Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સક્ઝાય
ખરેખર તેના શરીર ઉપર કરાતી મારપીટ, તાડન-ઘાત અને છેલ્લે “મારે તેના પ્રાણનો નાશ કરવા સ્વરૂપ મૃત્યુ પમાડતાં તે જીવને દુઃખ કેમ ન થાય ? અર્થાત્ અવશ્ય થાય જ. માટે હે જીવ ! આવી હિંસાના પાપથી તું વિરામ પામ.
તથા વળી આ હિંસા નામનું પાપ સ્થાનક અગ્નિની ભગિની છે. જેમાં અગ્નિ જ્યાં લાગે છે ત્યાંની સર્વ વસ્તુઓને તે બાળીને ખાખ કરે છે. સર્વશૂન્ય કરે છે તેમ જ્યાં જ્યાં હિંસા ચાલે છે ત્યાં ત્યાં પરસ્પર લડાઈઓ થતાં એક-બીજાનાં ખૂન થતાં અતિશય વધેલા વૈમનસ્ય અને વેરઝેરના કારણે તે સઘળાં કુટુંબો લઢી લઢીને સર્વથા નાશ પામે છે. માટે આ હિંસા તે, જાણે અગ્નિની બહેનપણી જ હોય તેમ સર્વવિનાશક છે.
હિંસા શબ્દ સ્ત્રીલિંગ હોવાથી ભગિની બહેનપણીની એટલે સ્ત્રીરૂપે ઉપમા ઘટાવવામાં આવી છે. તથા વળી આ હિંસા અગ્નિની બહેનપણી જ છે. એટલું જ નહીં પણ અતિબુરી-અતિશય ભયંકર છે. કારણ કે અગ્નિ તો પાણીથી બુઝવી પણ શકાય છે. જ્યારે આ હિંસા નામની આગ, તથા તેનાથી પરસ્પર રોપાયેલું વેરઝેર પાછલા પરિવારોમાં પણ ઉતરે છે અને બાપદાદાનું વૈર વાળવા પાછલા સંતાનો પણ પરસ્પર લઢીને વિનાશક બને છે. તેથી ભાવિની પ્રજા પણ લઢવા દ્વારા વિનાશ પામનારી બને છે તેથી આ હિંસા તે આગ કરતાં પણ અતિશય બૂરી અતિશય ભયંકર વસ્તુ છે. || ૪ || તેહને જોરે જે હુઆ રે, રૌદ્ર ધ્યાન પ્રમત્ત / નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભૂમ બ્રહ્મદત્ત રે પા
પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત. શબ્દાર્થ - તેહને જોરે - તે હિંસા નામના પાપથાનકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org