________________
આત્મવિશુદ્ધિ જ ૧૭ આત્માની નિર્મળતાના કારણરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની નિરંતર ઇચ્છા કરવી, આત્મ પ્રાપ્તિ થયા પછી તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિશેષ અગત્યતા રહેતી નથી.
પરમાત્મા, પરબ્રહ્મ, ચિદાત્મા, શિવ ઇત્યાદિ એક જ વસ્તુનાં નામ છે. ગમે તે નામે તેનું સ્મરણ કરો. અમૃતના સમુદ્રનું મંથન કરીને તેમાંથી સારભૂત પરમાત્માના નામરૂપ રત્નને મેં ગ્રહણ કર્યું છે, કેમ કે સર્વ વસ્તુઓમાં તે જ ઉત્તમ છે.
વિશ્વમાં કેવળ શુદ્ધ ચિતૂપ મારા આત્મા સિવાય બીજું કાંઈ પણ ગ્રહણ કરવા યોગ્ય નથી, એટલે તેના વિના બીજી ચિંતા કરવી તે મારા માટે ફોગટ છે, મારે પોતે તેમાં જ લય પામવાની જરૂર છે. હું અનુભવથી જાણું છું કે આ મારો આત્મા મહાનું બળવાન છે, કેમ કે લોકાલોક રૂપ વિશ્વને તે પોતાની અંદર લીન કરી દે છે. જ્ઞાનબળથી તે લોકાલોકને જોઈ શકે છે. છતાં આડું કાંઈક છે કે તે તેને બરાબર જાણવા દેતું નથી. પ્રથમ સ્મરણમાં આવતું નથી, પાછળથી કાંઈક આત્માનું સ્મરણ થાય છે, એ જ જણાવી આપે છે કે ચિદાત્માની આડે કર્મનો પડદો છે. પ્રથમ મનમાં કાંઈક ફુરણ થાય છે, પછી જાગૃતિ થતાં મનમાં ફુરણ થતું નથી. એથી સમજાય છે કે આ કર્મનો ઉદય છે અને આ આત્માની શાંતિ છે, અથવા ઉપશમભાવ છે. આ ઉપશમભાવને વધારવાની પ્રથમ જરૂર છે; તેના બળથી