________________
આત્મવિશુદ્ધિ જ ૧
| $ લઈ નમઃ |
આત્મવિશુદ્ધિ
પ્રકરણ પહેલું
શુદ્ધ આમા अर्थान् यथास्थितान् सर्वान् समं जानाति पश्यति । निराकुलो गुणी योऽसौ, शुद्धचिद्रूप उच्यते ॥१॥
“વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને, જેવી રીતે છે તેવી રીતે બરાબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકુલતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે.”
- શુદ્ધ આત્મા સત્તામાંથી પોતાના ખરા સ્વરૂપમાં પ્રકાશિત થાય છે ત્યારે તે દેહ અને કર્મનાં કોઈપણ અણુઓથી વિંટાએલો હોતો નથી. તે એકી વખતે આ વિશ્વને જાણે છે અને જુએ છે. વિશ્વના તમામ પદાર્થોને તેના ખરા સ્વરૂપમાં જાણે છે. તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અને શબ્દરહિત હોવાથી નિરંજન છે. ઇન્દ્રિયો તેને કોઈપણ રીતે ગ્રહણ કરી શકતી નથી. પોતાના અનુભવથી જ તે જાણી શકાય છે. તે શુદ્ધ આત્માને ત્યાગ કરવા યોગ્ય,