SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિશુદ્ધિ જ ૭૧ પ્રવૃત્તિઓ કરે છે છતાં બેડાને પડવા દેતી નથી. તેવી રીતે આત્મ કલ્યાણના ઇછુક મનુષ્ય પોતાનું ચિત્ત આત્મા તરફ રાખીને વ્યવહારથી–ઉપરથી વચન અને શરીરની પ્રવૃત્તિ કરવી.” આયુષ્ય અલ્પ છે, વિનો અનેક છે. પૂર્વ કર્મને લઈને વ્યવહારની–ઉદર નિર્વાહની મુશ્કેલીઓ પણ હોય છે, રોગાદિકનો ઉપદ્રવ કે કુટુંબની ચિંતાઓ પણ નડે છે. આવી સ્થિતિમાં આ જીવે આત્માનું કલ્યાણ કેવી રીતે કરવું? સત્ય સમજાયા પછી વ્યવહારની પ્રવૃત્તિ કંટાળા ભરેલી કેટલાકને લાગે છે. અને આત્મા તરફ પ્રવૃત્તિ કરવામાં ચિત્ત ખેંચાયા કરે છે તે સાથે વ્યવહારની પ્રવૃત્તિમાંથી કે જવાબદારીમાંથી કે ફરજમાંથી છૂટી શકાય તેવું પણ હોતું નથી. આવા મનુષ્યોએ આત્મ સ્મરણ માટે વ્યવહાર આડે વખત કેવી રીતે મેળવવો અને પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું? પ્રથમ આ બાબત લક્ષમાં રાખીને જ્ઞાની પુરુષો તેવા જીવોને ઉદ્દેશીને કહે છે કે, પાણીહારી વાતો કરવા, હસવા અને તાળી ઓ પાડવાદિ ક્રિયા કરતાં જેમ પાણીના બેડામાંથી પોતાનું લક્ષ ચૂકતી નથી તેવી રીતે આત્મલક્ષ જાગૃત રાખીને તમે વ્યવહારમાં પ્રવૃત્તિ કરો. અથવા ગાય જેમ ચારો ચરવાને વનમાં જાય છે, તેનું વાછરડું ઘેર હોય છે, ગાય ચારો ચરે છે, વનમાં ચારે બાજુ હરેફરે છે, પાણી પીવે છે અને પોતાના સમુદાયમાં પણ ઘુમે છે, છતાં તે ગાયની આ દરેક પ્રવૃત્તિમાં સુરતા કે
SR No.005935
Book TitleAatmvishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year2013
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy