Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 86
________________ આત્મવિશુદ્ધિ જ ૭૧ પ્રવૃત્તિઓ કરે છે છતાં બેડાને પડવા દેતી નથી. તેવી રીતે આત્મ કલ્યાણના ઇછુક મનુષ્ય પોતાનું ચિત્ત આત્મા તરફ રાખીને વ્યવહારથી–ઉપરથી વચન અને શરીરની પ્રવૃત્તિ કરવી.” આયુષ્ય અલ્પ છે, વિનો અનેક છે. પૂર્વ કર્મને લઈને વ્યવહારની–ઉદર નિર્વાહની મુશ્કેલીઓ પણ હોય છે, રોગાદિકનો ઉપદ્રવ કે કુટુંબની ચિંતાઓ પણ નડે છે. આવી સ્થિતિમાં આ જીવે આત્માનું કલ્યાણ કેવી રીતે કરવું? સત્ય સમજાયા પછી વ્યવહારની પ્રવૃત્તિ કંટાળા ભરેલી કેટલાકને લાગે છે. અને આત્મા તરફ પ્રવૃત્તિ કરવામાં ચિત્ત ખેંચાયા કરે છે તે સાથે વ્યવહારની પ્રવૃત્તિમાંથી કે જવાબદારીમાંથી કે ફરજમાંથી છૂટી શકાય તેવું પણ હોતું નથી. આવા મનુષ્યોએ આત્મ સ્મરણ માટે વ્યવહાર આડે વખત કેવી રીતે મેળવવો અને પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું? પ્રથમ આ બાબત લક્ષમાં રાખીને જ્ઞાની પુરુષો તેવા જીવોને ઉદ્દેશીને કહે છે કે, પાણીહારી વાતો કરવા, હસવા અને તાળી ઓ પાડવાદિ ક્રિયા કરતાં જેમ પાણીના બેડામાંથી પોતાનું લક્ષ ચૂકતી નથી તેવી રીતે આત્મલક્ષ જાગૃત રાખીને તમે વ્યવહારમાં પ્રવૃત્તિ કરો. અથવા ગાય જેમ ચારો ચરવાને વનમાં જાય છે, તેનું વાછરડું ઘેર હોય છે, ગાય ચારો ચરે છે, વનમાં ચારે બાજુ હરેફરે છે, પાણી પીવે છે અને પોતાના સમુદાયમાં પણ ઘુમે છે, છતાં તે ગાયની આ દરેક પ્રવૃત્તિમાં સુરતા કે

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132