Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004682/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પાાણ શ્રી હશીવિજ્યજી થવા વિચિલી તારાદિત્રયદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન બાવીશમી બત્રીશી વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા - www.jainelibrary org Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાત્રિંશદ્વાત્રિંશિકા અંતર્ગત તારાદિત્રયદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન * મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર * લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષગ્દર્શનવેત્તા પ્રાવચનિક-પ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ * વિવેચનકાર છુ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ∞ સંકલન-સંશોધનકારિકા છ ૫. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી : YSIRIS : તાથી ગ ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન વિવેચનકાર છે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૪ વિ. સં. ૨૦૧૪ આવૃત્તિ ઃ પ્રથમ જ નકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૪૫-૦૦ આર્થિક સહયોગ શ્રુતમર્મજ્ઞ પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પ. પૂ. શ્રી વિવેકયશવિજયજી મ. સા.ની તથા પ. પૂ. સા. શ્રી બોધિરત્નાશ્રીજીના શિષ્યા સા. દષ્ટિરત્નાશ્રીજીના સદુપદેશથી સુરત નિવાસી વલ્લભીપુરવાળા વસંતબેન હર્ષદરાય પ્રભુદાસ શાહ હ. મિનેશ, જિજ્ઞેશ, મોક્ષિત, જિનાર્થ તથા. ભાવનગર નિવાસી નોંઘણવદરવાળા ઉર્મિલાબેન ભૂપતરાય હઠીચંદ મહેતા હ. રાજુ, આગમ તરફથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : માતાથ ગણd. ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩. - મુદ્રક - આસ્ટોડીયા, અમદાવાદ. નવ રિસ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન: (મો.) ૯૪૨૮૨00૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ H : પ્રાપ્તિસ્થાન 卐 * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. * (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. * (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ *સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. * (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (0) 22875262, (R) 22259925 શ્રી નટવરભાઈ એમ. શાહ(આફ્રિકાવાળા) ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩. * (૦૭૯)૨૭૪૭૮૫૧૨ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.)૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર: શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. * (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. ૪ (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ [, પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું લય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સો સોને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચતો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચકોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જેને મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા (સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો ગુજરાતી વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદૃષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કર્ણિકા ૩. સદ્ગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦, મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “ અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો લેખક :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? Page #7 -------------------------------------------------------------------------- ________________ (हिन्दी ત્રિાધ્યાનાર :- પ. પૂ. વિર્ય શ્રી યમૂવિનયની (નાના પંડિત) મ.સા. १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी નિ :- પ. પૂ. વિર્ય શ્રી યTPષ વિનયની (નાના પંડિત) મ.સા. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? । संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब । १. पाक्षिक अतिचार (ENGLISH Lecturer: H.H.GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Status of religion in modern Nation State theory Author: H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી T_. ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!! (ગુજ.) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!!! સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ | (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.). સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ટક ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો (ગુજરાતી) | વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચના ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચના ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સાધુસામય્યદ્વાબિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલ યોગલક્ષણવિચારદ્વાવિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચના ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૫. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૬. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાબિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૭. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૮. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૧. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૩. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૪. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન હૈ : 4 ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો " છે થો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાચિંશદ્ધાવિંશિકા' ગ્રંથની તારાદિત્રયદ્વાચિંશિકાના ' શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩ર-૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થ દીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ ‘ધાત્રિશદ્દ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. જૈનાગમો ઉપર જબરજસ્ત ચિંતન-મનન કરી જિનાગમનાં રહસ્યોને તર્કબદ્ધ રીતે પ્રકાશિત કરનાર, સમર્થ શાસ્ત્રજ્ઞ, સૂરિપુંગવ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના મુમુક્ષુજનપ્રિય યોગશતક, યોગવિંશિકા, યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચ્ચય ઇત્યાદિ ગ્રંથરત્નોના પદાર્થો પૂ. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ તર્કબદ્ધ રીતે, સંકલન સ્વરૂપે સમવતાર સ્વરૂપે અને સંવાદી સ્વરૂપે સંગ્રહિત કર્યા છે, જેમાં પ્રાજ્ઞ મુમુક્ષુઓને અતિ આકર્ષણ કરે તેવા મુખ્યત્વે યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથના પદાર્થોનો અનુપમ સંગ્રહ, તેના વિશદીકરણ અને વિવેચન સાથે આ ગ્રંથની ૨૦ થી ૨૪ એમ કુલ પાંચ કાત્રિશિકામાં કરેલ છે. પૂર્વે “ગીતાર્થ ગંગા' સંસ્થા દ્વારા મિત્રાદષ્ટિધાત્રિશિકા'નું પ્રકાશન થયું, ત્યારબાદ ‘તારાદિત્રયદ્રાન્ત્રિશિકા' આ ગ્રંથનું ૨૨મું પ્રકરણ છે. આત્મવિકાસની યાત્રા બતાવતી આઠ દૃષ્ટિમાં પ્રથમની ચાર દૃષ્ટિઓ મિથ્યાત્વઅવસ્થાયુક્ત હોવા છતાં મંદ મિથ્યાત્વને કારણે તેમાં રહેલા યોગીઓનો ગુણોનો સ્પષ્ટ વિકાસ જોવા મળે છે. અહીં ‘તારાદિત્રયાત્રિશિકામાં તારાષ્ટિ, બલાદૃષ્ટિ અને દીપ્રાષ્ટિ એમ ત્રણ દૃષ્ટિઓનું વર્ણન છે, જે સમ્યગ્દર્શનની પૂર્વેની ભૂમિકા છે. પ્રથમ ગુણસ્થાનકમાં સમાવિષ્ટ આત્મવિકાસ ચાર દૃષ્ટિમાં વિભક્ત Page #11 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/પ્રાસ્તાવિક છે. અંતર્મુખ મુમુક્ષુને પોતાના મોહની તરતમતા સમજવા માટેના સ્પષ્ટ સંકેતો આ વિવેચનથી પ્રાપ્ત થાય છે. તારાદષ્ટિ - દર્શનમોહનીયકર્મ મંદ થવાથી અને ભોગાદિનું તીવ્ર આકર્ષણ ઘટવાથી, યોગમાર્ગને પ્રાપ્ત થયેલા અને સ્વસ્થતાથી આત્મહિતની વિચારણા કરી શકે તેવા પ્રથમ દૃષ્ટિવાળા યોગીને તત્ત્વને જાણવાને અભિમુખત્રતત્ત્વને જાણવા તરફ લઈ જતી, તત્ત્વની જિજ્ઞાસારૂપ બીજી “તારાષ્ટિ' પ્રગટે છે, જે અંતરંગ ચક્ષુરૂપ છે અને તત્ત્વપ્રાપ્તિનું પ્રબળ કારણ છે. જેમ ચક્ષુરહિતને માર્ગ જોવો શક્ય નથી, પરંતુ ચક્ષુથી જોનાર માર્ગને જોઈ શકે છે; તેમ યોગમાર્ગને જોવાને અનુકૂળ જિજ્ઞાસારૂપ અંતઃચક્ષની પ્રાપ્તિ થવાને કારણે ક્રમે કરીને આ યોગી માર્ગને પ્રાપ્ત કરે છે. તેથી આ દૃષ્ટિમાં “ચખુદયાણં' એ “નમુત્થણ સૂત્રનું પદ સંગત થાય છે.” બલાદષ્ટિ :- અંતરંગ ચક્ષુની પ્રાપ્તિ થવાથી, તત્ત્વની જિજ્ઞાસા પ્રગટેલ યોગી માર્ગે જવાનો યત્ન કરે છે અર્થાત્ તત્ત્વશુશ્રષાથી ક્રમે કરીને તત્ત્વ, અતત્ત્વના વિભાગ માટે ઉચિત યત્ન કરે છે, જેથી યોગમાર્ગની ભૂમિકાઓ દેખાતાં યોગમાર્ગ ઉપર ગમન કરે છે અને માર્ગ પર ગમન કરી યોગી તત્ત્વની પ્રાપ્તિ કરે છે. તેથી આ દૃષ્ટિમાં “મમ્મદયાણં' એ “નમુત્થણ' સૂત્રનું પદ સંગત થાય છે. દીપાદૃષ્ટિ :- યોગમાર્ગની પ્રાપ્તિ પછી તત્ત્વાતત્ત્વના વિભાગનો વિશેષરૂપે ભેદ કરવાની ઇચ્છા દીપ્રાદષ્ટિવાળા યોગીને પ્રગટે છે, જે સૂક્ષ્મતત્ત્વને પકડવાના પ્રયાસરૂપ છે, જે અવશ્ય તત્ત્વબોધમાં વિશ્રાંત થશે. આ દૃષ્ટિમાં તત્ત્વચિંતન એ શરણ છે. ચારે બાજુથી થતા મોહરાજાના ત્રાસદાયક હુમલાઓમાંથી બચાવનાર તત્ત્વચિંતન જ છે. માટે તત્ત્વચિંતન જ શરણ છે, અને આ દૃષ્ટિને પ્રાપ્ત થયેલા જીવોનું તત્ત્વશ્રવણ મર્મસ્પર્શી હોવાથી મોહની ગાઢ અસરથી તેઓ મુક્ત થયા છે, તેથી તેમને શરણ મળી ગયું છે. તેથી “નમુત્થણ' સૂત્રનું “સરણદયાણં' પદ આ દૃષ્ટિમાં સંગત થાય છે. આ દૃષ્ટિ સુધીનો વિકાસ પામેલા જીવમાં પણ હજુ સૂક્ષ્મબોધ નથી, તેથી સમ્યક્ત્વ નથી; પરંતુ તત્ત્વશ્રવણગુણ સામગ્રી એકત્રિત થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ Page #12 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક કરાવશે. વળી હજુ અવેદ્યસંવેદ્યપદનું પ્રાબલ્ય છે, તેથી વિપર્યાસ વર્તે છે, યથાર્થ બોધ થતો નથી. તેથી ગ્રંથકારશ્રી આ બત્રીશીના અંતે અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે સત્સંગ અને આગમને ઉપાયરૂપે બતાવે છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, અને યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબોધકર એવા સ્વ. પ. પૂ. મોટા પંડિત મહારાજ પૂ. મોહજિતવિજયજી મહારાજાએ જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ. પૂ.હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ. પૂ. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર મારો યત્ન થતો રહ્યો. મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું. ત્યાં સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખનકાર્ય કરી તેની સંકલન કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં મને રત બનાવી અંતે મને પૂર્ણ બનાવે, તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. આ ગ્રંથના ગુજરાતી વિવરણના પ્રસંશોધનના કાર્યમાં મૃતોપાસક, શ્રુતભક્તિકારક, સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સાધ્વીજી દૃષ્ટિરત્નાશ્રીનો તથા સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. ‘ધાત્રિશિકા' ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો મિચ્છા મિ દુક્કડું માંગું છું. પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણમનન-ચિંતન-નિદિધ્યાસનથી હું પણ યોગમાર્ગને પ્રાપ્ત કરી પૂર્ણ બનું અને Page #13 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/પ્રાસ્તાવિક સાધક જીવો પ્રથમ ગુણસ્થાનકરૂપ મિથ્યાત્વઅવસ્થાની આધ્યાત્મિક ભૂમિકાઓનું માર્મિક જ્ઞાન કરે, સાધનાની ગેરસમજ દૂર કરે, અને ભવભીરુ જિજ્ઞાસુ જીવો સમ્યક્બોધ પામી ગુણોને પ્રાપ્ત કરી, અનુક્રમે સ્વદોષોને દૂર કરી, અવેઘસંવેદ્યપદ ઉપર વિજય મેળવી વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરી, વહેલામાં વહેલા પરમપદના માર્ગે આગળ વધી પરમ અને ચરમ વિશ્રાંતિસ્થાનને પામો, એ જ અંતરની શુભકામના. ૪ ‘લ્યાણમસ્તુ સર્વગીવાનામ્ વિ. સં. ૨૦૭૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા. નાં શિષ્યા તપસ્વીરત્ના સ્વાધ્યાયપ્રિયા ૫. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. નાં શિષ્યા ભવવિરહેચ્છુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી (5) Page #14 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/સંકલના ‘દ્વાચિંશદ્વાચિંશિકા” ગ્રંથની બાવીશમી તારાદિત્રયદ્વાચિંશિકા’ના પદાર્થોની સંકલના મિત્રાદૃષ્ટિ' નામની પૂર્વદ્ધાત્રિશિકા-૨૧માં ગ્રંથકારશ્રીએ મિત્રાષ્ટિનું વર્ણન કર્યું. પ્રસ્તુત કાત્રિશિકામાં તારાદષ્ટિ, બલાદષ્ટિ અને દીપ્રાષ્ટિનું સ્વરૂપ બતાવે છે. તારાદષ્ટિ - તારાદૃષ્ટિમાં મિત્રાદૃષ્ટિ કરતાં તત્ત્વમાર્ગનો બોધ કંઈક સ્પષ્ટ હોય છે. તેના કારણે નિયમ નામનું યોગાંગ પ્રગટે છે અને આત્મકલ્યાણની પ્રવૃત્તિ અર્થે કરાતા અનુષ્ઠાનમાં ઉદ્વેગ નામનો દોષ જાય છે. વળી, મિત્રાદષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ બોધ થયેલો હોવાને કારણે વિશેષ તત્ત્વ જાણવાની જિજ્ઞાસા પ્રગટે છે. તારાદષ્ટિમાં ચક્ષુની કીકી જેવો બોધ હોય છે. અર્થાત્ જેમ ચક્ષુમાં રહેલી કીકી જેની સારી હોય તેને બાહ્ય પદાર્થો દેખાય છે, તેમ તારાદૃષ્ટિમાં થયેલો બોધ કંઈક યોગમાર્ગને દેખાડે છે. તેથી અધિક યોગમાર્ગ જાણવાની જિજ્ઞાસા થાય છે. આથી યોગમાર્ગને જોવાની ચક્ષુ મળી તે બતાવવા માટે બીજી દૃષ્ટિનું નામ તારાદષ્ટિ છે. વળી તારાષ્ટિમાં યોગમાર્ગ પ્રત્યે અવિચ્છિન્ન પ્રીતિ હોય છે, ભાવયોગીઓ પ્રત્યે બહુમાન હોય છે અને શક્તિ અનુસાર ભક્તિ હોય છે, તથા અશુભ પ્રવૃત્તિ નહિ હોવાને કારણે હવે સંસારમાં મને અનર્થો પ્રાપ્ત થશે' તેવો અત્યંત ભય હોતો નથી. વળી, ધર્મ પ્રત્યે અત્યંત આદર હોવાને કારણે ઉચિત ક્રિયાઓની હાનિ થતી નથી અને અજાણતાં પણ અત્યંત અનુચિત પ્રવૃત્તિ થતી નથી, અનુષ્ઠાનમાં પોતાનાથી થતા પ્રમાદ માટે ત્રાસ વર્તે છે, પોતાની ભૂમિકાથી અધિક યોગમાર્ગ જાણવાની જિજ્ઞાસા હોય છે અને શિષ્ટ પુરુષોને પ્રમાણ કરીને સર્વત્ર પ્રવૃત્તિ હોય છે. બલાદષ્ટિ: બલાદૃષ્ટિમાં તારાદૃષ્ટિ કરતાં તત્ત્વમાર્ગનો બોધ કંઈક વધુ સ્પષ્ટ હોય છે. તેના કારણે સ્થિરસુખાસન નામનું યોગાંગ પ્રગટે છે. બલાદષ્ટિમાં તત્ત્વનું દર્શન દઢ હોવાને કારણે તત્ત્વને સાંભળવાની ઇચ્છા ઉત્કટ હોય છે અને Page #15 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/સંકલના યોગમાર્ગમાં ક્ષેપ દોષ હોતો નથી. આ દૃષ્ટિવાળા જીવોને જીવન જરૂરિયાતની સામગ્રીની પ્રાપ્તિથી સંતોષ હોય છે અને તેથી સ્થિર સુખી જીવન હોય છે. પહેલી બે દૃષ્ટિ કરતાં ત્રીજી દૃષ્ટિમાં બલવાન બોધ હોય છે, તેથી તેનું નામ બલાદૃષ્ટિ છે. બલવાન બોધ હોવાને કારણે આ દૃષ્ટિવાળા યોગીઓને અર્થપ્રયોગમાત્રમાં પ્રીતિ હોય છે અર્થાત્ સદ્અનુષ્ઠાન કરવા માત્રથી સંતોષ હોતો નથી, પણ તે સદ્અનુષ્ઠાનોથી પરિણામની નિષ્પત્તિ થાય તે રીતે અનુષ્ઠાન કરવામાં પ્રીતિ હોય છે, અને તેનું કારણ પૂર્વની બે દૃષ્ટિ કરતાં બલાદૃષ્ટિમાં બલવાન બોધ છે. દીપ્રાદષ્ટિ : દીપ્રાદૃષ્ટિવાળા યોગીઓ શુભભાવોની વૃદ્ધિ માટે યત્ન કરતા હોય છે અને પોતાનામાં વર્તતા અશુભ ભાવોને કાઢવા માટે યત્ન કરતા હોય છે, તથા પ્રગટ થયેલા શુભ ભાવોને સ્થિર કરવા માટે યત્ન કરતા હોય છે. આ પ્રકારના ભાવપ્રાણાયામમાં તેઓ યત્ન કરતા હોય છે, અને પ્રકૃતિ પ્રશાંત પરિણામવાળી હોવાને કારણે યોગમાર્ગમાં ઉત્થાન દોષ હોતો નથી, તેથી ઉપશમભાવપૂર્વક સદ્અનુષ્ઠાન કરી શકે છે. વળી તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટેલો હોય છે, જેથી તત્તાતત્ત્વના વિવેક માટે શક્તિના પ્રકર્ષથી યત્ન કરે એવી નિર્મળ બુદ્ધિ હોય છે. આમ છતાં, દીપ્રાદૃષ્ટિવાળા જીવોને સૂક્ષ્મબોધ નથી. તેથી સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી, તોપણ સામગ્રી મળે તો સમ્યકત્વની પ્રાપ્તિ સુલભ થાય તેવા પ્રકારનો તત્ત્વશ્રવણ ગુણ હોય છે. આ દૃષ્ટિમાં રહેલા યોગીઓને પોતાના પ્રાણ કરતાં ધર્મનું મહત્ત્વ અધિક હોય છે. આ ચારેય દૃષ્ટિઓમાં રહેલા જીવોને યોગમાર્ગનો બોધ હોવા છતાં અવેદસંવેદ્યપદ એવું બલવાન છે કે જેથી આટલો યોગમાર્ગનો બોધ થવા છતાં અવેદ્યસંવેદ્યપદ નિવર્તન પામતું નથી; અને જે કાંઈ યોગમાર્ગનો બોધ થયો છે, તે અંશથી તે વેદ્યસંવેદ્યપદરૂપ છે, તોપણ વેદ્યસંવેદ્યપદ કરતાં અવેદ્યસંવેદ્યપદની અધિકતા છે, તેથી વેદ્યસંવેદ્યપદ અતાત્ત્વિક છે. વેદસંવેદ્યપદ એટલે પદાર્થનો યથાર્થ બોધ, અને તે યથાર્થબોધ સમ્યગ્દષ્ટિને હોય છે. તેની પૂર્વે ચાર દૃષ્ટિ સુધી અવેદ્યસંવેદ્યપદ હોય છે. આથી તત્ત્વમાર્ગમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/સંકલના ચાર દૃષ્ટિ સુધી વિપર્યાસ વર્તે છે, તેથી સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે સદ્અનુષ્ઠાનથી પુણ્યબંધ પણ પાપાનુબંધી થાય છે, અને વૈરાગ્યથી જે યોગમાર્ગની પ્રવૃત્તિ થાય છે, તે પણ મોહગર્ભિત વૈરાગ્યવાળી હોય છે, અને સંસારની પાપની પ્રવૃત્તિ જે કંઈ થાય છે તે સાનુબંધ થાય છે. ફક્ત, યોગમાર્ગની બહાર રહેલા જીવોને થતો પુણ્યબંધ એકાંતે પાપાનુબંધી હોય છે, જ્યારે ચારદૃષ્ટિવાળા જીવોને થતો પુણ્યબંધ વિશેષ પ્રકારે પાપાનુબંધી હોવા છતાં કંઈક પુણ્યાનુબંધી પણ હોય છે, પરંતુ પુણ્યાનુબંધી પુણ્ય અલ્પમાત્રામાં હોવાથી ગ્રંથકારે તેની વિવક્ષા કરી નથી. પ્રથમ ચાર દૃષ્ટિવાળા જીવોને સાચી શ્રદ્ધાથી યુક્ત બોધના કારણે તાત્ત્વિક વૈરાગ્ય હોવા છતાં અવેદ્યસંવેદ્યપદને કારણે તે વૈરાગ્ય મોહગર્ભિત પણ છે, અને વેઘસંવેદ્યપદ કરતાં અવેદ્યસંવેદ્યપદ અધિક હોવાથી તેને આશ્રયીને ગ્રંથકારે તે જીવોને મોહગર્ભિત વૈરાગ્ય છે, તેમ કહેલ છે; અને ચાર દૃષ્ટિવાળા જીવોની સંસારની પાપની પ્રવૃત્તિ કંઈક શિથિલ હોવાના કારણે તેટલા અંશથી પાપાનુબંધી નહિ હોવા છતાં, અવેદ્યસંવેદ્યપદને કારણે વર્તતા વિપર્યાસ અંશને આશ્રયીને તેઓની પાપપ્રવૃત્તિ સાનુબંધ છે, તેમ ગ્રંથકારે કહેલ છે. આ ચાર દૃષ્ટિવાળા જીવો સધુરુષના યોગથી અને આગમના યોગથી અવેદ્યસંવેદ્યપદને જીતી શકે છે. તેથી તેઓને અવેદ્યસંવેદ્યપદ જીતવા માટે ગ્રંથકારે પ્રસ્તુત બત્રીશીના અંતે પ્રેરણા કરી છે. છબસ્થતાના કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં-અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડ' માંગુ છું. વિ. સં. ૨૦૬૪, - પ્રવીણચંદ્ર ખીમજી મોતા માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Page #17 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/અનુક્રમણિકા અનુક્રમણિકા શ્લોક નં. વિષય પાના નં.] ૧ થી ૨૫ - ૧-૩ જે ૪-૫ જે ૫-૯ ૯-૧૩ 5 ૪ ૧૩-૧પ ૧૫-૧૭ ૧૭-૨૦ ૧ થી ૯. | Aતારાદષ્ટિનું વર્ણન: તારાદષ્ટિનું સ્વરૂપ. નિયમોનું સ્વરૂપ. શૌચભાવનાનું ફળ. સંતોષ, સ્વાધ્યાય, તપ અને દેવતાપ્રણિધાનનું ફળ. યોગના ઉપકારી નિયમોમાં રત તારાદૃષ્ટિવાળા યોગીઓ. | તારાદૃષ્ટિવાળા યોગીઓની યોગકથાવિષયક પ્રીતિ અને ભાવયોગીઓના બહુમાનનું સ્વરૂપ અને ફળ. તારાદૃષ્ટિવાળા યોગીની ઉચિત પ્રવૃત્તિ. તારાદૃષ્ટિવાળા યોગીની જિજ્ઞાસા અને ઉચિત પ્રવૃત્તિઓમાં થતી પોતાની ત્રુટિનો સંત્રાસ. તારાદષ્ટિવાળા યોગીનો તત્ત્વવિષયક મધ્યસ્થભાવ. ૧૦ થી ૧૫. IIબલાદષ્ટિનું વર્ણન: ૧૦. બલાદૃષ્ટિનું સ્વરૂપ. બાદૃષ્ટિમાં વર્તતા સ્થિર સુખાસનનું સ્વરૂપ. બલાદૃષ્ટિમાં વર્તતા સ્થિર સુખાસનનું ફળ. ૧૩. બલાદષ્ટિમાં વર્તતા શુશ્રુષાગુણનું સ્વરૂપ. (i) શુશ્રુષાગુણ વિના શાસ્ત્રશ્રવણની ક્રિયા અફળ. (ii) શ્રવણના અભાવમાં પણ શુશ્રુષાગુણથી કર્મક્ષયની પ્રાપ્તિ. ૨૦-૨૨ ૨૩-૨૫ ૨૫ થી ૩૯ ર૫-૨૮ ૨૮-૩૧ ૧૨. ૩૧-૩૩ ૩૩-૩૪ ૧૪. | ૩૫-૩, Page #18 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા શ્લોક નં. વિષય ૧૫. બલાદષ્ટિમાં વર્તતા અક્ષેપગુણને કારણે યોગની પ્રવૃત્તિમાં કુશળપણું. III દીપ્રાદ્યષ્ટિનું વર્ણન : ૧૬ થી ૩૨. ૧૬. દીપ્રાદ્દષ્ટિનું સ્વરૂપ. ૧૭. ભાવપ્રાણાયામનું સ્વરૂપ. ૧૮. | ભાવપ્રાણાયામનું કાર્ય. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ભાવપ્રાણાયામમાં વર્તતા રેચન, કુંભન અને પૂરણનું ૨૮. સ્વરૂપ. દીપ્રાદ્દષ્ટિવાળા યોગીઓને પ્રાણથી પણ ધર્મનું અધિક મહત્ત્વ. પ્રાણથી પણ ધર્મના અધિક મહત્ત્વનું ફળ. તત્ત્વશ્રવણગુણના કારણે ચોથી દૃષ્ટિવાળા યોગીઓની ગુરુભક્તિ અને તેનું ફળ. ચોથી દૃષ્ટિવાળા યોગીઓમાં પણ સૂક્ષ્મબોધનો અભાવ. ચારે દૃષ્ટિઓમાં વર્તતા અવેઘસંવેદ્યપદ અને અંશથી પ્રગટેલા વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ. ૨૫. વેદ્યસંવેદ્યપદનું લક્ષણ. ૨૬. વેદ્યસંવેદ્યપદનું વિશેષ સ્વરૂપ. ૨૭. (i) અવેઘસંવેદ્યપદમાં રહેલ અપાયશક્તિનું માલિન્સ. (ii) અવેઘસંવેદ્યપદમાં પાપાનુબંધીપુણ્યની પ્રાપ્તિ. ચાર દૃષ્ટિ સુધી અવેઘસંવેદ્યપદ હોવાને કારણે વૈરાગ્ય પણ મોહથી ગર્ભિત. પાના નં. વ ૩૭-૩૯ ૩૯ થી ૯૯ ૩૯-૪૨ ૪૨-૪૫ ૪૫-૫૪ ૫૪-૫૬ ૫૭-૫૯ ૫૯-૬૨ ૩૩-૬૬ ૬૭-૬૮ ૬૮-૭૧ ૭૨-૭૫ ૭૫૮૨ ૮૨-૮૫ ૮૫-૮૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ | શ્લોક નં. ૨૯. તારાદિત્રયદ્વાચિંશિકા/અનુક્રમણિકા વિષય પાના નં. અવેદ્યસંવેદ્યપદમાં નિરનુબંધ પુણ્યની પ્રાપ્તિ અને સાનુબંધ પાપની પ્રાપ્તિ. ૮૭-૯૦ અવેદ્યસંવેદ્યપદમાં વર્તતા વિપર્યાસનું સ્વરૂપ. ૯૦-૯૩ અવેઘસંવેદ્યપદમાં વર્તતા વિપર્યાસનું સ્વરૂપ. ૯૩-૯૫ અવેદ્યસંવેદ્યપદને જીતવાનો ઉપાય. ૯૫-૯૯ ૩૦. Page #20 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ हीं श्रीशङखेश्वरपार्श्वनाथाय नमः । ऐं नमः । न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत तारादित्रयद्वात्रिंशिका-२२ પૂર્વ દ્વાસિંશિકા સાથે સંબંધ : मित्रानिरूपणानन्तरं तारादित्रयं निरूपयत्राह - मर्थ :મિત્રાદષ્ટિના નિરૂપણ પછી તારાદિ ત્રણ દૃષ્ટિઓનું નિરૂપણ કરતાં छे -: ताराष्टि:योs : तारायां तु मनाक् स्पष्टं दर्शनं नियमाः शुभाः । ' अनुद्वेगो हितारम्भे जिज्ञासा तत्त्वगोचरा ।।१।। मन्ययार्थ : तारायां तु=qणी रिमां दर्शनं नि मनाक् स्पष्टं थोडं स्पष्ट छ= मिalle Rdi थोडं पधारे स्पष्ट छ, नियमा: शुभा: नियमो प्रशस्त छ, Page #21 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્રાસિંશિકા/શ્લોક-૧ દિતારમે અનુભ=હિતના આરંભમાં અદ્વેગ છે, તત્ત્વોપરા નિશાની તત્વવિષયક જિજ્ઞાસા છે. [૧] શ્લોકાર્ચ - વળી તારાદષ્ટિમાં દર્શન થોડું સ્પષ્ટ છે, નિયમો પ્રશસ્ત છે, હિતના આરંભમાં અનુવેગ છે, તત્વવિષયક જિજ્ઞાસા છે. ll૧II ટીકા : तारायामिति-तारायां पुनर्दृष्टौ, मनाग-इषत् स्पष्टं मित्रापेक्षया दर्शनं, शुभा:= प्रशस्ता:, नियमा वक्ष्यमाणा इच्छादिरूपाः, तथा हितारम्भे पारलौकिकप्रशस्तानुष्ठानप्रवृत्तिलक्षणेऽनुद्वेगः, तथा तत्त्वगोचरा तत्त्वविषया जिज्ञासा ज्ञातुमिच्छा, अद्वेषत एव तत्प्रतिपत्त्यानुगुण्यात् ।।१।। ટીકાર્ચ - તારા ........ તસ્વનિપજ્યાનુપુથા વળી તારાદૃષ્ટિમાં મિત્રાદષ્ટિની અપેક્ષાએ દર્શન માફ કંઈક, સ્પષ્ટ છે. આગળમાં કહેવાશે એવા ઈચ્છાદિરૂપ નિયમો શુભ છે=પ્રશસ્ત છે, અને પરલોકસંબંધી પ્રશસ્ત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિસ્વરૂપ હિતના આરંભમાં અતુટેગ છે કષ્ટસાધ્યતાજ્ઞાનજવ્ય આળસરૂપ જે ઉદ્વેગ, તેનો અભાવ છે, અને તત્ત્વોયર =તત્વવિષયક જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા છે; કેમ કે અષથી જ તત્વ પ્રત્યેના અદ્વેષથી જ, તત્પતિપત્તિ અનુગુણપણું છે-તત્વના સ્વીકારનું અભિમુખપણું છે. [૧] ભાવાર્થ :તારાદષ્ટિનું સ્વરૂપ : મિત્રાદષ્ટિ કરતાં તારાદૃષ્ટિને પ્રાપ્ત યોગીનો બોધ કેવો હોય છે ? અને કયા કયા ગુણો તેને પ્રાપ્ત થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં જણાવે છે. તારાદષ્ટિનું દર્શન=બોધ - મિત્રાદૃષ્ટિમાં રહેલા યોગીને યોગમાર્ગનો પ્રારંભિક અલ્પ બોધ થયેલો, જેના કારણે તે યોગીને તત્ત્વની રુચિ પ્રગટ થઈ હતી. અહીં Page #22 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧ 3 તારાદૃષ્ટિમાં રહેલા યોગીનો બોધ મિત્રાદ્દષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ છે, તેથી મિત્રાદષ્ટિ કરતાં અધિક બોધવાળી આ તારાષ્ટિ છે. પ્રશસ્ત નિયમો :- મિત્રાદષ્ટિમાં રહેલા યોગીને ઇચ્છાદિ ચાર પ્રકારના યમમાંથી કોઈક યમ ગુણ પ્રગટેલો હોય છે, તેમ તારાદૃષ્ટિમાં રહેલા યોગીને ઇચ્છાદિ ચાર પ્રકારના નિયમમાંથી કોઈક નિયમ ગુણ પ્રગટે છે. હિતના આરંભમાં અનુદ્વેગ :- મિત્રાદષ્ટિમાં રહેલા યોગીમાં આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં અખેદ નામનો ગુણ હોય છે. તેથી ધર્મનું કોઈ પણ અનુષ્ઠાન કરવાનું આવે ત્યારે તેઓને ખેદ નથી થતો, પરંતુ ઉત્સાહથી પ્રવૃત્તિ હોય છે. આમ છતાં કષ્ટસાધ્યતાનું જ્ઞાન થાય તો તે અનુષ્ઠાન કરતી વખતે મિત્રાદૃષ્ટિવાળા યોગીને ઉદ્વેગ પણ આવી શકે, જ્યારે તારાદષ્ટિવાળા યોગીને પારલૌકિક અનુષ્ઠાનમાં ઉદ્વેગ દોષ હોતો નથી. તેથી જે અનુષ્ઠાન પોતાના હિતનું કારણ છે, તે અનુષ્ઠાન કષ્ટસાધ્ય છે તેવું જણાય, તોપણ પ્રમાદ વિના સ્વશક્તિઅનુસાર અનુષ્ઠાન સેવવા માટે યત્ન કરે છે, અને કષ્ટસાધ્ય અનુષ્ઠાનમાં યત્ન કરતાં કરતાં ક્યારેક પ્રમાદ થઈ જાય તો આ યોગીને સંત્રાસ થાય છે, કે “હા ! વિરાધોડö’ અર્થાત્ ‘હા ! હું વિરાધક છું,’ જેથી મારા હિતકારી અનુષ્ઠાનમાં સમ્યગ્ યત્ન કરી શકતો નથી, આવો સંત્રાસ થાય છે, પરંતુ ક્યારેય તે અનુષ્ઠાનને રાજવેઠની જેમ કરતો નથી. તે : તત્ત્વવિષયક જિજ્ઞાસા ઃ- મિત્રાદષ્ટિવાળા યોગીને તત્ત્વવિષયક અદ્વેષ હતો, તેથી તત્ત્વ સાંભળવાની પ્રવૃત્તિ તેને પ્રીતિનું કારણ બનતી હતી. આમ છતાં મિત્રાદ્દષ્ટિમાં જિજ્ઞાસા ગુણ પ્રગટ થયેલો નથી; કેમ કે જિજ્ઞાસાને અનુકૂળ એવો કંઈ જ બોધ મિત્રાદૃષ્ટિમાં નથી, જ્યારે તારાદૃષ્ટિમાં મિત્રાદ્રષ્ટિ કરતાં કંઈક અધિક બોધ થયો છે. તેથી તે સામાન્ય બોધને કારણે વિશેષને જાણવાની જિજ્ઞાસા આ દૃષ્ટિમાં થાય છે, જે જિજ્ઞાસા તત્ત્વ પ્રત્યેના અદ્વેષપૂર્વક તત્ત્વના સ્વીકારને અનુકૂળ પરિણામવાળી છે. તેથી આવા યોગીઓને તત્ત્વ સાંભળવાની સામગ્રી મળે તો ધીરે ધીરે અતત્ત્વની નિવૃત્તિ થાય છે અને તત્ત્વની પ્રાપ્તિ થાય 9.11911 Page #23 -------------------------------------------------------------------------- ________________ ४ તારાદિત્રયદ્વાત્રિંશિકા/બ્લોક-૨ અવતરણિકા : તારાદૃષ્ટિમાં પ્રગટ થતા નિયમોનું સ્વરૂપ બતાવે છે શ્લોક ઃ नियमा: शौचसन्तोषौ स्वाध्यायतपसी अपि । देवताप्रणिधानं च योगाचार्यैरुदाहृताः ।।