________________
૨ આત્મવિશુદ્ધિ ગ્રહણ કરવા યોગ્ય કે જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી. તેને હવે ધ્યાન કરવા યોગ્ય કોઈ ધ્યેય નથી, કેમ કે પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે, તેનાથી આગળ કોઈ ભૂમિકા ન હોવાથી તે સર્વથી ઉત્કૃષ્ટ તત્ત્વ છે. જ્ઞાતા અને દૃષ્ટા એ આત્માનો સ્વભાવ પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયેલો છે. અન્ય સર્વ દ્રવ્યોથી તે મુક્ત હોવાથી શુદ્ધ છે, નિર્મોહી મનુષ્યોને તે ઘણી સહેલાઈથી પ્રાપ્ત થવા યોગ્ય છે. મોહવાળા પ્રાણીઓ આ આત્માને મેળવી કે અનુભવી શકતા નથી. આ આત્માની આદિ નથી, તેમ તેનો નાશ પણ નથી. અપેક્ષાએ સ્થિતિ ઉત્પત્તિ અને વ્યય સ્વરૂપ છે. આત્મા જ્યારે કોઈ વસ્તુને પોતાના જ્ઞાન દ્વારા એ જુવે છે ત્યારે એ જોવારૂપ ઉપયોગે પરિણમવું તે રૂપે તેની ઉત્પત્તિ છે. જાણવારૂપ ઉપયોગમાંથી ખસીને જોવારૂપ ઉપયોગ પરિણમવું તે તે સ્થિતિનો વ્યય નાશ છે. અને જોવા તથા જાણવાના બન્ને ઉપયોગમાં પોતાની હૈયાતિ હોવી તે તેની સ્થિતિ છે. એમ ઉપયોગની અપેક્ષાએ આત્મા ઉત્પન્ન થાય છે. પૂર્વ ઉપયોગે નાશ પામે છે અને સ્વ સ્વરૂપે કાયમ ટકી રહેતો હોવાથી આત્મા અમર છે. ઉપયોગ બે પ્રકારના છે : એક સાકાર ઉપયોગ અને બીજો નિરાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ તે જ્ઞાન છે. નિરાકાર ઉપયોગ તે દર્શન છે. આત્મા જ્ઞાન દ્વારા પોતાની વિશ્વ પ્રકાશક શક્તિરૂપે પ્રકાશે છે તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાન દ્વારા આ વિશ્વને જાણે છે. વિશેષ પ્રકારે જાણવું તે જ્ઞાન છે. સામાન્ય પ્રકારે જાણવું તે