________________
૧૪ આત્મવિશુદ્ધિ
પ્રકરણ ચોથું વિકલ્પથી ઉGGી થતું દુઃખ विकल्पजालजंबाला-निर्गतायं सदा सुखी ।
आत्मा तत्र स्थितो दुःखी-त्यनुभूयप्रतीयतां ॥१॥ “વિકલ્પોના સમૂહરૂપ કાદવમાંથી નીકળેલો આ આત્મા સદા સુખી છે, અને તે વિકલ્પની જાળમાં રહેલો આત્મા સદા દુખી છે આ વાતનો અનુભવ કરીને ખાત્રી કરો.” અમને તો ખાત્રી જ છે પણ જેને ખાત્રી ન થતી હોય તેમણે જાતે અનુભવ મેળવી નિશ્ચય કરવો.
વિકલ્પો કરવા તે મનનો ધર્મ છે. આત્માનો ધર્મ તેને જાણવાનો છે. આત્મા જ્ઞાતા દૃષ્ટારૂપે પોતાના ધર્મમાં– પોતાના સ્વભાવમાં રહે તો સુખી થાય છે પણ મનના ધર્મમાં માથું મારવા જાય, પારકી વસ્તુને પોતાની કરવા જાય તો ત્યાં માર ખાય એ સ્વાભાવિક જ છે. દરેક મનુષ્ય પોતે પોતાના સ્થાનમાં જ શોભા પામે છે. સ્થાનથી ભ્રષ્ટ થતાં સન્માન પામતો નથી. આ વ્યવહારૂ બાબત જેટલી સાચી છે તેટલી જ આત્માના સંબંધમાં પણ સાચી છે. આત્મા પોતાનાં સ્વરૂપમાં હોય તે વખતે વિશ્વનો બાદશાહ છે. જડ સ્વભાવવાળી માયાએ, તે વખતે તેના ચરણમાં શિર નમાવવું જ જોઈએ. પણ જ્યારે આત્મા પોતાના સ્થાનથી પતિત થઈ જડ માયામાં સુખ માની તે લેવા ઘરની બહાર નીકળે છે તે વખતે, પ્રથમ મન અનેક વિકલ્પોની જાળ તેની