२।। અન્વયાર્થ: શોચસન્તોષો=શોચ, સંતોષ સ્વાધ્યાયતવસી=સ્વાધ્યાય, તપ લેવતાનિધાનં ==અને દેવતાપ્રણિધાન=ઈશ્વરનું પ્રણિધાન યોષાય =યોગાચાર્યો વડે નિયમાઃ વાદ્દતા =નિયમો કહેવાયા છે. ।।૨।। શ્લોકાર્થ : શૌય, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન યોગાચાર્યો વડે નિયમો કહેવાયા છે. કાચા ટીકા ઃ नियमा इति - शौचं - शुचित्वं, तद्द्द्विविधं, बाह्यमाभ्यन्तरं च, बाह्यं मृज्जलादिभिः कायप्रक्षालनं, आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तमलप्रक्षालनं, सन्तोष: - सन्तुष्टिः, स्वाध्यायः प्रणवपूर्वाणां मन्त्राणां जप, तपः कृच्छ्रचान्द्रायणादि, देवताप्रणिधानमीश्वरप्रणिधानं सर्वक्रियाणां फलनिरपेक्षतया ईश्वरसमर्पणलक्षणं, एते योगाचार्यैः=पतञ्जल्यादिभिर्नियमा उदाहृताः, यदुक्तं ‘શોધસન્તોષતપ:સ્વાધ્યાયેશ્વરપ્રણિધાનાનિ નિયમા:' [પા.યો.મૂ. ૨-૩૨] કૃતિ ારા ટીકાર્થઃ शौचं કૃતિ ।। શૌચ=શુચિપણું, તે=શૌચ, બે પ્રકારનું છે : બાહ્ય અને અત્યંતર. માટી, જલાદિ વડે કાયાનું પ્રક્ષાલન બાહ્ય છે–બાહ્ય શુચિપણું છે, મૈત્યાદિ વડે ચિત્તનું પ્રક્ષાલન આન્વંતર છે=આવ્યંતર શુચિપણું છે. સંતોષ=સંતુષ્ટિ, પ્રણવપૂર્વક મંત્રોનો જપ સ્વાઘ્યાય છે, કૃચ્છુચાન્દ્રાયણાદિ — Page #24 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ તપ છે, દેવતાનું પ્રણિધાન=સર્વ ક્રિયાઓનું ફળનિરપેક્ષપણા વડે ઈશ્વરસમર્પણલક્ષણ ઈશ્વરપ્રણિધાન. આaઉપર્યુક્ત શૌચાદિ પાંચ પતંજલિ આદિ યોગાચાર્યો વડે નિયમો કહેવાયા છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૨/૩૨માં કહેવાયું છે – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન નિયમો છે” - ‘તિ' શબ્દ પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા ભાવાર્થ :નિયમોનું સ્વરૂપ : તારાદૃષ્ટિમાં રહેલા યોગીને પાંચ નિયમો પ્રગટ થાય છે. તે આ પ્રમાણે – (૧) શૌચ, (૨) સંતોષ, (૩) સ્વાધ્યાય, (૪) તપ અને (૫) દેવતાપ્રણિધાન. યમના પાલનમાં હિંસાદિ બાહ્ય આરંભોની નિવૃત્તિ હતી, જ્યારે નિયમોમાં તે હિંસાદિ આરંભોની નિવૃત્તિમાં અતિશયતા કરાવે તેવી પ્રવૃત્તિ છે. (૧) શૌચ :- શૌચ બે પ્રકારે છે : ૧. બાહ્યશૌચ અને ૨. અત્યંતરશૌચ. ૧. બાહ્યશૌચ :- યોગમાર્ગને અતિશય કરવા અર્થે માટી, પાણી આદિથી કાયાનું પ્રક્ષાલન કરીને શુદ્ધિ કરવામાં આવે તો તે બાહ્યશૌચ છે, જે કરીને યોગી અન્ય સ્વાધ્યાયાદિ અનુષ્ઠાનમાં દૃઢ યત્ન કરી શકે છે. આથી જ શ્રાવક દ્રવ્ય શૌચપૂર્વક ભવગર્ભક્તિ કરે છે. ૨. અત્યંતરશૌચ - મૈત્યાદિ ભાવનાઓથી આત્માને વાસિત કરવામાં આવે તે અત્યંતર શૌચ છે. શેષ નિયમો સ્પષ્ટાર્થવાળા છે. પરા અવતરણિકા - પૂર્વશ્લોકમાં શૌચાદિ પાંચ નિયમો બતાવ્યા. તેમાં દ્રવ્ય અને ભાવશૌચતું બાહ્ય અને અત્યંતરશોચનું સ્વરૂપ બતાવ્યું. હવે શૌચભાવના કરવાથી પણ શૌચનિયમ ગુણ પ્રગટે છે. તેથી શૌચભાવનાનું સ્વરૂપ બતાવે છે – Page #25 -------------------------------------------------------------------------- ________________ ५ श्लोड : शौच भावनया स्वाङ्गजुगुप्साऽन्यैरसङ्गमः । सत्त्वशुद्धिः सौमनस्यैकाग्र्याक्षजययोग्यता ।।३।। ताराहित्रयद्वात्रिंशिSI / श्लोड-3 अन्वयार्थ : शौचभावनया =शयिभावना वडे आत्माने पवित्र ईरवा माटे उरवामां आावती शौयभावना वडे स्वाङ्गजुगुप्सा = स्वायनी घृएगा अन्यैरसंगमः =अन्य साथै अन्य प्रयावाणा साथै, असंगम = संघर्डनो त्याग सत्त्वशुद्धिः सत्त्वनी शुद्धि, सौमनस्य = सौमनस्य, ऐकाग्र अग्रता - चित्तनुं स्थैर्य, अक्षजय= इन्द्रियोनो नथ, योग्यता = शुद्ध खात्माने भेवानी योग्यता थाय छे. ॥3॥ श्लोकार्थ : શૌચભાવના વડે (૧) સ્વાંગ જુગુપ્સા, (૨) અન્ય સાથે સંપર્કનો त्याग, (3) सत्वशुद्धि, (४) सौमनस्य, ( 4 ) खेाग्रता, ( 9 ) द्रियोनो भ्य, जने (७) शुद्ध आत्मघ्र्शननी योग्यता थाय छे. 11311 टीडा : शौचेति - शौचस्य भावनया स्वाङ्गस्य स्वकायस्य कारणरूपपर्यालोचनद्वारेण जुगुप्सा = घृणा भवति " अशुचिरयं कायो नात्राग्रहः कर्तव्यः" इति, तथा चान्यैः कायवद्भिरसङ्गमस्तत्सम्पर्कपरिवर्जनमित्यर्थः । यः किल स्वमेव कायं जुगुप्सते तत्तदवद्यदर्शनात्, स कथं परकीयैस्तथाभूतैः कायैः संसर्गमनुभवति ? । तदुक्तं - इति ।। ३ ।। = “शौचात्स्वाङ्गे जुगुप्सा परैरसंसर्गः” [२-४०] । तथा सुसत्त्वस्य प्रकाशसुखात्मकस्य शुद्धी- रजस्तमोभ्यामनभिभवः । सौमनस्यं खेदाननुभवेन मानसी प्रीतिः, एकाग्र्यं नियते विषये चेतसः स्थैर्यं, अक्षाणाम् इन्द्रियाणां जयो-विषयपराङ्मुखानां स्वात्मन्यवस्थानं योग्यता चात्मदर्शने विवेकख्यातिरूपे समर्थत्वं । एतावन्ति फलानि शौचभावनयैव भवन्ति । तदुक्तं “सत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च " [पा.यो.सू. २- ४१] Page #26 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વત્રિશિકા/બ્લોક-૩ ટીકાર્ચ - શીવ ... ત્તિ શોચની ભાવના વડે=આત્માને પવિત્ર કરવા માટે કરવામાં આવતી શોચભાવના વડે, સ્વાંગની જુગુપ્સા-કારણના સ્વરૂપના પર્યાલોચન દ્વારા અર્થાત્ શરીરની નિષ્પત્તિનું જે કારણ અશુચિમય પદાર્થો છે, તેના પર્યાલોચન દ્વારા સ્વીકાયાની ધૃણા થાય છે. તે જુગુપ્સાનું સ્વરૂપ બતાવે છે – આ કાયા અશુચિવાળી છે. અહીં અશુચિવાળી આ કાયામાં, આગ્રહ= મમત્વ, કરવું જોઈએ નહીં.” રૂતિ’ શબ્દ કાયાની જુગુપ્સાના સ્વરૂપકથનની સમાપ્તિ માટે છે. વળી શૌચભાવનાથી અન્ય કયું ફળ થાય છે ? તે બતાવે છે – અને તે રીતે કારણના સ્વરૂપના પર્યાલોચનને કારણે કાયા પ્રત્યે જુગુપ્સા કરી તે રીતે, અવ્ય કાયાવાળા સાથે અસંગમ તેના સંપર્કનું પરિવર્જન, થાય છે. તેમાં યુક્તિ બતાવે છે – તે તે અવધના દર્શનથી કાયાના તે તે દોષોના દર્શનથી, ખરેખર ! પોતાની જ કાયાની જે જુગુપ્સા કરે છે, તે તેવા પ્રકારની પરકીય કાયા સાથે કેવી રીતે સંસર્ગને અનુભવે ? તે કહેવાયું છે=શૌચભાવનાથી શું થાય છે ? તે પાતંજલ યોગસૂત્ર ૨-૪૦માં કહેવાયું છે – શૌચથી સ્વઅંગમાં=પોતાની કાયામાં, જુગુપ્સા અને પરકાયા સાથે અસંસર્ગ થાય છે.” શૌચભાવનાથી અન્ય શું પ્રગટ થાય છે ? તે બતાવે છે – અને પ્રકાશસુખાત્મક સુસત્ત્વની શુદ્ધિ થાય છે=રજસ્ અને તમસ દ્વારા અર્થાત્ રાગદ્વેષ દ્વારા અભિભવ થાય છે. સૌમનસ્યઃખેદના અનુભવને કારણે અર્થાત્ શરીરની આળપંપાળકૃત શ્રમના અનુભવના કારણે માનસિક પ્રીતિ, એકાગ્ય=લિયત વિષયમાં ચિત્તનું સ્વૈર્ય, અક્ષોનો=ઈન્દ્રિયોનો, જય= વિષયોથી પરાક્ષુખ એવી ઇન્દ્રિયોનું સ્વઆત્મામાં અવસ્થાન અર્થાત્ ઇન્દ્રિયોનું પદાર્થના પરિચ્છેદનરૂપ પોતાના સ્વરૂપમાં અવસ્થાન, અને યોગ્યતા Page #27 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૩ વિવેકખ્યાતિરૂપ આત્મદર્શનમાં સમર્થપણું : આટલાં ફ્ળો શૌચભાવનાથી જ થાય છે. તે કહેવાયું છે=શૌચભાવનાથી આટલાં ફ્ળો થાય છે, તે પાતંજલયોગસૂત્ર-૨-૪૦માં કહેવાયું છે – . “સત્ત્વની શુદ્ધિ, સૌમનસ્ય, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શનયોગ્યતા થાય છે.” ‘તિ' શબ્દ પાતંજલયોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. (પા.યો.સ. 2-80) 11311 નોંધ :- ટીકામાં ‘સુસત્ત્વસ્ય’ના સ્થાને ‘સત્ત્વક્ષ્ય' એ શ્લોક પ્રમાણે પાઠ જોઈએ અને પાતંજલયોગસૂત્રના ઉદ્ધરણમાં પણ ‘સુસત્ત્વશુદ્ધિ’ ના સ્થાને ‘સત્ત્વશુદ્ધિ' શબ્દ છે. ભાવાર્થ: શૌચભાવનાનાં ફળ ઃ બીજી દૃષ્ટિવાળા યોગીને શૌચાદિ પાંચ નિયમો પ્રગટે છે. તેમાં આત્માને પવિત્ર ક૨વા માટે શૌચભાવના કરવામાં આવે તો નીચેનાં સાત ફળો પ્રાપ્ત થાય છે. 4 (૧) સ્વાંગે જુગુપ્સા ઃ- બીજી દષ્ટિવાળા યોગીને શૌચભાવથી પોતાની કાયામાં જુગુપ્સા=ઘૃણા, થાય છે. તે વિચારે છે કે ‘આ કાયા અશુચિમય છે, લોહી, માંસ, હાડકાંનો ઢગલો છે, સતત અશુચિ તેમાંથી વહ્યા કરે છે. માટે આવી આ કાયામાં મારે મમત્વ ન કરવું જોઈએ.’ (૨) બીજાની કાયા સાથે અસંગ ઃ- આ યોગીને પોતાની કાયાનું આવું જુગુપ્સનીય સ્વરૂપ લાગે છે, તેથી તેને બીજાની કાયા સાથે સંગ ક૨વાની વૃત્તિ થતી નથી. (૩) સત્ત્વશુદ્ધિ :- શૌચભાવનાને કારણે આ યોગીને કાયા પ્રત્યેનો રાગદ્વેષનો ભાવ ઘટવાથી પ્રકાશ અને સુખાત્મક સત્ત્વની શુદ્ધિ થાય છે. આશય એ છે કે શરીર પ્રત્યે જુગુપ્સા થવાથી શરીરનો રાગ ઘટતો જાય છે, ભોગાદિની લાલસા ઘટતી જાય છે અને ભોગક્લેશરહિત એવા આત્માના સ્વરૂપનો બોધ થતો જાય છે, જે પ્રકાશાત્મક આત્માનો પરિણામ છે; અને ભોગથી વિમુખભાવમાં જ સ્વસ્થતાના સુખનો તેને અનુભવ થાય છે, જે Page #28 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ સુખાત્મક આત્માનો પરિણામ છે. તે બતાવવા માટે જ અહીં કહ્યું કે શૌચભાવનાથી પ્રકાશ-સુખાત્મક સત્ત્વની શુદ્ધિ થાય છે. (૪) સૌમનસ્ય :- ખેદના અનનુભવને કારણે માનસિક પ્રીતિ થાય તે સૌમનસ્ય. શૌચભાવનાને કારણે દેહ જુગુપ્સનીય લાગવાથી તેની આળપંપાળ કરવાની મનોવૃત્તિ ઘટે છે, જેથી દેહની આળપંપાળ માટે શ્રમ કરવારૂપ ખેદનો અનનુભવ થવાને કારણે માનસિક આનંદ થાય છે. (૫) એકાગ્રતા :- શૌચભાવનાને કારણે કાયા પ્રત્યેનું મમત્વ ઘટવાથી યોગસાધનાના માર્ગમાં એકાગ્રતા આવે છે. (૬) ઇંદ્રિયોનો જય :- કાયા પ્રત્યેનું મમત્વ ઘટવાથી કાયાને અનુકૂળ વિષયો પ્રત્યે પણ મમત્વ ઘટે છે, અને બધા જીવોની કાયા જુગુપ્સનીય દેખાવાથી કોઈનાં રૂપરંગ જોઈને ઇંદ્રિયો વિષયઅભિમુખ જતી નથી. તેથી શૌચભાવનાથી ઇન્દ્રિયોનો જય થાય છે. (૭) આત્માનાં દર્શન કરવાવિષયક યોગ્યતા:- ભોગાદિની મનોવૃત્તિ ઘટવાથી ઇન્દ્રિયોના જયને કારણે વિવેકખ્યાતિ અર્થાત્ શરીર અને આત્માના ભેદજ્ઞાનરૂપ આત્મદર્શન કરવા વિષયક યોગ્યતા પ્રગટે છે. બીજી દૃષ્ટિવાળા યોગીઓ શૌચભાવના કરતા હોય છે, જેના કારણે ઉપર્યુક્ત સાત ફળો ક્રમસર તેઓને પ્રાપ્ત થાય છે. બધા જ બીજી દૃષ્ટિવાળા યોગીઓને આ ફળો પ્રાપ્ત થાય તેવો નિયમ નથી, તોપણ બીજી દૃષ્ટિવાળા જીવોની શૌચભાવનાની પ્રવૃત્તિ તે ફળની નિષ્પત્તિની ભૂમિકારૂપ છે, અને કોઈક યોગીને તે ફળો પ્રગટ પણ થયાં હોય. જ્યારે પહેલી દૃષ્ટિવાળા યોગીઓને તો યમાદિની સ્થૂલ આચરણાથી અધિક શૌચાદિ ભાવનામાં કેવી રીતે યત્ન કરવો, તેનો બોધ હોતો નથી. તેથી જ્યારે આવો બોધ પ્રગટે ત્યારે જીવ બીજી દૃષ્ટિમાં આવે છે. Imall અવતરણિકા : શ્લોક-રમાં પાંચ નિયમ બતાવ્યા. તેમાં શૌચ નામના નિયમના પ્રાદુર્ભાવથી કયાં ફળો પ્રાપ્ત થાય છે, તે શ્લોક-૩માં બતાવ્યું. હવે સંતોષાદિ ચાર નિયમના પ્રાદુર્ભાવથી કયાં કયાં ફળો મળે છે, તે બતાવે છે – થાય છે. આ બતાવે છે તો વાલી ચા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તારાદિત્રયદ્વાચિંશિકા/બ્લોક-૪ श्टोs: सन्तोषादुत्तमं सौख्यं स्वाध्यायादिष्टदर्शनम् । तपसोऽङ्गाक्षयोः सिद्धिः समाधिः प्रणिधानतः ।।४।। मन्वयार्थ : सन्तोषाद् उत्तमं सौख्यं संतोषथी उत्तम सुण, स्वाध्यायादिष्टदर्शनम् स्वाध्यायथी EN, तपसोऽङ्गाक्षयोः सिद्धिः-तपथी संगनीयानी सने सक्षनीन्द्रियोनी, सिसने प्रणिधानतः समाधि:=प्रधानथी वताना प्रधानथी, समाधि थाय छे. ॥४॥ लोार्थ : સંતોષથી ઉત્તમ સુખ, સ્વાધ્યાયથી ઈષ્ટદર્શન, તપથી કાયા અને ઈન્દ્રિયોની સિદ્ધિ અને દેવતાના પ્રણિધાનથી સમાધિ થાય છે. II૪ll टीडा :__ सन्तोषादिति-सन्तोषात् स्वभ्यस्तात् योगिन उत्तमम् अतिशयितं, सौख्यं भवति, यस्य बाह्येन्द्रियप्रभवं सुखं शतांशेनापि न समं । तदाह - “सन्तोषादनुत्तमः सुखलाभः" [पा.यो.सू.२-४२] । स्वाध्यायात् स्वभ्यस्तादिष्टदर्शनं जप्यमानमन्त्राभिप्रेतदेवतादर्शनं भवति । तदाह - “स्वाध्यायादिष्टदेवतासंप्रयोग:" [पा.यो.सू. २-४४] तपसः स्वभ्यस्तात् क्लेशाद्यशुचिक्षयद्वारा अङ्गाक्षयो:-कायेन्द्रिययोः, सिद्धिः, यथेच्छमणुत्वमहत्त्वादिप्राप्तिसूक्ष्मव्यवहितविप्रकृष्टदर्शनसामर्थ्यलक्षणोत्कर्ष: स्यात् । यथोक्तं - “कायेन्द्रियसिद्धिरशुचिक्षयात्तपसः" [पा.यो.सू. २-४३] । प्रणिधानत-ईश्वरप्रणिधानात् समाधि: स्यात्, ईश्वरभक्त्या प्रसन्नो हीश्वरोऽन्तरायरूपान् क्लेशान् परिहत्य समाधिमुद्बोधयतीति । यथोक्तं - __ “समाधिसिद्धिरीश्वरप्रणिधानाद्" [पा.यो.सू.२-४५] इति तप:स्वाध्यायेश्वरप्रणिधानानां त्रयाणामपि च शोभनाध्यवसायलक्षणत्वेन क्लेशकार्यप्रतिबन्धद्वारा समाध्यनुकूलत्वमेव श्रूयते । यथोक्तं - “तप:स्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः [२-१] समाधिभावनार्थः क्लेशतनुकरणार्थश्च" [२-२] इति ।।४।। Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૪ ટીકાર્ય : સન્તોષાત્ વત્તેશતનુવરાર્થક્વેતિ” [૨-૨] સુઅભ્યસ્ત એવા સંતોષથી યોગીઓને ઉત્તમ=અતિશયિત, સુખ થાય છે. બાહ્ય ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું સુખ શતાંશથી પણ જેની સમાન નથી=સંતોષથી થયેલા સુખની સમાન નથી. તે કહે છેઃસંતોષથી થતા સુખને પાતંજલ યોગસૂત્ર-૨-૪૨માં કહે છે – “સંતોષથી અનુત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.” સુઅભ્યસ્ત એવા સ્વાધ્યાયથી ઈષ્ટનું દર્શન જપ કરાતા મંત્રથી અભિપ્રેત એવા દેવતાનું દર્શન, થાય છે. તે કહે છેઃસ્વાધ્યાયથી થતાં ફળને પાતંજલ યોગસૂત્ર-૨-૪૪માં કહે છે – “સ્વાધ્યાયથી ઈષ્ટદેવતાનો સંપ્રયોગ થાય છે.” સુઅભ્યસ્ત એવા તપથી ફ્લેશારિરૂપ અશુચિતા ક્ષય દ્વારા અંગ અને અક્ષની=કાયા અને ઈન્દ્રિયોની સિદ્ધિ થાય છે. તે સિદ્ધિ બતાવે છે – ઈચ્છા પ્રમાણે કાયાને અણુપણાની, મહત્પણા આદિની પ્રાપ્તિ=પ્રાપ્તિ લક્ષણ ઉત્કર્ષ, થાય છે; અને ઇન્દ્રિયોમાં સૂક્ષ્મ સૂક્ષ્મ પદાર્થોના, વ્યવહિત= કોઈનું વચ્ચે વ્યવધાન હોય તેવા પદાર્થોના, વિપ્રકૃષ્ટ=અતિ દૂર રહેલા પદાર્થોના દર્શનના સામર્થરૂપ ઉત્કર્ષ થાય છે. જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે તપનું ફળ પાતંજલ યોગસૂત્ર૨-૪૩માં કહેવાયું છે – “તપથી અશુચિના ક્ષયના કારણે કાયા અને ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે." પ્રણિધાનથી=ઈશ્વરપ્રણિધાનથી સમાધિ થાય છે. ઈશ્વરના પ્રણિધાનથી સમાધિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે – ઈશ્વરની ભક્તિ વડે પ્રસન્ન થયેલા ઈશ્વર, ખરેખર ! અંતરાયરૂપ ફ્લેશોને દૂર કરીને સમાધિનો ઉદ્બોધ કરે છે. તિ' શબ્દ સમાધિના સ્વરૂપ કથનની સમાપ્તિમાં છે. જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે દેવતાપ્રણિધાનનું ફળ પાતંજલ યોગસૂત્ર૨-૪૫માં કહેવાયું છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૪ ઈશ્વરપ્રણિધાનથી સમાધિની સિદ્ધિ છે.” “તિ' પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ ત્રણનું પણ શોભન અધ્યવસાય સ્વરૂપ હોવાને કારણે ક્લેશરૂપ કાર્યના પ્રતિબંધ દ્વારા સમાધિને અનુકૂળપણું જ સંભળાય છે. જે પ્રમાણે કહેવાયું છેeતપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ ત્રણેનું સમાધિને અનુકૂળપણું છે, તે પાતંજલયોગસૂત્રમાં કહેવાયું છે – સમાધિની ભાવના માટે અને ક્લેશને પાતળા કરવા માટે “તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન ક્રિયાયોગ છે.” (પા.યો.ફૂ. ૨-૧/૨-૨) ત્તિ' શબ્દ પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. જો ભાવાર્થસંતોષ, સ્વાધ્યાય, તપ અને દેવતા પ્રણિધાનનું ફળ : પૂર્વશ્લોકમાં પાંચ નિયમોમાંથી શૌચનિયમનું ફળ બતાવ્યું. હવે આ શ્લોકમાં સંતોષાદિ ચાર નિયમોનાં ફળ બતાવે છે – (૨) સંતોષ નિયમ - બીજી દૃષ્ટિમાં રહેલા યોગીઓ સંતોષ નિયમનું સેવન કરે છે=“આત્મહિત સાધવા માટે સંતોષને કેળવવો જોઈએ તે પ્રકારનું લક્ષ્ય કરીને પ્રકૃતિને સંતોષવાળી બનાવવા યત્ન કરે છે; અને સંતોષ જ્યારે સુઅભ્યસ્ત થાય છે, ત્યારે યોગીઓને અતિશય સુખ ઉત્પન્ન થાય છે, જેની આગળ બાહ્ય ઇંદ્રિયોથી થયેલું સુખ “સોમા ભાગે પણ આવતું નથી. (૩) સ્વાધ્યાય નિયમ :- સ્વાધ્યાય એટલે પ્રણવપૂર્વક મંત્રનો જાપ. બીજી દૃષ્ટિવાળા યોગી યોગમાર્ગની સાધનાના અર્થે સ્વાધ્યાયમાં યત્ન કરે છે, જે જપરૂપ છે, અને તેનાથી જે ઇષ્ટદેવતાનો જાપ કરે છે, તેનું દર્શન પણ થાય છે. આશય એ છે કે જ્યારે મંત્રજાપ સુઅભ્યસ્ત બને છે, ત્યારે તે મંત્રથી અભિપ્રેત એવા દેવતાનું પોતે સાક્ષાત્ દર્શન કરતા હોય તેવો પરિણામ પ્રગટ થાય છે. (૪) તપ નિયમ :- બીજી દૃષ્ટિવાળા યોગી તપનિયમનો અભ્યાસ કરતા હોય છે, અને તપ જ્યારે સુઅભ્યસ્ત થાય છે, ત્યારે ચિત્તમાંથી રાગાદિ સ્વરૂપ Page #32 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૪-૫ ૧૩ ક્લેશાદિ ભાવોરૂપ અશુચિનો ક્ષય થાય છે, જેથી કાયાની સિદ્ધિ અને ઇન્દ્રિયોની સિદ્ધિ થાય છે. કાયાની સિદ્ધિ થવાથી પોતાની ઇચ્છા પ્રમાણે કાયાને નાનીમોટી આદિ કરી શકે છે, અને ઇન્દ્રિયોની સિદ્ધિ થવાને કારણે ઇન્દ્રિયોથી સૂક્ષ્મ પદાર્થો જોઈ શકે છે, ભીંત આદિના વ્યવધાનથી રહેલા પદાર્થો જોઈ શકે છે અને દૂરના ક્ષેત્રમાં રહેલા પદાર્થોને પણ જોઈ શકે છે. (૫) દેવતાપ્રણિધાન :- સર્વ ક્રિયાઓનું ફળનિરપેક્ષપણા વડે ઈશ્વરને સમર્પણલક્ષણ ઈશ્વરપ્રણિધાન છે. આ ઈશ્વરપ્રણિધાનથી ઈશ્વર પ્રસન્ન થશે અને પ્રસન્ન થયેલા ઈશ્વર સમાધિમાં અંતરાય કરનારા ફ્લેશોનો નાશ કરીને સમાધિને પ્રગટ કરે છે. જોકે સાક્ષાત્ ઈશ્વર કંઈ કરતા નથી, તોપણ ઈશ્વરને આશ્રયીને કરાયેલી ભક્તિથી આ ફળ પ્રાપ્ત થાય છે, તેથી તે ઈશ્વરકૃત છે, એ પ્રકારના ઉપચારને આશ્રયીને ઈશ્વર સમાધિને પ્રગટ કરે છે તેમ કહેલ છે. તપ, સ્વાધ્યાય અને દેવતાપ્રણિધાન, આ ત્રણે પણ શોભન અધ્યવસાય હોવાને કારણે રાગાદિ ક્લેશરૂપ કાર્યના પ્રતિબંધ દ્વારા સમાધિને અનુકૂળ બને છે. તપની ક્રિયા, જપની ક્રિયા અને સર્વ ક્રિયાઓનું ઈશ્વરને સમર્પણ : આ ત્રણે સુંદર અધ્યવસાયરૂપ છે. તેથી તે અધ્યવસાયથી ફળનિરપેક્ષપણા વડે રાગાદિ ક્લેશરૂપ મોહના કાર્યનો પ્રતિબંધ થાય છે. તેથી આ ત્રણે ક્રિયાઓ જીવને સમાધિને અનુકૂળ એવી પરિણતિ પ્રગટ કરે છે. ||૪|| શ્લોક ઃ विज्ञाय नियमानेतानेवं योगोपकारिणः । अत्रेषु रतो दृष्टौ भवेदिच्छादिकेषु हि । । ५ । । અન્વયાર્થ: i=આ રીતે=શ્ર્લોક-૩ અને ૪માં બતાવ્યું એ રીતે, યોોપરિપક તાન્ નિયમાન વિજ્ઞાય=યોગના ઉપકારી એવા આ નિયમોને જાણીને અર્થાત્ પૂર્વમાં વર્ણન કરાયેલા શૌચાદિ પાંચ નિયમોને જાણીને અત્ર સૃષ્ટો=આ દૃષ્ટિમાં=તારાદૃષ્ટિમાં રહેલા યોગી તેવુ જ્ઞાતિવેષુ દિ=આ ઇચ્છાદિક નિયમોમાં રતો ભવેત્=રત થાય. ॥૫॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તારાદિત્રયદ્વાચિંશિકા)ોક-૫ શ્લોકાર્થ : આ રીતે ચોગમાં ઉપકારી એવા આ શૌચાદિ નિયમોને જાણીને આ દષ્ટિમાં રહેલા યોગી આ ઈચ્છાદિક નિયમોમાં રત થાય. પII ટીકા - विज्ञायेति-एतान्-शौचादीनियमान् एवं स्वाङ्गजुगुप्सादिसाधकत्वेन योगोपकारिण:-समाधिनिमित्तान् विज्ञाय अत्र-तारायां दृष्टावेतेषु इच्छादिकेषु हि नियमेषु रतो भवेत्, तथाज्ञानस्य तथारुचिहेतुत्वात्, तदत्र काचित्प्रतिपत्तिः પ્રશતા ગાલા ટીકાર્ય : તાન્» પ્રશતા આ રીતે=શ્લોક-૩ અને ૪માં બતાવ્યું એ રીતે, સ્વાંગ જુગુપ્સાદિ સાધકપણા વડે યોગઉપકારી સમાધિનિમિત્ત, એવા આ શૌચાદિ નિયમોને જાણીને, આ તારાદષ્ટિમાં રહેલા યોગી આ ઈચ્છાદિ નિયમોમાં રત થાય; કેમ કે તે પ્રકારના જ્ઞાનનું તે પ્રકારની રુચિનું હેતુપણું છે= યોગમાર્ગ હિતકારી છે તે પ્રકારના જ્ઞાનનું તે પ્રકારના યોગમાં પ્રવૃત્તિ કરાવે તેવી રુચિનું હેતુપણું છે. તે કારણથી અહીં-તારાદષ્ટિમાં કંઈક પ્રતિપતિ બતાવાઈ=ઈચ્છાદિરૂપ કોઈક નિયમોનો સ્વીકાર બતાવાયો. પા. ભાવાર્થ :યોગના ઉપકારી નિયમોમાં રત તારાદષ્ટિવાળા રોગીઓ - પાતંજલમતાનુસાર “ચિત્તવૃત્તિનિરોધ એ યોગ છે.” તેનું સાક્ષાત્ કારણ સમાધિ છે, અને શૌચાદિ નિયમો સ્વાંગ જુગુપ્સાદિની સિદ્ધિ આદિ કરવા દ્વારા ક્રમશઃ સમાધિમાં નિમિત્ત બને છે એમ શ્લોક-૩-૪માં કહ્યું એ પ્રમાણે જાણીને તારાદષ્ટિવાળા યોગીઓ ઇચ્છાદિ નિયમો સેવવા માટે પ્રયત્નવાળા બને છે; કેમ કે તારાદષ્ટિવાળા યોગીઓને જ્ઞાન છે કે “મોક્ષમાં જવાનો ઉપાય ચિત્તવૃત્તિનો નિરોધ છે અને તેનો ઉપાય સમાધિ છે અને સમાધિ ઉત્પન્ન કરવાનો ઉપાય સ્વાંગજુગુપ્સાદિ છે અને સ્વાંગજુગુપ્સાદિ કરવા માટે શૌચાદિમાં મારે યત્ન Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-પ-૬ કરવો જોઈએ.” તેથી શૌચભાવના આદિમાં રત રહેવા માટે બીજી દૃષ્ટિવાળા યોગીઓ યત્ન કરે છે; કેમ કે તેવા પ્રકારનું જ્ઞાન તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવાની રુચિનો હેતુ છે. તેથી તારાદષ્ટિવાળા યોગીઓને પ્રગટ થયેલું જ્ઞાન તેવા પ્રકારની પ્રવૃત્તિ કરાવવાને અનુકૂળ એવી રુચિ ઉત્પન્ન કરાવે છે. માટે તારાષ્ટિમાં ઇચ્છાદિ ચાર ભેદોમાંથી કોઈક ભેદવાળા નિયમોનો સ્વીકાર બતાવાયો છે. આપણા અવતરણિકા: તારાદષ્ટિમાં મિત્રાદષ્ટિ કરતાં કંઈક અધિક બોધ હોવાને કારણે જેમ નિયમ પ્રગટે છે, તેમ અન્ય કયા ગુણો પ્રગટે છે ? તે બતાવવા માટે કહે છે – શ્લોક : भवत्यस्यामविच्छिन्ना प्रीतियोगकथासु च । यथाशक्त्युपचारश्च बहुमानश्च योगिषु ।।६।। અન્વયાર્થ : અને —આ તારાદષ્ટિમાં યોગાથાસુ-યોગકથામાં વિચ્છત્રી પ્રતિઃ અવિચ્છિન્ન પ્રીતિ રિપુ ચ અને યોગીઓમાં યથાશરૂપથાર = યથાશક્તિ આહારાદિ દાનની ક્રિયા વઘુમાનશ્ચ અને બહુમાન ભવતિ થાય છે. lign શ્લોકાર્ચ - અને આ દષ્ટિમાં યોગકથામાં અવિચ્છિન્ન પ્રીતિ અને યોગીઓમાં યથાશક્તિ આહારાદિ દાનની ક્રિયા અને બહુમાન થાય છે. IIકા ટીકા :__ भवतीति-अस्यां दृष्टावविच्छिन्ना भावप्रतिबन्धसारतया विच्छेदरहिता, योगकथासु प्रीतिर्भवति, योगिषु-भावयोगिषु यथाशक्ति स्वशक्त्यौचित्येनोपचारश्च ग्रासादिसम्पादनेन, बहुमानश्च अभ्युत्थानगुणगानादिना, अयं च शुद्धपक्षपातपुण्यविपाकाद्योगवृद्धिलाभान्तरशिष्टसम्मतत्वक्षुद्रोपद्रवहान्यादिफल રૂતિ યમ્ પાદરા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તારાદિત્રયહાર્નાિશિકા/બ્લોક-૧ ટીકાર્ચ - માં...... ધ્યેયમ્ ! આ દૃષ્ટિમાં યોગકથામાં અવિચ્છિન્ન=ભાવપ્રતિબંધસારપણાથી વિચ્છેદરહિત, યોગકથાઓમાં પ્રીતિ થાય છે, અને યોગીઓમાંભાવયોગીઓમાં યથાશક્તિ સ્વશક્તિના ઔચિત્યથી, ગ્રાસાદિ સંપાદન દ્વારા ઉપચાર છે= ભક્તિ કરવાની ક્રિયા છે, અને અમ્યુત્થાન-ગુણગાનાદિ દ્વારા બહુમાન છે, અને શુદ્ધ પક્ષપાતથી જ યોગમાર્ગના શુદ્ધ પક્ષપાતથી જન્ય, પુણ્યના વિપાકથી યોગવૃદ્ધિ પૂર્વમાં જે યોગની પ્રાપ્તિ થઈ છે, તેનાથી અધિક યોગની પ્રાપ્તિ, લાભાન્તર=અન્ય લાભ અર્થાત્ યોગવૃદ્ધિ કરતાં અન્ય એવા ધનાદિનો લાભ, શિષ્ટ સમતત્વ=શિષ્ટ સંમતપણું અર્થાત્ શિષ્ટ પુરુષોને સંમત બને અને શુદ્રોપદ્રવ હાતિ=રોગાદિ કે દરિદ્રતાદિ જે ક્ષુદ્ર ઉપદ્રવ હોય તેનો નાશ આદિ ફળવાળો આ છે યોગીઓમાં ઉપચાર અને બહુમાન છે, એ પ્રમાણે જાણવું. list ભાવાર્થતારાદષ્ટિવાળા યોગીને પ્રગટતા અન્ય ગુણો - (૧) યોગકથામાં પ્રીતિ - તારાદૃષ્ટિમાં રહેલા યોગીને યોગકથાઓમાં ભાવથી પ્રતિબંધ હોય છે, તેથી યોગકથા સાંભળવા માટે અવિચ્છિન્ન પ્રીતિ વર્તે છે. જેમ ભોગના રાગી જીવને ભોગની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ ભોગ પ્રત્યે અવિચ્છિન્ન પ્રીતિ હોય છે, તેમ આ દૃષ્ટિને પામેલા એવા યોગીને યોગકથા સાંભળવાની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ યોગકથામાં અવિચ્છિન્ન પ્રીતિ વર્તતી હોય છે. (૨) યોગીઓનો યથાશક્તિ ઉપચાર :- આ દૃષ્ટિમાં રહેલા યોગી ભાવયોગીઓની સ્વશક્તિને અનુરૂપ “મારા આહારાદિ દાનથી આ યોગીઓની યોગસાધનાની વૃદ્ધિ થાઓ' એવા વિવેકપૂર્વક આહારાદિ દાન આપીને ભક્તિ કરે છે. (૩) યોગીઓ પ્રતિ બહુમાન :- વળી આ દૃષ્ટિવાળા યોગીને ભાવયોગીઓ પ્રત્યે અત્યંત બહુમાનભાવ હોવાને કારણે તેઓનો આદર-સત્કાર કરે અને ગુણગાન આદિ પણ કરે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તારાદિત્રયદ્વાબિંશિકા/બ્લોક-૬-૭ આ દૃષ્ટિમાં રહેલા યોગીઓનો ભાવયોગીઓ પ્રત્યેનો આવા પ્રકારનો પક્ષપાત તે શુદ્ધ પક્ષપાત છે, અને તે શુદ્ધ પક્ષપાતથી તેઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે; અને જ્યારે તે પુણ્યાનુબંધી પુણ્ય વિપાકમાં આવે છે ત્યારે આ યોગીને નીચે મુજબનાં ફળો પ્રાપ્ત થાય છે. (૧) યોગવૃદ્ધિ :- ભાવયોગી પ્રત્યેના શુદ્ધ પક્ષપાતથી બંધાતા પુણ્યના ઉદયથી પૂર્વ કરતાં વિશેષ પ્રકારના યોગમાં યત્ન ઉલ્લસિત થવા રૂપ યોગવૃદ્ધિ થાય છે. (૨) લાભાંતર:- યોગવૃદ્ધિ સાથે અન્ય લાભરૂપે સંસાર અવસ્થામાં ધનાદિનો લાભ પણ થાય છે. (૩) શિષ્ટસંમતતા - વળી આવા જીવો ઉચિત પ્રવૃત્તિ કરનારા હોવાથી શિષ્ટ પુરુષોને સંમત બને છે. (૪) શુદ્રોપદ્રવ હાનિ :- આવા જીવોને કોઈક કર્મના ઉદયથી રોગાદિ થયા હોય તો તે રોગાદિરૂપ શુદ્ર ઉપદ્રવોની હાનિ પણ થાય છે. ભાવયોગી પ્રત્યે કરાયેલા બહુમાનના ફળરૂપે આ સર્વ લાભ થાય છે, તેમ જાણવું. IIકા અવતરણિકા - વળી બીજી દૃષ્ટિમાં પ્રગટ થતા અવ્ય ગુણોને કહે છે – શ્લોક - भयं न भवजं तीव्र हीयते नोचितक्रिया । न चानाभोगतोऽपि स्यादत्यन्तानुचितक्रिया ।।७।। અન્વયાર્થ: ભવન તીવ્ર મયં =સંસારથી ઉત્પન્ન થયેલો તીવ્ર ભય નથી, નોતિક્રિયા રીતે અને ઉચિત ક્રિયા હીન થતી નથી, અનામો તોડપ =અને અનાભોગથી પણ અત્યાર ન થા—અત્યંત અનુચિત ક્રિયા ન થાય. liા Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તારાદિત્રયદ્વાત્રિશિકાશ્લોક-૭ શ્લોકાર્ચ - સંસારથી ઉત્પન્ન થયેલો તીવ્ર ભય નથી, ઉચિત ક્રિયા હીન થતી નથી અને અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા ન થાય. ll૭ના ‘મનામો તોડજિ' અહીં ‘' થી એ કહેવું છે કે આભોગથી તો અનુચિત ક્રિયા ન થાય, પરંતુ અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા આ યોગની દષ્ટિવાળામાં ન થાય. IITી. ટીકા :___ भयमिति-भवजं-संसारोत्पन्नं तीव्र भयं न भवति, तथाऽशुभाऽप्रवृत्तेः, उचिता क्रिया क्वचिदपि कार्ये न हीयते, सर्वत्रैव धर्मादरात्, न चानाभोगतोऽपि= अज्ञानादप्यत्यन्तानुचितक्रिया साधुजननिन्दादिका स्यात् ।।७।। ટીકાર્ચ - ભવનં=સંસારથી ઉત્પન્ન થયેલ=સંસારના સ્વરૂપના અવલોકનથી ઉત્પન્ન થયેલ, તીવ્ર ભય નથી; કેમ કે તેવા પ્રકારનાં અશુભ કૃત્યોમાં અપ્રવૃત્તિ છેઃ સંસારની વિડંબના કરાવે તેવા પ્રકારનાં અશુભ કૃત્યોમાં અપ્રવૃત્તિ છે, વળી કોઈ પણ કાર્યમાં ઉચિત ક્રિયા હીન થતી નથી, કેમ કે સર્વત્ર જ= સર્વ જ પ્રવૃત્તિઓમાં, ધર્મનો આદર છે, અને અનાભોગથી પણ=અજ્ઞાનથી પણ, સાધુજનવિંદાદિ અત્યંત અનુચિત ક્રિયા ન કરે. શા કે “સાધુનનનિરિ’ અહીં ‘મદિ' થી અર્થ-કામની અત્યંત નિંદનીય પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થતારાદિદષ્ટિવાળા યોગીની ઉચિત પ્રવૃત્તિ : પૂર્વશ્લોકમાં આ દૃષ્ટિમાં ઉત્પન્ન થતા યોગકથામાં પ્રીતિ આદિ ત્રણ ગુણો બતાવ્યા. હવે આ શ્લોકમાં આ દૃષ્ટિમાં પ્રગટ થતા અન્ય ત્રણ ગુણો બતાવે છે – (૪) ભવથી ઉત્પન્ન થતો તીવ્ર ભય નથી:- સંસારનું સ્વરૂપ જન્મ, જરા, વ્યાધિ આદિ અનેક ભયોથી વ્યાપ્ત છે, અને વિચારકને નિર્ણય થાય કે “મારો આત્મા શાશ્વત છે અને મારા વર્તમાનનાં કૃત્યો પ્રમાણે જ ભાવિનું સર્જન છે,” Page #38 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૭ ૧૯ અને વળી પોતાનું જીવન અનુચિત પ્રવૃત્તિઓથી વ્યાપ્ત દેખાતું હોય તો ભવનો અત્યંત ભય ઉત્પન્ન થાય; પરંતુ બીજી દૃષ્ટિવાળા જીવો સંસારની વિડંબના કરાવે તેવા પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ કરતા નથી અને વિચારક પણ છે. તેથી જાણે છે કે “આ ભવ અનેક ભયોથી વ્યાપ્ત છે, તો પણ મને આ યોગમાર્ગ ગમે છે. વળી હું તેવા પ્રકારની અશુભ પ્રવૃત્તિ કરતો નથી. માટે ક્રમસર યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરીને આ ભવથી છૂટીશ.” આ પ્રકારની માર્ગાનુસારી વિચારણાના બળથી તેને ભાવથી ઉત્પન્ન થતો તીવ્ર ભય લાગતો નથી. આમ છતાં કંઈક ભય પણ લાગે જ છે, તે બતાવવા માટે જ તીવ્ર ભય નથી, તેમ શ્લોકમાં કહ્યું. છતાં કંઈક ભય લાગવાનું કારણ ભવનું ભયંકર સ્વરૂપ તેને દેખાય છે, ભવોની વિડંબના દેખાય છે. તેથી તેને ભય લાગે છે કે “જો હું પ્રમાદ કરીશ તો હું પણ આવી ભવની મહાપરિભ્રમણાની વિડંબનાને પામીશ.” આવો કંઈક ભય તેને જાગૃતિનું કારણ બને છે; અને અતિ ભય નથી, તેથી તે વિહ્વળ બનતો નથી, એ અર્થ ફલિત થાય છે. (૫) ઉચિત ક્રિયાનો ત્યાગ કરતો નથી - આ દૃષ્ટિવાળા જીવોને સર્વ જ પ્રવૃત્તિઓમાં ધર્મનો આદર હોવાથી કોઈપણ કાર્યમાં ઉચિત ક્રિયાની હાનિ નથી, પરંતુ સર્વ કૃત્યો ઉચિત રીતે કરે છે. એટલે કે આ જીવ સંસારમાં રહેલો હોય ત્યારે માતા-પિતા-સ્વજનાદિ સાથે જે કંઈ ઉચિત કૃત્યો હોય તે કરે, અને ધર્મના ક્ષેત્રમાં પણ પોતાની શક્તિ અનુસાર જે ઉચિત કૃત્યો હોય તે કરે; કેમ કે બીજી દૃષ્ટિવાળા જીવોને કંઈક સ્પષ્ટ બોધ હોવાથી ધર્મમાં આદર હોય છે, અને ધર્મ હંમેશાં ઉચિત કૃત્યો પ્રત્યે પ્રવૃત્તિ કરાવે છે. અને તે ઉચિત કૃત્યો માર્ગાનુસારીના ૩૫ ગુણોરૂપ છે. તેથી આ દૃષ્ટિવાળા જીવો પ્રાયઃ સ્વબોધાનુસાર માર્ગાનુસારી કૃત્યોમાં યત્ન કરે છે. (૯) અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા નથી - સામાન્ય રીતે જીવ કષાયને વશ થઈને અનુચિત ક્રિયા કરતો હોય છે. આ બીજી દૃષ્ટિવાળા જીવો પણ કષાયને વશ થઈને ક્યારેક અનુચિત ક્રિયા પણ કરે, આમ છતાં અત્યંત અનુચિત ક્રિયા બીજી દૃષ્ટિવાળા જીવો અનાભોગથી પણ કરતા નથી; અને ધર્મ, અર્થ અને કામના વિષયમાં બીજી દૃષ્ટિવાળા જીવોને અનુચિત પ્રવૃત્તિ ક્યારેક થઈ પણ શકે છે, તોપણ કંઈક વિવેકવાળા હોવાથી સાધુજનની નિંદા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તારાદિત્રયાત્રિાંશિકા/શ્લોક-૭-૮ આદિ અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરતાં નથી, અને અર્થ, કામમાં પણ અત્યંત નિંદનીય એવી પ્રવૃત્તિઓ અનાભોગથી પણ કરતા નથી. IIળા અવતરણિકા :વળી બીજી દૃષ્ટિવાળા જીવોને અન્ય શું થાય છે ? તે બતાવે છે – શ્લોક : स्वकृत्ये विकले त्रासो जिज्ञासा सस्पृहाधिके । दुःखोच्छेदार्थिनां चित्रे कथन्ताधी: परिश्रमे ।।८।। અન્વયાર્થ : વિશ્વસ્વકૃત્યે ત્રાસE=વિકલ એવા સ્વકૃત્યમાં ત્રાસ, વેકસ્વભૂમિકાની ઉપરની ભૂમિકામાં કૃત્યોમાં સમૃદા નિસાસા સ્પૃહા સહિતની જિજ્ઞાસા, હું આ કેવી રીતે કરી શકું?' એવી સ્પૃહા સહિતની જિજ્ઞાસા,વચ્છેથિનાદુઃખના ઉચ્છેદના અર્થી જીવોના, વિન્ને પરિશ્રમે ચિત્ર પરિશ્રમમાં=જુદા જુદા પ્રકારના ક્રિયાયોગમાં થન્તાથી કેવી રીતે હું જાણી શકું? એ પ્રકારની બુદ્ધિ. I૮ શ્લોકાર્ચ - વિકલ એવા સ્વકૃત્યમાં ત્રાસ, અધિકમાં સસ્પૃહા જિજ્ઞાસા, દુઃખના ઉચ્છેદના અર્થી જીવોના જુદા જુદા પ્રકારના ક્રિયાયોગમાં કર્થતા બુદ્ધિ. llciા. ટીકા - स्वकृत्य इति-स्वकृत्ये स्वाचारे कायोत्सर्गकरणादौ, विकले विधिहीने, त्रासो 'हा विराधकोऽह'मित्याशयलक्षण:, अधिके स्वभूमिकापेक्षयोत्कृष्टे आचार्यादिकृत्ये जिज्ञासा 'कथमेतदेवं स्यादिति' सस्पृहाऽभिलाषसहिता, दुःखोच्छेदार्थिनां संसारक्लेशजिहासूनां चित्रे-नानाविधे, परिश्रमे तत्तन्नीतिप्रसिद्धक्रियायोगे कथन्ताधी:-कथंभावबुद्धिः कथं नानाविधा मुमुक्षुप्रवृत्तिः कात्स्न्येन ज्ञातुं शक्यत इति । तदाह - Page #40 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રચઢાત્રિશિકા/શ્લોક-૮ “दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् । વિત્ર સતાં પ્રવૃત્તિ સાડશેષા શાયતે થમ્” | (ચો.કૃ.૪. સ્નો-૪૭) ટીકા : સ્વરે ... થમ્” (યો.. સ્નો-૪૭) વિકલમાં=વિધિહીન એવા સ્વકૃત્યમાં= કાયોત્સર્ગકરણાદિ સ્વઆચારમાં “હા ! હું વિરાધક છું એ પ્રકારના આશયરૂપ ત્રાસ, અધિકમાં=સ્વભૂમિકાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ એવા આચાર્યાદિના કૃત્યમાં, જિજ્ઞાસા કઈ રીતે આ પ્રમાણે થાય?= જે પ્રમાણે આ આચાર્યાદિ આ કૃત્ય કરે છે, તે પ્રમાણે મારું કૃત્ય કઈ રીતે થાય? એ પ્રકારે, સસ્પૃહા=અભિલાષસહિત, જિજ્ઞાસા, દુઃખના ઉચ્છેદના અર્થી જીવોના=સંસારના ક્લેશના ત્યાગના અર્થી જીવોના, ચિત્ર= અનેક પ્રકારના, પરિશ્રમમાં તે તે નીતિથી પ્રસિદ્ધ એવા ક્રિયાયોગમાં, વત્તા કથંભાવની બુદ્ધિ અર્થાત્ જુદા જુદા પ્રકારની મુમુક્ષની પ્રવૃત્તિ મુનિઓની પ્રવૃત્તિ, સંપૂર્ણથી કેવી રીતે જાણી શકાય ? એ પ્રકારની બુદ્ધિ. તિ' શબ્દ કથંતાબુદ્ધિના સ્વરૂપની સમાપ્તિમાં છે. તેને કહે છેઃબીજી દષ્ટિમાં થયેલી કથંતાબુદ્ધિને કહે છે – “સર્વ ભવ દુઃખરૂપ છે, ભવનો ઉચ્છેદ શેનાથી થાય ? કેવી રીતે થાય ? અને મુનિઓની ચિત્રપ્રવૃત્તિ છે. તે સંપૂર્ણ કેવી રીતે જણાય?" (યો.દ.સ. ૪૭) ૫૮૫. ભાવાર્થ :તારાદષ્ટિવાળા યોગીની જિજ્ઞાસા અને ઉચિત પ્રવૃત્તિમાં થતી પોતાની ત્રુટિનો સંત્રાસ : શ્લોક-૬ અને ૭માં બતાવ્યા તે ગુણો બીજી દૃષ્ટિવાળા યોગીમાં હોય છે. તે સિવાય પણ અન્ય આ દૃષ્ટિમાં શું થાય છે ? તે આ શ્લોકમાં બતાવે છે – | (૭) વિકલ એવા સ્વકૃત્યમાં ત્રાસઃ- બીજી દૃષ્ટિવાળા યોગીઓ ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય છે. આમ છતાં અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદને કારણે પોતાના કાયોત્સર્ગકરણાદિ કૃત્યો વિધિવિકલ થતાં હોય ત્યારે આ જીવોને ત્રાસ થાય છે, અને વિચારે છે કે “હા ! હું વિરાધક છું, જેથી પરમ કલ્યાણના Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૮ કારણભૂત એવાં કૃત્યોને પણ સમ્યક કરી શકતો નથી.' આ પ્રકારના અધ્યવસાયને કારણે ધીમે ધીમે પણ પોતાના કૃત્યોની ત્રુટિઓ દૂર કરવા માટે યત્ન કરે છે. (૮) અધિકમાં સસ્પૃહા જિજ્ઞાસા :- આ દૃષ્ટિવાળા યોગીઓ પોતે જે ભૂમિકામાં રહેલા છે, તે ભૂમિકાનાં ઉચિત કૃત્યોનું સેવન કરતા હોય છે; પણ એટલામાત્રથી તેઓને સંતોષ નથી, પરંતુ પોતાની ભૂમિકાની અપેક્ષાથી ઉપરની ભૂમિકાનાં કૃત્યો વિષયક જિજ્ઞાસા હોય છે, અને વિચારે છે કે “કેવી રીતે આ મહાત્મા આ કૃત્ય કરીને આત્મહિત સાધે છે ? હું પણ તેને જાણું.' આ પ્રકારની જિજ્ઞાસા તેઓને થાય છે. વળી તે જાણવામાત્રમાં વિશ્રાંત થતી નથી, પરંતુ જાણીને તેઓને તે કૃત્યો તે રીતે કરવાનો અભિલાષ પણ છે. માટે તેઓ ભાવયોગીઓ પાસેથી તે કૃત્યોને જાણવાનો યત્ન કરે છે, અને જાણીને અધિક અધિક સેવન માટે યત્ન કરે છે, અને શક્તિસંચય થાય ત્યારે તે મહાત્માની જેમ પોતે પણ તે રીતે કૃત્ય કરી શકે છે. (૯) દુઃખના ઉચ્છેદના અર્થી જીવોના જુદા જુદા પ્રકારના ક્રિયાયોગમાં કર્થતાબુદ્ધિ :- આ દૃષ્ટિવાળા યોગીઓ વિચારે છે કે “સંસારના ક્લેશને ત્યાગ કરનારા યોગીઓની જુદા જુદા પ્રકારની ક્રિયાઓ તે તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, તે સર્વ હું કેવી રીતે જાણું ? કે જેથી હું પણ તે પ્રકારે કૃત્ય કરીને આ સંસારનો અંત કરું ? આનાથી એ ફલિત થાય કે આવા જીવોને સંસારનો ઉચ્છેદ કઈ પ્રવૃત્તિથી થાય ? તે પ્રવૃત્તિ જાણવાની અત્યંત ઇચ્છા હોય છે. તેથી સંસારના ઉચ્છદ માટે જે જે શક્ય ઉપાય દેખાય તે તે ઉપાયમાં અવશ્ય યત્ન કરે છે. અહીં કર્થતાબુદ્ધિના કથનમાં સાક્ષીરૂપે યોગદષ્ટિ સમુચ્ચયનું ઉદ્ધરણ આપ્યું છે. તેમાં કહ્યું કે સર્વભવ દુઃખરૂપ છે, તો તેનો ઉચ્છેદ શેનાથી છે ? તેના ખુલાસારૂપે આ દૃષ્ટિવાળા વિચારે છે કે ક્ષમાદિ ગુણોથી આ ભવનો ઉચ્છેદ છે, તો તે ક્ષમાદિ ગુણો કેવી રીતે જણાય ? તો વિચારે છે કે મુનિઓની પ્રવૃત્તિથી જણાય. વળી વિચારે કે મુનિઓની ચિત્ર પ્રવૃત્તિ છે, જે સંપૂર્ણ કેવી રીતે જણાય ? અર્થાત્ જણાય તેમ નથી. કેમ જણાય તેમ નથી ? તેનું સ્પષ્ટીકરણ આગળના શ્લોક-૯માં કરેલ છે. III Page #42 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૯ અવતરણિકા : પૂર્વશ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે ચિત્રપ્રકારની મુમુક્ષુઓની પ્રવૃત્તિ છે, અને તે અશેષ કેવી રીતે જણાઈ શકે ? અર્થાત જણાતી નથી. કેમ જણાતી નથી ? એમાં યુક્તિ આપવા અર્થે કહે છે – શ્લોક : नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ।।९।। અન્વયાર્થ: (જે કારણથી) અર્વા અમારી મદતી પ્રજ્ઞા =મહાન પ્રજ્ઞા નથી= અવિસંવાદી બુદ્ધિ નથી; શાસ્ત્રવિસ્તાર: સુમદા=શાસ્ત્રવિસ્તાર સુમહાન છે; (તે કારણથી જુદી જુદી મુમુક્ષની પ્રવૃત્તિ પૂર્ણ પોતે જાણી શકતા નથી તેમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.) તેથી અહીં-યોગમાર્ગની પ્રવૃત્તિમાં, શિષ્ટા=શિષ્ટ પુરુષો મા = પ્રમાણ છે. તિગત આકપૂર્વમાં વર્ણન કર્યું એ, મસ્યાં છો આ દૃષ્ટિમાં સા=હંમેશાં મતે માને છે. ICI શ્લોકાર્ચ - અમારી મહાન પ્રજ્ઞા નથી, સુમહાન શાઅવિસ્તાર છે; તે કારણથી અહીં યોગમાર્ગની પ્રવૃત્તિમાં શિષ્ટ પુરુષો પ્રમાણ છે. આ દષ્ટિમાં સદા માને છે. II-II ટીકા : नेति-नास्माकं महती प्रज्ञाविसंवादिनी बुद्धिः, स्वप्रज्ञाकल्पिते विसंवाददर्शनात् । तथा सुमहान् अपारः शास्त्रस्य विस्तरः तत् तस्मात् शिष्टा:साधुजनसम्मता: प्रमाणमिह प्रस्तुतव्यतिकरे, यत्तैराचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं युज्यत इत्यर्थः । इति एतद्, अस्यां दृष्टौ मन्यते सदा નિત્તરમ્ આશા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તારાદિત્રયાત્રિશિકા/બ્લોક-૯ ટીકાર્ય : નામાવં. નિરન્તરમ્ ! અમારી મહાન પ્રજ્ઞા નથી=અવિસંવાદી બુદ્ધિ તથી; કેમ કે સ્વપ્રજ્ઞાથી કલ્પના કરાયેલા અર્થમાં વિસંવાદનું દર્શન છે. અહીં પ્રશ્ન થાય કે પોતાની પ્રજ્ઞાથી મુમુક્ષુઓની=મુનિઓની અશેષ પ્રવૃત્તિનો નિર્ણય ન થઈ શકે, તોપણ શાસ્ત્રથી મુનિઓની અશેષ પ્રવૃત્તિનો નિર્ણય થઈ શકે છે. તેથી કહે છે – તથા=અને શાસ્ત્રનો વિસ્તાર સુમહાન છે અપાર છે, ત—તમા–તેથી, શિખા=સાધુજનસંમત–ઉત્તમજનસંમત, અહીં પ્રસ્તુત વ્યતિકરમાં તત્વનિર્ણયના પ્રસંગમાં, પ્રમાણ છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – જે તેઓ વડે આચરણ કરાયું તે જયથાશક્તિ સામાન્યથી કરવું યોગ્ય છે, એ પ્રમાણે અર્થ છે. તિતિએ= પૂર્વમાં વર્ણન કર્યું છે, આ દષ્ટિમાં સદા નિરંતર માને છે. હા. ભાવાર્થ :તારાદષ્ટિવાળા યોગીનો તત્ત્વને જાણવાવિષયક મધ્યસ્થભાવ : આ દૃષ્ટિવાળા યોગીને વિચાર આવે છે કે મુમુક્ષુઓની સર્વ પ્રવૃત્તિ કેમ જાણી શકાતી નથી ? તેથી કહે છે : અમારામાં મહાન પ્રજ્ઞા નથી કે જેથી તેઓની બાહ્ય આચરણાના બળથી તેઓમાં વર્તતો ક્ષમાદિને અનુકૂળ પ્રયત્ન કેવો છે, તે જાણી શકાય. પોતાની મહાન પ્રજ્ઞા કેમ નથી ? તેમાં તે વિચારે છે કે પોતાની પ્રજ્ઞાથી વિકલ્પિત પદાર્થોમાં પોતાને જ પાછળથી વિસંવાદ દેખાય છે અર્થાત્ પોતે જ પૂર્વે આ પ્રવૃત્તિ ક્ષમાદિગુણને અનુકૂળ છે તેમ માની યત્ન કર્યો, છતાં તે પ્રયત્નથી સમાદિગુણો પ્રગટ્યા નહીં, તેવો વિસંવાદ દેખાય છે. તેથી નક્કી થાય છે કે મુમુક્ષુઓની અશેષ પ્રવૃત્તિ પોતે જાણી શકતો નથી. વળી તે વિચારે છે કે ભલે મારી પાસે મહાન પ્રજ્ઞા નથી, પરંતુ શાસ્ત્રના બળથી તેનો નિર્ણય થઈ શકે છે. માટે શાસ્ત્રમાં યત્ન કરવામાં આવે તો મુમુક્ષુઓની અશેષ પ્રવૃત્તિનું જ્ઞાન થઈ શકે, અને તે જ્ઞાન પ્રમાણે પ્રવૃત્તિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ કરવામાં આવે તો ક્ષમાદિગુણો પ્રગટે, તો ભવનો ઉચ્છેદ થાય. માટે ક્ષમાદિગુણોની પ્રાપ્તિના ઉપાયને જાણવા માટે શાસ્ત્રમાં યત્ન કરવો જોઈએ. વળી તે વિચારે છે કે શાસ્ત્રનો વિસ્તાર સુમહાન છે અર્થાત્ યોગમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિને કહેનારાં શાસ્ત્રોનો વિસ્તાર ઘણો છે, અને તે શાસ્ત્ર દ્વારા પોતે મુમુક્ષુઓની અશેષ પ્રવૃત્તિ જાણી શકે તેમ નથી. તો હવે શું કરવું કે જેથી ભવનો ઉચ્છેદ થાય ? તેથી વિચારે છે કે સંસારનો ઉચ્છેદ કરવા અર્થે જે ક્ષમાદિગુણો પ્રગટ કરવા છે, તેના વિષયમાં કઈ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, તે વ્યતિકરમાં “શિષ્ટ પુરુષો પ્રમાણ છે,’ એ પ્રમાણે બીજી દૃષ્ટિમાં સદા વિચારે છે. તેનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કરતાં કહે છે – શિષ્ટો પ્રમાણ છે” એટલે તેઓએ આચર્યું છે, તે જ પોતાની શક્તિ પ્રમાણે સામાન્યથી કરવું યોગ્ય છે. આશય એ છે કે શિષ્ટ પુરુષોની આચરણાને અનુરૂપ પોતે શક્તિ પ્રમાણે યત્ન કરતો હોય, તોપણ તેમની પ્રવૃત્તિને અનુરૂપ તેમના જેવી જ પ્રવૃત્તિ પોતે કરી શકે, તેવો પોતાનો ક્ષયોપશમ નથી; તેથી સામાન્યથી તેઓની આચરણાને અનુસરતો હોય, તો તે આચરણાના બળથી ક્રમે કરીને વિશેષ ક્ષયોપશમ થાય; જેથી જેમ શિષ્ટ પુરુષો તે આચરણા કરીને ક્ષમાદિગુણોને મેળવી શક્યા, તેમ પોતે પણ સામાન્યથી તેમનું અનુસરણ કરે તો ક્રમે કરીને તેમની જેમ જ ક્ષમાદિગુણોને પ્રાપ્ત કરશે અને તો જ ભવનો ઉચ્છેદ થશે. તેથી શિષ્ટ પુરુષોની પાછળ ચાલવાને અનુકૂળ નિર્મળ પ્રજ્ઞારૂપ નિર્મળ અંતરચ આ બીજી દૃષ્ટિમાં પ્રગટ થયેલ છે. IIભા -: બલાદષ્ટિ :અવતરણિકા - શ્લોક-૧ થી ૯ પર્વત તારાદષ્ટિનું વર્ણન કર્યું. હવે બલાદષ્ટિને કહે છે - શ્લોક - सुखस्थिरासनोपेतं बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा न क्षेपो योगगोचरः ।।१०।। 1 • I Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તારાદિત્રયદ્વાદ્વિશિકા/બ્લોક-૧૦ અન્વયાર્થ : સુસ્થિરસનોપતં=સુખકારક અને સ્થિર એવા આસનથી યુક્ત, વસ્ત્રાયાં બલાદષ્ટિમાં દૃઢ રર્શન દઢ દર્શન છે, પરા =અને પ્રકૃષ્ટ તત્ત્વશુશ્રુષા તત્ત્વ સાંભળવાની ઈચ્છા છે, યા વર=યોગવિષયક રક્ષેપ =ક્ષેપ નથી. II૧૦માં શ્લોકાર્ચ - સુખકારક અને સ્થિર એવા આસનથી યુક્ત બલાદષ્ટિમાં દટ દર્શન છે અને પ્રકૃષ્ટ તત્ત્વશુશ્રુષા છે, યોગવિષયક ક્ષેપ નથી. ll ll ટીકા :__सुखमिति-सुखम् अनुद्वेजनीयं स्थिरं च निष्कम्पं यदासनं तेनोपेतं-सहितं, उक्तविशेषणविशिष्टस्यैवासनस्य योगाङ्गत्वात् यत्पतञ्जलि:- “स्थिरसुखमासनम्," [पा.यो.सू.२-४६] इति, बलायां दृष्टौ दर्शनं दृढं काष्ठाग्निकणोद्योतसममिति कृत्वा, परा प्रकृष्टा च तत्त्वशुश्रूषा-तत्त्वश्रवणेच्छा जिज्ञासासम्भवात्, न क्षेपो योगगोचरस्तदनुद्वेगे उद्वेगजन्यक्षेपाभावात् ।।१०।। ટીકાર્ચ - સુરમ્.... નક્ષેપમાવાન્ સુખ=અહેજનીય ઉદ્વેગ ન થાય તેવું અને સ્થિર=નિષ્કપ, એવું જે આસન, તેનાથી ઉપેત=સહિત, બલાદષ્ટિમાં દર્શન છે, એમ અવય છે; કેમ કે કહેવાયેલા વિશેષણથી વિશિષ્ટ જ આસનનું અતુટેજનીય અને નિષ્કપ એવા વિશેષણથી વિશિષ્ટ જ આસનનું, યોગાંગપણું છે, જે કારણથી પતંજલિએ કહ્યું છે – “સ્થિરસુખાસન છે.” (પા.યો.. ૨-૪૬) “રૂતિ' શબ્દ પતંજલિ ઋષિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. બલાદષ્ટિમાં દર્શન દઢ છે, કાષ્ઠના અગ્નિતા કણના ઉદ્યોત સમાન છે; કેમ કે અને પરા=પ્રકૃષ્ટ તત્ત્વશુશ્રષા છે=તત્વ સાંભળવાની ઈચ્છા છે; કેમ કે જિજ્ઞાસાથી સંભવ છે, યોગવિષયક ક્ષેપ નથી; કેમ કે તેનો અતુટેગ હોતે છતે-યોગની પ્રવૃત્તિનો અનુગ હોતે છતે, ઉદ્વેગજવ્ય ક્ષેપનો અભાવ છે. ૧૦|| Page #46 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/બ્લોક-૧૦ ભાવાર્થ : બલાદષ્ટિનું સ્વરૂપ : બલાદૃષ્ટિને પ્રાપ્ત યોગીનો બોધ કેવો હોય છે ? અને કયા કયા ગુણો તેને પ્રાપ્ત થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે -- બલાદૃષ્ટિનું દર્શન બોધ - મિત્રાદૃષ્ટિમાં રહેલા યોગીનો બોધ મંદ હોય છે, જે યોગમાર્ગના પ્રારંભિક બોધરૂપ છે, જેથી માત્ર બાહ્ય આચરણામાં આત્મકલ્યાણની બુદ્ધિ થાય છે. તારાદૃષ્ટિમાં કંઈક સ્પષ્ટ બોધ થાય છે અને તેને કારણે જ શૌચ-સંતોષાદિ ભાવો તરફ તેનો યત્ન થાય છે. તેમાં બાહ્ય આચરણા કરતાં પરિણામ તરફનો કંઈક યત્ન દેખાય છે. જ્યારે ત્રીજી દૃષ્ટિવાળા યોગીઓનો બોધ, પહેલી બે દૃષ્ટિ કરતાં કંઈક અધિક છે, કંઈક અતિશયતાવાળો છે, અને કાષ્ઠઅગ્નિકણની ઉપમાવાળો હોવાથી કંઈક દઢ છે. તેથી પહેલી બે દૃષ્ટિ કરતાં દીર્ઘકાળ ટકે એવો છે, જેથી પ્રવૃત્તિકાળમાં પણ કંઈક બોધ અનુચુત રહે છે. આસન - આ દૃષ્ટિમાં ત્રીજું યોગાંગ આસન પ્રગટે છે. યોગની સિદ્ધિ માટે સુંદર માનસયત્ન કરવા અર્થે સુખકારક અને નિષ્કપ એવું આસન આવશ્યક છે; કેમ કે આસન પીડા થવાને કારણે ઉદ્વેગ પેદા કરતું હોય તો સાધનામાં સહાયક બને નહીં. આ દૃષ્ટિવાળા યોગીએ યોગમાર્ગમાં યત્ન કરવા માટે આસન જીતેલું હોય છે. તેથી અનુજનીય અને સ્થિર એવા આસનના બળથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવા યત્ન કરે છે. પરા તત્ત્વશુશ્રુષા - પહેલી બે દૃષ્ટિ કરતાં ત્રીજી દૃષ્ટિમાં કંઈક ૨ અધિક બોધ હોવાને કારણે બીજી દૃષ્ટિમાં થયેલી જિજ્ઞાસાના બળથી જ વિશેષ તત્ત્વ દેખાય છે, જેથી તત્ત્વને સાંભળવા માટેની પ્રકૃષ્ટ શુશ્રુષા થાય છે. આ તત્ત્વશુશ્રુષા શ્રવણની સામગ્રી પ્રાપ્ત થાય તો અવશ્ય તત્ત્વબોધ પ્રાપ્ત કરાવીને વિશ્રાંત થાય તેવી હોય છે, કેમ કે તત્ત્વજિજ્ઞાસામાંથી ઊઠેલી આ શુશ્રુષા છે. તેથી તત્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના વિશ્રાંત થાય નહીં. ક્રિયાવિષયક ક્ષેપ નથી - બીજી દૃષ્ટિમાં કષ્ટસાધ્યતાજ્ઞાનજન્ય આળસરૂપ ઉગ દોષ ગયેલ છે. જે સાધકને યોગમાર્ગની કોઈક પ્રવૃત્તિ કષ્ટસાધ્ય દેખાય અને તેના કારણે તે પ્રવૃત્તિમાં આળસ આવે તો તે પ્રવૃત્તિ કદાચ બાહ્યથી કરતો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તારાદિત્રયાત્રિશિકા/શ્લોક-૧૦-૧૧ હોય તોપણ તે ઉગદોષથી આક્રાંત હોય છે. આથી પહેલી દૃષ્ટિમાં રહેલ યોગીને કોઈ અનુષ્ઠાન કષ્ટસાધ્ય જણાય તો ઉદ્ધગદોષથી યુક્ત અનુષ્ઠાન થાય છે; અને જે સાધકને યોગમાર્ગની કોઈક પ્રવૃત્તિ કષ્ટસાધ્ય છે પરંતુ અસાધ્ય નથી તેવું જ્ઞાન હોય, અને તે અનુષ્ઠાન સમ્યગૂ કરવાની બલવાન ઇચ્છા હોય, તો સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી અવશ્ય યત્ન કરે, પણ ઉદ્વેગથી કરે નહીં. આથી બીજી દૃષ્ટિવાળા જીવો ઉદ્વેગ વગર ધર્મઅનુષ્ઠાન કરે છે. બીજી દૃષ્ટિવાળા જીવો ઉદ્વેગ વગર તે પ્રવૃત્તિમાં સુદઢ યત્ન કર્યા કરે તો તે પ્રવૃત્તિકાળમાં બીજી દૃષ્ટિમાં હોવા છતાં પણ ક્ષેપદોષ ન હોય અને નિમિત્ત મળે તો ક્ષેપદોષ આવી શકે છે, અને ત્રીજી દૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ક્ષેપદોષ જાય છે; કેમ કે ક્ષેપને ઉત્પન્ન કરવામાં ઉગ પ્રબળ કારણ છે અર્થાત્ ઉદ્વેગ ક્ષેપનો જિવાતુ=જિવાડનાર છે, અને ઉદ્વેગ ગયા પછી પ્રવૃત્તિમાં દઢતા ન હોય તો બીજી દૃષ્ટિમાં ક્યારેક ક્ષેપદોષ આવી શકે, પરંતુ બીજી દૃષ્ટિમાં પણ અપ્રમાદભાવથી યત્ન હોય તો #પદોષ કોઈક અનુષ્ઠાનમાં ન પણ હોય. વળી, ત્રીજી દૃષ્ટિમાં બોધ અધિક હોવાથી પ્રયત્નમાં દૃઢતા અતિશય થાય છે, તેથી ઉદ્વેગને કારણે ઉત્પન્ન થનાર ક્ષેપદોષ ક્યારેય આવતો નથી. I૧ના અવતરણિકા : પૂર્વશ્લોકમાં સુખકારક અને સ્થિરઆસનયુક્ત બલાદષ્ટિનું દઢ દર્શન હોય છે, તેમ બતાવ્યું. તેથી સુખકારક અને સ્થિરઆસન શેનાથી પ્રગટે છે? તે બતાવે છે – શ્લોક : असत्तृष्णात्वराभावात् स्थिरं च सुखमासनम् । प्रयत्नश्लथतानन्त्यसमापत्तिबलादिह ।।११।। અન્વયાર્થ : અસવૃત્વિરમાવા—અસત્તૃષ્ણા અને ત્વરાના અભાવથી પ્રયત્નન્નથતીનાપત્તિત્રતા=પ્રયત્નની શ્લથતા=શિથિલપણું અને આતંત્યમાં સમાપત્તિના બળથી રૂદ અહીં બલાદષ્ટિમાં સ્થિર ર સુમારન—સ્થિર અને સુખકારક આસન છે. ll૧૧૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૧૧ શ્લોકાર્ચ - અસતતૃષ્ણા અને ત્વરાના અભાવથી અને પ્રયત્નથી શ્લથતા અને આમંત્યમાં સમાપત્તિના બળથી બલાદષ્ટિમાં સ્થિર અને સુખકારક આસન છે. ll૧૧|| ટીકા : असदिति-असत्तृष्णाया असुन्दरलालसाया:, त्वराया: चान्यान्यफलौत्सुक्यलक्षणाया, अभावात् स्थिरं सुखं चासनं भवति, प्रयत्नस्य श्लथता='अक्लेशेनैवासनं बध्नामीती' च्छायामङ्गलाघवेन तनिबन्धः, आनन्त्ये चाकाशादिगते समापत्ति: अवधानेन मनस्तादात्म्यापादनं दुःखहेतुदेहाहंकाराभावफलं तबलादिह વિનાયબ્દો મવતિયો – “પ્રયત્નશથિાનત્ત્વ(ત્ત)સમાષ્યિાં ” [પાડયોજૂ.૨૪૭] પારા ટીકાર્ય : સંસ્કૃMયા...સમાપ્પિા ” [..ર-૪૭] અસત્તૃષ્ણાના=અસુંદર લાલસાના, અને અન્ય અન્ય ફળની ઉત્સુકતા સ્વરૂપ ત્વરાના અભાવથી સ્થિર અને સુખકારક આસન થાય છે. પ્રયત્નની શ્લથતા=“અદ્દેશથી આસનને હું બાંધું,” એ પ્રકારની ઇચ્છામાં અંગલાઘવથી તેનો તિબંધ છે=આસનને બાંધવાની પ્રવૃત્તિ છે, અને આકાશાદિગત આતંત્યમાં, સમાપત્તિ છેઃ અવધાનથી દુઃખના હેતુભૂત એવા દેહમાં અહંકારના અભાવફળવાળું મનનું તાદાભ્ય આપાદન છે. તેના બળથી=પ્રયત્નની શ્લથતા અને આતંત્યમાં સમાપત્તિના બળથી, અહીં=બલાદષ્ટિમાં, થાય છેઃસ્થિર અને સુખકારક આસન થાય છે. જે પ્રમાણે કહેવાયું છે જે પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૨-૪૭માં કહેવાયું છે – “પ્રયત્નના શૈથિલ્ય દ્વારા અને આતંત્યમાં સમાપત્તિ દ્વારા સ્થિર અને સુખકારક આસન થાય છે.” li૧૧II Page #49 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયહાત્રિશિકા/બ્લોક-૧૧ ભાવાર્થ :બલાદષ્ટિમાં વર્તતા સ્થિર અને સુખકારક આસનનું સ્વરૂપ : ત્રીજી દૃષ્ટિમાં મોક્ષને અનુકૂળ એવું આત્માનું સ્થિર અને સુખકારક આસન પ્રગટ થાય છે, જેનાથી મોક્ષને અનુકૂળ એવી જીવની ઉત્તમ પ્રકૃતિ ક્રમસર વિકાસ પામશે. જેમ પહેલી દૃષ્ટિમાં યમના સેવનથી સંસારના ભાવોથી વિમુખ જીવનો યત્ન થયો, બીજી દૃષ્ટિમાં નિયમના સેવનથી મોક્ષને અનુકૂળ એવા કોઈક ભાવોમાં જીવનો યત્ન થયો, તેમ ત્રીજી દૃષ્ટિમાં સ્થિરતાપૂર્વક અને સુખપૂર્વક મોક્ષને અનુરૂપ ચિત્ત નિષ્પન્ન કરવાનો પ્રયત્ન શરૂ થયો, જે સ્થિર સુખ આસનરૂપ છે. બલાદષ્ટિમાં વર્તતા સ્થિર અને સુખકારક આસનનું કારણ - (૧) અસત્તૃષ્ણા અને ત્વરાનો અભાવ - આ સ્થિર અને સુખકારક આસન પ્રગટ થવામાં અસત્તૃષ્ણાનો અને ત્વરાનો અભાવ કારણ બને છે. કોઈ લક્ષ્ય તરફ જવા માટે યત્ન કરતા સાધકને ઇન્દ્રિયોની ઉત્સુકતા થવાને કારણે લક્ષ્યને છોડી આજુબાજુના પદાર્થોને જોવાની-જાણવાની જે તૃષ્ણા થાય છે, તે અસત્ તૃષ્ણા છે. વસ્તુતઃ સ્વજીવનનિર્વાહની આવશ્યકતાથી અધિક જેની તૃષ્ણા શાંત થઈ છે, તેવા સાધકો દેહના રક્ષણ માટે આવશ્યક જરૂરિયાતો પ્રાપ્ત થઈ જાય તો અન્ય અન્ય પદાર્થોની ઇચ્છા કરતા નથી, તેથી મોક્ષ સાધક અનુષ્ઠાન સ્થિરતાથી કરી શકે છે. વળી યોગમાર્ગની પ્રવૃત્તિ કરતી વખતે કાર્ય શીધ્ર સમાપ્ત કરવાની ઇચ્છારૂપ ત્વરા હોય તોપણ તે યોગમાર્ગની પ્રવૃત્તિ સમ્યગૂ થતી નથી, તેથી ત્રીજી દૃષ્ટિવાળા યોગી ત્વરારહિત ધર્મઅનુષ્ઠાન કરે છે. (૨) પ્રયત્નની શ્લથતા અને આતંત્યમાં સમાપત્તિ - અસત્તૃષ્ણા અને ત્વરાનો અભાવ થયા પછી લક્ષ્યને નિષ્પન્ન કરવા અર્થે “અદ્દેશથી હું આસનને બાંધું એવી ઇચ્છાથી અંગને શિથિલ કરીને આસનને બાંધે, અને ત્યારપછી આકાશગત અને કાળગત આતંત્યમાં સમાપત્તિ કરવા યત્ન કરેaઉપયોગપૂર્વક મનનું તાદાભ્ય કરે, તો તેના બળથી સ્થિર અને સુખરૂપ આસન થાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્રાસિંચિકા/શ્લોક-૧૧-૧૨ ૩૧ આશય એ છે કે અસત્ તૃષ્ણાનો ત્યાગ કરી વરારહિત થઈ આકાશના અનંતપણાને અને કાળના અનંતપણાને સામે રાખે, અને મનને લક્ષ્ય સાથે તે રીતે જોડે કે જેથી દુઃખના હેતુ એવા દેહ પ્રત્યે અહંકારનો અભાવ થાય, તો તેના કારણે ચિત્ત નિર્મમભાવવાળું બને, જેથી સ્થિરસુખાસન નિષ્પન્ન થાય. તાત્પર્ય એ છે કે મોટા ભાગના જીવોને દેહમાં અહંપણાની બુદ્ધિ હોય છે, તેથી સ્થિરતાથી યોગમાર્ગની પ્રવૃત્તિ થતી નથી, પરંતુ દેહની શાતામાં ને દેહની અશાતાના નિવર્તનમાં જ યત્ન થાય છે. જ્યારે ત્રીજી દૃષ્ટિમાં રહેલા યોગી અનંત આકાશ અને અનંત કાળને સામે રાખીને વિચારે કે “આ વિશાળ આકાશમાં આપણે સર્વત્ર રહેનારા છીએ અને સર્વ કાળમાં અસ્તિત્વ ધરાવનારા છીએ', આ પ્રકારે અત્યંત ભાવન કરે તો કિંચિત્કાળસ્થાયી અને કિંચિત્ આકાશમાં રહેનારા એવા દેહમાં અહંકારનો અભાવ થાય છે. આ રીતે અસત્ તૃષ્ણાનો અભાવ ત્વરાનો અભાવ અને અંગવિષયક યત્નની શિથિલતાપૂર્વક આસનમાં બેસીને યોગી આમંત્યમાં ચિત્તની સમાપત્તિ કરે તો દેહના અહંકાર વગરના થઈને યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિ કરવા સમર્થ બને છે. II૧૧ાા અવતરણિકા - બલાદષ્ટિમાં સ્થિર અને સુખકારક આસન પ્રગટ થાય છે. તે શેનાથી પ્રગટ થાય છે, તે પૂર્વશ્લોકમાં બતાવ્યું. હવે સ્થિર અને સુખકારક આસન પ્રગટ થયા પછી તેનાથી શું કાર્ય થાય છે ? તે બતાવે છે – શ્લોક : अतोऽन्तरायविजयो द्वन्द्वानभिहतिस्तथा: (ति: परा) । दृष्टदोषपरित्यागः प्रणिधानपुरःसरः ।।१२।। અન્વયાર્થ - અતિ =આનાથી યથોક્ત આસનથી સંતરાવિનયો=અંતરાયનો વિજય= પર આત્યંતિકી નિમિતિ: શીતોષ્ણાદિ દ્વોથી અભિહતિ=દુઃખની અપ્રાપ્તિ, થાનપુર:સર=પ્રણિધાનપુર:સરખોપરિત્યાર=દષ્ટ દોષોનો પરિત્યાગ. I૧૨ા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્લોકાર્થ : યથોક્ત આસનથી અંતરાયનો વિજય, આત્યન્તિક શીતોષ્ણાદિ દ્વન્દ્વોથી દુઃખની અપ્રાપ્તિ અને પ્રણિધાનપુરઃસર દૃષ્ટ દોષોનો પરિત્યાગ થાય છે. II૧૨ચા તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ નોંધ :- શ્લોકમાં ‘દાદાનમિતિસ્તથા:’ ના સ્થાને ‘ક્રાન્તામિતિ: પર' પાઠાંતર છે, જે બરાબર જણાતા તે પ્રમાણે અર્થ કરેલ છે. ટીકાઃ = अत इति अतो यथोक्ताद्-आसनादन्तरायाणाम् अङ्गमेजयादीनां विजयः, द्वन्द्वैः शीतोष्णादिभिरनभिहतिर्दु:खाप्राप्तिः परा - आत्यन्तिकी, 'ततो द्वन्द्वानभिघातः ' [पा.