયપણે જીવે દુઃખને ભવપરંપરામાં અવિચ્છિન્નપણે અનુભવતાં ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે.