________________
આત્મવિશુદ્ધિ જ ૧૦૫ માર્ગમાં ચાલનારા અને નજીકના કે દૂરના માર્ગે જનારામાં જેવો જેના હાથમાં માર્ગ આવ્યો હોય છે તેના પ્રમાણમાં તેઓ લાંબા વખતે કે થોડા વખતમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે.
રાગદ્વેષની ગ્રંથીનો ભેદ કર્યા વિનાના, અર્ધપુગલ પરાવર્તન કાળથી અધિક ભવસ્થિતિવાળા જીવો તે બાળજીવો છે. તેઓની પરમાત્માના માર્ગ તરફની ગતિ બાળકોના જેવી હોય છે. બાળક જેમ થોડું ચાલે, પાછો બેસી જાય અને વળી પાછો ફરી હતો તેના કરતાં પણ વધારે છેટો પડી જાય, તેમ ગ્રંથભેદ વિનાના, સમ્યક્દર્શન નહિ પામેલા પણ વ્યવહારમાં સુખી થવાને ધર્મનો આશ્રય લેનારા બાળજીવો થોડા માર્ગ તરફ ચાલે, પાછા ઇન્દ્રિયોના વિષયમાં અટકી પડે અને કોઈ કોઈ તો એટલી બધી ક્રોધાદિ કષાયની પ્રબળતા કરી દે કે તેઓએ જે સ્થાનેથી ધર્મની શરૂઆત કરી હતી તેના કરતાં વધારે પાછા જઈ પડે. અર્થાત્ કર્મની અને તેમાં મોહનીય કર્મની સ્થિતિ વધારી પણ મૂકે. આવા જીવોની ધાર્મિક પ્રવૃત્તિ બાળ ભાવની હોય છે. આ કૃષ્ણપક્ષી જીવો છે.
આ સંસારના બાળકોએ બનાવેલાં ધૂળનાં ઘર સમાન કૃત્રિમ સમજે છે, ભવ ભ્રમણથી કંટાળેલો હોય છે, આત્મભાન મેળવેલું હોય છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાને પ્રબળ ઉત્સાહવાનું હોય છે, તેઓની આત્માની