यो.सू. २- ४८] इत्युक्तेः दृष्टानां च दोषाणां मनःस्थितिजनितक्लेशादीनां परित्यागः प्रणिधानपुरस्सर:- प्रशस्तावधानपूर्वः । । १२ ।। = ટીકાર્યઃ अतो પ્રશસ્તાવધાનપૂર્વ: । આનાથી=યથોક્ત આસનથી અંગમેજયાદિ અંતરાયોનો=અંગકંપનાદિ અંતરાયોનો, વિજય થાય છે. પરા=આત્યન્તિકી શીતોષ્ણાદિ દ્વન્દ્વોથી અભિતિ-દુઃખની અપ્રાપ્તિ, થાય છે; કેમ કે 'તેનાથી=આસનજયથી, દ્વન્દ્વનો અનભિઘાત છે' એ પ્રમાણેની ઉક્તિ છે=પાતંજલયોગસૂત્ર-૨-૪૮નું એ પ્રમાણેનું વચન છે, અને પ્રણિધાનપુરઃસર= પ્રશસ્ત અવધાનપૂર્વક, દૃષ્ટ એવા મનઃસ્થિતિથી ઉત્પન્ન થતા ક્લેશાદિ દોષોનો પરિત્યાગ થાય છે. ।।૧૨। * ‘અ૫ેનાવિ’ અહીં ‘આવિ’ થી દુઃખ, દૌર્મનસ્ય, શ્વાસ, પ્રશ્વાસ આદિ વિક્ષેપોનું ગ્રહણ કરવું. ભાવાર્થ: ત્રીજી દૃષ્ટિવાળા યોગી પોતાના બોધને અનુરૂપ આસનમાં યત્ન કરતા હોય ત્યારે અસતૃષ્ણાનો અને ત્વરાનો અભાવ વર્તતો હોય છે, અને ચોક્કસ સ્થિર આસનમાં બેસીને આકાશાદિ આનંત્યમાં મનની સમાપત્તિમાં યત્ન કરતા હોય છે, જેથી દેહમાં અહંકારનો અભાવ વર્તે છે. તેના કારણે નીચેના ત્રણ ગુણો પ્રગટે છે, તે આ પ્રમાણે = Page #52 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨-૧૩ (૧) અંતરાયવિજય ઃ- સ્થિર અને સુખકારક આસનને કારણે સાધનામાં અંતરાય કરનારા કંપનાદિ ભાવો ઉ૫૨ વિજય થાય છે. (૨) શીતોષ્ણાદિ દ્વન્દ્વથી દુઃખની અપ્રાપ્તિ :- દેહ પ્રત્યે મમત્વ ઓછું થઈ ગયું હોવાથી શીતોષ્ણાદિ દ્વન્દ્વો વડે આત્યંતિક દુઃખની અપ્રાપ્તિ થાય છે. (૩) પ્રણિધાનપૂર્વક દુષ્ટ દોષોનો પરિત્યાગ :- ચિત્તને અનંત આકાશાદિગત સ્થાપન કરીને સમાપત્તિ કરેલી હોવાથી યોગનિષ્પત્તિના પ્રણિધાનપૂર્વક દૃષ્ટ દોષોનો પરિત્યાગ થાય છે. 33 આશય એ છે કે અનંતકાળ અને અનંત આકાશ પ્રત્યે મનને સ્થિર કરેલું હોવાથી ‘હું સદા શાશ્વત છું, અને માત્ર દેહમાં નહીં પણ ચૌદ રાજલોકમાં રહેનારો છું' એવી બુદ્ધિ થવાથી દેહનું મમત્વ ઓછું થાય છે, અને તેથી પોતાના લક્ષ્યના પ્રણિધાનપૂર્વક દૃષ્ટ દોષોનો પરિહાર કરી શકે છે અર્થાત્ માનસિક અસ્વસ્થતા આદિ ક્લેશોનો પરિત્યાગ કરી શકે છે. સામાન્યથી દરેક જીવને રાગાદિ સતાવતા હોય અથવા તો કોઈક ચિંતાથી ચિત્ત વ્યગ્ર હોય તો તે મનની તેવા પ્રકારની સ્થિતિથી જનિત ક્લેશો છે; અને આ ક્લેશો જીવોને નિર્મળ પ્રજ્ઞા હોય તો બુદ્ધિરૂપી ચક્ષુથી દેખાય છે, અને બલાદષ્ટિવાળા યોગી નિર્મળ બોધને કારણે સ્વચિત્તગત ક્લેશોને જાણીને આસનરૂપ યોગાંગના બળથી પ્રણિધાનપૂર્વક આ દૃષ્ટ દોષોનો પરિહાર કરી શકે છે. ૧૨ અવતરણિકા : શ્લોક-૧૦માં બલાદૅષ્ટિમાં પ્રગટ થતા ભાવો બતાવ્યા. ત્યારપછી બલાદષ્ટિમાં પ્રગટ થતું સ્થિર સુખકારક આસન શેનાથી થાય છે ? અને તેનાં કાર્યો શું છે ? તે શ્લોક-૧૧-૧૨માં બતાવ્યું. હવે બલાદૃષ્ટિમાં પ્રગટ થતી પરા તત્ત્વશુશ્રુષા કેવી છે ? તે બતાવે છે શ્લોક ઃ कान्ताजुषो विदग्धस्य दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ।।१३।। Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪ અન્વયાર્થ: જાન્તાનુષઃ વિશ્વસ્ય પૂનઃ=કામિતીથી યુક્ત ગીતમાં નિપુણ યુવાનને યથા=જે પ્રમાણે વિવ્યોવશ્રુતા=દિવ્ય ગીતના શ્રવણમાં શુશ્રૂષા=સાંભળવાની ઇચ્છા મવતિ=હોય છે, તથા=તે પ્રમાણે અાં=આ દૃષ્ટિમાં તત્ત્વોચરા= તત્ત્વવિષયક શુશ્રુષા હોય છે. 119311 તારાદિત્રયદ્વાત્રિંશિકા/મ્લોક-૧૩ શ્લોકાર્થ : કામિનીયુક્ત ગીતમાં નિપુણ યુવાનને જે પ્રમાણે દિવ્યગીતના શ્રવણમાં સાંભળવાની ઈચ્છા થાય છે, તે પ્રમાણે આ દૃષ્ટિમાં તત્ત્વવિષયક શુશ્રૂષા હોય છે. II૧૩|| ટીકા ઃ कान्तेति - कान्ताजुषः = कामिनीसहितस्य, विदग्धस्य = गेयनीतिनिपुणस्य, दिव्यस्यातिशयितस्य गेयस्य किन्नरादिसम्बन्धिनः श्रुतौ श्रवणे यथा यूनो = यौवनगामिनो कामिनो भवति शुश्रूषा, तथाऽस्यां = बलायां तत्त्वगोचरा શુશ્રૂષ ।।૨૫ ટીકાર્થ ઃ कान्ताजुषः શુશ્રૂષા । કિન્નરાદિ સંબંધી દિવ્ય=અતિશયિત, એવા ગીતની શ્રુતિમાં=સાંભળવામાં, જે પ્રકારે કાન્તાયુક્ત=કામિની સહિત, વિદગ્ધ= ગેયનીતિમાં નિપુણ, એવા યુવાનને=યૌવનગામી કામીતે, શુશ્રૂષા થાય છે, તે પ્રમાણે તત્ત્વવિષયક આમાં=બલાદૅષ્ટિમાં, શુશ્રુષા થાય છે. ।।૧૩।। ભાવાર્થ: બલાદૃષ્ટિમાં વર્તતા શુશ્રુષા ગુણનું સ્વરૂપ : કોઈ યુવાન પુરુષ હોય, યુવાન અવસ્થાના શોખવાળો હોય, ગીતાદિમાં નિપુણ હોય અને સ્ત્રી સહિત હોય, એવા યુવાનને કિન્નર સંબંધી ગીત સાંભળવામાં અત્યંત ઇચ્છા હોય છે. તેના જેવી તત્ત્વવિષયક શુશ્રુષા બલાદૃષ્ટિમાં વર્તે છે. તેથી જો બલાદષ્ટિવાળા યોગીને તત્ત્વ સાંભળવાની સામગ્રી મળે તો અત્યંત અવધાનપૂર્વક તત્ત્વના પરમાર્થને જાણવા માટે અવશ્ય યત્ન કરે. I॥૧૩॥ ..... Page #54 -------------------------------------------------------------------------- ________________ રૂપ તારાદિત્રયદ્રાસિંશિકા/શ્લોક-૧૪ અવતરણિકા : પૂર્વશ્લોક-૧૩માં ત્રીજી દષ્ટિમાં પ્રગટ થતી શુશ્રષાનું સ્વરૂપ બતાવ્યું. તેવા સ્વરૂપવાળી શુશ્રષાથી અન્ય શુશ્રુષા વ્યર્થ છે અને આવા પ્રકારની શુશ્રષાથી અવશ્ય કર્મક્ષય થાય છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : अभावेऽस्याः श्रुतं व्यर्थं बीजन्यास इवोषरे । श्रुताभावेऽपि भावेऽस्या ध्रुवः कर्मक्षयः पुनः ।।१४।। અન્વયાર્થ - ભાવેડચ:=આના અભાવમાં પૂર્વશ્લોકમાં કહેવાયેલી શુશ્રષાના અભાવમાં ૩ષરે વીનચાસ રૂવEઉખર ભૂમિમાં બીજવ્યાસની જેમ શ્રુતં ચર્થક અર્થશ્રવણ વ્યર્થ થાય છે. ભાવે પુન: વળી આના ભાવમાં ઉક્ત લક્ષણવાળી શુશ્રષાના સદ્ભાવમાં શ્રુતામાવેગપિઅર્થશ્રવણના અભાવમાં પણ ધ્રુવ કેર્નક્ષય =નક્કી કર્મક્ષય છે. ૧૪ શ્લોકાર્ચ - અભાવમાં આવા પ્રકારની શુશ્રુષાના અભાવમાં, ઉખર ભૂમિમાં બીજવાસની જેમ અર્થશ્રવણ વ્યર્થ છે. વળી આવા પ્રકારની શુશ્રુષાના સભાવમાં અર્થશ્રવણના અભાવમાં પણ નક્કી કર્મક્ષય છે. II૧૪માં “શ્રુતામાdsTS' અહીં ‘પ' થી એ કહેવું છે કે અર્થશ્રવણમાં તો કર્મક્ષય છે, પણ અર્થશ્રવણના અભાવમાં પણ કર્મક્ષય છે. ટીકા : अभाव इति-अस्या: उक्तलक्षणशुश्रूषाया अभावे, श्रुतम् अर्थश्रवणं व्यर्थं, ऊषर इव बीजन्यासः, श्रुताभावेऽपि अर्थश्रवणाभावेऽप्यस्या:-उक्तशुश्रूषाया भावे पुनः ध्रुवा निश्चित: कर्मक्षयः, अतोऽन्वयव्यतिरेकाभ्यामियमेव प्रधानफलकारणमिति भावः ।।१४।। Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તારાદિયાત્રિશિકા/શ્લોક-૧૪ ટીકાર્ય : મસ્યા ... માવા આના અભાવમાંsઉક્ત લક્ષણવાળી શુશ્રષાના અભાવમાં, ઉખરભૂમિમાં બીજવ્યાસની જેમ શ્રુત-અર્થશ્રવણ, વ્યર્થ છે. વળી શ્રુતના અભાવમાં પણ=અર્થશ્રવણના અભાવમાં પણ, આના ભાવમાં ઉક્ત શુશ્રષાના ભાવમાં=સદ્ભાવમાં, વળી ધ્રુવ=નિશ્ચિત, કર્મક્ષય છે. આથી અવયવ્યતિરેક દ્વારા આ જ શુશ્રષા જ, પ્રધાન ફળનું કારણ છે નિર્જરારૂપ ફળની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે, એ પ્રમાણે ભાવ છે–તાત્પર્ય છે. ૧૪ ભાવાર્થ - (i) શુશ્રુષા વિના શાસ્ત્રશ્રવણની ક્રિયા અફળ :(ii) શ્રવણના અભાવમાં પણ શુશ્રુષા ગુણથી કર્મક્ષયની પ્રાપ્તિ - તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતથી તત્ત્વ સાંભળવાની જે ઇચ્છા પ્રગટી છે, તે શુશ્રુષાગુણ છે, અને આવો શુશ્રુષાગુણ જેને પ્રાપ્ત થયો હોય તેવો જીવ તત્ત્વશ્રવણ કરે તો તેનો શુશ્રુષાગુણ અવશ્ય તત્ત્વપ્રાપ્તિમાં વિશ્રાંત થાય છે; અને જેમ ઉખરભૂમિમાં બીજનું વપન વ્યર્થ છે, તેમ શુશ્રુષાગુણ વિનાની અર્થશ્રવણની ક્રિયા વ્યર્થ છે. જે વ્યક્તિને શુશ્રુષાગુણ પ્રગટેલો છે, અને અર્થશ્રવણની સામગ્રીના અભાવને કારણે અર્થશ્રવણ ન થાય તો પણ શુશ્રુષાગુણ પ્રગટેલો હોવાથી તત્ત્વ પ્રત્યેનું વલણ જીવંત રહે છે, જેથી નિશ્ચિત કર્મક્ષયની પ્રાપ્તિ છે. જોકે જીવ જ્યારે તત્ત્વ સાંભળવાના વિચારોમાં અને તત્ત્વ સાંભળવાના ઉપાયોમાં પ્રયત્ન કરતો હોય ત્યારે શુશ્રષાગુણ ખીલેલી અવસ્થાવાળો હોય છે, અને સાંભળવાની ક્રિયા કરે છે ત્યારે વિશેષ રીતે તત્ત્વને અભિમુખ યત્ન વર્તતો હોય છે, અને તત્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવમાં તેના કરતાં પણ વિશેષ પ્રકારની ઉત્તમ પરિણતિ વર્તે છે. તેથી શુશ્રુષાગુણકાળમાં જે નિર્જરા થાય છે, તેના કરતાં શ્રવણકાળમાં ઘણી અધિક નિર્જરા થાય છે, અને તેના કરતાં પણ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે અધિક નિર્જરા થાય છે. આમાં અન્વયવ્યતિરેક આ પ્રમાણે છે – Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તારાદિત્રયદ્વાઢિશિકા/શ્લોક-૧૪-૧૫ અન્વય : ‘તમારે તમાવ:' શુશ્રુષાના ભાવમાં અર્થશ્રવણ હોય કે ન હોય તોપણ નિર્જરા છે. આ અન્વય છે. વ્યતિરેક : તમારે તમાવ:' શુશ્રુષા ગુણના અભાવમાં અર્થશ્રવણ હોય કે ન હોય તોપણ નિર્જરા થતી નથી. આ વ્યતિરેક છે. આનાથી એ નક્કી થાય છે કે શ્રવણની ક્રિયા કર્મક્ષય પ્રત્યે પ્રધાન કારણ નથી, પરંતુ શુશ્રુષાગુણ કર્મક્ષય પ્રત્યે પ્રધાન કારણ છે; છતાં જેનામાં શુશ્રુષાગુણ વર્તતો હોય તેની શ્રવણની ક્રિયા પણ નિર્જરારૂપ કાર્યમાં અતિશયતા કરે છે. તેથી શુશ્રુષા નિર્જરા પ્રત્યે પ્રધાન કારણ હોવા છતાં શુશ્રુષાયુક્ત અર્થશ્રવણની ક્રિયા નિર્જરા પ્રત્યે વિશેષ કારણ છે. I૧૪ અવતરણિકા : શ્લોક-૧૨માં બલાદષ્ટિમાં થતાં કાર્યો બતાવ્યાં. તેમાં હવે ક્રમ પ્રાપ્ત ક્ષેપદોષના અભાવનાં કાર્યો બતાવે છે – બ્લોક : योगारम्भ इहाक्षेपात् स्यादुपायेषु कौशलम् । उप्यमाने तरौ दृष्टा पय:सेकेन पीनता ।।१५।। અન્વયાર્થ:રૂઅહીં બલાદષ્ટિમાં યોરમે યોગની પ્રવૃત્તિમાં પ્રક્ષેપત્રિક્ષેપદોષનો અભાવ હોવાને કારણે પાયે ઉપાયોમાં કોશનમ્ સ્થા–કુશળપણું થાય છે. ૩ધ્યમને તારી જેમ વાવણી કરાતા વૃક્ષમાં પાસે પાણીના સિંચનથી પીનતા=હષ્ટપુષ્ટપણું દૃષ્ટા જોવાયેલ છે. ૧૫ શ્લોકાર્થ: બલાદષ્ટિમાં યોગની પ્રવૃત્તિમાં #પદોષનો અભાવ હોવાને કારણે ઉપાયોમાં કુશળપણું થાય છે. જેમ વાવણી કરાતા વૃક્ષમાં પાણીના સિંચનથી હષ્ટપુષ્ટપણું જોવાયેલ છે. II૧૫TI Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તારાદિત્રયદ્વાચિંશિકાશ્લોક-૧૫ ટીકા :__ योगेति-इह-बलायाम्, अक्षेपा=अन्यत्र चित्तान्यासाद्योगारम्भे उपायेषु= योगसाधनेषु कौशलं दक्षत्वं भवति, उत्तरोत्तरमतिवृद्धियोगादिति भावः, उप्यमाने तरौ पयासेकेन पीनता दृष्टा, तद्वदिहाप्यक्षेपेणैवमतिपीनत्वलक्षणमुपायकौशलं स्यात्, अन्यथा पूर्णपयासेकं विनोप्तस्य तरोरिव प्रकृतानुष्ठानस्य कार्यमेवाकौशललक्षणं स्यादिति भावः ।।१५।। ટીકાર્ચ - રૂ.. ભાવ: અહીં બલાદષ્ટિમાં, યોરમે યોગની પ્રવૃત્તિમાં અક્ષેપ હોવાને કારણે અન્યત્ર ચિત્તનો અભ્યાસ હોવાને કારણે અર્થાત્ ચિતનું અન્યત્ર ગમન નહીં હોવાને કારણે, ઉપાયોમાં યોગનાં સાધનોમાં, કુશળપણુંક દક્ષપણું, થાય છે; કેમ કે ઉત્તરોત્તર મતિની વૃદ્ધિનો યોગ છે, એ પ્રમાણે ભાવ છે તાત્પર્ય છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – વાવણી કરાતા વૃક્ષમાં પાણીના સિંચનથી હષ્ટપુષ્ટતા જોવાયેલ છે; તેની જેમ અહીં પણ યોગના ઉપાયોની પ્રવૃત્તિમાં પણ, અક્ષેપને કારણે ક્ષેપદોષનો અભાવ હોવાને કારણે, આ રીતે વાવણી કરાતા વૃક્ષમાં જેમ પાણીના સિંચનથી પીતતા થઈ એ રીતે, અતિપીતત્વ સ્વરૂપ ઉપાયનું કુશળપણું થાય, અન્યથા-ક્ષેપદોષનો અભાવ ન હોય તો, પૂરતા પાણીના સિંચન વિના વવાયેલા વૃક્ષની જેમ, પ્રકૃતિ અનુષ્ઠાનનું યોગવિષયક અનુષ્ઠાનનું, અકૌશલ્યરૂપ કૃશપણું જ થાય, એ પ્રમાણે ભાવ છે–તાત્પર્ય છે. આપા ભાવાર્થ :બલાદષ્ટિમાં વર્તતા ક્ષેપદોષના અભાવે યોગ પ્રવૃત્તિનું કૌશલ્ય : બલાદૃષ્ટિમાં પ્રથમ બે દૃષ્ટિ કરતાં કંઈક બલિષ્ઠ બોધ હોય છે. તેથી યોગવિષયક ધ્યાન, જપ, સ્વાધ્યાયાદિ જે કંઈ પ્રવૃત્તિ કરે તે અર્થપ્રયોગમાત્રની પ્રીતિથી કરે છે, અને તેના કારણે તે ક્રિયામાં સ્વશક્તિ અનુસાર તેનો સુદઢ Page #58 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયાત્રિશિકા/શ્લોક-૧૫-૧૬ ૩૯ યત્ન પ્રવર્તે છે, તેથી ક્ષેપદોષનો અભાવ છે; અને તેના કારણે યોગનિષ્પત્તિમાં જે જે ઉપાયો સેવે છે, તેમાં દક્ષપણું આવે છે, કેમ કે જેમ જેમ તે યોગના ઉપાયોનું સેવન કરે છે, તેમ તેમ તેની ઉત્તરોત્તર મતિ વૃદ્ધિ પામે છે અર્થાત્ ઉપેય એવા યોગની નિષ્પત્તિનું કારણ બને તે રીતે સેવાતા એવા યોગના ઉપાયોમાં ઉત્તરોત્તર મતિની વૃદ્ધિ થાય છે. તેથી તેનું અનુષ્ઠાન ઉપેયને સાધવા માટે અધિક-અધિક સમર્થ બને છે. આથી ત્રીજી દૃષ્ટિમાં માર્ગગમન શરૂ થાય છે. આ વાત દૃષ્ટાંતથી બતાવે છે જેમ કોઈ વૃક્ષની વાવણી કરતું હોય ત્યારે તેના બીજને પાણીનું સિંચન કરવામાં આવે તો તે બીજ અતિ પુષ્ટ બને છે, તેથી તેનાથી થયેલું વૃક્ષ પણ અતિ પુષ્ટ બને છે; તેમ અહીં પણ ક્ષેપદોષ વગર યોગના ઉપાયોને ત્રીજી દૃષ્ટિવાળા સેવે છે, તેથી યોગના ઉપાયો પૂર્વપૂર્વ કરતાં ઉત્તરઉત્તરમાં પુષ્ટ થતા જાય છે, અને પુષ્ટ થયેલા એવા તે ઉપાયો ઉપેયને સાધવા માટે વિશેષ સમર્થ બને છે; અને જેમ પ્રમાણોપેત પાણીના સિંચન વિના વવાયેલું વૃક્ષ હોય તો તે વૃક્ષ કૃશ બને છે, તેમ #પદોષથી કરાયેલું અનુષ્ઠાન પણ અકુશળતા સ્વરૂપ કુશપણાને પ્રાપ્ત કરે છે. માટે યોગની નિષ્પત્તિમાં લેપદોષનો અભાવ પ્રબળ કારણ છે. I૧પણા -: દીપ્રાદષ્ટિ – અવતરણિકા : શ્લોક-૧૦ થી ૧૫ પર્યત બલાદષ્ટિનું વર્ણન કર્યું. હવે ક્રમ પ્રાપ્ત દીપ્રાદષ્ટિને કહે છે – શ્લોક : प्राणायामवती दीप्रा योगोत्थानविवर्जिता । तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधमनाश्रिता ।।१६।। અન્વયાર્થ:પ્રાથમવતી=પ્રાણાયામવાળી, યોગાનવિનતા=યોગવિષયક ઉત્થાનથી વજિત, તત્ત્વશ્રવાસંયુવત્તા તત્વશ્રવણથી યુક્ત, સૂકવોથમનશ્રિત સૂક્ષ્મબોધથી રહિત રીપ્ર=દીપ્રા છે દીપ્રાદષ્ટિ છે. I૧૬. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્લોકાર્થ : પ્રાણાયામવાળી, યોગના ઉત્થાનથી વર્જિત, તત્ત્વશ્રવણથી યુક્ત, સૂક્ષ્મબોધથી રહિત દીપાદષ્ટિ છે. ૧૬|| ટીકા ઃ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬ प्राणायामवतीति प्राणायामवती-प्राणायामसहिता दीप्रा दृष्टिः, योगोत्थानेन विवर्जिता प्रशान्तवाहितालाभात्, तत्त्वश्रवणेन संयुक्ता शुश्रूषाफलभावात्, सूक्ष्मबोधेन विवर्जिता वेद्यसंवेद्यपदाप्राप्तेः । ।१६।। ટીકાર્યઃप्राणायामवती વેદ્યસંવેદ્યપરાપ્રાપ્ત: | પ્રાણાયામવાળી=પ્રાણાયામથી સહિત દીપ્રાદૃષ્ટિ છે, યોગવિષયક ઉત્થાનદોષથી રહિત છે; કેમ કે પ્રશાંતવાહિતાનો લાભ છે. તત્ત્વશ્રવણથી સંયુક્ત છે; કેમ કે શુશ્રૂષાના ફળનો સદ્ભાવ છે અર્થાત્ શુશ્રૂષાગુણનું ફળ જે તત્ત્વશ્રવણ છે, તેનો સદ્ભાવ છે. સૂક્ષ્મબોધ વિવર્જિત છે–સૂક્ષ્મબોધરહિત છે; કેમ કે વેદ્યસંવેદ્યપદની અપ્રાપ્તિ છે. 119911 ..... ભાવાર્થ: દીપ્રાર્દષ્ટિનું સ્વરૂપ ઃપ્રાણાયામથી યુક્ત : આ દૃષ્ટિમાં ચોથું યોગાંગ પ્રાણાયામ પ્રગટે છે. પ્રાણાયામના ત્રણ અવયવો છે : (૧) રેચક, (૨) પૂરક અને (૩) કુંભક. હઠયોગના પ્રાણાયામમાં આ રેચક, પૂરક અને કુંભક વાયુને આશ્રયીને છે, જ્યારે યોગમાર્ગમાં પ્રાણાયામ શુભ ભાવો અને અશુભ ભાવોને આશ્રયીને છે. તેથી ચોથી દૃષ્ટિવાળા જીવો પોતાના બોધના બળથી અશુભ ભાવોનું રેચન કરે છે, શુભ ભાવોનું પૂરણ કરે છે અને પૂરણ થયેલા શુભ ભાવોનું કુંભન કરે છે અર્થાત્ સ્થિરીકરણ કરે છે. તેથી ભાવપ્રાણાયામવાળી દીપ્રાદષ્ટિ છે. આ ભાવરેચકાદિનાં કાર્યો ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવવાના છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ તારાદિત્રયાવિંશિકા/શ્લોક-૧૬ યોગવિષયક ઉત્થાનદોષથી રહિત : ચોથી દૃષ્ટિવાળા જીવો જે ધર્મઅનુષ્ઠાન કરે છે, તેમાં યોગનું ઉત્થાન નથી અર્થાત્ ભગવદ્ભક્તિ આદિ સેવાના અનુષ્ઠાનથી ચિત્ત લક્ષ્ય તરફ જાય તે પ્રકારની સ્વસ્થતા ચિત્તમાં વર્તે છે; કેમ કે પ્રશાંતવાહિતાની પ્રાપ્તિ થયેલી છે. આશય એ છે કે યોગમાર્ગના વિષયમાં ઘણો સ્પષ્ટ બોધ હોવાને કારણે આ દૃષ્ટિમાં ચિત્ત બાહ્ય પદાર્થોના આકર્ષણ વિનાનું થયેલું છે. તેથી ચોથી દૃષ્ટિના બોધને અનુરૂપ ચિત્તમાં રાગાદિભાવો શાંત થયેલા છે. તેથી શાંતરસનો પ્રવાહ ચિત્તમાં વર્તે છે, અને તેના કારણે આ દૃષ્ટિવાળા યોગી જે કોઈ ધર્મઅનુષ્ઠાન કરે છે, તેના દ્વારા વિશેષ વિશેષ પ્રકારના યોગની નિષ્પત્તિ કરી શકે તેવો ઉપશમભાવ વર્તે છે; જ્યારે ત્રીજી દૃષ્ટિવાળા યોગી ક્ષેપદોષ વગર પ્રવૃત્તિ કરતા હોવા છતાં ચિત્તમાં તેવા પ્રકારનો કષાયોનો ઉપશમ નહીં હોવાથી યોગની પ્રવૃત્તિમાં ઉત્થાનદોષ નિમિત્તને પામીને આવી શકે છે. તેથી જે અનુષ્ઠાનના સેવનથી ત્રીજી દૃષ્ટિવાળા યોગીઓ યોગમાર્ગને ઉલ્લસિત કરે છે, તેના કરતાં ઉત્થાનદોષ નહીં હોવાને કારણે તે જ ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનથી ચોથી દૃષ્ટિવાળા જીવો વિશેષ પ્રકારના યોગમાર્ગને ઉલ્લસિત કરી શકે છે. તત્ત્વશ્રવણ સંયુક્ત : ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટે છે, જે શુશ્રુષાગુણના ફળસ્વરૂપ છે. આશય એ છે કે ત્રીજી દૃષ્ટિવાળા યોગીને તત્ત્વ સાંભળવાનો તીવ્ર અભિલાષ હોય છે; આમ છતાં શ્રવણની ક્રિયા ન પણ થાય, અને સામગ્રી મળે તો શ્રવણની ક્રિયા કરે, તોપણ ત્રીજી દૃષ્ટિમાં શ્રવણગુણ પ્રગટેલો નહીં હોવાથી, ચોથી દૃષ્ટિવાળા યોગીને શ્રવણગુણથી જેવો સમ્યફ બોધ થાય છે, તેવો સમ્યકુ બોધ ત્રીજી દૃષ્ટિવાળા યોગીને શ્રવણની સામગ્રીથી પણ થઈ શકતો નથી. આમ છતાં ત્રીજી દૃષ્ટિમાં રહેલા શુશ્રુષાગુણવાળા પણ જીવો શ્રવણની સામગ્રી મેળવીને શ્રવણની ક્રિયાથી શ્રવણગુણને પ્રાપ્ત કરીને ચોથી દૃષ્ટિને પ્રાપ્ત કરે છે; જ્યારે ચોથી દૃષ્ટિવાળા યોગીને તો શુશ્રુષાગુણના ફળરૂપ શ્રવણગુણ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તારાદિત્રયદ્વાઝિશિકા/બ્લોક-૧૬-૧૭ પ્રગટેલો છે, તેથી શક્તિના પ્રકર્ષથી શ્રવણની સામગ્રી મેળવવા પ્રયત્ન કરે, અને કદાચ તેવા ઉપદેશક ન મળે તોપણ યોગગ્રંથાદિનું અધ્યયન કરીને પણ શ્રવણગુણના બળથી યોગમાર્ગના બોધમાં યત્ન કરે છે, અને ચોથી દૃષ્ટિમાં પ્રગટ થયેલો શ્રવણગુણ શીધ્ર સમ્યગુબોધનું કારણ બને છે. અહીં વિશેષ એ છે કે શ્લોક-૧૪માં બતાવ્યું કે ત્રીજી દૃષ્ટિમાં શુશ્રુષાગુણવાળાને શ્રવણક્રિયાનો અભાવ હોય તો પણ શુશ્રુષાગુણથી કર્મક્ષયરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તેમ ચોથી દૃષ્ટિમાં એમ ન કહ્યું કે શ્રવણગુણવાળા એવા યોગીને શ્રવણસામગ્રીનો અભાવ હોય તોપણ શ્રવણગુણને કારણે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે. તેથી ફલિત થાય છે કે શુશ્રુષાગુણવાળા જીવોને શ્રવણની ક્રિયા હોય, ન પણ હોય; જ્યારે શ્રવણગુણવાળા જીવોને અવશ્ય શ્રવણક્રિયા હોય જ છે. આથી અર્થથી એ જણાય છે કે બાહ્ય ઉપદેશક ન મળે તોપણ શાસ્ત્રના બળથી ચોથી દૃષ્ટિવાળા યોગીઓ યોગમાર્ગને જાણવા માટે અવશ્ય યત્ન કરે છે; જે શ્રવણગુણનું કાર્ય છે. સૂક્ષ્મબોધવિવર્જિતઃ ચોથી દૃષ્ટિ સૂક્ષ્મબોધથી રહિત છે; કેમ કે વેદસંવેદ્યપદની પ્રાપ્તિ નથી. આ કથનથી પૂર્વની ત્રણ દૃષ્ટિઓ પણ સૂક્ષ્મબોધથી વર્જિત છે, તેમ અર્થથી સમજી લેવું. સૂક્ષ્મબોધ એટલે બંધ અને મોક્ષનાં કારણોનો યથાર્થ બોધ; કેમ કે વેદ્યસંવેદ્યપદ સૂમબોધરૂપ છે, અને બંધ અને મોક્ષનાં કારણો બંધ અને મોક્ષના કારણરૂપે વેદ્ય છે, અને તે રીતે જ યથાર્થ સંવેદન જે પદમાં હોય તે વેદ્યસંવેદ્યપદ, અને તેવું વેદ્યસંવેદ્યપદ ચોથી દષ્ટિ સુધી નથી. તેથી યોગમાર્ગનો ઘણો બોધ હોવા છતાં આ દૃષ્ટિ સૂક્ષ્મબોધથી રહિત છે. I૧૬ અવતરણિકા : પૂર્વશ્લોક-૧૬માં કહ્યું કે ચોથી દૃષ્ટિ પ્રાણાયામવાળી છે. તેથી પ્રાણાયામ શું છે? તે બતાવવા માટે પ્રથમ દ્રવ્યપ્રાણાયામ બતાવે છે, જે પ્રાણાયામોને પતંજલ ઋષિએ સ્વીકાર્યા છે; અને ત્યારપછી તે પ્રાણાયામ યોગમાર્ગમાં કઈ રીતે ઉપયોગી નથી, અને કઈ રીતે ઉપયોગી છે, તેનું સ્પષ્ટીકરણ કરીને પ્રસ્તુત દૃષ્ટિમાં ભાવપ્રાણાયામ જ ગ્રહણ કરવાના છે, તે વાત શ્લોક-૧૮ સુધી બતાવે છે – Page #62 -------------------------------------------------------------------------- ________________ ४3 તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૧૭ Acts: रेचकः स्याद्बहिर्वृत्तिरन्तवृत्तिश्च पूरकः । कुम्भकः स्तम्भवृत्तिश्च प्राणायामस्त्रिधेत्ययम् ।।१७।। मन्वयार्थ : बहिर्वृत्तिः रेचक:-आवृत्ति रेय अन्तर्वृत्तिश्च पूरक:-सने अंतति ५२४ स्तम्भवृत्तिश्च कुम्भक:-सने स्तंभवृत्ति दुम स्यात्-थाय, इति मेथी अयम्= मा त्रिधा: प्रारे प्राणायाम:= प्रायाम छ. ।।१७।। लोार्थ : બહિવૃતિ રેચક અને અંતવૃતિ પૂરક અને આત્મવૃતિ કુંભક થાય, એથી આ ત્રણ પ્રકારે પ્રાણાયામ છે. ll૧૭ના टी : रेचक इति-बहिर्वृत्तिः श्वासो रेचकः स्यात्, अन्तर्वृत्तिश्च प्रश्वास: पूरकः, स्तम्भवृत्तिश्च कुम्भकः, यस्मिन् जलमिव कुम्भे निश्चलतया प्राणोऽवस्थाप्यते, इत्ययं त्रिधा प्राणायामा प्राणगतिविच्छेदः । यदाह - “(तस्मिन्सति) श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः" [पा.यो.सू. २-४९] इति । अयं च नासाद्वादशान्तादिदेशेन, षड्विंशतिमात्रादिप्रमाणकालेन सङ्ख्यया चेयतो वारान् कृत एतावद्भिश्च श्वासप्रश्वासैः प्रथम उद्घातो भवतीत्यादिलक्षणोपलक्षितो दीर्घसूक्ष्मसंज्ञ आख्यायते । यथोक्तं - “स तु बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसङ्ख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मसंज्ञ (सूक्ष्मः)" [पा.यो.सू. २-५०] इति । बाह्याभ्यन्तरविषयौ द्वादशान्तहृदयनाभिचक्रादिरूप एव पर्यालोच्यैव सहसा तप्तोपलनिपतितजलन्यायेन युगपत् स्तम्भवृत्त्या निष्पद्यमानात् कुम्भकात्तत्पर्यालोचनपूर्वकत्वमात्रभेदेन च चतुर्थोऽपि प्राणायाम इष्यते । यथोक्तं - “बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थ” [पा.यो.सू.२-५१] इति ।।१७।। Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તારાદિકયતાસિંશિકા/બ્લોક-૧૭ ટીકાર્ય : વહિવૃત્તિ: .... ચતુર્થ” [T.યો.ફૂ.ર-૧૨] બહિવૃત્તિ શ્વાસ રેચક થાય અને અંતતિ પ્રભાસ પૂરક થાય અને સ્તંભવૃત્તિ કુંભક થાય, જે પ્રાણાયામમાં કુંભકરૂપ જે પ્રાણાયામમાં, કુંભમાં જલની જેમ નિશ્ચલપણા વડે પ્રાણ શ્વાસ, અવસ્થાપન કરાય છે. એથી આ ત્રણ પ્રકારે પ્રાણાયામ છે=પ્રાણગતિનો વિચ્છેદ છે અર્થાત્ પ્રાણને ચોક્કસ રીતે પ્રવર્તાવવાથી પ્રાણની જે સ્વાભાવિક ગતિ થાય છે, તેનો વિચ્છેદ છે. જે કારણથી કહે છે જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૨-૪૯માં કહે છે – “(તે હોતે છતે આસન, ધૈર્ય હોતે છતે) શ્વાસ-પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ પ્રાણાયામ છે.” ‘ત્તિ' પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે; અને નાસિકાના દ્વાદશાતાદિ દેશથી=બાર આંગળ અંતવાળા આદિ દેશથી, ૨૬ માત્રાદિ પ્રમાણવાળા કાળથી અને સંખ્યાથી આટલી વાર અને આટલા શ્વાસપ્રશ્વાસથી કરાયેલો પ્રથમ ઉદ્ઘાત થાય છે ઈત્યાદિ લક્ષણથી ઉપલક્ષિત= પૂર્વમાં વર્ણન કરાયેલા દેશ, કાળ અને સંખ્યાથી ઉપલક્ષિત, એવો આ પ્રાણાયામ દીર્ઘ-સૂક્ષ્મસંજ્ઞાવાળો, કહેવાય છે. જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૨-૫૦માં કહેવાયું “વળી તે=પ્રાણાયામ, બાહ્ય, અત્યંતર અને ખંભવૃત્તિવાળો દેશ, કાળ, સંખ્યાદિ વડે જોવાયેલો દીર્ઘસૂક્ષ્મ છે.” તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. દ્વાદશાા હદય-નાભિ-ચક્રાદિરૂપ બાહ્ય અત્યંતર વિષયોનું પર્યાલોચન કર્યા વગર જ સહસા તપેલા ઉપર પડતા જલના ન્યાયથી, યુગપત્ સ્તંભવૃત્તિ વડે નિષ્પદ્યમાન એવા કુંભકથી ત્રીજા કુંભકરૂપ પ્રાણાયામથી, અને તત્પર્યાલોચનપૂર્વકત્વમાત્રના ભેદથી, ચતુર્થ પણ પ્રાણાયામ ઈચ્છાય છે. જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૨-૫૧માં કહેવાયું છે. “બાહ્ય-અત્યંતર વિષયનો આક્ષેપી ચોથો છે ચોથો પ્રાણાયામ છે.” Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૫ તારાદિત્રયાવિંશિકાશ્લોક-૧૭-૧૮ ‘તિ’ શબ્દ પાતંજલસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. I૧૭ના નોંધ:- “દહશાન્તયનામિવિરૂપ ' ના સ્થાને ‘દાશાસ્તવયનાવિવરૂપવ' પાઠ શુદ્ધ ભાસે છે. અવતરણિકા : પૂર્વશ્લોકમાં ત્રણ પ્રકારના પ્રાણાયામ બતાવ્યા અને ટીકામાં તે ત્રણ પ્રાણાયામથી અતિરિક્ત ચોથો પ્રાણાયામ છે, તે બતાવ્યું. હવે તે દ્રવ્યપ્રાણાયામ કઈ રીતે યોગમાર્ગમાં ઉપયોગી છે? અને કઈ રીતે અનુપયોગી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – શ્લોક : धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः । अन्यैरुक्तः क्वचिच्चैतद्युज्यते योग्यतानुगम् ।।१८।। અન્વયાર્થઃ અ =અવ્ય વડે તસ્મા–તેનાથી તે પ્રાણાયામથી, ઘરVTયોગ્યતાધારણાની યોગ્યતા, શિવરાક્ષથી=પ્રકાશાવરણનો ક્ષય ૩વેતા કહેવાયો છે, તત્ત્વ અને આરજે અન્ય વડે કહેવાયો છે, એ વરિત્રક્વચિત્ યોત નુષ્યયોગ્યતા અનુસાર ઘટે છે. ૧૮ શ્લોકાર્ચ - અન્ય વડે તે પ્રાણાયામથી ધારણાની યોગ્યતા, પ્રકાશાવરણનો ક્ષય કહેવાયો છે, અને આ કવચિત્ યોગ્યતા અનુસાર ઘટે છે. II૧૮માં ટીકા :__ धारणेति-तस्मात् प्राणायामात् धारणानां योग्यता, प्राणायामेन स्थिरीकृतं વેત સુન નિયત થાર્થત તિ, તi - થાર (સુ) યોગ્યતા મનસ:” [पा.यो.सू.२-५३] इति, तथा प्रकाशस्य चित्तसत्त्वगतस्य यदावरणं क्लेशरूपं તત્સયા, તળું – “તત: ક્ષીયતે પ્રશાવરVમ્” રૂતિ [પા:ચો.