Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 89
________________ ૭૪ આત્મવિશુદ્ધિ આ વિનો તે પ્રભુ માર્ગના પ્રવાસીની કસોટી રૂપ છે. કસોટીમાંથી પાસ થાય તો જ તે સોનાની કિંમત બરાબર ઉપજે છે તેમ વિદનની કસોટીમાંથી આ જીવે પસાર થવાનું છે. પોતાના પ્રભુ સ્મરણના માર્ગમાં રોગ, શોક, ઉપાધિ, આળસ્ય, સ્નેહ, વાસના ઇત્યાદિ આડા આવી ઉભા રહે છે, તે વખતે જો આ જીવ પામર, રાંક, હતાશા, નિરાશ અને ઉત્સાહ રહિત થઈને “હું શુદ્ધ આત્મા છું' એ સ્મરણ મૂકી દે તો વિદનો મજબુત થઈને તેના ઉપર ચડી બેસે છે. તે વખતે જીવ એમ વિચારે છે કે આજે નહિ પણ કાલે સ્મરણ કરીશ, મહીના પછી કરીશ કે આ કાર્ય પૂરું થયા પછી કરીશ તો જરૂર સમજવું કે તે ધીર પુરુષ નથી, પણ કાયર છે. ધીમે ધીમે તેની કાયરતામાં વધારો થશે અને એક વખત એવો આવશે કે તેની આ સુંદર પ્રવૃત્તિ છૂટી જશે. આવા વખતે પૂર્વના મહાન પુરુષોનાં જીવનોને યાદ કરી, તેઓના અખંડ પુરુષાર્થને દૃષ્ટિમાં રાખી, સંગમદેવ જેવાના છ છ મહીનાના ઉપસર્ગમાં પણ નિશ્ચળ અને અડોલ રહેલા પ્રભુ મહાવીર જેવા વીર પુરુષો તરફ લક્ષ રાખીને ઉદય આવેલાં કર્મોથી પરાભવ ન પામતાં, વિદનોને હટાવી દેવાથી તેના પુરુષાર્થમાં, ઉત્સાહમાં અને જીવનમાં કોઈ અપૂર્વ શક્તિ પ્રગટ થશે. આ બળ અનેક તેવા બળને મેળવશે. આ ઉત્સાહ તેથી મહા ઉત્સાહને પ્રગટ કરશે. માટે તેવા વિદનના પ્રસંગે પુરજોશથી બળ વાપરવું અને આત્મભાન અને આત્મ સ્મરણ ચુકવું નહિ.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132