Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 34
________________ આત્મવિશુદ્ધિ જ ૧૯ પ્રકરણ પાંચમું જીવની પશ્ચાત્તાપ ज्ञातं दृष्टं. मयासर्व, सचेतन मचेतनम् । स्वकीयं शुद्धसद्रूपं, न कदाचिच्च केवलम् ॥१॥ “સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જોયા પણ કેવળ મારું પોતાનું શુદ્ધ સ્વરૂપ કોઈપણ વખત મેં જાણ્યું કે જોયું નથી.” ઉત્તમોત્તમ રત્ન, હીરા, માણેક, મોતી, પ્રવાળાં, સોનું, રૂપું, ઔષધીઓ, રસો, રસાયણો, વસ્ત્રો, પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડાઓ, સુંદર પક્ષીઓ, પશુઓ અને જળચર પ્રાણીઓ ઇત્યાદિ સજીવ અને નિર્જીવ પદાર્થોના નામ, ઉત્પત્તિના સ્થાન વિગેરે નિર્મળ બુદ્ધિ અને અનુકૂળ સંયોગોને લઈને ઘણે ભાગે મેં જાણ્યા છે અને જોયા છે પણ ખેદની વાત એ છે કે મેં મારું પોતાનું શુદ્ધ ચિતૂપ કોઈ વખત જાણ્યું કે જોયું નથી. મેં પહેલાં કોઈ વખત જેની ચિંતા કે વિચાર કર્યો નથી તે વસ્તુ મને કોઈપણ વખત મળી નથી. મોહના ઉદયને લઈને મારા શુદ્ધ આત્માનું ચિંતન મેં કોઈ વખત કર્યું ન હોવાથી તે મને પ્રાપ્ત થયું નથી. - અહો! મેં અનેકવાર જીવન ધારણ કર્યા છે પણ કોઈ જીવનમાં “હું શુદ્ધ આત્મસ્વરૂપ છું એવું શુદ્ધ આત્માનું

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132