ફૂ. ૨-૧૨] રૂતિ ! अयमन्यैः पतञ्जल्यादिभिरुक्तः, भगवत्प्रवचने तु व्याकुलताहेतुत्वेन निषिद्ध Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૧૮ एव श्वासप्रश्वासरोधः, यथायोगसमाधानमेव प्रवृत्तेः श्रेयस्त्वात्, प्राणरोधपलिमन्थस्यानतिप्रयोजनत्वात् । तदुक्तं - "उस्सासं ण णिशंभइ आभिग्गहिओ वि किमुअ चेट्ठा उ । सज्जमरणं निरोहे सुहुमुस्सासं च जयणाए" ।। (आवश्यकनियुक्ति-१५१०) एतच्च-पतञ्जल्याद्युक्तं क्वचित्पुरुषविशेष योग्यतानुग-योग्यतानुसारि युज्यते, नानारुचित्वाद्योगिनां, प्राणायामरुचीनां प्राणायामेनापि फलसिद्धेः. स्वरुचिसम्पत्तिसिद्धस्योत्साहस्य योगोपायत्वात्, यथोक्तं योगबिन्दौ - "उत्साहान्निश्चयाद्धर्यात्सन्तोषात्तत्त्वदर्शनात् । મુનેર્નનપત્થાત્ પર્થોિ: પ્રસિધ્ધતિ” (ચોવિન્દુ જ્ઞો-૪૨) કૃતિ ! तस्माद्यस्य प्राणवृत्तिनिरोधेनैवेन्द्रियवृत्तिनिरोधस्तस्य तदुपयोग इति તત્ત્વમ્ ૨૮ાા ટીકાર્ય : તાત્ તત્ત્વમ્ ! તેનાથીeતે પ્રાણાયામથી, ધારણાની યોગ્યતા, પ્રાણાયામ દ્વારા સ્થિર કરાયેલું ચિત સુખપૂર્વક નિયત દેશમાં ધારણ કરાય છે. “તિ' શબ્દ પ્રાણાયામથી ધારણાની યોગ્યતા પ્રગટે છે, તે કથનની સમાપ્તિમાં છે. તે કહેવાયું છેeતે પાતંજલ યોગસૂત્ર-૨-૫૩માં કહેવાયું છે – “અને ધારણામાં મનની યોગ્યતા=પ્રાણાયામથી ધારણામાં મનની યોગ્યતા આવે છે.” તિ શબ્દ પાતંજલના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. તથા=અને, ચિત્તસત્વગત-ચિત્તના સત્વગુણમાં રહેલ, પ્રકાશનું જે ક્લેશરૂપ આવરણ, તેનો ક્ષય=પ્રાણાયામથી તે આવરણનો ક્ષય થાય છે. તે કહેવાયું છેeતે પાતંજલ યોગસૂત્ર-૨-પરમાં કહેવાયું છે –“તેનાથી=પ્રાણાયામથી પ્રકાશાવરણ ક્ષય પામે છે.” “રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અવ્ય એવા પતંજલિ આદિ વડે આ પ્રાણાયામથી ધારણાની યોગ્યતા પ્રગટે છે એ, ઉપરનાં બે સૂત્રો દ્વારા કહેવાયું છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૭ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૧૮ પરંતુ ભગવસ્ત્રવચનમાં વ્યાકુળતાનું હેતુપણું હોવાને કારણે શ્વાસપ્રશ્વાસનો રોધ નિષિદ્ધ જ છે; કેમ કે યથાયોગ સમાધાન જયથાયોગ સમાધાનપૂર્વક જ, પ્રવૃત્તિનું શ્રેયપણું છે અર્થાત્ જે પ્રમાણે મન-વચનકાયાના યોગોની લક્ષ્યને અનુરૂપ સ્વસ્થતા રહે તે રીતે જ પ્રવૃત્તિનું શ્રેયપણું છે. વળી પ્રાણાયામ ભગવાનના પ્રવચનમાં નિષિદ્ધ કેમ છે ? તેમાં અન્ય હેતુ કહે છે – પ્રાણરોધથી પલિમન્થનું યોગમાર્ગની પ્રવૃત્તિના વિલંબનનું, અનતિપ્રયોજતપણું છેઃખાસ કોઈ પ્રયોજન નથી. તે કહેવાયું છે=ભગવાનના પ્રવચનમાં શ્વાસપ્રશ્વાસ નિરોધનો નિષેધ છે, તે આવશયકલિથુક્તિ ગાથા-૧૫૧૦માં કહેવાયું છે – “અભિગ્રહવાળા પણ=મારણાનિક ઉપસર્ગો વખતે કાયાને વોસિરાવનાર પણ, ઉચ્છવાસનો વિરોધ કરતા નથી, તો વળી ચેષ્ટાવાળા-ગોચરી આદિ ચેષ્ટા અર્થે કાયોત્સર્ગ કરનારા શું ? અર્થાત્ ઉદ્ઘાસનો રોધ કરે નહીં, કેમ કે વિરોધમાં સઘ મરણ થાય છેeતરત જ મરણ થાય છે, અને જયણાથી સૂક્ષ્મ ઉચ્છવાસને છોડે છીંક, બગાસું વગેરે આવે ત્યારે કાયોત્સર્ગકાળમાં પણ મુહપત્તિ આદિ મુખ પાસે રાખવારૂપ જયણાથી ઉચ્છવાસને છોડે.” (આ.નિ. ગાથા-૧૫૧૦) અને આ પતંજલિ આદિથી કહેવાયેલું ક્વચિત્ પુરુષવિશેષમાં અર્થાત્ પ્રાણાયામની રુચિવાળા પુરુષમાં, પોતાનું યોગ્યતાનુસારી, ઘટે છે; કેમ કે યોગીઓનું વિવિધરુચિપણું છે અર્થાત્ જુદી જુદી રુચિવાળા યોગીઓ હોય છે. અહીં પ્રશ્ન થાય કે યોગીઓની જુદી જુદી રુચિ છે, એટલા માત્રથી પુરુષવિશેષમાં પ્રાણાયામ ઉપયોગી છે, એમ કેમ સિદ્ધ થાય ? એથી કહે છે – પ્રાણાયામની રુચિવાળાઓને પ્રાણાયામથી પણ ફળ સિદ્ધ હોવાથી પુરુષ વિશેષમાં પ્રાણાયામ પણ યોગ્યતા અનુસાર ઉપયોગી છે. અહીં પ્રશ્ન થાય કે પ્રાણાયામની રુચિવાળાને પ્રાણાયામથી પણ ફળની સિદ્ધિ કેમ છે ? તેથી કહે છે – Page #67 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/મ્લોક-૧૮ સ્વરુચિની સંપત્તિથી-રુચિના વિષયભૂત પદાર્થની પ્રાપ્તિથી, સિદ્ધ એવા ઉત્સાહનું યોગમાં ઉપાયપણું છે. ૪. ઉત્સાહ યોગનો ઉપાય છે, તેમાં ‘થોવતા' થી યોગબિંદુ શ્લોક-૪૧૯ ની સાક્ષી આપે છે. જે પ્રમાણે કહેવાયું છે - “ઉત્સાહથી, નિશ્ર્ચયથી, ધૈર્યથી, સંતોષથી, તત્ત્વના દર્શનથી, જનપદના ત્યાગથી, આ છ વડે મુનિનો યોગ નિષ્પત્તિને પામે છે.” ‘કૃતિ' શબ્દ યોગબિંદુના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ટીકામાં અહીં સુધી કહેલ કથનનું નિગમન કરતાં કહે છે તે કારણથી જેને પ્રાણવૃત્તિના નિરોધથી જ ઇન્દ્રિયની વૃત્તિનો નિરોધ છે, તેને તેનો=પ્રાણાયામનો ઉપયોગ છે, એ પ્રમાણે તત્ત્વ છે. ।।૧૮। ભાવાર્થ:ભાવપ્રાણાયામનું ફળ ઃ યોગમાર્ગની સાક્ષાત્ પ્રવૃત્તિ ધારણા, ધ્યાન અને સમાધિથી થાય છે, જ્યારે યોગનાં અન્ય યમાદિ અંગો પરંપરાએ ઉપકા૨ક છે, જે વાત પૂર્વમાં ગ્રંથકારે કરેલી, અને યોગમાર્ગની સાક્ષાત્ પ્રવૃત્તિના અંગભૂત ધારણાની યોગ્યતા પ્રાણાયામથી થાય છે, તેથી પ્રાણાયામને ચોથું યોગાંગ સ્વીકારેલ છે. પ્રાણાયામથી ધારણાની યોગ્યતા પાતંજલ મત પ્રમાણે કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે પૂર્વશ્લોકમાં બતાવેલ દ્રવ્યપ્રાણાયામ દ્વારા સ્થિર કરાયેલું ચિત્ત સુખપૂર્વક નિયત દેશમાં ધારણ કરી શકાય છે, અને ચિત્તનો સત્ત્વગુણગત જે પ્રકાશ, તેનું જે ક્લેશરૂપ આવરણ, તેનો ક્ષય થાય છે. આશય એ છે કે ચિત્ત સાત્ત્વિક, રાજસિક અને તામસિક પ્રકૃતિવાળું છે. રાજસી અને તામસી પ્રકૃતિનો ઉદ્રેક તે સાત્ત્વિક પ્રકૃતિનું આવરણ છે. પ્રાણાયામ દ્વારા સ્થિર કરાયેલું ચિત્ત રાગ-દ્વેષની આકુળતા વિનાનું બને છે, તેથી તેની સાત્ત્વિક પ્રકૃતિ ઉદયમાં આવે છે. તેથી એ ફલિત થાય કે પ્રાણાયામ પૂર્વે જેનું ચિત્ત રાગાદિથી આકુળ થઈને જે તે વિષયોમાં જતું હતું, તે ચિત્ત પ્રાણાયામ દ્વારા સ્થિર બને ત્યારે તે ચિત્તમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તારાદિત્રયદ્વાચિંશિકા/બ્લોક-૧૮ રાગાદિ ક્લેશો ઓછા થાય છે, અને તેથી સાત્ત્વિક પ્રકૃતિ ઉલ્લસિત થાય છે, અને તે સાત્ત્વિક પ્રકૃતિ પ્રકાશમય છે. તેથી પ્રાણાયામ દ્વારા યોગમાર્ગને અનુકૂળ એવી ધારણાની યોગ્યતા પ્રગટે છે. આ પ્રમાણે પતંજલિ આદિ વડે કહેવાયું છે. ભગવાનના પ્રવચનમાં શ્વાસ-પ્રશ્વાસ નિરોધનો નિષેધ : ભગવાનના પ્રવચનમાં વ્યાકુળતાનો હેતુ હોવાને કારણે શ્વાસ-પ્રશ્વાસનો નિરોધ નિષિદ્ધ છે. તેથી શ્વાસ-પ્રશ્વાસના નિરોધરૂપ પ્રાણાયામ શ્રેય નથી, પરંતુ જે પ્રમાણે પોતાના મન-વચન-કાયાના યોગોનું સમાધાન રહે તે રીતે પ્રવૃત્તિનું શ્રેયપણું છે. તેથી એ ફલિત થાય કે ભગવાનના વચનાનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાના અર્થી જીવે, ચિત્તને તત્ત્વથી ભાવિત કરીને જે રીતે મન-વચન અને કાયા સમાધિપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે, તે રીતે પ્રવૃત્તિ કરવી ઉચિત છે, પરંતુ પ્રાણાયામમાં પ્રયત્ન કરવો ઉચિત નથી; કેમ કે પ્રાણાયામમાં કરાયેલો પ્રયત્ન શ્વાસ-પ્રશ્વાસના રોધરૂપ હોવાને કારણે વ્યાકુળતાનો હેતુ છે અર્થાત્ યોગમાર્ગની પ્રવૃત્તિ છોડીને શ્વાસ-પ્રશ્વાસના નિરોધની ક્રિયામાં ચિત્ત વ્યાકુળ રહે છે, અને તે શ્વાસનો રોધ ક્વચિત્ મૃત્યુ આદિનું પણ કારણ બની શકે. તેથી જે રીતે પોતાના યોગો યોગમાર્ગની પ્રવૃત્તિ માટે સ્વસ્થતાથી પ્રવર્તી શકે, તે રીતે યોગમાર્ગની પ્રવૃત્તિ કરવી શ્રેય છે. વળી ભગવાનના પ્રવચનમાં પ્રાણાયામનો નિષેધ કેમ કર્યો છે ? તેમાં બીજો હેતુ કહે છે – પ્રાણરોધથી પલિમન્થનું અતિપ્રયોજનપણું છે. આશય એ છે કે જેટલા કાળ સુધી પ્રાણાયામમાં વ્યગ્ર રહેલા યોગી યોગમાર્ગની પ્રવૃત્તિ વિલંબનથી કરે તેટલા કાળ સુધી યોગમાર્ગની પ્રવૃત્તિનો પલિમંથ=વિલંબ થાય છે, તે પલિમંથ કરવાનું અનતિપ્રયોજન છે અર્થાત્ જે સાધક પ્રાણાયામ વિના ચિત્તને તત્ત્વથી ભાવિત કરીને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકતો હોય, તેણે પ્રાણાયામમાં શક્તિનો વ્યય કરી યોગમાર્ગની પ્રવૃત્તિનો વિલંબ કરવો ઉચિત Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૧૮ નથી. આમ છતાં, કોઈ યોગીનું ચિત્ત પ્રાણાયામ વગર યોગમાર્ગની પ્રવૃત્તિમાં સ્થિરતા ન કરી શકતું હોય તેની અપેક્ષાએ પ્રાણાયામનું કંઈક પ્રયોજન પણ છે. બાકી વગર પ્રાણાયામે જે યોગીઓ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે, તેવા યોગીઓ માટે યોગમાર્ગની પ્રવૃત્તિનું વિલંબન કરવું તે પ્રયોજન વગરનું છે. પ્રાણાયામનો ભગવાનના શાસનમાં નિષેધ છે, તેના માટે આવશ્યકનિર્યુક્તિની ગાથા સાક્ષીપાઠરૂપે આપી, તેનો અર્થ આ પ્રમાણે છે -- મારણાન્તિક ઉપસર્ગકાળમાં જેણે અભિગ્રહ કર્યો છે કે “જ્યાં સુધી આ ઉપસર્ગ ન જાય ત્યાં સુધી હું આહાર-પાણી આદિ સર્વનો ત્યાગ કરું છું અને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને સ્થિર કાયોત્સર્ગમાં રહીને ધ્યાનમાં રહેવા પ્રયત્ન કરે છે, તેવા સાધકોને પણ ઉચ્છવાસનો નિરોધ નિષેધ કરાયેલો છે, તો ચેષ્ટા કાયોત્સર્ગ કરનાર અર્થાત્ ભિક્ષાચર્યાદિ ક્રિયાઓ નિમિત્તે કાયોત્સર્ગ કરનારાઓને તો નક્કી ઉચ્છવાસનો નિરોધ કરવો જોઈએ નહીં; કેમ કે ઉચ્છવાસના નિરોધમાં સઘ મરણ પણ થઈ શકે. તેથી યતનાપૂર્વક સૂક્ષ્મ ઉચ્છવાસને મૂકે અર્થાત્ કાયોત્સર્ગકાળમાં બગાસું આદિ આવે તો જીવરક્ષા અર્થે મુહપત્તિ આદિ મુખ પાસે રાખી યતનાપૂર્વક શ્વાસ મૂકે. આ રીતે પ્રાણાયામ કરવો તે આવશ્યકનિયુક્તિના વચનથી ભગવાનના શાસનમાં નિષિદ્ધ છે. આમ છતાં, સર્વજ્ઞનું વચન અનેકાંતાત્મક છે, તેથી જે જીવને પ્રાણાયામ ધારણાનું કારણ બનતો હોય તે જીવને આશ્રયીને પ્રાણાયામ કરવાનો નિષેધ નથી. તે બતાવવા અર્થે કહે છે – પતંજલિઋષિએ કહેલ દ્રવ્ય પ્રાણાયામ કોઈ પુરુષ વિશેષમાં ધારણાની યોગ્યતાને અનુસરનારો થઈ શકે છે. તેથી તેવા યોગીઓ પ્રાણાયામ દ્વારા ધારણાની યોગ્યતા પ્રગટ કરીને ધારણા દ્વારા સાક્ષાત્ યોગમાર્ગમાં યત્ન કરી શકે છે. તેવા યોગીઓને આશ્રયીને દ્રવ્ય પ્રાણાયામનો નિષેધ નથી. અહીં પ્રશ્ન થાય કે કોઈક યોગીને પ્રાણાયામ યોગમાર્ગમાં વિદ્ધભૂત છે, તો અન્ય યોગીને તે પ્રાણાયામ ધારણાની યોગ્યતાનું કારણ કઈ રીતે બની શકે ? તેથી કહે છે – Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૧ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૧૮ યોગીઓને જુદા જુદા પ્રકારની રૂચિ છે. તેથી પ્રાણાયામની રુચિવાળા યોગીઓને પ્રાણાયામથી પણ ફળની સિદ્ધિ છે. આશય એ છે કે ભગવાનના શાસનમાં કહેવાયેલા યોગોમાંથી કોઈક યોગ કોઈક યોગીને આશ્રયીને ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે, તો તે યોગ અન્ય યોગીને આશ્રયીને ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બનતો નથી, પરંતુ અંતરાયનું પણ કારણ બને છે. જેમ કેટલાક યોગીઓને તપ ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે, તો વળી અન્ય યોગીઓને તે તપ જ સ્વાધ્યાયમાં શૈથિલ્યનું આપાદન કરીને યોગમાર્ગની પ્રવૃત્તિને શિથિલ પણ કરે છે. તે રીતે જે યોગીઓ પ્રાણાયામ વગર સાક્ષાત્ ધારણાયોગમાં પ્રયત્ન કરી શકે છે, તેવા યોગીઓને પ્રાણાયામની ક્રિયા યોગની પ્રવૃત્તિમાં વિલંબનનું કારણ બને છે; પરંતુ જે યોગીઓ પ્રાણાયામના બળથી મનની સ્થિરતા ઉત્પન્ન કરી શકે છે, અને પ્રાણાયામ દ્વારા સ્થિર થયેલા મનથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે, તેવા યોગીઓની અપેક્ષાએ પ્રાણાયામ પણ ફળસિદ્ધિનું કારણ છે; અને તેમાં યુક્તિ બતાવે છે -- સ્વરુચિની પ્રાપ્તિથી સિદ્ધ થયેલો ઉત્સાહ યોગનો ઉપાય છે. તેથી જે યોગીને મન સ્થિર કરવા અર્થે પ્રાણાયામમાં રુચિ છે, તેવા યોગીને પ્રાણાયામ સિદ્ધ થાય ત્યારે તેનું ચિત્ત ઉત્સાહિત થાય છે, અને ઉત્સાહિત થયેલું ચિત્ત પ્રાણાયામના બળથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે. આ ઉત્સાહ યોગનો ઉપાય છે. તેમાં યોગબિંદુ ગ્રંથ શ્લોક-૪૧૧નો સાક્ષીપાઠ આપેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે – આ શ્લોકમાં મુનિને યોગનિષ્પત્તિનાં છ કારણો બતાવ્યાં છેઃ (૧) ઉત્સાહથી= વીર્યના ઉલ્લાસથી, (૨) નિશ્ચયથી કર્તવ્ય કાર્યમાં એકાગ્ર પરિણામથી, (૩) વૈર્યથી=સંકટ આવી પડે તોપણ પ્રતિજ્ઞાથી ચલાયમાન નહીં થવાના પૈર્યથી, (૪) સંતોષથી=આત્મામાં રમણતાસ્વરૂપ સંતોષથી, (૫) તત્ત્વદર્શનથી= યોગ જ અહીં પરમાર્થ છે” એ પ્રમાણે સમાલોચનથી, () જનપદના ત્યાગથી= ગતાનુગતિક લોકવ્યવહારના ત્યાગથી. આ છ વડે મુનિનો અર્થાત્ યોગીનો યોગ નિષ્પત્તિને પામે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૨ જે આ પ્રમાણે (૧) ઉત્સાહ=વીર્યનો ઉલ્લાસ : યોગ સાધવા માટે તત્પર થયેલા યોગીને જેનાથી પોતે કાર્ય સાધી શકે તેના પ્રત્યે રુચિ હોય છે, અને તે સામગ્રીની પ્રાપ્તિ થાય તો ઉત્સાહ આવે છે. જેમ ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરીને ‘હું મારા આત્માનું કલ્યાણ કરું’ એવા પ્રકારના આશયવાળો શ્રાવક ભગવાનની ભક્તિ અર્થે કોઈક રીતે ધાર્યા પ્રમાણે ધનાદિ મળે તો ઉત્સાહમાં આવીને ભગવાનની ભક્તિ કરે છે, તેમ જે યોગીને મન સ્થિર ક૨વા માટે પ્રાણાયામ પ્રત્યે રુચિ છે, અને પોતે પ્રાણાયામ સાધી શકે ત્યારે તેને ઉત્સાહ આવે છે, કે ‘હવે હું પ્રાણાયામના બળથી મનને સ્થિર કરીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકીશ', અને તેવા ઉત્સાહને કારણે મન સ્થિર ક૨વામાં વીર્યનો ઉલ્લાસ થાય છે, તેવા યોગી પ્રાણાયામના બળથી મન સ્થિર કરીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે. (૨) નિશ્ચય=કર્તવ્યનો એકાગ્ર પરિણામ : તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ - કોઈ શ્રાવક ભગવાનની ભક્તિ કરવા તત્પર થયેલો હોય, અને તેને કર્તવ્યનો નિર્ણય હોય કે “આ ભગવાનની ભક્તિ જો તેમના ગુણોના સ્મરણપૂર્વક અને વીર્યના પ્રકર્ષથી કરવામાં આવે તો અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા સાક્ષાત્ વીતરાગતાનું કારણ છે; આમ છતાં તેનું ચિત્ત હજુ નિર્લેપતાને પામ્યું નથી, તેથી અસંગઅનુષ્ઠાનના કારણભૂત વચનઅનુષ્ઠાનરૂપ સંયમને પણ તે ગ્રહણ કરી શકતો નથી; છતાં ભગવાનની ભક્તિ અવશ્ય પરંપરાએ વીતરાગતાનું કારણ છે એવા નિશ્ચયપૂર્વક કરે તો ભગવાન પ્રત્યેનો વૃદ્ધિ પામતો આદરભાવ તેમના વચનાનુસાર ચાલવાની શક્તિનો સંચય કરાવીને અસંગઅનુષ્ઠાન દ્વારા વીતરાગતાનું કારણ બને છે માટે કર્તવ્યનો એકાગ્ર પરિણામ પણ યોગનો ઉપાય છે.” (૩) ધૈર્ય=સંકટ આવી પડે તોપણ પ્રતિજ્ઞામાં અવિચલન : ઉત્સાહપૂર્વક યોગ સાધવા માટે તત્પર થયેલ યોગી પણ, લક્ષ્યનો સ્પષ્ટ નિર્ણય ન હોય તો લક્ષ્યને અનુકૂળ યત્ન કરી શકે નહીં; અને કોઈ યોગી ઉત્સાહપૂર્વક લક્ષ્યનો સ્પષ્ટ નિર્ણય કરીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય, Page #72 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ ૫૩ આમ છતાં પ્રવૃત્તિના પ્રારંભથી માંડીને નિષ્ઠા સુધી લક્ષ્યને અનુરૂપ સુદૃઢ ઉપયોગને પ્રવર્તાવવાનું ધૈર્ય ન હોય તો લક્ષ્યના ઉપયોગમાં સ્ખલનાઓ થાય છે; પરંતુ જે યોગી રાગાદિથી આકુળ થયા વગર પ્રતિજ્ઞાકાળ સુધી નિર્ણીત થયેલા લક્ષ્યને અનુરૂપ ઉપયોગને પ્રવર્તાવી શકે, તેનામાં ધૈર્ય છે; અને આવા ધૈર્યવાળા યોગી વચ્ચે કોઈ વિઘ્ન આવે તોપણ પોતાની શક્તિને અનુરૂપ તે વિઘ્નની ઉપેક્ષા કરીને લક્ષ્યને અનુરૂપ યત્ન કરે છે. વળી, જેઓમાં લક્ષ્યને સાધવાને અનુકૂળ ધૈર્ય નથી, તેઓને વિઘ્ન આવે તો તો યોગમાર્ગની પ્રવૃત્તિમાં સ્ખલના થાય છે, પરંતુ બાહ્ય વિઘ્ન ન આવે તોપણ પ્રતિજ્ઞાકાળ સુધી તેઓ લક્ષ્યને અનુરૂપ પ્રયત્ન કરી શકતા નથી. માટે ધૈર્ય પણ યોગનિષ્પત્તિમાં કારણ છે. (૪) સંતોષ=આત્મામાં રમણતારૂપ સંતોષ : યોગમાર્ગમાં ઉત્સાહથી પ્રવૃત્ત થયેલા યોગી ધૈર્યપૂર્વક યત્ન કરતા હોય, છતાં આત્મિક ભાવોમાં રહેવામાં તોષ ન હોય તો અલ્પકાળ પછી તે પ્રવૃત્તિમાં પોતાનો યત્ન થઈ શકતો નથી; પરંતુ જેનું ચિત્ત આત્મિક ભાવોમાં જ તોષ પામનારું છે, તેવા યોગી શક્તિ હોય તો અનવરત યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે. જેમ સંયમના અર્થી પણ શ્રાવક મહાધૈર્યપૂર્વક સામાયિક-પૌષધ દ્વારા સંયમને અનુકૂળ શક્તિસંચય કરતા હોય, તોપણ આજીવન એ જ ભાવોમાં તોષ લઈ શકે તેવો પરિણામ જો તેઓને પ્રગટ્યો ન હોય, તો સામાયિક આદિ કાળમાં વર્તતા ઉત્તમ ભાવો પ્રત્યે ચિત્તનું આકર્ષણ હોવા છતાં, તે પ્રવૃત્તિને છોડીને ફરી સંસારની અન્ય પ્રવૃત્તિમાં તેઓ જોડાય છે; કેમ કે તે ભાવોમાંથી સતત તોષ લઈ શકે તેવું ઉત્તમ માનસ હજુ તેઓનું તૈયાર થયું નથી. તેથી આત્મિક ભાવોમાંથી તોષ લેવાનું માનસ પણ યોગમાર્ગની પ્રવૃત્તિમાં કારણ છે. (૫) તત્ત્વદર્શન=‘યોગ એ જ પરમાર્થ છે' એ પ્રમાણે સમાલોચન :યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા યોગીઓ ઉત્સાહથી પ્રવૃત્ત થયા હોય, કર્ત્તવ્યનો સ્થિર નિર્ણય હોય, ધૈર્યપૂર્વક પ્રવૃત્તિ કરતા હોય અને આત્મિક ભાવોમાં જ તોષ વર્તતો હોય, છતાં વારંવાર તત્ત્વનું સમાલોચન ન કરવામાં આવે તો જ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૪ તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૧૮-૧૯ યોગમાર્ગની પ્રવૃત્તિ શિથિલ થવાનો સંભવ રહે છે. તેથી યોગીઓ વારંવાર વિચારે છે કે “મનુષ્યભવનો પરમાર્થ યોગ જ છે, માટે લેશ પણ પ્રમાદ વિના યોગની નિષ્પત્તિ થાય તે રીતે જ મારે મન-વચન-કાયાને પ્રવર્તાવવા જોઈએ.” આ પ્રકારનું સૂક્ષ્મ સમાલોચન વારંવાર કરે તો “યોગમાર્ગ જ તત્ત્વ છે' તેવો સ્પષ્ટ બોધ માનસમાં રહેવાથી યોગમાર્ગની પ્રવૃત્તિ નિરાકુળ બને છે. માટે તત્ત્વદર્શન પણ યોગમાર્ગની પ્રવૃત્તિમાં કારણ છે. () જનપદ ત્યાગ=ગતાનુગતિક લોકવ્યવહારનો ત્યાગ : જીવે અનાદિકાળથી ગતાનુગતિક પ્રવૃત્તિ કરી છે, પરંતુ શાસ્ત્રનિયંત્રિત પ્રવૃત્તિ કરી નથી. ગતાનુગતિક પ્રવૃત્તિ અનાદિભવઅભ્યસ્ત છે, તેથી યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા પછી પણ પ્રતિક્ષણ શાસ્ત્રવિધિનું સમાલોચન કરીને, શાસ્ત્રથી નિયંત્રિત લક્ષ્યને અનુરૂપ પ્રયત્ન ન કરવામાં આવે તો યોગ નિષ્પન્ન થાય નહિ; અને જો ગતાનુગતિક પ્રવૃત્તિના નિવારણ પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવે તો ઉત્સાહાદિ ભાવપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા યોગીને પણ ક્યારેક શાસ્ત્રવિધિથી અનિયંત્રિત પ્રવૃત્તિ થવાને કારણે તે અનુષ્ઠાન સમ્યગુયોગનિષ્પત્તિનું કારણ બનતું નથી. તેથી અસ્મલિત યોગમાર્ગની પ્રવૃત્તિ અર્થે ગતાનુગતિક લોકવ્યવહારનો ત્યાગ કરી શાસ્ત્રવ્યવહારથી પ્રવૃત્તિ કરવી જોઈએ. JI૧૮. અવતરણિકા : શ્લોક-૧૭માં દ્રવ્યપ્રાણાયામ બતાવ્યો અને શ્લોક-૧૮માં પાતંજલ મતે દ્રવ્યપ્રાણાયામ ધારણા માટે કઈ રીતે ઉપયોગી છે, અને ભગવાનના શાસનમાં દ્રવ્યપ્રાણાયામને કોઈ પુરુષવિશેષ સિવાય કઈ રીતે અનુપયોગી કહ્યો છે, તેની સ્પષ્ટતા કરી. હવે ચોથી દષ્ટિવાળા યોગીને પ્રાણાયામ નામનું ચોથું યોગાંગ પ્રગટે છે, તે ભાવપ્રાણાયામ છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - रेचनाद् बाह्यभावानामन्तर्भावस्य पूरणात् । कुम्भनानिश्चितार्थस्य प्राणायामश्च भावतः ।।१९।। Page #74 -------------------------------------------------------------------------- ________________ પપ તારાદિત્રયહાવિંશિકા/શ્લોક-૧૯ અન્વયાર્થ : વાહમાવાનામ્ રેવના=બાહ્ય ભાવોના રેચતથી, અન્નવસ્થ પૂરા= અંદરના ભાવોના પૂરણથી, નિશ્ચિતાર્થસ્થ ગુમના–નિશ્ચિત અર્થતા સ્થિરીકરણથી માવત: પ્રાપવામ=ભાવથી પ્રાણાયામ છે. ૧૯ શ્લોકાર્ચ - બાહ્યભાવોના રચનથી, અંદરના ભાવોના પૂરણથી અને નિશ્ચિત અર્થના સ્થિરીકરણથી ભાવથી પ્રાણાયામ છે. ll૧૯ll. ટીકા - रेचनादिति-बाह्यभावानां कुटुम्बदारादिममत्वलक्षणानां रेचनात्, अन्तर्भावस्य= श्रवणजनितविवेकलक्षणस्य पूरणात्, निश्चितार्थस्य कुम्भनात्-स्थिरीकरणाच्च, भावतः प्राणायामोऽयमेवाव्यभिचारेण योगाङ्ग, अत एवोक्तं - “प्राणायामवती ચતુર્થમાવતો બાવરેવવિમાવા” (યો... સ્નો-૧૭ વૃત્તિ) રૂતિ પારા ટીકાર્ચ - વાલમાવાનાં .. મારે દિમાવા” (યો... -૧૭ વૃત્તિ) કુટુંબ, સ્ત્રી આદિમાં મમત્વસ્વરૂપ બાહ્ય ભાવોના રેચતથી, શ્રવણજનિત= શ્રવણગુણથી ઉત્પા, એવા વિવેક સ્વરૂપ અંતર્ભાવના પૂરણથી અને નિર્મીત અર્થના કુંભનથી સ્થિરીકરણથી, ભાવથી પ્રાણાયામ છે. આ જ ભાવથી પ્રાણાયામ જ, અવ્યભિચારથી યોગાંગ છે યોગનું અવ્યભિચારી કારણ છે અર્થાત્ નિયત કારણ છે. આથી જ=પૂર્વમાં ભાવપ્રાણાયામ બતાવ્યો અને તે ભાવપ્રાણાયામ જ યોગાંગ છે આથી જ, કહેવાયું છેઃ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથના શ્લોક-૫૭ની ટીકામાં કહેવાયું છે – ચોથા અંગના ભાવને કારણે પ્રાણાયામવાળી છે=પ્રાણાયામવાળી ચોથી દૃષ્ટિ છે; કેમ કે ભાવરેચકાદિનો ભાવ છે=સદ્ભાવ છે.” “રૂતિ' શબ્દ યોગદષ્ટિ ગ્રંથના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભાવાર્થ : તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯ ભાવપ્રાણાયામના પ્રકાર ઃ (૧) બાહ્યભાવોના રેચનરૂપ પ્રાણાયામ :- ચોથી દૃષ્ટિમાં તત્ત્વનો નિર્ણય ક૨વાને અભિમુખ શ્રવણગુણ પ્રગટ્યો છે, શક્તિ અનુસાર તત્ત્વશ્રવણમાં યત્ન કરે છે, અને તેનાથી જે કંઈ બોધ થાય છે, તેને અનુરૂપ પોતાનામાં વર્તતા બાહ્ય ભાવોનો નિર્ણય કરીને રેચન કરે છે અર્થાત્ તે બાહ્ય ભાવોને કાઢવા માટે યત્ન કરે છે. જેમ પોતાને જે જે નિમિત્તોથી જ્યાં જ્યાં મમત્વ થતું હોય તેને સમ્યગ્ રીતે જાણીને, તે તે દુષ્કૃત પ્રત્યે વિમુખભાવ ઉત્પન્ન થાય તે રીતે દુષ્કૃતની નિંદા કરે તો પોતાનામાં વર્તતા બાહ્ય ભાવો ક્રમસ૨ ઓછા થાય છે, જે બાહ્ય ભાવોના રેચનરૂપ પ્રાણાયામ છે. (૨) અંતર્ભાવોના પૂરણરૂપ પ્રાણાયામ :- તત્ત્વશ્રવણને કારણે જે કંઈ વિવેક ઉત્પન્ન થાય તે વિવેકરૂપ અંતર્ભાવનું આત્મામાં સ્થાપન તે પૂરણ છે. જેમ મુનિના માનસનું સ્વરૂપ શાસ્ત્રવચનથી જાણે, અને ‘આવું મુનિનું સ્વરૂપ જ મારે પ્રાપ્ત કરવું છે’ તે પ્રકારે પુનઃ પુનઃ ચિંતવન કરે તે આત્મામાં અંતર્ભાવોના પૂરણરૂપ પ્રાણાયામ છે. (૩) નિીત અર્થના કુંભનરૂપ પ્રાણાયામ :- અંતર્ભાવોનું પૂરણ કર્યા પછી તે ભાવોને સ્થિર ક૨વા માટેનો યત્ન તે કુંભન છે. જેમ મુનિભાવનું પારમાર્થિક સ્વરૂપ જાણીને પુનઃ પુનઃ ચિંતવન કરીને આત્મામાં તે ભાવોને બોધરૂપે પ્રવેશ કરાવ્યા પછી આત્મામાં તે મુનિભાવને પ્રગટ કરવા માટે જે યત્ન કરવામાં આવે છે, તે નિર્ણીત અર્થના કુંભનરૂપ પ્રાણાયામ છે, અને તેનાથી પોતાનામાં મુનિભાવ સ્થિર થાય છે. આ ત્રણ પ્રકારનો ભાવપ્રાણાયામ છે અર્થાત્ બાહ્ય ભાવોને કાઢવાના પરિણામરૂપ અને અંતર્ભાવોને પૂરવાના પરિણામરૂપ અને અંદરમાં પૂરાયેલા ભાવોને તે રીતે આત્મામાં સ્થિર કરવાના યત્નરૂપ ત્રણ પ્રકારનો ભાવપ્રાણાયામ છે, અને આ ભાવપ્રાણાયામ અવ્યભિચારી યોગાંગ છે–ચિત્તનિરોધરૂપ યોગનું અંગ છે. ૧૯૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૦ અવતરણિકા : શ્લોક-૧૯માં કહ્યું કે ચોથી દૃષ્ટિમાં ભાવપ્રાણાયામ હોય છે. હવે તે ભાવપ્રાણાયામથી કયો ગુણ પ્રગટે છે, તે બતાવે છે – શ્લોક : प्राणेभ्योऽपि गुरुर्धर्म: विनिश्चयात् । प्राणांस्त्यजन्ति धर्मार्थं न धर्मं प्राणसङ्कटे ।।२०।। અન્વયાર્થ પ્રામ્યોડપિ=પ્રાણથી પણ ગુ=મહાન ઘર્મ: ધર્મ છે, (ત્તિ-એ પ્રકારે) વિનિયા—વિનિશ્ચય હોવાને કારણે=ભાવપ્રાણાયામથી નિશ્ચય થયેલો હોવાને કારણે થઈ=ધર્મને માટે પ્રાઈ=પ્રાણોનો ચનક્તિ ત્યાગ કરે છે, પ્રાસરે પ્રાણના સંકટમાં થઈ રધર્મ નહીં ધર્મનો ત્યાગ કરતા નથી. ૨૦માં શ્લોકાર્ચ - “પ્રાણથી પણ મહાન ધર્મ છે” એ પ્રકારે વિનિશ્ચય હોવાને કારણે ધર્મને માટે પ્રાણોનો ત્યાગ કરે છે, પ્રાણના સંકટમાં ધર્મનો ત્યાગ કરતા નથી. ર૦II ટીકા - प्राणेभ्योऽपीति-प्राणेभ्योपि-इन्द्रियादिभ्योऽपि गुरु:-महत्तरो धर्मः, इत्यतो भावप्राणायामतो विनिश्चयात् धर्मार्थं प्राणांस्त्यजति, तत्रोत्सर्गप्रवृत्तेः, अत एव न धर्मं त्यजति प्राणसङ्कटे-प्राणकष्टे ।।२०।। ટીકાર્ય : પ્રામ્યો ..... પ્રાણવષ્ટ ! પ્રાણોથી પણ=ઈન્દ્રિયાદિથી પણ અર્થાત્ ઈન્દ્રિયાદિ દશ પ્રાણોથી પણ, ગુરુ=મહાન, ધર્મ છે, એ પ્રકારે આ ભાવપ્રાણાયામથી શ્લોક-૧૯માં બતાવેલ ભાવપ્રાણાયામથી, વિનિશ્ચય હોવાને કારણે=નિર્ણય હોવાને કારણે, ધર્મ માટે પ્રાણોનો ત્યાગ કરે છે; Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૦ કેમ કે તેમાં પ્રાણોના ત્યાગમાં ઉત્સર્ગથી પ્રવૃત્તિ છે. આથી જ પ્રાણના સંકટમાં=પ્રાણના કષ્ટમાં, ધર્મનો ત્યાગ કરતો નથી. ર૦૧ ક શ્લોકમાં ‘ત્યનક્તિ' ના સ્થાને ટીકા પ્રમાણે ત્યતિ' પાઠ જોઈએ. ભાવાર્થ - દીપ્રાદષ્ટિવાળા રોગીઓને પ્રાણથી પણ ધર્મનું અધિક મહત્ત્વ : ચોથી દૃષ્ટિવાળા જીવો ભાવપ્રાણાયામ કરે છે. તેથી ઉત્તમ ભાવવાળા બને છે અને તે ઉત્તમ ભાવને કારણે “પ્રાણ કરતાં પણ ધર્મ મહાન છે” તેવો નિશ્ચય થયેલો હોય છે. તેથી ધર્મ માટે પ્રાણનો ત્યાગ કરે છે. ફક્ત અપવાદથી પ્રાણ માટે ધર્મત્યાગ ન પણ કરે, તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે પ્રાણત્યાગમાં ઉત્સર્ગથી પ્રવૃત્તિ હોય છે. આશય એ છે કે પોતે ગ્રહણ કરેલ પ્રતિજ્ઞારૂપ ધર્મના રક્ષણ માટે પ્રાણનું સંકટ આવે તો પ્રાણના ભોગે પણ ચોથી દૃષ્ટિવાળા જીવો ધર્મનું રક્ષણ કરે. આમ છતાં, પ્રતિજ્ઞાનું રક્ષણ કરવા જતાં સમાધિનો પ્રશ્ન આવે તો અપવાદથી સમાધિના રક્ષણ અર્થે દ્રવ્યપ્રાણના રક્ષણમાં યત્ન કરે છે. તેથી તેવા પ્રસંગે બાહ્ય પ્રતિજ્ઞાને ગૌણ કરીને દેહનું રક્ષણ કરે છે. જેમ સુસાધુ જંગલમાંથી પસાર થતા હોય અને કોઈ હિંસક પ્રાણી સામેથી આવતું હોય અને પોતાની ચિત્તની ભૂમિકા એવી સંપન્ન હોય, તો સમિતિ આદિનું ઉલ્લંઘન કરીને દેહનું રક્ષણ કરવા યત્ન ન કરે, પરંતુ દેહના ભોગે પણ સમિતિ આદિના પાલનમાં જ યત્ન કરે. જેમ પૂ. વજાચાર્યે સામેથી આવતા સિંહને જોઈને વિચાર કર્યો કે “જો હું ત્વરાથી વૃક્ષ ઉપર ચઢી જાઉં તો દેહનું રક્ષણ થાય તેમ છે”, તોપણ જીવરક્ષાના શુભ પરિણામથી ઝાડ પર ન ચઢતાં તેઓ ત્યાં જ ધ્યાનમાં બેસી જાય છે, અને સિંહ આવીને તેમનો વિનાશ કરે છે તોપણ સમતાના પરિણામથી કેવળજ્ઞાનને પામે છે; અને જે સાધુ આવી સમાધિમાં રહી શકે તેવી ભૂમિકામાં નથી, તેથી દેહના રક્ષણ માટે યત્ન ન કરે તો, હિંસક પ્રાણીના હુમલાથી દુર્ગાનને પ્રાપ્ત કરીને સંયમના પરિણામથી પણ ભ્રષ્ટ થાય તેવા હોય, તેવા સાધુને આશ્રયીને દેહના રક્ષણ માટે અપવાદથી વૃક્ષાદિ ઉપર ચડવાની ભગવાનની આજ્ઞા છે. તે રીતે ચોથી દૃષ્ટિવાળા જીવો Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૯ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧ પણ જો ઉત્સર્ગની પ્રવૃત્તિથી ધર્મનું રક્ષણ થતું હોય તો પ્રાણના ભોગે પણ ધર્મનું રક્ષણ કરે, અને અપવાદથી ધર્મના રક્ષણ અર્થે જ પ્રાણનું પણ રક્ષણ કરે. ૨૦ અવતરણિકા - શ્લોક-૧૯માં બતાવ્યું કે ચોથી દષ્ટિવાળા યોગીઓ ભાવપ્રાણાયામ કરે છે, અને શ્લોક-૨૦માં બતાવ્યું કે ભાવપ્રાણાયામના ફળરૂપે ચોથી દષ્ટિવાળા જીવોને પ્રાણ કરતાં પણ ધર્મનું અધિક મહત્વ જણાય છે. હવે પ્રાણ કરતાં પણ ધર્મનું અધિક મહત્ત્વ જણાવાને કારણે તેઓ ધર્મની વૃદ્ધિના અર્થે તત્વશ્રવણમાં કેવો યત્ન કરે છે ? તે બતાવે છે – શ્લોક - पुण्यबीजं नयत्येवं तत्त्वश्रुत्या सदाशयः । भवक्षाराम्भसस्त्यागाद्वृद्धिं मधुरवारिणा ।।२१।। અન્વયાર્થ: પર્વ આ રીતે=પ્રાણ કરતાં પણ ધર્મને અધિક સ્વીકાર્યો એ રીતે, તત્ત્વશ્રા મથુરવારિતત્ત્વતિરૂપ મધુર પાણી દ્વારા સવારથી=સદાશયવાળા યોગી વિક્ષારાષ્પસારાભવરૂપી ખારા પાણીના ત્યાગથી પુષવીને વૃદ્ધિ નથતિ= પુણ્યબીજની વૃદ્ધિને કરે છે. ll૧૧ાા શ્લોકાર્ચ - આ રીતે તત્વશ્રુતિરૂપ મધુર પાણી દ્વારા સદાશયવાળા યોગી, ભવરૂપી ખારા પાણીના ત્યાગથી પુણ્યબીજની વૃદ્ધિ કરે છે. ર૧il ટીકા - पुण्यबीजमिति-एवं-धर्मस्य प्राणेभ्योऽप्यधिकत्वप्रतिपत्त्या, तत्रोत्सर्गप्रवृत्त्या, तत्त्वश्रुत्या तथातत्त्वश्रवणेन मधुरवारिणा, सदाशय:-शोभनपरिणाम:, भवलक्षणस्य क्षाराम्भसस्त्यागात्, पुण्यबीजं वृद्धि नयति । यथा हि मधुरोदकयोगतस्तन्माधुर्यानवगमेऽपि बीजं प्ररोहमादत्ते, तथा तत्त्वश्रुतेरचिन्त्यसामर्थ्यात्तत्त्व Page #79 -------------------------------------------------------------------------- ________________ go તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૧ विषयस्पष्टसंवित्त्यभावेऽपि अतत्त्वश्रवणत्यागेन तद्योगात् पुण्यवृद्धिः स्यादेवेति માવઃ સારા ટીકાર્ય : આ રીતે શ્લોક-૨૦માં બતાવ્યું કે ચોથી દૃષ્ટિવાળા યોગી પ્રાણથી પણ ધર્મને અધિક માને છે એ રીતે, ધર્મની પ્રાણથી પણ અધિકપણાની પ્રતિપત્તિ હોવાના કારણે, ત્યાં=ધર્મમાં ઉત્સર્ગથી પ્રવૃત્તિ હોવાથી ક્વચિત તેવા સંયોગમાં ધર્મથી અન્ય પ્રવૃત્તિ હોવા છતાં ઉત્સર્ગથી=સામાન્યથી, ધર્મમાં જ ચોથી દષ્ટિવાળા જીવોની પ્રવૃત્તિ હોવાથી તત્ત્વશ્રુતિરૂપ મધુર પાણીથી તે પ્રકારના તત્વશ્રવણરૂપ મધુર પાણીથી અર્થાત્ બોધનું અવંધ્યકારણ બને તે પ્રકારના તત્ત્વશ્રવણરૂપ મધુર પાણીથી, સદાશયવાળા= સુંદર પરિણામવાળા, ભવસ્વરૂપ ખારા પાણીના ત્યાગથી, પુણ્યબીજની વૃદ્ધિ કરે છે. કથા'-પૂર્વમાં કહ્યું કે આ રીતે ચોથી દૃષ્ટિમાં રહેલા સદાશયવાળા યોગી તત્ત્વશ્રુતિરૂપ મધુર પાણી દ્વારા પુણ્યબીજની વૃદ્ધિ કરે છે, તે વાત ‘રથા'થી સ્પષ્ટ કરે છે – મધુર પાણીના યોગથી તેના માધુર્યતા અનવગમમાં પણ જલની મધુરતા નહીં જાણવા છતાં પણ, જે પ્રમાણે જ બીજ પ્રરોહને ધારણ કરે છે વિકાસને પ્રાપ્ત કરે છે, તે પ્રમાણે તત્વશ્રુતિના અચિંત્ય સામર્થ્યથી તત્વવિષયક સ્પષ્ટ સંવિત્તિના અભાવમાં પણ અતત્વશ્રવણના ત્યાગ વડે તેના યોગથી તત્વશ્રવણના યોગથી, પુણ્ય વૃદ્ધિ થાય જ પુણ્યબીજની વૃદ્ધિ થાય જ, એ પ્રમાણેનો ભાવ છે. પ૨૧II ભાવાર્થ – તત્વશ્રવણ ગુણનું માહાભ્યઃ (૧) પુણ્યબીજની વૃદ્ધિ - પૂર્વશ્લોકમાં બતાવ્યું કે ચોથી દૃષ્ટિવાળા જીવોને પ્રાણ કરતાં પણ ધર્મનું અધિક મહત્ત્વ છે, તેથી ધર્મને સાંભળવાનો અભિમુખ ભાવ તેઓને અતિશય છે. આવા જીવોને તત્ત્વશ્રવણરૂપ મધુર પાણીનો યોગ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૧ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૧ થાય તો તેઓમાં રહેલ પુણ્યબીજ યોગમાર્ગને પ્રગટ કરે તેવું કલ્યાણના કારણભૂત બીજ, વૃદ્ધિને પામે છે. જેમ બીજને મધુર પાણીનો યોગ થાય ત્યારે તે બીજ “આ પાણી મધુર છે તેવું સ્પષ્ટ જાણતું નથી, તોપણ તે બીજ મધુર પાણીના યોગથી વિકાસને પામે છે, તેમ ચોથી દૃષ્ટિવાળા જીવોને સૂક્ષ્મબોધ નહીં હોવાને કારણે તત્ત્વવિષયક સ્પષ્ટ સંવિત્તિનો અભાવ છે, આમ છતાં, તેઓમાં તત્ત્વશ્રવણગુણ પ્રગટ્યો છે, જે તત્ત્વના નિર્ણયનું અવંધ્યકારણ છે. આ તત્ત્વશ્રવણક્રિયામાં અચિંત્ય સામર્થ્ય છે, માટે તે તત્ત્વશ્રવણની ક્રિયાથી આત્મામાં પૂર્વમાં પડેલા પુણ્યબીજની વૃદ્ધિ થાય જ છે; કેમ કે ચોથી દૃષ્ટિવાળા જીવો તત્ત્વશ્રવણકાળમાં તત્ત્વ ક્યાં રહેલું છે, તેને જાણવા માટે અત્યંત ઉપયુક્ત થઈને તત્ત્વશ્રવણમાં યત્ન કરે છે. તેથી તત્ત્વશ્રવણકાળમાં સ્વરુચિ પ્રત્યેના વલણરૂપ અતત્ત્વશ્રવણના ત્યાગપૂર્વક તેમનો તત્ત્વશ્રવણનો યોગ છે, જેથી આત્મામાં પડેલાં યોગબીજો વિકાસને પામે છે. અહીં વિશેષ એ છે કે ચાર દૃષ્ટિ સુધી જીવનું હજુ કંઈક અતત્ત્વ તરફનું વલણ પડ્યું છે, અને ત્રણ દૃષ્ટિ સુધીના જીવો તત્ત્વશ્રવણની ક્રિયા કરતા હોય ત્યારે પણ સ્વવલણ અનુસાર તત્ત્વને કંઈક વિપરીત પણ જોડે, અને કંઈક તત્ત્વને યથાર્થ પણ પ્રાપ્ત કરે. તેથી ત્રણ દૃષ્ટિવાળા જીવોની તત્ત્વશ્રવણની ક્રિયા અતત્ત્વશ્રવણના ત્યાગપૂર્વકની જ હોય છે એવો નિયમ નથી, પરંતુ ક્વચિત્ અતત્ત્વશ્રવણના ત્યાગપૂર્વક પણ હોય, તો ક્વચિત્ અતત્ત્વશ્રવણથી સંવલિત પણ હોય; કેમ કે તત્ત્વશ્રવણકાળમાં પણ પ્રથમની ત્રણ દૃષ્ટિવાળા જીવો ક્યારેક સ્વરુચિ પ્રમાણે પદાર્થને જોડે, તે પારમાર્થિક તત્ત્વશ્રવણની ક્રિયા નથી, પરંતુ અતત્ત્વશ્રવણની ક્રિયા છે. આમ છતાં તત્ત્વ પ્રત્યેના પક્ષપાતને કારણે જે કંઈ યથાર્થ બોધ કરે છે, તે તત્ત્વશ્રવણની ક્રિયાનું ફળ છે. તેથી ત્રણ દૃષ્ટિવાળા જીવો તત્ત્વશ્રવણથી પણ કંઈક તત્ત્વનો બોધ કરે છે; આમ છતાં તેઓ પ્રાયઃ અનાભોગબહુલ હોય છે. તેથી તેઓ પૂર્ણ તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી, જ્યારે ચોથી દૃષ્ટિવાળા જીવો તો તત્ત્વબોધનું અવંધ્ય કારણ બને તેવા તત્ત્વશ્રવણગુણવાળા હોય છે, અને તત્ત્વશ્રવણકાળમાં પોતાની રુચિ ક્યાંય તત્ત્વના વિભાગમાં વ્યાઘાતક ન બને તે રીતે તત્ત્વના પારમાર્થને જાણવા માટે Page #81 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૨૧ યત્ન કરતા હોય છે. તેથી તત્ત્વશ્રવણકાળમાં જ્ઞાનશક્તિની મંદતાને કારણે ઉપદેશકના વચનનું તાત્પર્ય પ્રાપ્ત ન થાય તો ઉપદેશકને પુનઃ પુનઃ પૂછીને તેનો નિર્ણય કરવા યત્ન કરે, પરંતુ ઉપદેશકના તાત્પર્યને છોડીને સ્વરુચિ અનુસાર પદાર્થને વિપરીત રીતે યોજવા યત્ન કરતા નથી. તેથી તેમની તત્ત્વશ્રવણની ક્રિયા પદાર્થના સમ્યગ્બોધનું અવંધ્યકારણ બને છે, અને આવા યોગી સન્શાસ્ત્રોના શ્રવણથી શીધ્ર સમ્યકત્વને પામે છે. અહીં યોગબીજ એટલે યોગમાર્ગ પ્રત્યે થયેલા પક્ષપાતથી આત્મામાં પડેલા સંસ્કારો. આ યોગબીજો આત્મામાં પડેલાં હોય અને તત્ત્વશ્રવણક્રિયા થાય ત્યારે તે યોગબીજો તત્ત્વની પ્રાપ્તિને અભિમુખ વિકાસને પામે છે; કેમ કે તત્ત્વશ્રવણની ક્રિયા મધુર પાણીના યોગ જેવી છે અર્થાત્ જેમ મધુર પાણીનો યોગ બીજના વિકાસમાં પ્રબળ કારણ છે, તેમ ચોથી દૃષ્ટિવાળા જીવોમાં પ્રગટ થયેલી તત્ત્વશ્રવણની ક્રિયા યોગનાં બીજોને વિકસાવવામાં પ્રબળ કારણ બને છે. અહીં કહ્યું કે “ભવસ્વરૂપ ખારા પાણીના ત્યાગથી પુણ્યબીજ વૃદ્ધિને પામે છે.” તેથી એ પ્રાપ્ત થાય કે જેમ બીજને ખારા પાણીનો યોગ હોય તો બીજ કરમાઈ જાય, પરંતુ ખારા પાણીના યોગને દૂર કરીને મધુર પાણીનો યોગ કરવામાં આવે તો તે બીજ ખીલે છે. તેમ યોગની પ્રથમની ચાર દૃષ્ટિમાં રહેલા જીવોમાં યોગ પ્રત્યેનું વલણ હોવા છતાં અસદુગ્રહ સર્વથા નિવર્તન પામ્યો નથી, અને ભાવના કારણભૂત એવો આ અસદ્ગહ ખારા પાણી જેવો છે, અને જ્યાં સુધી તેના ત્યાગપૂર્વક તત્ત્વશ્રવણ કરવામાં ન આવે ત્યાં સુધી યોગબીજ વૃદ્ધિ પામી શકે નહીં; અને ત્રણ દષ્ટિવર્તી જીવો તત્ત્વશ્રવણ કરતા હોય ત્યારે તત્ત્વશ્રવણગુણ નહીં પ્રગટેલો હોવાને કારણે ક્વચિત્ સ્વરુચિ અનુસાર કંઈક તત્ત્વને જોડે તેવો પણ સંભવ છે. તેથી ત્રણ દષ્ટિવર્તી જીવો ખારા પાણીના ત્યાગપૂર્વક મધુર જળ જેવી તત્ત્વશ્રવણની ક્રિયા કરે તેવો નિયમ નથી; પરંતુ ચોથી દૃષ્ટિવાળા જીવો તો અવશ્ય શ્રવણકાળમાં તત્ત્વપ્રાપ્તિ માટે જ અત્યંત અભિમુખ થયેલા હોવાને કારણે અતત્ત્વ પ્રત્યેની રુચિરૂ૫ ખારા પાણીનો પોતાનામાં યોગ છે તેના ત્યાગપૂર્વક તત્ત્વશ્રવણમાં યત્ન કરે છે. તેથી તત્ત્વશ્રવણની ક્રિયા અવશ્ય તત્ત્વના બોધમાં વિશ્રાંત પામે છે. Iરવા Page #82 -------------------------------------------------------------------------- ________________ 43 તારાદિત્રયહાત્રિશિકા/શ્લોક-૨૨ अवतरशिजा: પૂર્વશ્લોકમાં કહ્યું કે તત્વશ્રવણની ક્રિયાથી પુણ્યબીજ વૃદ્ધિને પામે છે. વળી તે તત્વશ્રવણની ક્રિયાથી અન્ય શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે छ - Cोs: तत्त्वश्रवणतस्तीव्रा गुरुभक्तिः सुखावहा । समापत्त्यादिभेदेन तीर्थकृद्दर्शनं ततः ।।२२।। मन्वयार्थ : तत्त्वश्रवणत:-तत्त्वश्रवguथी सुखावहा=सुमने लावनारी=Gमयोsal सुजन तारी तीव्रा=Gck2 गुरुभक्ति: गुरमति थाय छे. तत:-तनाथी सुमतिथी समापत्त्यादिभेदेन समापति माह 43 तीर्थकृद्दर्शनं तीर्थर शत थाय छे. ॥२२॥ Reोsीर्थ : તત્વશ્રવણથી સુખને કરનારી ઉત્કટ ગુરુભક્તિ થાય છે. તેનાથી સમાપતિ આદિ ભેદ વડે તીર્થકરનું દર્શન થાય છે. રિચા टी : तत्त्वेति-तत्त्वश्रवणत: तीव्रा-उत्कटा, गुरौ-तत्त्वश्रावयितरि, भक्ति:= आराध्यत्वेन प्रतिपत्तिः, सुखावहाउभयलोकसुखकरी, ततो-गुरुभक्तेः समापत्त्यादिभेदेन तीर्थकृद्दर्शनं भगवत्साक्षात्कारलक्षणं भवति । तदुक्तं - "गुरुभक्तिप्रभावेण तीर्थकृद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम्" ।। (यो.दृ.स. श्लोक-६४) समापत्तिरत्र ध्यानजस्पर्शना भण्यते, आदिना तन्नामकर्मबन्धविपाकतद्भावापत्त्युपपत्तिपरिग्रहः ।।२२।। Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ તારાદિત્રયદ્વાિિશકાશ્લિોક-૨૨ ટીકાર્ય : તત્વશ્રવણથી સુરવીવા=સુખને લાવનારી ઉભયલોકના સુખને કરનારી તીવ્રા ઉત્કટ, ગુરુભક્તિ તત્ત્વને સંભળાવનારા ગુરુમાં ભક્તિ આરાધ્યપણારૂપે પ્રતિપત્તિ થાય છે. તેનાથી ગુરુભક્તિથી, સમાપતિ આદિ ભેદથી ભગવાનના સાક્ષાત્કાર સ્વરૂપ તીર્થંકરનું દર્શન થાય છે. તે કહેવાયું છે શ્લોકમાં જે કહ્યું છે તે યોગદષ્ટિ સમુચ્ચય શ્લોક-૬૪માં કહેવાયું છે – “ગુરુભક્તિના પ્રભાવથી નિર્વાણનું એક કારણ એવું સમાપત્તિ આદિના ભેદથી તીર્થંકરનું દર્શન મનાયું છે.” સમાપત્તિનો અર્થ કરે છે – અહીંતીર્થંકરના વિષયમાં સમાપતિ ધ્યાનથી સ્પર્શતા કહેવાય છે. સમીપજ્યક્તિમાં રહેલા “આદિ પદથી તેના નામકર્મનો બંધ તીર્થંકર નામકર્મનો બંધ, વિપાકથી તેના ભાવની આપત્તિ=પ્રાપ્તિ, અને તેના ભાવની ઉપપતિતીર્થંકરરૂપે થવું, તેનું ગ્રહણ કરવું. ઘરરા ભાવાર્થ :(૧) તત્ત્વશ્રવણથી પ્રાપ્ત થતું ફળ – (૨) ઉભયલોકના સુખને કરનારી ગુરુભક્તિ – ચોથી દૃષ્ટિવાળા જીવો તત્ત્વનું શ્રવણ કરે છે ત્યારે તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ સમ્યક્ ઊહ પ્રવર્તતો હોય છે, અને તેના કારણે તેઓને અવશ્ય તત્ત્વનો બોધ થાય છે; અને જ્યારે તત્ત્વનો બોધ થાય છે ત્યારે તે જીવો ગ્રંથિભેદ કરીને સમ્યક્ત્વ પામેલા હોય છે, અને ચોથી દૃષ્ટિવાળા જીવોને જે ગુરુ પાસેથી સમ્યક્તની પ્રાપ્તિરૂપ તત્ત્વની પ્રાપ્તિ થઈ તે ગુરુ પ્રત્યે ઉત્કટ ભક્તિ ઉત્પન્ન થાય છે, જે આલોક અને પરલોક ઉભયલોકના સુખને કરનારી છે; કેમ કે ગુણવાન પ્રત્યેની ભક્તિને કારણે તે મહાત્મા જે કંઈ ઉચિત પ્રતિપત્તિ આદિ કરે છે, તેનાથી તેના ચિત્તમાં આલાદ થાય છે. તેથી તે મહાત્માને આલોકમાં ચિત્તના સ્વાથ્યરૂપ સુખનો અનુભવ થાય છે, અને તે Page #84 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયહાચિંશિકા/બ્લોક-૨૨ મહાત્માની ગુણવાનની ભક્તિ પરલોકના પણ હિતને કરનારી થાય છે. તેથી ગુરુભક્તિ ઉભયલોકના સુખને કરનારી છે, તેમ કહેલ છે. (૩) ગુરુની ભક્તિથી પ્રકૃષ્ટ ફળરૂપે તીર્થકરનું દર્શન : ગુરુ પાસેથી જે તત્ત્વની પ્રાપ્તિ થઈ છે, તે તત્ત્વ સર્વજ્ઞ ભગવંતે બતાવેલો યોગમાર્ગ છે. તેથી જેને તત્ત્વશ્રવણને કારણે ગુરુ પ્રત્યે ભક્તિ થઈ છે, તેને યોગમાર્ગના આદ્ય પ્રરૂપક એવા તીર્થંકર પ્રત્યે પરમાર્થથી ભક્તિ છે. તેથી જ્યારે તે ગુણવાન એવા ગુરુની ભક્તિમાં તન્મય થાય છે, ત્યારે તેનો ઉપયોગ તીર્થકર સાથે તન્મયભાવવાળો છે. તેથી ગુરુભક્તિથી સમાપત્તિ આદિરૂપે ભગવાનનું દર્શન થાય છે અર્થાત્ સાક્ષાત્ ચક્ષુ સામે ભગવાન દેખાતા નથી, પરંતુ ગુરુ જે આ યોગમાર્ગ બતાવે છે, તે યોગમાર્ગના પ્રરૂપક તીર્થકરો છે, તેવો બોધ થવાથી તે યોગમાર્ગના પ્રરૂપક તીર્થકરોના ધ્યાનથી એકાગ્રતા આવે છે. તેથી ધ્યાનથી તીર્થકરનો સ્પર્શ થાય છે, જે સમાપત્તિરૂપ છે; અને તે સમાપત્તિકાળમાં ભાવનો પ્રકર્ષ થાય તો તીર્થંકર નામકર્મનો બંધ થાય છે, જેના ફળરૂપે તીર્થકરના ભવની પ્રાપ્તિ થાય છે; અને અંતે જ્યારે તીર્થંકરનામકર્મ વિપાકરૂપે આવે છે, ત્યારે તીર્થની સ્થાપના કરીને અનેક જીવોની કલ્યાણની પરંપરાનું કારણ બને છે, અને તે સર્વ કલ્યાણની પરંપરાનું કારણ આ તત્ત્વશ્રવણથી પ્રગટ થયેલ તીવ્ર ગુરુભક્તિ છે. અહીં ગુરુભક્તિનો અર્થ કર્યો કે “મવિતરરાધ્યત્વેન પ્રતિપત્તિઃ' અર્થાત્ “આરાધ્યપણારૂપે પ્રતિપત્તિ” તે ભક્તિ છે અર્થાત્ આ ગુરુ મારા માટે આરાધ્ય છે તે રૂપે ગુરુનો સ્વીકાર.” તેથી એ ફલિત થાય કે “આ ગુણવાન ગુરુ જે માર્ગ બતાવે તે માર્ગમાં સમ્યગુ યત્ન કરીને તેમની આરાધના કરવાથી મારું હિત છે, અને આ ગુણવાન ગુરુની હું વૈયાવચ્ચ કરું કે જેથી તેમનામાં રહેલા ગુણોની આરાધના થાય.” આ પ્રકારનો જે બોધ તે ગુરુભક્તિ છે. આ ચોથી દૃષ્ટિનું વર્ણન છે, અને ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણગુણ પ્રગટે છે; પરંતુ ચોથી દૃષ્ટિમાં રહેલો તત્ત્વશ્રવણગુણ તીર્થંકરનામકર્મ આદિના બંધનું કારણ નથી; કેમ કે મિથ્યાત્વ અવસ્થામાં તીર્થકર નામકર્મનો બંધ થઈ શકે Page #85 -------------------------------------------------------------------------- ________________ ५५ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨-૨૩ નહીં. આમ છતાં ચોથી દૃષ્ટિમાં વર્તતો તત્ત્વશ્રવણગુણ તત્ત્વની પ્રાપ્તિ કરાવે છે ત્યારે સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય છે, અને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તત્ત્વશ્રવણથી પ્રગટ થયેલી તીવ્ર ગુરુભક્તિ સમાપત્તિ આદિરૂપે તીર્થંકરનું દર્શન કરાવે છે. માટે તત્ત્વશ્રવણના ફળરૂપે તીર્થંકરનામકર્મનો બંધ થાય છે, તેમ અહીં બતાવેલ છે, માટે કોઈ વિરોધ નથી. [૨૨] અવતરણિકા : ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણગુણ પ્રગટેલો છે, અને તત્ત્વશ્રવણગુણપૂર્વકની તત્ત્વશ્રવણની ક્રિયા ચોથી દૃષ્ટિમાં વર્તતા જીવોમાં કેવું કાર્ય ઉત્પન્ન કરે છે, તે શ્લોક-૨૧માં બતાવ્યું. ત્યારપછી તત્ત્વશ્રવણગુણ તત્ત્વની પ્રાપ્તિ દ્વારા પ્રકૃષ્ટ કેવું ફળ પ્રાપ્ત કરાવે છે, તે શ્લોક-૨૨માં બતાવ્યું. હવે જ્યાં સુધી જીવ ચોથી દૃષ્ટિમાં વર્તે છે, ત્યાં સુધી તત્ત્વશ્રવણગુણ હોવા છતાં સૂક્ષ્મબોધ કેમ નથી ? તે બતાવવા અર્થે કહે છે શ્લોક ઃ - कर्मवज्रविभेदेनानन्तधर्मकगोचरे । वेद्यसंवेद्यपदजे बोधे सूक्ष्मत्वमत्र न ।। २३ ।। અન્વયાર્થ: વર્મવવિષેવેન=કર્મવજના વિભેદથી અનન્તધર્મોપરે અનંત ધર્મવિષયક વેદ્યસંવેદ્યપને વોયે વેધસંવેદ્યપદથી ઉત્પન્ન થયેલા બોધમાં સૂક્ષ્મત્વમ્=સૂક્ષ્મપણું છે, ત્ર=અહીં=ચોથી દૃષ્ટિમાં ન=નથી=બોધમાં સૂક્ષ્મપણું નથી. ।।૨૩। શ્લોકાર્થ : કર્મવજના વિભેદથી અનંત ધર્મવિષયક વેધસંવેધપદથી ઉત્પન્ન થયેલા બોધમાં સૂક્ષ્મપણું છે, અહીં નથી=ચોથી દૃષ્ટિમાં નથી. ।।૨૩।। ટીકા ઃ कर्मेति कर्मैव वज्रमतिदुर्भेदत्वात् तस्य विभेदेनानन्तधर्मकं = भेदाभेदनित्यत्वानित्यत्वाद्यनन्तधर्मशबलं यद्वस्तु तद्गोचरे = वस्तुनस्तथात्वपरिच्छेदिनि, Page #86 -------------------------------------------------------------------------- ________________ go તારાદિત્રયદ્વાચિંશિકા/બ્લોક-૨૩ वेद्यसंवेद्यपदजे बोधे सूक्ष्मत्वं यत्तद् अत्र-दीप्रायां दृष्टौ न भवति, तदधोभूमिकारूपत्वादस्याः । तदुक्तं - "भवाम्भोधिसमुत्तारात् कर्मवज्रविभेदतः । વ્યાપ્ત વનિ સૂક્ષ્મવં નયમત્ર તુ” || ( સ. સ્નો-૬૬) સારરૂા ટીકાર્ચ - વર્મેવ....... નાયમત્ર તુ” | (ચો... ઋો-દ૬) અતિદુર્ભેદપણું હોવાથી= મુશ્કેલીથી ભેદાય તેવું હોવાથી, કર્મ જ વજ છે. તેના વિભેદથી તેના વિશેષરૂપે ભેદથી, અનંત ધર્મક વસ્તુ ભેદભેદ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ અનંત ધર્મોથી શબલ અર્થાત્ ચિત્ર એવી જે વસ્તુ તેના વિષયવાળા બોધમાં વસ્તુના તથાત્વના પરિચ્છેદન કરનારા એવા વેદ્યસંવેદ્યપદથી ઉત્પન્ન થયેલા બોધમાં જે સૂક્ષ્મપણું છે, તે અહીં-દીપ્રાદષ્ટિમાં નથી; કેમ કે આનું દીપ્રાદષ્ટિનું, તેની અધોભૂમિકારૂપપણું છે વેદસંવેદ્યપદની નીચલી ભૂમિકારૂપપણું છે. તે કહેવાયું છે શ્લોકમાં કહ્યું તે “યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક-૬૬માં કહેવાયું છે. “ભવસમુદ્રમાંથી બહાર કાઢનાર હોવાથી, કર્મરૂપી વજનો વિભેદ કરનાર હોવાથી અને સંપૂર્ણ રીતે શેયની સાથે વ્યાપ્તિ હોવાથી બોધમાં સૂક્ષ્મપણું છે. વળી આ=સૂક્ષ્મબોધ, અહીં-દીપ્રાદષ્ટિમાં નથી." i૨૩ાા ભાવાર્થદિપ્રાદષ્ટિવાળા રોગીઓમાં સૂક્ષ્મબોધનો અભાવ : તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા અનંતાનુબંધી કષાયોને પેદા કરાવે તેવું કર્મ વજ જેવું છે, કેમ કે અતિદુર્ભેદ્ય છે. આથી જ અનંતકાળથી જીવ તેને ભેદી શક્યો નથી. તેવા કર્મના વિભેદથી જીવને અનંત ધર્માત્મક શબલ વસ્તુનો શબલરૂપે બોધ થાય છે. તે બોધ વેદ્યસંવેદ્યપદથી ઉત્પન્ન થાય છે, અને તે બોધમાં સૂક્ષ્મપણું છે, અને આવું સૂક્ષ્મપણું દીપ્રાદષ્ટિમાં નથી; કેમ કે દીપ્રાષ્ટિ વેદ્યસંવેદ્યપદની નીચલી ભૂમિકા છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩-૨૪ આનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં તત્ત્વને જાણવા માટેનો તીવ્ર પક્ષપાત વર્તતો હોય, અને તત્ત્વાતત્ત્વના વિભાગમાં પરમ મધ્યસ્થભાવ વર્તતો હોય, અને તત્ત્વને બતાવનારા આપ્ત પુરુષના વચનના બળથી તત્ત્વનિર્ણય માટે યત્ન વર્તતો હોય, તો અનંતધર્માત્મક વસ્તુનો બોધ થાય છે, અને ત્યારે કર્મરૂપી ગ્રંથિનો ભેદ થાય છે. ગ્રંથિભેદથી થયેલા વેદ્યસંવેદ્યપદવાળા બોધમાં સૂક્ષ્મપણું છે અને આવું સૂક્ષ્મપણું દીપ્રાદ્યષ્ટિમાં નથી. દીપ્રાદ્યષ્ટિમાં આવું સૂક્ષ્મપણું કેમ નથી ? તે ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં બતાવે છે. I॥૨૩॥ અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે દીપ્રાદૅષ્ટિમાં સૂક્ષ્મબોધ નથી. તેથી અર્થથી પ્રથમની ચારે દૃષ્ટિઓમાં સૂક્ષ્મબોધ નથી એમ પ્રાપ્ત થયું. તેથી પ્રથમની ચારે દૃષ્ટિઓમાં બોધમાં સૂક્ષ્મપણું કેમ નથી ? તેમાં હેતુ બતાવવા અર્થે કહે છે - શ્લોક ઃ ૬૮ अवेद्यसंवेद्यपदं चतसृष्वासु दृष्टिषु । पक्षिच्छायाजलचरप्रवृत्त्याभं यदुल्बणम् ।।२४। અન્વયાર્થ: ય ચસ્મા=જે કારણથી આસુ ચતમૃત્યુ સૃષ્ટિg=આ ચાર દૃષ્ટિઓમાં= મિત્રાદિ ચાર દૃષ્ટિઓમાં પક્ષિઘ્ધાવાન પ્રવૃત્ત્વામં=પક્ષીની છાયામાં જલચરતી પ્રવૃત્તિની આભાવાળું=પક્ષીની છાયામાં ‘આ જલચર છે’ તેવી પ્રવૃત્તિના જેવી વેદ્યસંવેદ્યપદની આભા છે જેમાં એવું, નવામ્=અધિક ગવેદ્યસંવેદ્યપવું= અવેધસંવેદ્યપદ છે. ।।૨૪।। શ્લોકાર્થ : જે કારણથી આ મિત્રાદિ ચાર દષ્ટિઓમાં પક્ષીની છાયામાં ‘આ જલચર છે' તેવી પ્રવૃત્તિના જેવી વેધસંવેધપદની આભા છે જેમાં એવું અધિક અવેધસંવેધ પદ છે. IIર૪રા Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૯ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૪ ટીકા :__ अवेद्येति-आसु मित्राद्यासु चतसृषु दृष्टिषु, यद्=यस्मादवेद्यसंवेद्यपदं उल्बणम् अधिकं, पक्षिच्छायायां जलसंसर्गिन्यां जलचर धिया जलचरप्रवृत्तिरिवाभा वेद्यसंवेद्यपदसम्बन्धिनी यत्र तत्तथा, तत्र हि न तात्त्विकं वेद्यसंवेद्यपदं, किंतु आरोपाधिष्ठानसंसर्गितयाऽतात्त्विकं, अत एवानुल्बणमित्यर्थः, एतदपि चरमासु (परमासु) चरमयथाप्रवृत्तकरणेन एवेत्याचार्याः । तदिदमभि-प्रेत्योक्तं - “अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्बणम् । faછીયાગરપ્રવૃન્યામમત: પરમ્” ! (યો... સ્નોવા-૬૭) પારા ટીકાર્ચ - ગાયુ. પરમ્ II” (યો... -૬૭) યયાત્રુિજે કારણથી, આ મિત્રાદિ ચાર દૃષ્ટિઓમાં અવેધસંવેદ્યપદ ઉલ્બણ છે=અધિક છે અર્થાત્ વેધસંવેદ્યપદના અંશો કરતાં અધિક અંશવાળું અઘસંવેદ્યપદ છે. વળી તે અવેદ્યસંવેદ્યપદવાળી ચાર દૃષ્ટિઓમાં વેદ્યસંવેદ્યપદ કેવું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – જલસંસર્ગી પક્ષીછાયામાં જલચરતી બુદ્ધિને કારણે “આ જલચર છે' તેવી બુદ્ધિને કારણે, જલચરની પ્રવૃતિની જેમ=પક્ષીની છાયાને જોઈને આ જલચર છે એ પ્રકારની પ્રવૃત્તિની જેમ, વેદસંવેદ્યપદ સંબંધી આભા છે જેમાં, તે તેવું છે વેદસંવેદ્યપદ સંબંધી આભાવાળું અવેધસંવેદ્યપદ છે. તત્ર હિ ત્યાં પહેલી ચાર દૃષ્ટિમાં તાત્વિક વેધસંવેદ્યપદ નથી, પરંતુ આરોપને કારણે અધિષ્ઠાનની સાથે સંસર્ગીપણું હોવાથી=અવેદ્યસંવેદ્યપદમાં વેધસંવેદ્યપદનું આરોપણ હોવાના કારણે અવેદ્યસંવેદ્યપદરૂપ અધિષ્ઠાનની સાથે વેધસંવેદ્યપદનું સંસર્ગીપણું હોવાથી, અતાત્વિક વેધસંવેદ્યપદ છે. આથી જ આરોપને કારણે અધિષ્ઠાનની સાથે સંસર્ગીપણું હોવાને કારણે અતાત્વિક વેધસંવેદ્યપદ છે, આથી જ, અતુલ્બણ છે=અલ્પ છે= અવેદ્યસંવેદ્યપદ જેવું વેધસંવેદ્યપદ ઉત્કટ નથી, પરંતુ અવેધસંવેદ્યપદ કરતાં અલ્પ છે, પરંતપ પરંતુ આ પણ વેધસંવેદ્યપદ પણ, માસુ આમાં પહેલી Page #89 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૪ ચાર દષ્ટિઓમાં, ચરમયથાપ્રવૃત્તિકરણથી જ છે, એ પ્રમાણે આચાર્યો કહે છે=યોગાચાર્યો કહે છે. વિમોવત્ત તે શ્લોકમાં કહ્યું તે, આને અભિપ્રેત કરીને પૂર્વમાં ગ્રંથકારે કહ્યું એને અભિપ્રેત કરીને, કહેવાયું છે= યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક-૬૭માં કહેવાયું છે – જે કારણથી આમાં=મિત્રાદિ ચાર દૃષ્ટિઓમાં, અવેઘસંવેદ્યપદ તેવું ઉલ્બણ છે= તેવું ઉદ્ધત છે, તે કારણથી પહેલી ચાર દૃષ્ટિઓમાં સૂક્ષ્મબોધ નથી, એમ યોગદષ્ટિ પૂર્વશ્લોક-૬૬ સાથે સંબંધ છે. આનાથી=અવેઘસંવેદ્યપદથી પરં=બીજું વેદસંવેદ્યપદ, પહેલી ચાર દૃષ્ટિઓમાં પક્ષીની છાયામાં જલચરની પ્રવૃત્તિના આકારવાળું છે.” ૨૪ નોંધઃ- ટીકામાં વરમાણુ' શબ્દના સ્થાને પરમાણુ પાઠ હોય, તેમ લાગે છે. તેથી તે પ્રમાણે અમે અર્થ કરેલ છે. પાઠ ઉપલબ્ધ થયો નથી. ભાવાર્થચારે દષ્ટિઓમાં વર્તતા અવેધસંવેધપદ અને અંશથી પ્રગટેલા વેધસંવેધપદનું સ્વરૂપ : પૂર્વશ્લોકમાં કહ્યું કે દીપ્રાષ્ટિમાં જે બોધ છે, તેમાં સૂક્ષ્મપણું નથી. સૂક્ષ્મપણું કેમ નથી ? તેમાં હેતુ બતાવતાં કહે છે -- જે કારણથી મિત્રાદિ ચારે દૃષ્ટિઓમાં અવેદ્યસંવેદ્યપદ ઉલ્લણ છે=અધિક માત્રામાં છે, માટે દીપ્રાષ્ટિના બોધમાં સૂક્ષ્મપણું નથી. અહીં કહ્યું કે પહેલી ચાર દૃષ્ટિઓમાં અવેદ્યસંવેદ્યપદ અધિક છે. તેથી પ્રશ્ન થાય કે કોનાથી અધિક છે ? તેના સમાધાનરૂપે વેદ્યસંવેદ્યપદ કરતાં અધિક છે, તેમ બતાવવું છે. તેથી જિજ્ઞાસા થાય કે ચાર દૃષ્ટિઓમાં વેદ્યસંવેદ્યપદ કેવું છે? તેના સમાધાનરૂપે કહ્યું કે પક્ષીની છાયામાં “આ જળચર છે તેવી પ્રવૃત્તિના જેવી વેદ્યસંવેદ્યપદની આભા અદ્યસંવેદ્યપદમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે પાણીમાં પક્ષીની છાયા પડતી હોય અને તે છાયાને જોઈને કોઈ કહે કે “આ જલચર છે,' વસ્તુતઃ તે જલચર નથી; તેમ ચાર દૃષ્ટિ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૧ તારાદિત્રયાત્રિશિકા/બ્લોક-૨૪ સુધીના જીવોમાં યોગમાર્ગની પ્રવૃત્તિ જોઈને કોઈને થાય કે “આ જીવોમાં વેદ્યસંવેદ્યપદ છે,” વસ્તુતઃ ત્યાં વેદ્યસંવેદ્યપદ નથી, પરંતુ વેદ્યસંવેદ્યપદની પૂર્વભૂમિકારૂપ કંઈક યથાર્થ બોધ છે. તેથી ચાર દૃષ્ટિઓવર્તી જીવોમાં વર્તતા અવેદ્યસંવેદ્યપદમાં વેદ્યસંવેદ્યપદની કંઈક આભા દેખાય છે, માટે તે વેદ્યસંવેદ્યપદ તાત્ત્વિક નથી, પરંતુ તત્સદશમાં આરોપને કારણે અવેદ્યસંવેદ્યપદમાં વેદ્યસંવેદ્યપદ સંસર્ગીરૂપે દેખાય છે, માટે અતાત્ત્વિક છે; અને અતાત્ત્વિક છે આથી જ અનુબણ છે=અવેદ્યસંવેદ્યપદ જેવું અધિક માત્રામાં નથી, પરંતુ અલ્પમાત્રામાં છે; અને આ ચાર દૃષ્ટિમાં અતાત્ત્વિક પણ જે વેદ્યસંવેદ્યપદ છે, તે ચરમ યથાપ્રવૃત્તિકરણથી જ છે, એમ યોગાચાર્યો કહે છે. તેથી એ ફલિત થાય કે અપૂર્વકરણને કારણે ગ્રંથિભેદથી થયેલું વેદ્યસંવેદ્યપદ તાત્ત્વિક છે, અને ચરમયથાપ્રવૃત્તિકરણથી થયેલું અતાત્ત્વિક વેદસંવેદ્યપદ ચાર દૃષ્ટિઓ સુધી છે. અતાત્ત્વિક શબ્દ બે અર્થમાં વપરાય છે : (૧) બાહ્ય આકારમાત્રથી સાદૃશ્ય હોય, પરંતુ ગુણથી કંઈ પણ સાદશ્ય ન હોય, તે અતાત્ત્વિક કહેવાય. જેમ વેષ વિડંબક સાધુ. (૨) કંઈક ગુણથી સાદૃશ્ય હોવા છતાં તત્સમાન ગુણવાળું નથી, તે પણ અતાત્ત્વિક કહેવાય. જેમ પ્રવજ્યકાળમાં પ્રગટ થતો અતાત્ત્વિક સામર્થ્યયોગ. અહીં અતાત્ત્વિક એટલે “મિથ્યા' અર્થમાં પ્રયોગ નથી, પરંતુ તાત્ત્વિક સામર્થ્યયોગ ક્ષપકશ્રેણીમાં આવે છે, અને અતાત્ત્વિક સામર્થ્યયોગ પ્રવ્રજ્યાકાળમાં આવે છે, તેમ “યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં કહેલ છે. તેથી એ ફલિત થાય કે જેમ મુખ્ય સામર્થ્યયોગ ક્ષપકશ્રેણીકાળમાં હોય છે, અને તેના કારણભૂત એવો સામર્થ્યયોગ પ્રવ્રયાકાળમાં હોય છે; તેમ મુખ્ય વેદ્યસંવેદ્યપદ સમ્યગ્દષ્ટિને હોય છે; કેમ કે બંધ અને મોક્ષનાં કારણોને તે યથાર્થ જાણે છે, અને તેની પૂર્વભૂમિકારૂપ વેદ્યસંવેદ્યપદ ચાર દૃષ્ટિઓમાં હોય છે; કેમ કે ચાર દૃષ્ટિવર્તી જીવો પણ બંધ અને મોક્ષનાં કારણો કંઈક યથાર્થ જાણે છે. આમ છતાં ચાર દૃષ્ટિ સુધી બોધમાં વિપર્યા છે, તેથી અવેદ્યસંવેદ્યપદ વર્તે છે. માટે એકાંત વેદસંવેદ્યપદ નથી, પરંતુ કંઈક અવેદ્યસંવેદ્યપદ છે અને કંઈક વેદ્યસંવેદ્યપદ છે, અને અવેદ્યસંવેદ્યપદ બળવાન છે. આથી જ ચાર દૃષ્ટિ સુધી આટલો યથાર્થ બોધ હોવા છતાં તે નિવર્તન પામતું નથી. રજા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે ચાર દૃષ્ટિવર્તી જીવોમાં અવેઘસંવેદ્યપદ ઉલ્ખણ છે અને વેદ્યસંવેદ્યપદ જલસંસર્ગી પક્ષીની છાયામાં જલચરની પ્રવૃત્તિની આભાવાળું છે. તેથી પ્રશ્ન થાય કે તાત્વિક વેદ્યસંવેદ્યપદ શું છે ? અને અવેધસંવેદ્યપદ શું છે ? તે બતાવવા માટે કહે છે તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ અન્વયાર્થ: શ્લોક ઃ वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । पदं तद्वेद्यसंवेद्यमन्यदेतद्विपर्ययात् ।। २५ ।। --- અપાયાવિનિવન્ધનમ્ વેદ્ય અપાયાદિનું કારણ એવું વેદ્ય સંવેદ્યતે=સંવેદન થાય છે સ્મિન્=જેમાં=જે આશયસ્થાનમાં ત ્તે વેદ્યસંવેદ્યમ્ પદં વેદ્યસંવેદ્યપદ દ્વિપર્યયાત્ આના વિપર્યયથી અન્ય=બીજું છે=અવેધસંવેદ્યપદ છે. છે. ।।૨૫।। શ્લોકાર્થ : અપાયાદિનું કારણ એવું વેધ સંવેદન થાય છે જે આશયસ્થાનમાં, તે વેધસંવેધપદ છે. આના વિપર્યયથી બીજું=અવેધસંવેદ્યપદ છે. ।।૨૫।। ટીકા ઃ वेद्यमिति-वेद्यं = वेदनीयं = वस्तुस्थित्या तथाभावयोगिसामान्येनाविकल्पकज्ञानग्राह्यमित्यर्थः, संवेद्यते क्षयोपशमानुरूपं निश्चयबुद्ध्या विज्ञायते, यस्मिन्नाशयस्थाने, अपायादिनिबन्धनं=नरकस्वर्गादिकारणं स्त्र्यादि तद्वेद्यसंवेद्यं पदं, अन्यद्=वेद्यसंवेद्यपदं= एतद्विपर्ययाद् = उक्तलक्षणव्यत्ययात् । यद्यपि शुद्धं यथावद्वेद्यसंवेदनं माषतुषादावसम्भवि, योग्यतामात्रेण च मित्रादिदृष्टिष्वपि सम्भवि, तथापि वेद्यसंवेद्यपदप्रवृत्तिनिमित्तं ग्रन्थिभेदजनितो रुचिविशेष एवेति ન દ્દોષઃ II Page #92 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયવાાિંશિશોક-૨૫ ટીકાર્ચ - વેદ્ય ....નકોષ વેદ્ય વેદનીય=વસ્તુસ્થિતિથી તેવા પ્રકારના ભાવયોગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનગ્રાહ્યઃવસ્તુ જે રૂપે રહેલી છે તે રૂપે વસ્તુની સ્થિતિથી ગ્રંથિભેદ દ્વારા રત્નત્રયીરૂપ ભાવમાર્ગને પ્રાપ્ત કર્યો છે તેવા પ્રકારના સર્વ ભાવયોગીથી સમાન પ્રકારના જ્ઞાતથી ગ્રાહ્ય, અપાયાદિનું કારણ=નરક-સ્વર્ગાદિનું કારણ, એવી સ્ત્રી આદિ વેદ્ય, સંવેદન થાય છે જેમાં ક્ષયોપશમને અનુરૂપ નિશ્ચયબુદ્ધિથી જણાય છે જે આશયસ્થાનમાં, તે તે આશયસ્થાન, વેધસંવેદ્યપદ છે. આના વિપર્યયથી ઉક્ત લક્ષણના વ્યત્યયથી અર્થાત્ પૂર્વમાં જે વેધસંવેદ્યપદનું લક્ષણ કર્યું, તેના વ્યત્યયથી અચ=અન્ય અવેદ્યસંવેદ્યપદ છે. જોકે શુદ્ધ યથાવત્ વેદસંવેદન=નયનિક્ષેપાથી યુક્ત યથાર્થ વેદ્યનું સંવેદન, માસતુષાદિમાં અસંભવી છે. અને યોગ્યતામાત્રથી મિત્રાદિ દૃષ્ટિમાં પણ સંભવી છે યોગ્યતામાત્રથી મિત્રાદિ દૃષ્ટિઓમાં પણ વેધસંવેદ્યપદ સંભવી છે. માટે યોગ્યતામાત્રથી માસતુષાદિમાં વેવસંવેદ્યપદ સ્વીકારી શકાય નહીં, તોપણ વેદ્યસંવેદ્યપદની પ્રવૃત્તિનું નિમિત્ત ગ્રંથિભેદથી જનિત રુચિવિશેષ જ છે, એથી દોષ નથી માસતુષાદિમાં યથાવત્ વેધસંવેદ્યપદ ઘટે છે, અને મિત્રાદષ્ટિમાં યથાવત્ વેધસંવેદ્યપદ ઘટતું નથી, માટે દોષ નથી. રપા ભાવાર્થ :વેધસંવેધપદ અને અવેધસંવેધપદની ઓળખ : ગ્રંથિભેદ કરીને જેઓ સમ્યકત્વ પામ્યા છે, તે સર્વ યોગીઓમાં સમ્યજ્ઞાન છે, સમ્યગુ રુચિ છે અને અનંતાનુબંધી કષાયના વિગમનથી કંઈક સમ્યક્રચારિત્ર પણ છે, તેથી તે સર્વ ભાવયોગીઓ છે; અને સમ્યકત્વની આગળની ભૂમિકાવાળા દેશવિરતિધર આદિ પણ ભાવયોગીઓ છે; કેમ કે રત્નત્રયીરૂપ ભાવમાર્ગમાં તેઓ સર્વ પ્રવર્તે છે; અને તે સર્વ ભાવયોગીઓને એવો સ્થિર નિર્ણય છે કે “સર્વજ્ઞના વચનાનુસાર જે કંઈ ઉચિત પ્રવૃત્તિ છે, તે સર્વ એકાંતે જીવનું હિત કરનાર છે, અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ એકાંતે જીવનું અહિત કરનારી છે.” તેથી સર્વજ્ઞના વચનથી વિપરીત જે કંઈ સ્ત્રી આદિ વેદ્યનું વદન થાય છે, તે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨પ સંસારનું કારણ છે, અને મોક્ષને અનુકૂળ ભાવને ઉત્પન્ન કરાવે તે રીતે સ્ત્રી આદિનું વેદના થાય છે, તે જીવ માટે હિતનું કારણ છે; આ પ્રકારના અવિકલ્પક જ્ઞાનથી વેદ્ય એવી વસ્તુ જે આશયસ્થાનમાં પોતાના ક્ષયોપશમને અનુરૂપ નિશ્ચયબુદ્ધિથી જણાય તે આશયસ્થાન વેદ્યસંવેદ્યપદ છે. આશય એ છે કે સર્વ ભાવયોગીઓને આ એકાંત નિશ્ચય છે કે “સર્વજ્ઞના વચનથી વિપરીત પ્રવૃત્તિઓ જીવ માટે એકાંતે અહિતનું કારણ છે, અને સર્વજ્ઞના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ એકાંતે હિતનું કારણ છે.” આમ છતાં, ક્ષયોપશમના ભેદને કારણે નિર્ણાત પણ તે બોધ તરતમતાવાળો હોય છે. આથી કેટલાક યોગીઓ સર્વજ્ઞના વચનના પરમાર્થને અનેક નયોથી યથાસ્થાને જોઈ શકે છે; અને જેમને તેવો ક્ષયોપશમ નથી, તોપણ સંગ્રહરૂપે, જે રીતે ભગવાને કહ્યું છે તે રીતે નિશ્ચયબુદ્ધિથી જાણે છે, તે સર્વને વેદસંવેદ્યપદ છે, અને આનાથી વિપરીત લક્ષણવાળું અવેદ્યસંવેદ્યપદ છે. તેથી એ ફલિત થાય કે અપાયના કારણને અપાયના કારણરૂપે જે બોધમાં નિર્ણય ન થઈ શકે તે બોધ આવેદ્યસંવેદ્યપદરૂપ છે. આથી જ ચાર દૃષ્ટિ સુધીના જીવોને કોઈક સ્થાનમાં વિપરીત રુચિ છે, તે વિપરીત રુચિ પણ વિપરીત નથી પણ યથાર્થ રુચિ છે, તેવો ભ્રમ વર્તે છે; અને આથી સર્વજ્ઞના વચનને પોતે મનસ્વી રીતે જોડે છે, એટલું જ નહીં પણ તેને હિતના ઉપાયરૂપે જુએ છે, તે તેઓમાં વર્તતા અવેધસંવેદ્યપદનું કાર્ય છે. આ રીતે વેદસંવેદ્યપદ અને અવેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં શંકા થાય કે માસતુષાદિ મુનિઓને ભગવાને કહેલા ન નિક્ષેપોથી યુક્ત શાસ્ત્રનો બોધ નથી, તેથી શુદ્ધ એવું યથાવત્ વેદ્યસંવેદ્યપદ કઈ રીતે સંભવે ? અર્થાત્ સંભવે નહીં. ત્યાં કોઈ વિચારકને સમાધાન થાય કે માસતુષાદિ મુનિઓને નયસાપેક્ષ બોધ નહીં હોવા છતાં તત્ત્વ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત હોવાને કારણે, સામગ્રી મળતાં નયસાપેક્ષ બોધ થવાની યોગ્યતા પડી છે, માટે યોગ્યતાની દૃષ્ટિથી વિચારીએ તો માસતુષાદિમાં પણ શુદ્ધ યથાવ વેદ્યસંવેદ્યપદ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે યોગ્યતામાત્રથી વેદ્યસંવેદ્યપદ માસતુષાદિ મુનિઓમાં સ્વીકારવામાં આવે તો મિત્રાદિ ચારે દૃષ્ટિઓમાં પણ વેદ્યસંવેદ્યપદની Page #94 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬ ૭૫ યોગ્યતા છે; કેમ કે સમ્યજ્ઞાનની પૂર્વભૂમિકારૂપ યથાર્થ જ્ઞાન ચારે દૃષ્ટિઓમાં છે. તેથી ચારે દૃષ્ટિઓમાં પણ વેદ્યસંવેદ્યપદ માનવાની આપત્તિ આવે; અને જો ચારે દૃષ્ટિઓમાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ નથી, તો માસતુષાદિ મુનિઓમાં પણ યોગ્યતામાત્રથી તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ કઈ રીતે સ્વીકારી શકાય ? આ પ્રકારની કોઈને શંકા થાય તેને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે ગ્રંથિભેદજનિત રુચિવિશેષ જ વેદ્યસંવેદ્યપદ પ્રવૃત્તિનું નિમિત્ત છે, અને તેવી રુચિવિશેષ માસતુષાદિ મુનિઓમાં છે, અને ચારદૃષ્ટિવાળા જીવોમાં નથી. માટે માસતુષાદિ મુનિઓમાં તાત્વિક વેદ્યસંવેદ્યપદ છે, અને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ નથી. આશય એ છે કે તત્ત્વના તીવ્ર પક્ષપાતપૂર્વક અને તત્ત્વાતત્ત્વના વિભાગ માટે પૂર્ણ મધ્યસ્થતાની પરિણતિરૂપ રુચિવિશેષ માસતુષાદિ મુનિઓમાં છે. તેથી માસતુષાદિ મુનિઓ “સર્વજ્ઞનું વચન એકાંત તત્ત્વ છે” તેવી સ્થિર રુચિ ધારણ કરીને મધ્યસ્થતાથી સ્વશક્તિ અનુસાર સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણવા માટે ઉદ્યમવાળા છે, માટે માસતુષાદિ મુનિઓમાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ છે. જ્યારે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો મોક્ષના અર્થી છે અને મોક્ષના ઉપાયરૂપ તત્ત્વના પણ અર્થી છે, અને તત્ત્વ જાણવા પ્રત્યેના વલણવાળા પણ છે; આમ છતાં પૂર્ણ મધ્યસ્થતા નથી અને તત્ત્વનો ઉત્કટ પક્ષપાત નથી. તેથી કોઈક સ્થાનમાં સ્વરુચિ અનુસાર તત્ત્વને જોડે છે, તે અંશથી તેઓને તત્ત્વની વિપરીત રુચિ છે. માટે માસતુષાદિ મુનિઓ જેવી રુચિવિશેષ તેઓને નથી. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં વેદ્યસંવેદ્યપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવી રુચિવિશેષ નથી. માટે ત્યાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ નથી. માસતુષાદિ મુનિઓમાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવી ગ્રંથિભેદજનિત રુચિવિશેષ છે. માટે તાત્વિક વેદ્યસંવેદ્યપદ છે. ગરપા અવતરણિકા - શ્લોક-૨૩માં કહ્યું કે દીપ્રાદષ્ટિના બોધમાં સૂક્ષ્મપણું નથી. ત્યાં પ્રશ્ન થાય કે સૂક્ષ્મપણું કેમ નથી ? તેથી શ્લોક-૨૪માં બતાવ્યું કે પ્રથમની ચાર દૃષ્ટિઓમાં અવેદ્યસંવેદ્યપદ અધિક છે અને વેદસંવેદ્યપદ અલ્પ છે, માટે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તારાદિત્રયાવિંશિકા/બ્લોક-૨૬ સૂક્ષ્મબોધ નથી. ત્યાં જિજ્ઞાસા થાય કે વેદસંવેદ્યપદ શું છે ? અને અવેધસંવેદ્યપદ શું છે? તેથી શ્લોક-૨પમાં વેદ્યસંવેદ્યપદ અને અવેધસંવેદ્યપદનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે પ્રથમની ચાર દૃષ્ટિઓમાં અસંવેદ્યપદ અને સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં વેદ્યસંવેદ્યપદ છે, એટલામાત્રથી સમ્યગ્દષ્ટિ જીવોને સૂક્ષ્મબોધ છે, અને અવેદ્યસંવેદ્યપદવાળાને સૂક્ષ્મબોધ નથી, એમ કઈ રીતે નક્કી કરી શકાય ? તેથી કહે છે – શ્લોક - अपायशक्तिमालिन्यं सूक्ष्मबोधविघातकृत् । न वेद्यसंवेद्यपदे वज्रतण्डुलसत्रिभे ।।२६।। અન્વયાર્થ: તડુતમેિ વેદ્યસંવેદ્યપદે વજદંડુલ સદશ વેધસંવેદ્યપદમાં સૂક્ષ્મવોશવિધાત–સૂક્ષ્મ બોધતા વિઘાત કરનારું અપાવશવિત્તમતિનવં ન અપાય શક્તિમાલિચ નથી=નરકાદિ અપાયશક્તિનું મલિનપણું નથી. ૨૬u શ્લોકાર્ચ - વજના ચોખા સદશ વેધસંવેધપદમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું મલિનપણું નથી. lરકો ટીકા :___ अपायेति-अपायशक्तिमालिन्यं नरकाद्यपायशक्तिमलिनत्वं सूक्ष्मबोधस्य विघातकृत, अपायहेत्वासेवनक्लिष्टबीजसद्भावात्तस्य सज्ज्ञानावरणक्षयोपशमाभावनियतत्वात्, न वेद्यसंवेद्यपदे उक्तलक्षणे वज्रतण्डुलसत्रिभे, प्रायो दुर्गतावपि मानसदुःखाभावेन तद्ववेद्यसंवेद्यपदवतो भावपाकायोगात् । ટીકાર્ચ - પાયશમિનિચંચોપાત્ ઉક્ત લક્ષણવાળા=ગાથા-રપમાં બતાવેલા લક્ષણવાળા, વજના ચોખા જેવા વેધસંવેદ્યપદમાં સૂક્ષ્મ બોધતા વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિત્ય=ારકાદિ અપાયશક્તિનું માલિતપણું, ર=નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ અહીં પ્રશ્ન થાય કે અપાયશક્તિનું માલિન્ય સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું કેમ છે ? તેથી કહે છે – (અપાયશક્તિના માલિમાં) અપાયહેતુના આસેવાના ક્લિષ્ટ બીજનો= વિપર્યાસનો, સદ્ભાવ હોવાથી અપાયશક્તિનું માલિત્ય સૂક્ષ્મબોધતા વિઘાતને કરનારું છે, એમ અત્રય છે. અહીં પ્રશ્ન થાય કે અપાયહેતુના આસેવનના ક્લિષ્ટ બજનો સભાવ હોવાથી સૂક્ષ્મબોધનો વિઘાત કેમ થાય છે ? તેથી કહે છે – તેનું અપાયહેતુના આસેવનના ક્લિષ્ટ બીજનું સદ્જ્ઞાનાવરણના ક્ષયોપશમના અભાવ સાથે નિયતપણું હોવાથી, અપાયશક્તિનું માલિત્ય સૂક્ષ્મબોધતા વિઘાત કરનારું છે. પૂર્વમાં કહ્યું કે વજના ચોખા જેવા વેદ્યસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય નથી. ત્યાં પ્રશ્ન થાય કે વેદ્યસંવેદ્યપદ વજના ચોખા જેવું કેમ છે ? તેથી કહે છે – પ્રાયઃ દુર્ગતિમાં પણ માનસ દુઃખનો અભાવ હોવાને કારણે તેની જેમ= વજના ચોખાની જેમ, વેધસંવેદ્યપદવાળાને ભાવપાકનો અયોગ હોવાથી તત્વમાર્ગમાં વિપર્યાસરૂપ ભાવપાકનો અયોગ હોવાથી, વેદ્યસંવેદ્યપદ વજેતા ચોખા જેવું છે. ભાવાર્થ :વેધસંવેધપદનું વિશેષ સ્વરૂપ – શ્લોક-૨૩માં કહેલ કે દીપાદૃષ્ટિના બોધમાં સૂક્ષ્મપણું નથી. દીપાદૃષ્ટિના બોધમાં સૂક્ષ્મપણું કેમ નથી ? તે બતાવવા માટે કહે છે – વજના ચોખા જેવા વેદસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય નથી. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે વેદ્યસંવેદ્યપદ વગરના દીપ્રાદષ્ટિવાળા જીવોમાં સૂમબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય છે. માટે દીપ્રાદૃષ્ટિમાં સૂક્ષ્મબોધ નથી, તેમ શ્લોક-૨૩ સાથે સંબંધ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ અહીં પ્રશ્ન થાય કે અપાયશક્તિનું માલિન્ય સૂક્ષ્મબોધનો વિઘાત કેમ કરે છે? તેથી કહે છે – પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં અપાયના હેતુના આસેવનના કારણભૂત ક્લિષ્ટ બીજરૂપ વિપર્યાસનો સદ્ભાવ છે, અને આ વિપર્યાત સદૂજ્ઞાનાવરણના ક્ષયોપશમના અભાવની સાથે નિયત છે. માટે અપાયશક્તિનું માલિન્ય સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું છે. આશય એ છે કે જીવો નરક, તિર્યંચાદિ દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે, તે સર્વનું મૂળ કારણ જીવમાં વર્તતો વિપર્યા છે, અને આ વિપર્યાસને કારણે જીવો દુર્ગતિઓના કારણભૂત એવા આરંભ-સમારંભ સેવે છે અને દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે. આ વિપર્યાસ દૃષ્ટિબહારવર્તી જીવોમાં ઘણો છે, અને આથી જ તેઓ અનંતકાળ સુધી નરકાદિ દુર્ગતિઓના કારણભૂત એવા આરંભ-સમારંભનું સેવન કરીને સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. આ વિપર્યાસ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં કંઈક ઓછો હોવા છતાં સર્વથા નષ્ટ થયો નથી, તેથી દુર્ગતિઓની પરંપરાનું કારણ બને તેવું મલિનપણું પ્રથમની ચાર દૃષ્ટિઓમાં વિદ્યમાન છે અને તે સૂક્ષ્મ બોધના વિઘાતને કરનારું છે; કેમ કે સદ્જ્ઞાનાવરણના ક્ષયોપશમના અભાવની સાથે વિપર્યાસનું નિયતપણું છે. તેથી જે જીવોને વેદ્યસંવેદ્યપદ પ્રગટેલું છે, તેઓમાં સદ્દજ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમભાવ વર્તે છે, તેથી તેઓમાં વિપર્યાસ નથી. માટે તેઓમાં દુરત સંસારની પ્રાપ્તિનું કારણ બને તેવું માલિન્ય નથી. વળી જેમ વજના ચોખા રાંધવાથી રંધાવારૂપ વિક્રિયાને પામતા નથી, તેમ સૂક્ષ્મબોધવાળા જીવોને વિપરીત સંયોગોમાં પણ માનસિક વિપર્યાસ થવારૂપ દુઃખ થતું નથી; ક્વચિત્ શારીરિક પીડામાં દુર્ગાનાદિ થાય તોપણ તત્ત્વનો સૂક્ષ્મ બોધ હોવાને કારણે તત્ત્વરુચિમાં પ્લાનિ આવતી નથી. તેથી વેદ્યસંવેદ્યપદવાળાને ભાવથી તત્ત્વમાર્ગની રુચિમાં કોઈ પરિવર્તન પ્રાપ્ત થતું નથી, તેથી વેદ્યસંવેદ્યપદને વજના ચોખા જેવું કહ્યું છે. અહીં “પ્રાય દુતાવ'= પ્રાયઃ દુર્ગતિમાં પણ એમ કહેવાથી એ બતાવવું છે કે સદ્ગતિઓમાં પણ ક્વચિત્ કર્મને વશ થઈને મહાઆરંભ અને મહાપરિગ્રહની Page #98 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૬ પ્રવૃત્તિ કરતા હોય તોપણ ચિત્તમાં વિપર્યાસ થતો નથી; પરંતુ “નિરવદ્ય ભાવ જ જીવને માટે એકાંતે હિત છે,” એ પ્રકારે ચિત્ત સ્થિરબુદ્ધિવાળું હોય છે. તેથી અંતઃવૃત્તિથી સમ્યગ્દષ્ટિ જીવોનું ચિત્ત મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત નિરવદ્ય આચારો પ્રત્યે બળવાન રુચિ ધરાવે છે. માટે કર્મને વશ થઈને મહાઆરંભમહાપરિગ્રહાદિની પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેઓને ભાવપાકનો અયોગ છે. “પ્રાયઃ' કહેવાથી એ કહેવું છે કે દુર્ગતિ આદિની પીડામાં માનસિક આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય તોપણ, તત્ત્વમાર્ગમાં વિપર્યાસ થાય તેવું માનસ દુઃખ હોતું નથી; પરંતુ પોતાના ભૂતકાળનાં કર્મો યાદ કરીને તત્ત્વ તરફ પોતાનું ચિત્ત રાખવા યત્ન કરે છે. તેથી દુર્ગતિમાં પણ અન્ય જીવોને એવું માનસ દુઃખ હોય છે, તેવું માનસ દુઃખ સમ્યગ્દષ્ટિને નથી; તે બતાવવા માટે પ્રાયઃ માનસ દુઃખ નથી, તેમ કહેલ છે અર્થાત્ સર્વથા માનસ દુઃખ નથી, એમ નહીં પરંતુ બહુલતાએ માનસ દુઃખ નથી. ટીકા - एतच्च व्यावहारिकं वेद्यसंवेद्यपदं भावमाश्रित्योक्तं, निश्चयतस्तु प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणां नास्त्येव वेद्यसंवेद्यपदभावः, नैश्चयिकतद्वति क्षायिकसम्यग्दृष्टौ श्रेणिकादाविव पुनढुंर्गत्ययोगेन तप्तलोहपदन्यासतुल्याया अपि पापप्रवृत्तेश्चरमाया एवोपपत्तेः । થોદું – “अतोऽन्यदुत्तरास्वस्मात् पापे कर्मागसोऽपि हि । तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ।। वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति । વરવ મવન્વેષા પુનત્યયોતિ:” (યો... સ્નો-૭૦-૭૨) રૂતિ રદ્દા ટીકાર્ય : તિષ્ય ..... પુનત્યયાતિ અને આ શ્લોકમાં કહ્યું કે વજના ચોખા જેવા વેધસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધતા વિઘાત કરનારું અપાયશક્તિનું માલિત્ય નથી એ, વ્યવહારિક વેધસંવેદ્યપદરૂપ ભાવને આશ્રયીને કહેવાયું. વળી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૬ નિશ્ચયથી–નિશ્ચયનયથી, પ્રતિપતિત સર્શતવાળા=ભ્રષ્ટ નિશ્ચયનયથી સમ્યગ્દર્શનવાળા, અનંત સંસારીઓને વેધસંવેદ્યપદનો ભાવ નથી જ= ક્ષયોપશમભાવના સમ્યકત્વકાળમાં પણ વેધસંવેદ્યપદનો ભાવ નથી જ; કેમ કે વૈશ્ચયિક તદ્વાન એવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં=નિશ્ચયનયને અભિમત એવા વેધસંવેદ્યપદવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં, શ્રેણિક આદિની જેમ ફરી દુર્ગતિનો અયોગ હોવાને કારણે તખલોહપદાસ તુલ્ય પણ ચરમ જ પાપપ્રવૃત્તિની ઉપપત્તિ છે. જે પ્રમાણે કહેવાયું છે જે પ્રમાણે “યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૭૦-૭૧માં કહેવાયું છે – અતઃ આનાથી=અવેદ્યસંવેદ્યપદથી, અન્ય–બીજું=વેદસંવેદ્યપદ ૩ત્તર સુ= સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં છે. સ્મા–આનાથી=વેવસંવેદ્યપદથી કર્મના અપરાધના કારણે પણ, પાપમાં=પાપકર્મરૂપ હિસાદિમાં વૃત્તિ:=પ્રવૃત્તિ, જો કદાચિત હોય તો તપાવેલા લોઢા ઉપર પગના સ્થાપન તુલ્ય છે.” (યો.દ.સ. શ્લોક-૭૦-૭૧) ૭૦ વેદ્યસંવેદ્યપદથી સંવેગના અતિશયને કારણે પણ આ પાપપ્રવૃત્તિ પરમ વૈ=છેલ્લી જ મવતિ થાય છે, કેમ કે ફરી દુર્ગતિનો અયોગ છે. શ્લોકમાં “ત' પાદપૂર્તિમાં છે.” (યો.દ.સ. શ્લોક-૭૦-૭૧) ૭૧TI ઉદ્ધરણ પછીતો “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પરકા ભાવાર્થ - વ્યવહારિક અને નૈચ્ચયિક વેધસંવેધપદ ક્યાં છે? - શ્લોકમાં કહ્યું કે વજના ચોખા જેવા વેદ્યસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય નથી. એ કથન જીવમાં રહેલા વ્યવહારનયને અભિમત એવા વેદ્યસંવેદ્યપદરૂપ ભાવને આશ્રયીને કહેવાયું છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે ક્ષયોપશમ સમ્યગ્દર્શનવાળા જીવોમાં વ્યવહારનય વેદ્યસંવેદ્યપદ સ્વીકારે છે, અને તેવા ક્ષયોપશમ સમ્યગ્દર્શનવાળા જીવો પાપપ્રવૃત્તિ કરે તો તખ્તલોહપદન્યાસતુલ્ય કરતા હોય છે. તેથી તેઓની પાપપ્રવૃત્તિમાં નરકાદિ અપાયશક્તિનું માલિન્ય નથી. આમ છતાં ક્ષયોપશમભાવનું સમ્યક્ત્વ પાત પામી શકે છે, અને ક્ષયોપશમભાવના સમ્યક્ત્વથી પાત પામીને જીવો Page #100 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬ ૮૧ અનંત સંસારી થાય છે ત્યારે અપાયશક્તિના માલિન્યવાળા થાય છે, અને દુરંત સંસારના પરિભ્રમણને કરે છે; તોપણ જે વખતે ક્ષોપશમભાવનું સમ્યગ્દર્શન વિદ્યમાન છે, તે વખતે વિપર્યાસ નહીં હોવાથી ભગવાનના વચનથી કોઈ પણ વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે ‘આ પ્રવૃત્તિ મારા માટે એકાંત અહિતનું કારણ છે.' એવી સ્થિર બુદ્ધિ હોવાથી, તે પાપપ્રવૃત્તિ સકંપ બને છે. તેથી તે સેવાયેલું પાપ નરકાદિ અપાયનું કારણ બનતું નથી. માટે વ્યવહારિક એવા પણ વેદ્યસંવેદ્યપદમાં અપાયશક્તિનું માલિન્ય નથી. વળી નિશ્ચયનય તો સમ્યગ્દર્શનથી પાત પામેલા એવા અનંત સંસારીઓને ક્ષયોપશમ સમ્યક્ત્વકાળમાં પણ વેઘસંવેદ્યપદ સ્વીકારતો નથી, અને કહે છે કે જેનામાં વેદ્યસંવેદ્યપદ હોય, તેનામાં તપ્તલોહપદન્યાસતુલ્ય પણ પાપપ્રવૃત્તિ ચરમ જ હોય, અને જેનામાં ચરમ પાપપ્રવૃત્તિ નથી, તેનામાં વેદ્યસંવેદ્યપદ નથી. તેથી ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા જીવોમાં નિશ્ચયનય વેદ્યસંવેદ્યપદ સ્વીકારતો નથી. અહીં વિશેષ એ છે કે પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો સંસારની પ્રવૃત્તિને પાપરૂપ માને છે, અને મોક્ષમાર્ગને પોતાના હિતનું કારણ માને છે, તેથી સ્વબોધને અનુરૂપ હિતમાં પ્રવૃત્તિ કરે છે; અને પ્રમાદવશ સંસારની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તે પ્રવૃત્તિને પાપરૂપ માને છે, તેથી તેઓની તે પાપપ્રવૃત્તિ સકંપ છે; પરંતુ જે અંશમાં સૂક્ષ્મબોધ નથી, તે અંશમાં ભગવાનના વચનથી વિપરીત રુચિ છે, અને તે વિપરીત રુચિ સ્વયં પાપરૂપ છે, અને તે વિપરીત રુચિથી જે કંઈ વિપરીત પ્રવૃત્તિ થાય છે, તે પણ પાપરૂપ છે, પરંતુ તેમાં પાપબુદ્ધિ નહીં હોવાને કારણે તે પાપપ્રવૃત્તિ સકંપ નથી, પરંતુ નિષ્કપ છે, અને નિષ્કપ પાપપ્રવૃત્તિ નરકાદિ અપાયનું કારણ છે. તેથી ચાર દૃષ્ટિવાળા જીવોમાં અપાયશક્તિનું માલિન્ય કંઈક અંશથી છે. ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનવાળા જીવોમાં ભગવાનના વચનની સ્થિર રુચિ છે, અને ભગવાનના વચનથી વિપરીત નાનામાં નાની પ્રવૃત્તિ પણ તેઓને પાપરૂપ લાગે છે, અને આ પ્રવૃત્તિ પોતાના અહિતનું કારણ છે, તેમ પણ સ્પષ્ટ જણાય છે. તેથી જો ક્વચિત્ તે પાપપ્રવૃત્તિ કરતા હોય તોપણ સકંપ પાપપ્રવૃત્તિ કરે છે. તેથી ક્ષાયોપમિક સમ્યગ્દર્શનવાળા જીવોની પાપપ્રવૃત્તિ અપાયશક્તિના Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તારાદિત્રયદ્રાસિંશિકા/શ્લોક-૨૬-૨૭ માલિન્યવાળી નથી; આમ છતાં, ક્ષાયોપથમિક સમ્યકત્વથી પાત થાય તો ફરી અપાયશક્તિનું માલિચ આવી શકે છે. તેથી નિશ્ચયનય ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનવાળા જીવોમાં વેદ્યસંવેદ્યપદ સ્વીકારતો નથી. જે જીવોને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, તેઓ પ્રાયઃ પાપપ્રવૃત્તિ કરે નહીં, અને ક્વચિત્ પાપપ્રવૃત્તિ કરતા હોય તો સકંપ પણ હોય અને ચરમ પણ હોય. તેથી નૈશ્ચયિક સમ્યગ્દર્શનવાળા જીવોમાં નરકાદિ અપાયશક્તિનું માલિન્ય સર્વથા ગયેલું જ છે, પરંતુ ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનવાળા જીવોની જેમ ફરીથી પ્રાપ્ત થાય તેવું નથી. સારાંશ :(૧) દષ્ટિ બહારના જીવોમાં અપાયશક્તિનું માલિન્ય છે. (૨) પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં અપાયશક્તિનું માલિન્ય ઓછું છે, તોપણ સર્વથા ગયું નથી. . (૩) લાયોપથમિક સમ્યગ્દર્શનવાળા જીવોમાં=વ્યાવહારિક વેદ્યસંવેદ્યપદવાળા જીવોમાં, ક્ષયોપશમ ભાવના સમ્યક્ત કાળમાં અપાયશક્તિનું માલિન્ય નહીં હોવા છતાં ફરી પ્રાપ્તિની યોગ્યતારૂપે અપાયશક્તિનું માલિન્ય વિદ્યમાન છે. (૪) ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોમાં=નૈશ્ચયિક વેધસંવેદ્યપદવાળા જીવોમાં, સર્વથા અપાયશક્તિનું માલિન્ય નથી. IIરા. અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે વેદસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધના વિઘાત કરનારું અપાયશક્તિનું માલિત્ય નથી. તેથી એ પ્રાપ્ત થયું કે દીપ્રાદષ્ટિમાં અપાયશક્તિનું માલિવ્ય હોવાને કારણે સૂક્ષ્મબોધ નથી. હવે દીપ્રાદષ્ટિના બોધમાં સૂક્ષ્મબોધ નથી, તેને સ્પષ્ટ કરવા માટે અવેધસંવેદ્યપદમાં અપાયશક્તિનું માલિચ કેમ છે ? તે બતાવે છે – શ્લોક - तच्छक्तिः स्थूलबोधस्य बीजमन्यत्र चाक्षतम् । तत्र यत्पुण्यबन्धोऽपि हन्तापायोत्तरः स्मृतः ।।२७।। Page #102 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૨૭ અન્વયાર્થ: =અને અન્યત્ર-અવેધસંવેદ્યપદમાં તછત્ત ધૂનવોચ્ચ વીઝ—સ્કૂલબોધનું બીજ અપાયની એવી શક્તિ નક્ષત—અક્ષત છે; =જે કારણથી તત્રક ત્યાં અવેધસંવેદ્યપદમાં પુષ્પન્થોડપિ પુણ્યબંધ પણ અપાયોત્તર=અપાય છે ઉત્તરમાં જેને એવો મૃત =કહેવાયો છે. રા. શ્લોકાર્થ: અને અવેધસંવેધપમાં સ્કૂલબોધનું બીજ એવી તેની શક્તિ=અપાયની શક્તિ, અક્ષત છે; જે કારણથી ત્યાં પુણ્યબંધ પણ, અપાય છે ઉત્તરમાં જેને એવો કહેવાયો છે. ||રા શ્લોકમાં દત્ત' ખેદાર્થક અવ્યય છે. ટીકા - तच्छक्तिरिति-अन्यत्र च-अवेद्यसंवेद्यपदे, तच्छक्ति: अपायशक्तिः स्थूलबोधस्य बीजमक्षतम्-अनभिभूतं, तत्र अवेद्यसंवेद्यपदे यत् अस्मात् पुण्यबन्धोऽपि हन्तापायोत्तरो-विघ्ननान्तरीयकः स्मृतः, ततस्तत्पुण्यस्य पापानुबन्धित्वात् ર૭ા ટીકાર્ય : સત્ર.. પાપાનુવંચૈિત્વાન્ ! અને અન્યત્ર અવેધસંવેદ્યપદમાં, સ્થૂલબોધનું બીજ એવી તેની શક્તિ અપાયની શક્તિ અક્ષત છે અનભિભૂત છેયોગમાર્ગની પ્રવૃત્તિથી સંપૂર્ણ હણાઈ ગયેલું નથી, ય—સ્મા–જે કારણથી, ત્યાં અવેધસંવેદ્યપદમાં, પુણ્યબંધ પણ “અપાય છે ઉત્તરમાં જેને' એવોર વિધ્યની સાથે અવિવાભાવિ, કહેવાયો છે; કેમ કે તે પુણ્યનું અવેદ્યસંવેદ્યપદમાં બંધાતા પુણ્યનું પાપાનુબંધીપણું છે. રા. ભાવાર્થ - અવેધસંવેધપમાં અપાયશક્તિના માલિન્યને કારણે પાપાનુબંધી પુણ્યબંધ - દૃષ્ટિ બહારના જીવોમાં અવેદ્યસંવેદ્યપદ છે, અને પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં પણ કંઈક અવેદ્યસંવેદ્યપદ છે. વળી પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૭ સ્કૂલબોધ છે, સૂક્ષ્મબોધ નથી, અને તે સ્કૂલબોધનું બીજ અપાયશક્તિ છે. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય વિદ્યમાન છે. આ અપાયશક્તિ પ્રથમની ચાર દૃષ્ટિ સુધી અક્ષત છે યોગમાર્ગના બોધથી અભિભૂત થઈ નથી. તેથી પ્રથમની ચાર દૃષ્ટિ સુધીના જીવોને સૂક્ષ્મબોધ નથી. સૂક્ષ્મબોધ કેમ નથી ? તેમાં યુક્તિ બતાવે છે – અવેદ્યસંવેદ્યપદમાં પુણ્યબંધ થાય છે, તે પણ અપાયના ઉત્તરવાળો છે અર્થાત્ તે પુર્યાબંધ ભાવિમાં અપાયને ઉત્પન્ન કરાવે તેવો છે; અને તે સ્પષ્ટ કરવા ટીકામાં કહ્યું કે આ પુણ્યબંધ વિખનાન્તરીય'=યોગમાર્ગમાં વચ્ચે વિઘ્ન કરે તેવો છે; કેમ કે તે પુણ્ય પાપાનુબંધી છે. આશય એ છે કે તત્ત્વના વિષયમાં જે કાંઈ વિપર્યા છે, તે અવેદ્યસંવેદ્યપદરૂપ છે, અને પ્રથમની ચાર દૃષ્ટિ સુધીના જીવોમાં કંઈક માર્ગાનુસારી બોધ થવા છતાં તત્ત્વના વિષયમાં વિપર્યાસ પણ વિદ્યમાન છે, અને આ વિપર્યાસ પાપના અનુબંધનું કારણ છે. તેથી પ્રથમ ચાર દૃષ્ટિવર્તી જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે ત્યારે જે કંઈ પુણ્યબંધ કરે છે, તે પુણ્યબંધમાં વિપર્યાસના પરિણામને કારણે પાપાનુબંધીપણું પ્રાપ્ત થાય છે. તેથી તે પુણ્ય જ્યારે વિપાકમાં આવશે ત્યારે પણ ફરી જીવને વિપર્યાસ પેદા કરાવશે, અને વિપર્યાસ એ દુરંત સંસારના પરિભ્રમણનું કારણ છે, તેથી નરકાદિ અપાયશક્તિના મલિનપણારૂપ આ વિપર્યાય છે. અહીં વિશેષ એ છે કે દૃષ્ટિ બહારના જીવોમાં એકાંત વિપર્યાસ હોય છે. તેથી દૃષ્ટિ બહારના જીવો લેશ પણ યોગમાર્ગને અભિમુખ થયા નથી; અને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો યોગમાર્ગના અભિમુખ પરિણામવાળા છે, અને કંઈક યોગમાર્ગને સેવે પણ છે; આમ છતાં તત્ત્વના વિષયમાં કંઈક વિપર્યાસ પણ છે, અને તે વિપર્યાસ સામગ્રી મળતાં નિવર્તન પામે તેવો શિથિલ છે, છતાં વિપર્યાસ એ પાપના અનુબંધને કરનારો છે. કોઈપણ જીવ શુભ કાર્ય કરતો હોય ત્યારે પુણ્ય બાંધે છે, તોપણ જો તે જીવમાં વિપર્યાય હોય તો તે પુણ્યબંધ પાપના અનુબંધવાળો થાય છે. તેથી દૃષ્ટિ બહારના જીવોમાં તીવ્ર વિપર્યા હોવાને કારણે તેઓ સદનુષ્ઠાન દ્વારા Page #104 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૭-૨૮ ૮૫ પુણ્ય બાંધતા હોય તોપણ એકાંતે પાપાનુબંધી પુણ્ય બાંધે છે; અને પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં કંઈક વિપર્યાસ ગયો છે, તે અપેક્ષાએ તેઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. આથી મેઘકુમારને હાથીના ભાવમાં પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ છે, એ પ્રકારનું શાસ્ત્રવચન છે; તોપણ પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં જેમ માર્ગાનુસારી બોધને કારણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, તેમ વિપર્યાસને કારણે પાપાનુબંધી પુણ્ય પણ બંધાય છે. તેથી પુણ્યાનુબંધી પુણ્યની વિવક્ષા કરી ત્યારે તે જીવો પાપાનુબંધી પુણ્ય બાંધે છે, તેની વિવક્ષા કરેલ નથી; અને જ્યારે ચાર દૃષ્ટિવર્તી જીવો અવેદ્યસંવેદ્યપદને કારણે પાપાનુબંધી પુણ્ય બાંધે છે, એમ શાસ્ત્રકારોએ કહ્યું, ત્યારે માર્ગાનુસારી બુદ્ધિથી જે પુણ્યાનુબંધી પુણ્ય થાય છે, તેની વિવક્ષા કરી નથી; કેમ કે પ્રથમની ચાર દૃષ્ટિમાં રહેલા જીવોમાં વર્તતા અવેદ્યસંવેદ્યપદ કૃત કેવું પુણ્ય બંધાય છે, તે અહીં બતાવવું છે. Iળી અવતરણિકા: પૂર્વશ્લોકમાં બતાવ્યું કે ચાર દૃષ્ટિ સુધીના જીવોમાં સ્કૂલ બોધનું બીજ એવી અપાયશક્તિ વિદ્યમાન છે, તેથી તેઓને સૂક્ષ્મબોધ નથી. હવે પ્રથમતી ચાર દૃષ્ટિવાળા જીવોમાં વૈરાગ્ય છે, તે પણ જ્ઞાનગર્ભિત નથી, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - प्रवृत्तिरपि योगस्य वैराग्यान्मोहगर्भतः । प्रसूतेऽपायजननीमुत्तरां मोहवासनाम् ।।२८।। અન્વયાર્થ: (તત્ર ત્યાં=અવેધસંવેદ્યપદમાં) મોદાર્મિત વેરાથા=મોહગર્ભવાળા વૈરાગ્યથી યોગી પ્રવૃત્તિરપિ યોગની પ્રવૃત્તિ પણ ૩ત્તરામપાયનનન =ઉત્તરમાં અપાયને ઉત્પન્ન કરનારી મોદવાનાં-મોહવાસનાને પ્રસૂતે ઉત્પન્ન કરે છે. ૨૮ શ્લોકાર્ચ - (અવેધસંવેધપદમાં) મોહગર્ભવાળા વૈરાગ્યથી યોગની પ્રવૃત્તિ પણ ઉત્તરમાં અપાયને ઉત્પન્ન કરનારી મોહવાસનાને ઉત્પન્ન કરે છે. ર૮II Page #105 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયાત્રિશિકા/શ્લોક-૨૮ ક પ્રવૃત્તિરપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અવેદ્યસંવેદ્યપદમાં બોધ તો અપાયશક્તિવાળો છે, પરંતુ પ્રવૃત્તિ પણ અપાયશક્તિને ઉત્પન્ન કરાવનાર એવી મોહવાસનાને ઉત્પન્ન કરે છે. ટીકા - प्रवृत्तिरपीति-तत्रेति प्राक्तनमत्रानुषज्यते, तत्र मोहगर्भतो वैराग्यात् योगस्य प्रवृत्तिरपि सद्गुरुपारतन्त्र्याभावेऽपायजननीमुत्तरां मोहवासनां प्रसूते, मोहमूलानुष्ठानस्य मोहवासनाऽवन्ध्यबीजत्वात्, अतोऽत्र योगप्रवृत्तिरप्यकिञ्चित्करीति માવઃ ૨૮ાા ટીકાર્ય : તન્નતિ . માવ: | ‘તત્ર' શબ્દની પૂર્વશ્લોક-૨૭માંથી અહીં અનુવૃત્તિ છે. ત્યાં અવેધસંવેદ્યપદમાં, મોહગર્ભવાળા વૈરાગ્યથી યોગની પ્રવૃત્તિ પણ સદ્ગુરુના પાતંત્ર્યનો અભાવ હોતે છતે ઉત્તરમાં અપાયને ઉત્પન્ન કરાવનાર એવી મોહવાસનાને ઉત્પન્ન કરે છે; કેમ કે મોહમૂલવાળા અનુષ્ઠાનનું મોત છે મૂળમાં જેને એવા યોગના અનુષ્ઠાનનું, મોહવાસનાનું અવંધ્યબીજાણું છે. આથી=મોહમૂલક અનુષ્ઠાન મોહવાસનાનું અવંધ્ય બીજ છે આથી, અહીં=અવેવસંવેદ્યપદમાં પ્રથમની ચાર દષ્ટિવર્તી જીવોમાં વર્તતા અવેદ્યસંવેદ્યપદમાં, યોગની પ્રવૃત્તિ પણ અકિંચિત્કર છે, એ પ્રકારનો ભાવ છે. ૨૮. ભાવાર્થચાર દષ્ટિ સુધી અવેધસંવેધપદ હોવાને કારણે વૈરાગ્ય પણ મોહથી ગર્ભિત: યોગની પ્રથમ ચાર દૃષ્ટિ સુધી જીવમાં અવેદ્યસંવેદ્યપદ છે અને આ અવેદ્યસંવેદ્યપદ વર્તતું હોય તેવા સમયે આ દૃષ્ટિમાં સ્વદર્શનનો ઇષદ્ રાગ હોય છે, જે મોહનો પરિણામ છે. તેથી ભવના સ્વરૂપનું ચિંતવન કરીને ભવથી વિરક્ત થયેલા પ્રથમની ચાર દૃષ્ટિવાળા યોગીઓમાં જે વૈરાગ્ય છે, તે પણ મોહગર્ભ છે, પરંતુ જ્ઞાનગર્ભ નથી; અને આ મોહગર્ભ વૈરાગ્યવાળા જીવોને સદ્ગુરુનું પારતંત્ર ન મળે તો પોતાના મોહના પરિણામને અવસ્થિત રાખીને Page #106 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૮-૨૯ ૮૭ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય છે. તેથી તેવી મોહગર્ભ પ્રવૃત્તિથી મોહની વાસના ઉત્પન્ન થાય છે, જેથી મોહગર્ભ વૈરાગ્યવાળા જીવો ઉત્તરમાં નરકાદિ અપાયને ઉત્પન્ન કરાવે એવી મોહવાસનાને ઉત્પન્ન કરે છે; કેમ કે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો જે કંઈ અનુષ્ઠાન સેવે છે, તે સર્વ અનુષ્ઠાનમાં પણ વિપર્યાસરૂપ મોહ પડેલો છે. તેથી તે અનુષ્ઠાનથી ફરી અવશ્ય મોહવાસના પ્રગટ થવાની છે. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોની યોગપ્રવૃત્તિ પણ અકિંચિત્કર છે. અહીં વિશેષ એ છે કે વિપર્યાસને પ્રધાન કરીને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોની યોગની પ્રવૃત્તિ અકિંચિત્કર કહેલ છે, અને આ જીવોને ગુણવાનનું પારતંત્ર્ય મળે તો તેઓની યોગપ્રવૃત્તિ સફળ થાય, અન્યથા નહીં, તેમ બતાવવું છે. આથી જ ૧૫૦૦ તાપસોની મોહમૂલક પ્રવૃત્તિ શાસ્ત્રકારોએ અકિંચિત્કર કહી અને ગૌતમસ્વામીના યોગથી તેઓની પ્રવૃત્તિ મોક્ષની પ્રાપ્તિ કરાવનારી થઈ. આ વાત માટે જુઓ ‘ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથ' પ્રથમ ઉલ્લાસ, ગાથા નં. ૭. I॥૨૮॥ અવતરણિકા : પ્રથમની ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારી અપાયશક્તિ વિદ્યમાન છે, તે વાત શ્લોક-૨૭માં બતાવી. વળી બતાવ્યું કે ત્યાં પુણ્યબંધ થાય છે, તે પણ પાપાનુબંધી થાય છે. વળી પહેલી ચાર દૃષ્ટિવર્તી જીવો યોગની પ્રવૃત્તિ કરે છે, તે પણ મોહગર્ભિત વૈરાગ્યવાળી છે, તેથી દુર્ગતિની પ્રાપ્તિરૂપ અપાયને ઉત્પન્ન કરાવનારી મોહવાસનાને ઉત્પન્ન કરે છે. આ રીતે પ્રથમની ચાર દૃષ્ટિમાં રહેલું અવેધસંવેદ્યપદ કઈ રીતે અનર્થકારી છે, તે બતાવ્યું. હવે તે અવેઘસંવેદ્યપદકાળમાં યોગમાર્ગના સેવનથી બંધાતું પુણ્ય પણ કેવું હોય છે ? અને અવેધસંવેદ્યપદને કારણે પાપ બંધાય છે, તે કેવું બંધાય છે ? તે બતાવે છે શ્લોક ઃ - अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकम् । भवाभिनन्दिजन्तूनां पापं स्यात्सानुबन्धकम् ।।२९।। Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૯ તારાદિત્રયદ્વાચિંશિકા/બ્લોક-૨૯ અન્વયાર્થ : વેદ્યસંવેદ્યપદે અવેદ્યસંવેદ્યપદમાં, ભવામિનનિનજૂનાં ભવાભિનંદી જીવોને નિરનુવન્યવં પુષં તિરનુબંધ પુષ્ય, સાનુવચમ્ પાપં સાનુબંધ પાપ –થાય છે. ૨૯ો. શ્લોકાર્ચ - અવેધસંવેધપદમાં ભવાભિનંદી જીવોને નિરનુબંધ પુણ્ય, સાનુબંધ પાપ થાય છે. ર૯ll ટીકા - अवेद्येति-अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकम्=अनुबन्धरहितं स्यात्, यदि कदाचिन्न स्यात् पापानुबन्धि, सानुबन्धे तत्र ग्रन्थिभेदस्य नियामकत्वात्, भवाभिनन्दिनां क्षुद्रत्वादिदोषवतां जन्तूनां पापं सानुबन्धकम् अनुबन्धसहितं स्यात्, रागद्वेषादिप्राबल्यस्य तदनुबन्धावन्ध्यबीजत्वात् ।।२९।। ટીકાર્ય : વેદ્યસંવેપ... તલનુવાવસ્થવીનત્વત્િ અવેદ્યસંવેદ્યપદમાં બિરનુબંધ= અનુબંધ રહિત, પુણ્ય થાય, જો કદાચિત્ પાપાનુબંધી ન થાય તો તિરનુબંધ પુણ્ય થાય; કેમ કે સાનુબંધ એવા તેમાં પુણ્યમાં અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યમાં ગ્રંથિભેદનું નિયામકપણું છે. અવેદ્યસંવેદ્યપદમાં પુણ્ય નિરનુબંધ થાય તે બતાવ્યું. હવે અવેદ્યસંવેદ્યપદમાં જીવો કેવી પ્રકૃતિવાળા છે ? અને કેવું પાપ બાંધે છે ? તે બતાવવા અર્થે કહે છે – ભવાભિનંદીઓને ક્ષુદ્રતાદિ દોષવાળા પ્રાણીઓને સાનુબંધ અનુબંધસહિત પાપ થાય; કેમ કે રાગ-દ્વેષાદિ પ્રાબલ્યનું તેના અનુબંધનું અવંધ્યબીજાણું છે–પાપના અનુબંધનું અવંધ્યકારણપણું છે. ૨૯iા * “ રાષ' અહીં ‘દ્રિ' થી મોહ–મિથ્યાત્વનું ગ્રહણ કરવું. Page #108 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયાત્રિશિકા/બ્લોક-૨૯ ભાવાર્થ : અવેધસંવેધપદમાં નિરનુબંધ પુણ્યની પ્રાપ્તિ અને સાનુબંધ પાપની પ્રાપ્તિ - પ્રથમની ચાર દૃષ્ટિ સુધીના જીવોમાં અવેદ્યસંવેદ્યપદ સર્વથા ગયું નથી, અને તે અવેદ્યસંવેદ્યપદ જ્યારે વર્તતું હોય ત્યારે જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય અને તેનાથી પાપાનુબંધી પુણ્ય ન બાંધતા હોય તો તે પુણ્ય નિરનુબંધ હોય છે. આશય એ છે કે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો અવેદ્યસંવેદ્યપદની અસરથી ઉપયુક્ત થઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય તો સ્વદર્શન પ્રત્યેનો રાગ કે સ્વરુચિ પ્રત્યેનો રાગ ઉપયોગરૂપે વર્તતો હોય, અથવા તો તત્ત્વ પ્રત્યેનો રાગ પ્લાન અવસ્થામાં વર્તતો હોય, તે વખતે જે અસદ્ગહ ઉપયોગમાં સ્કુરાયમાન થઈ રહ્યો છે, તેને કારણે ધર્મની પ્રવૃત્તિથી બંધાતું પુણ્ય પણ પાપાનુબંધી બંધાય છે; અને સ્વદર્શનના રાગનું વલણ ઉપયોગમાં વ્યક્ત પ્રવર્તતું ન હોય, આમ છતાં, તે વલણ નીચે પ્રવૃત્તિ થતી હોય ત્યારે ધર્મની પ્રવૃત્તિથી જે પુણ્ય બંધાય છે, તે નિરનુબંધ છે; કેમ કે સાનુબંધ પુણ્યાનુબંધી પુણ્યમાં ગ્રંથિભેદનું નિયામકપણું છે. તેનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવો સાનુબંધ પુણ્ય બાંધી શકે, અને સમ્યકત્વ પામ્યા નથી તેવા અવેદ્યસંવેદ્યપદવાળા જીવોમાં મંદમંદ પણ મિથ્યાત્વનો ઉદય અવશ્ય વર્તે છે, અને તે મિથ્યાત્વના ઉદયથી વિપર્યાસ પણ વર્તે છે, અને તે મિથ્યાત્વનો ઉદય વ્યક્તરૂપે વિપર્યાસમાં પ્રવર્તતો હોય ત્યારે ધર્મની પ્રવૃત્તિથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે, અને જ્યારે તે મિથ્યાત્વનો ઉદય ઉપયોગમાં વ્યક્તરૂપે પ્રવર્તતો ન હોય ત્યારે ધર્મની પ્રવૃત્તિથી બંધાતું પુણ્ય નિરનુબંધ છે. વળી આ ચાર દૃષ્ટિવાળા જીવોમાં અવેદ્યસંવેદ્યપદ હોવાને કારણે ભવાભિનંદીપણાના કંઈક અંશો પણ છે, તેથી ભવના કારણભૂત એવા વિપર્યાસને સારરૂપે જુએ છે. તેથી આવા જીવો સંસારની પ્રવૃત્તિ કરીને પાપ બાંધતા હોય ત્યારે સાનુબંધ પાપ બાંધે છે; કેમ કે સાનુબંધ પાપમાં અનંતાનુબંધીના ઉદયથી પ્રગટ થયેલા રાગ-દ્વેષ અને મિથ્યાત્વના પ્રાબલ્યનું કારણ પણું છે, અને પ્રથમની ચાર દૃષ્ટિ સુધી જીવોમાં હજુ કંઈક અંશે પ્રબળ રાગ-દ્વેષ અને મિથ્યાત્વ વિદ્યમાન છે, ફક્ત ગુણવાન પુરુષના સાંનિધ્યથી તે નિવર્તન પામે તેવા છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૨૯-૩૦ અહીં વિશેષ એ છે કે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં જેમ અવેદ્યસંવેદ્યપદ છે, તેમ અતાત્ત્વિક એવું વેદ્યસંવેદ્યપદ પણ છે, અને જે વેદ્યસંવેદ્યપદ છે, તે સમ્યગ્દષ્ટિકાલિન એવા તાત્ત્વિકવેદ્યસંવેદ્યપદનું કારણ છે, તેથી સર્વથા નિષ્ફળ નથી; અને જ્યારે પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો યોગબીજો ગ્રહણ કરે છે, ત્યારે તેઓમાં રહેલું વેદ્યસંવેદ્યપદ સમ્યક્ત્વની પ્રાપ્તિને અભિમુખ પ્રવૃત્ત હોય છે, તે વખતે તેઓ પુણ્યાનુબંધી પુણ્ય પણ બાંધે છે. આમ છતાં, તેની અહીં વિવક્ષા કરેલ નથી; કેમ કે અહીં અવેદ્યસંવેદ્યપદનું કાર્ય બતાવવું છે, પણ પ્રથમની ચાર દૃષ્ટિમાં રહેલાં વેદ્યસંવેદ્યપદનું કાર્ય બતાવવું નથી. III સારાંશ - પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં કંઈક અંશથી વેદ્યસંવેદ્યપદ છે, તો કંઈક અંશથી અવેદ્યસંવેદ્યપદ પણ છે, અને અવેદ્યસંવેદ્યપદ વેદ્યસંવેદ્યપદ કરતાં પ્રબળ છે. (૧) જ્યારે આ જીવો યોગબીજો ગ્રહણ કરે છે ત્યારે તેઓનું વેઘસંવેદ્યપદ ખીલી રહ્યું છે. તેથી તે અંશને આશ્રયીને પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. (૨) સ્વદર્શનના રાગ નીચે ઉપયોગ પ્રવર્તતો હોય તો અવેદ્યસંવેદ્યપદ ખીલતું હોય છે. ત્યારે યોગમાર્ગની પ્રવૃત્તિથી બંધાતું પુણ્ય પાપાનુબંધી થાય છે. (૩) જ્યારે સ્વદર્શનના રાગથી ઉપયુક્ત થઈને યોગમાર્ગની પ્રવૃત્તિ નથી, ત્યારે અવેદ્યસંવેદ્યપદ વૃદ્ધિ પામી રહ્યું નથી, પરંતુ અવસ્થિત છે; અને યોગબીજોનું ગ્રહણ થાય તેવો ઉપયોગ પણ નથી, તેથી વેદ્યસંવેદ્યપદ પણ ખીલી રહ્યું નથી. તે વખતે યોગમાર્ગની પ્રવૃત્તિથી નિરનુબંધ પુણ્ય થાય છે. ૨૯ll અવતરણિકા : અવેવસંવેદ્યપદમાં પુગ્ય કેવું બંધાય છે ? અને પાપ કેવું બંધાય છે? તે પૂર્વશ્લોકમાં બતાવ્યું. હવે અવેદ્યસંવેદ્યપદકાળમાં કેવો વિપર્યાસ છે? તે બતાવે છે – શ્લોક : कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यमेव हि । अत्र व्यामूढचित्तानां कण्डूकण्डूयनादिवत् ।।३०।। Page #110 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૩૦ અન્વયાર્થ: qvQયાતિવ=પ્રણજના રોગવાળાની ખણજાદિ ક્રિયાની જેમ ચામૂચિત્તાનાં વ્યામૂઢ ચિતવાળાઓને સત્ર=અવેધસંવેદ્યપદમાં ચં ચપ્ન કુકૃત્ય કૃત્ય ચં ચાકૃત્યમેવ હિ અને કૃત્ય અકૃત્ય જ સામાતિ=લાગે છે. ૩૦૧ શ્લોકાર્ય : ખણના રોગવાળાની પ્રણાદિ ક્લિાની જેમ વ્યામૂઢ ચિત્તવાળાઓને અવેધસંવેધપદમાં કુકૃત્ય કૃત્ય અને કૃત્ય અકૃત્ય જ લાગે છે. Il3oll ટીકા : कुकृत्यमिति-कुकृत्यं प्राणातिपातादि कृत्यं करणीयमाभाति, कृत्यं च= अहिंसादि अकृत्यमेव हि अनाचरणीयमेव, अत्र-अवेद्यसंवेद्यपदे व्यामूढचित्तानां= मोहग्रस्तमानसानां, कण्डूलानां कण्डूयनादिवत्, आदिना कृम्याकुलस्य कुष्टिनोऽग्निसेवनग्रहः, कण्डूयकादीनां कण्ड्वादेरिव भवाभिनन्दिनामवेद्यसंवेद्यपदादेव विपर्ययधीरिति भावः ।।३०।। ટીકાર્ચ - ત્યે ... ભાવ: | ખણજના રોગવાળાઓનીઃખણક્રિયામાં સારભૂતતાની બુદ્ધિવાળાઓની, ખણજાદિ ક્રિયાની જેમ, વ્યામૂઢ ચિત્તવાળાઓને-મોહગ્રસ્ત માનસવાળાઓને, અહીં અવેદ્યસંવેદ્યપદમાં કુકૃત્ય પ્રાણાતિપાતાદિ, કૃત્ય=કરણીય, અને કૃત્ય=અહિંસાદિ, અકૃત્ય જ અનાચરણીય જ, લાગે છે. “વ્યનાવિવ' માં રહેલા દિ’ શબ્દથી કૃમિથી આકુળ કોઢ રોગવાળાનું અગ્નિના સેવનનું ગ્રહણ કરવું. ખગજાદિ રોગવાળાઓને ખણજાદિની જેમ ભવાભિનંદીઓને અવેદ્યસંવેદ્યપદથી જ વિપર્યય બુદ્ધિ છે, એ પ્રમાણે ભાવ છે. ૩૦મી ભાવાર્થઅવેધસંવેધપદમાં વર્તતા વિપર્યાસનું સ્વરૂપ - દૃષ્ટિબહારવર્તી જીવોમાં અવેદ્યસંવેદ્યપદ પ્રકર્ષવાળું હોય છે. દૃષ્ટિબહારના જીવો કરતાં પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં અવેદ્યસંવેદ્યપદ કંઈક શિથિલ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તારાદિત્રયદ્વાત્રિંશિકા/મ્લોક-૩૦ હોય છે, તોપણ પ્રથમની ચાર દૃષ્ટિ સુધી અવેઘસંવેદ્યપદ વિદ્યમાન છે, અને તે વખતે તેઓનું મોહગ્રસ્ત માનસ હોય છે. તેથી ખણજ રોગવાળાને ખણજમાં જેમ સુખની બુદ્ધિ થાય છે, તેમ પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનકો જીવ માટે કુકૃત્ય છે, તે તેઓને કૃત્યરૂપે લાગે છે, અને કૃત્યરૂપ જે અહિંસાદિ તે અકૃત્યરૂપે જ લાગે છે. જોકે પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો યમ-નિયમાદિમાં પ્રવૃત્તિ કરે છે, તે અંશમાં તેઓનો વિપર્યાસ ગયો છે, તોપણ સર્વજ્ઞના વચનથી વિપરીત જે કંઈ મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છે, તે પ્રાણાતિપાતાદિના ભાવોસ્વરૂપ છે, અને તે જીવ માટે કુકૃત્ય છે, અને વિપર્યાસને કારણે આવા કુકૃત્યને પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો કૃત્ય માને છે. વળી ભગવાનના વચનાનુસાર પૂર્ણ યોગમાર્ગની પ્રવૃત્તિ જીવ માટે કૃત્ય છે, પરંતુ પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને જે સ્થાનમાં બોધ નથી, તે યોગમાર્ગનું સ્થાન વિપર્યાસને કારણે અનાચરણીયરૂપે દેખાય છે. જેમ ખણજના સુખમાં આસક્ત એવો કોઈ ખણજનો રોગી ખણજના રોગથી પોતે સુખી છે તેમ માને, તેથી ખણજ મટાડવાનો અર્થી નથી, પરંતુ ખણજને ખણીને આનંદ લેવાનો અર્થી છે; તેમ અવેદ્યસંવેદ્યપદવાળા જીવો સંસારનાં કારણોને સેવીને ક્લેશમાંથી આનંદ લેવાના સ્વભાવવાળા છે, અને પરમ અક્લેશરૂપ નિર્વાણના કારણીભૂત યોગમાર્ગમાંથી આનંદ લેવાના સ્વભાવવાળા નથી. તેથી મોક્ષમાર્ગને યથાવત્ સુખરૂપે જાણી શકતા નથી. માટે યોગમાર્ગના સેવનના કૃત્યને પણ અકૃત્યરૂપે જુએ છે. જેમ ખણજના કેટલાક રોગીઓ ખણજના સુખને જ સુખરૂપે જોતા હોય છે, તેમ કેટલાક કુષ્ઠ રોગીઓના શરીરમાં કીડાઓ પડેલા હોય, અને તે કીડાઓથી જ્યારે વ્યાકુળ થાય ત્યારે અગ્નિ પાસે તાપણું કરવા બેસે તે વખતે અગ્નિના તાપથી તે કીડાઓ કંઈક નિશ્ચેષ્ટ જેવા થાય ત્યારે, તે કુષ્ઠરોગી જીવને શાતાનો અનુભવ થાય છે, અને કોઈક વિપર્યાસ બુદ્ધિવાળા તે કુષ્ઠરોગીને ‘આ શાતા જ પરમાર્થથી સુખ છે' તેવી બુદ્ધિ હોય; તો તે કુષ્ઠરોગીને રોગ મટાડવાનું ગમે નહીં, પણ અગ્નિસેવનથી આનંદ લેવાનું ગમે. તેમ અવેઘસંવેદ્યપદવાળા જીવોને ઇન્દ્રિયોથી થતા આહ્લાદમાં સુખબુદ્ધિ હોય છે, અને ‘આ જ પારમાર્થિક સુખ છે' તેવો ભ્રમ વર્તે છે. જ્યારે વેઘસંવેદ્યપદને Page #112 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયહાત્રિશિકા/બ્લોક-૩૦-૩૧ ૯૩ પામેલા જીવો ઇન્દ્રિયોના વિકારોને વિકારરૂપે જોઈ શકે છે, અને નિર્વિકારી સુખને પારમાર્થિક સુખરૂપે જોઈ શકે છે, અને વિકારવાળી અવસ્થાનું સુખ તે પારમાર્થિક સુખ નથી' તેમ પણ જોઈ શકે છે. ફલિતાર્થ : પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં જે અંશથી વેદ્યસંવેદ્યપદ છે, તે અંશથી પોતાના ભાવરોગને રોગરૂપે જાણીને મટાડવા યત્ન કરે છે. આમ છતાં તે જીવોમાં જે અંશથી અવેદ્યસંવેદ્યપદ છે, તે અંશથી વિપર્યાસ પણ છે. તેથી પોતાનામાં વર્તતો ભાવરોગ રોગરૂપે લાગતો નથી, પરંતુ સુખના ઉપાયરૂપે દેખાય છે. ૩૦ અવતરણિકા : અવેધસંવેદ્યપદમાં કુકૃત્ય કૃત્ય લાગે છે અને કૃત્ય અકૃત્ય લાગે છે, તે પૂર્વશ્લોકમાં બતાવ્યું. હવે અવેધસંવેદ્યપદવાળા જીવો કેવી પ્રવૃત્તિ કરીને અનર્થો પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે – શ્લોક : एतेऽसच्चेष्टयात्मानं मलिनं कुर्वते निजम् । बडिशामिषवत्तुच्छे प्रसक्ता भोगजे सुखे ।।३१।। અન્વયાર્થ - તુઓ મોતને સુણે=ભોગથી ઉત્પન્ન થયેલા તુચ્છ સુખમાં વૃદિશામકવન્ટ બડિશ આમિષની જેમ પ્રસવા =ગૃદ્ધ તે=આ=ભવાભિનંદી જીવો સંગ્રેષ્ટચ=અસત્યેષ્ટાથી નિન માત્માનં પોતાના આત્માને મતિ પુર્વક મલિન કરે છે. i૩૧ શ્લોકાર્ચ - ભોગથી ઉત્પન્ન થયેલા તુચ્છ સુખમાં બડિશ આમિષની જેમ ગૃદ્ધ=મસ્યગલમાંસની જેમ ગૃદ્ધ ભવાભિનંદી જીવો અસત્યેષ્ટાથી પોતાના આત્માને મલિન કરે છે. II3II. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તારાદિત્રયદ્વાલિંશિકા/શ્લોક-૩૧ ટીકા : एत इति-एते भवाभिनन्दिनोऽसच्चेष्टया महारम्भादिप्रवृत्तिलक्षणया निजम्= आत्मानं मलिनं कुर्वते कर्मरज:सम्बन्धात्, बडिशामिषवत् मत्स्यगलमांसवत्, तुच्छे=अल्पे रौद्रविपाके प्रसक्ता भोगजे भोगप्रभवे सुखे ।।३१।। ટીકાર્ચ - તે .. સુર ભોગ ભોગથી ઉત્પન્ન થયેલા તુચ્છ અલ્પ અને રૌદ્ર વિપાકવાળા સુખમાં બડિશ આમિષની જેમ=મસ્યગલમાંસની જેમ પ્રસક્ત= ગૃદ્ધ થયેલા આeભવાભિનંદી જીવો મહાઆરંભાદિ પ્રવૃત્તિ સ્વરૂપ અસચ્ચેષ્ટાવે કારણે પોતાના આત્માને કર્મરજના સંબંધથી મલિન કરે છે. ૩૧ મહરિપ્રવૃત્તિનક્ષળયા’ અહીં“ગરિ થી મહાપરિગ્રહાદિની પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : દૃષ્ટિબહારવર્તાિ જીવો ભવાભિનંદી છે, તેમ પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો પણ કંઈક અંશથી ભવનાં કારણોને સારરૂપે જુએ છે તેથી અંશથી ભવાભિનંદી છે, આથી વિકારી સુખને પણ સુખરૂપે જુએ છે. આથી જ તુચ્છ=અલ્પકાળ માટે સુખ આપનારા અને રૌદ્ર વિપાકવાળા એવા ઇન્દ્રિયોના ભોગથી ઉત્પન્ન થયેલા સુખમાં વૃદ્ધ બનીને મહાઆરંભાદિ પ્રવૃત્તિ કરીને કર્મ બાંધે છે. અહીં વિશેષ એ છે કે વેદ્યસંવેદ્યપદવાળા જીવો નિર્વિકારી સુખને પારમાર્થિક સુખરૂપે જુએ છે, પરંતુ જેઓને તેવી નિર્મળ સૂક્ષ્મપ્રજ્ઞા પ્રગટી નથી, આમ છતાં યોગમાર્ગમાં પ્રવૃત્ત છે, તેવા પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો પણ પોતાનામાં રહેલા વિપર્યાસને કારણે કોઈક સ્થાનમાં ઇન્દ્રિયથી થતા સુખમાં સુખબુદ્ધિ ધારણ કરીને કર્મ બાંધે છે, અને તેઓ ગૃહસ્થ અવસ્થામાં હોય તો દુર્ગતિનું કારણ મહાઆરંભાદિ પ્રવૃત્તિ પણ કરે; જ્યારે બાહ્યથી તેમના જેવી સમાન મહાઆરંભાદિની પ્રવૃત્તિ કરનારા પણ વેદ્યસંવેદ્યપદવાળા જીવો વિવેકવાળા હોવાથી અવેદ્યસંવેદ્યપદવાળા જીવોની જેમ આત્માને મલિન કરતા નથી. આથી જ વિવેકવાળા એવા ચક્રવર્તી આદિ, મોટા રાજ્યોને ચલાવનારા હોવા છતાં Page #114 -------------------------------------------------------------------------- ________________ પ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૩૧-૩૨ અને મહાપરિગ્રહવાળા હોવા છતાં, દુર્ગતિઓનું કારણ બને તેવા કર્મો બાંધતા નથી. વડશનિષત્ અહીં ‘વડશમિષવત્ દૃષ્ટાંત આપ્યું, તેનો ભાવ આ પ્રમાણે છે. માછલાને પકડવા માટે માછીમાર કાંટા પર માંસ ભરાવીને સમુદ્રાદિમાં જાળ નાખે છે ત્યારે માંસના લુબ્ધ માછલાઓ માંસથી આકર્ષાઈ માંસ ખાઈ ક્ષણભર ખાવાનું સુખ અનુભવે છે, અને તત્કાળ કંટકના વેધથી અંતે મૃત્યુથી મહાવેદનાને અનુભવે છે. તેમ સંસારી જીવો સંસારના ભાગમાં આસક્ત બની ક્ષણભર ઇન્દ્રિયોના આલ્લાદને અનુભવે છે, અને તત્કાળ આસક્તિથી થયેલી વિહ્વળતાનો અનુભવ કરે છે, અને અંતે કર્મ બાંધીને દુરંત સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. Il૩૧ અવતરણિકા - પ્રથમની ચાર દૃષ્ટિ સુધી અવેધસંવેદ્યપદ છે અને તે અવેદ્યસંવેદ્યપદ કેવું અનર્થકારી છે ? તે વાત શ્લોક-૨૬ થી ૩૧ સુધી બતાવી. હવે અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોએ શું યત્ન કરવો જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : अवेद्यसंवेद्यपदं सत्सङ्गागमयोगतः । तद् दुर्गतिप्रदं जेयं परमानन्दमिच्छता ।।३२।। અન્વયાર્થ: ત—તસ્મા—િતે કારણથી શ્લોક-૨૬ થી ૩૧ સુધી બતાવ્યું એવા પ્રકારનું દારુણ વિપાકવાળું અવેધસંવેદ્યપદ છે તે કારણથી, પરમાનમછતાં પરમાનંદને ઈચ્છતા પુરુષેતુતિપર્વ વેદસંવેદપર્વ દુર્ગતિ આપનાર એવા અવેધસંવેદપદને સત્સામિયકાત=સત્સંગ અને આગમતા યોગથી, નેવં જીતવું જોઈએ. li૩૨૫ શ્લોકાર્થ : તે કારણથી પરમાનંદને ઈચ્છતા પુરુષે દુર્ગતિને આપનાર એવા અવેધસંવેધપદને સત્સંગ અને આગમના યોગથી જીતવું જોઈએ. ll3 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૩ર ટીકા - अवेद्येति-यतोऽस्यायं दारुणो विपाकः तत्तस्मादवेद्यसंवेद्यपदं दुर्गतिप्रदं= नरकादिदुर्गतिकारणं सत्सङ्गागमयोगतो विशिष्टसङ्गमागमसम्बन्धात् परमानन्दं मोक्षसुखमिच्छता जेयं, अस्यामेव भूमिकायामन्यदा जेतुमशक्यत्वात्, अत एवानुवादपरोऽप्यागम इति योगाचार्या:, अयोग्यनियोगासिद्धेरिति ।।३२।। ટીકાર્ચ - વેદ્યતિ-યતોડાવું ...... ને જે કારણથી આનો=અવેદ્યસંવેદ્યપદનો, આ શ્લોક-૨૬ થી ૩૧ સુધી બતાવ્યું છે, દારુણ વિપાક છે, તે કારણથી સત્સંગ અને આગમના યોગથી=સપુરુષોના વિશિષ્ટ પ્રકારના સંગથી, અને આગમના વિશિષ્ટ પ્રકારના સંબંધથી, પરમાનંદને=મોક્ષસુખને, ઇચ્છતા એવા પુરુષે, દુર્ગતિને આપનાર=નરકાદિ દુર્ગતિનું કારણ એવા અવેધસંવેદ્યપદને જીતવું જોઈએ. પૂર્વમાં કહ્યું કે મોક્ષસુખને ઇચ્છનારાઓએ અવેદ્યસંવેદ્યપદ જીતવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે અવેદ્યસંવેદ્યપદ તો માત્ર મોક્ષના ઇચ્છનારાઓ માટે જ અહિતનું કારણ છે, તેવું નથી; પરંતુ સર્વ જીવો માટે અહિતનું કારણ છે. તેથી મોક્ષના ઇચ્છનારાઓએ જીતવું જોઈએ, તેમ કહેવાને બદલે “સર્વ જીવોએ જીતવું જોઈએ' એમ કહેવું જોઈએ. તેથી કહે છે – સ્થાનેવ.... યોવાર્યા, આ જ ભૂમિકામાં=મોક્ષની ઈચ્છાવાળા બને તેવી પ્રથમની ચાર દૃષ્ટિની જ ભૂમિકામાં, સત્સંગ અને આગમના યોગથી અવેદ્યસંવેદ્યપદ જીતી શકાય તેમ છે. જેવા અન્ય ભૂમિકામાં=આ ચાર દૃષ્ટિની ભૂમિકાની બહારના જીવો મોક્ષને અભિમુખ જ નથી થયા તે ભૂમિકામાં, જીતવા માટે અશક્યપણું છે=અવેદ્યસંવેદ્યપદને જીતવું અશક્ય છે. આથી જ=ચાર દષ્ટિવર્તી યોગ્ય જીવો જ પ્રયત્નથી અદ્યસંવેદ્યપદ જીતી શકે છે, પરંતુ દષ્ટિબિહારવર્તીિ જીવોને સત્સંગ કે સદાગમ અવેધસંવેદ્યપદને જિતાવી શકતા નથી આથી જ, અનુવાદપર જ આગમ છે, એ પ્રમાણે યોગાચાર્યો કહે છે; કેમ કે અયોગ્યમાં વિયોગની અસિદ્ધિ છે=દષ્ટિ બહારના Page #116 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨ અયોગ્ય જીવોમાં આગમવચનથી અવેધસંવેદ્યપદ જીતવા માટેના વ્યાપારની અસિદ્ધિ છે. ‘કૃતિ’ શબ્દ શ્લોકના કથનની સમાપ્તિમાં છે. 113211 * ‘અનુવાપરોડપ્યાનમ’ અહીં ‘પિ’ શબ્દ ‘વાર’ અર્થમાં છે. ભાવાર્થ: શ્લોક-૨૬ થી ૩૧ સુધી વર્ણન કર્યું એ પ્રમાણે અવેઘસંવેદ્યપદ દારુણ વિપાકવાળું છે. તેથી ગ્રંથકારશ્રી મોક્ષસુખને ઇચ્છનારા એવા પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને ઉદ્દેશીને કહે છે કે સત્પુરુષોનો વિશિષ્ટ સંગ કરીને અને આગમનો વિશિષ્ટ સંબંધ કરીને, દુર્ગતિને આપનારા અવેઘસંવેદ્યપદને જીતવું જોઈએ; કેમ કે આ સંસારમાં યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા પણ પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને માટે, આ અવેઘસંવેદ્યપદ દુરંત સંસા૨નું કારણ છે. માટે મોક્ષના અર્થીએ મોક્ષમાર્ગમાં વિઘ્નભૂત એવા અવેઘસંવેદ્યપદને જીતવા માટે સત્પુરુષોનો સમાગમ કરવો જોઈએ; અને તે સમાગમ પણ માત્ર તેમના સાંનિધ્યથી સફળ થતો નથી, પરંતુ તેમના વચનના પરમાર્થને સમજીને તત્ત્વાતત્ત્વના નિર્ણય માટે ઉચિત યત્ન કરવાથી તેઓનો સંબંધ સફળ થાય છે; અને સત્શાસ્ત્રોનું પણ માત્ર વાંચન કરવાથી કે સાંભળવાથી સત્શાસ્ત્રો અવેઘસંવેદ્યપદને જીતવાનું કારણ બનતાં નથી, પરંતુ પરમ મધ્યસ્થતાને ધારણ કરીને, અનુભવને અનુરૂપ શાસ્ત્રવચનને જોડવા માટે યત્ન કરવામાં આવે, તો શાસ્ત્રોમાં બતાવાયેલ પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થાય છે, જેથી અવેધસંવેદ્યપદ નિવર્તન પામે છે. ૯૭ ગ્રંથકારશ્રી આ પ્રકારનો ઉપદેશ આપે છે, ત્યાં પ્રશ્ન થાય કે અવેઘસંવેદ્યપદ તો તત્ત્વના વિપરીત બોધરૂપ છે. તેથી સર્વ જીવોને માટે અહિતકારી છે. તેથી “સર્વ જીવોએ જીતવું જોઈએ”, એમ ગ્રંથકારે કહેવું જોઈએ. તેના બદલે “પરમાનંદને ઇચ્છતા જીવોએ જીતવું જોઈએ”, એમ કહીને યોગની પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને ઉદ્દેશીને અવેઘસંવેદ્યપદને જીતવાનું કેમ કહ્યું ? તેથી કહે છે. “આ જ ભૂમિકામાં અવેઘસંવેદ્યપદ જીતી શકાય છે, અન્યદા જીતી શકાતું નથી.” આથી ગ્રંથકારશ્રી યોગની પ્રથમ ચાર દૃષ્ટિવાળા જીવોને અવેઘસંવેદ્યપદ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨ જીતવાનું કહે છે; કેમ કે અન્યને અવેઘસંવેદ્યપદ જીતવાનો ઉપદેશ આપવો નિષ્ફળ છે. તેથી ગ્રંથકારશ્રી અવેઘસંવેદ્યપદને જીતવા માટેના અધિકારી જીવોને ઉદ્દેશીને જીતવા માટેનો ઉપદેશ આપે છે, અને પોતાની તે વાતની પુષ્ટિ ક૨વા અર્થે કહે છે કે “આથી જ અનુવાદપર જ આગમ છે”, તેમ યોગાચાર્યો કહે છે. તેથી એ ફલિત થાય કે જેમ આગમ પણ કોઈ જીવના અવેઘસંવેદ્યપદને જિતાવી શકતું નથી, તેમ ગ્રંથકારશ્રીનો ઉપદેશ પણ કોઈ જીવના અવેઘસંવેદ્યપદને જિતાવી શકતો નથી; પરંતુ જેમ આગમ યોગમાર્ગના કથનનો અનુવાદ કરે છે, તેમ ગ્રંથકા૨ પણ યોગ્ય જીવોને આ અવેધસંવેદ્યપદ જીતવા જેવું છે, એવું કથન કરે છે; અને જીતવાનું કાર્ય તો યોગ્ય જીવ સ્વપરાક્રમથી જ કરે છે. તેથી જીતવાનો ઉપદેશ પણ આપવો હોય તો અધિકારીને આપવાથી તે સફળ બની શકે, અનધિકારીને અપાયેલો ઉપદેશ ક્યારેય સફળ બનતો નથી. આથી જ ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને ઉદ્દેશીને અવેધસંવેદ્યપદ જીતવાનો ઉપદેશ આપ્યો છે. અહીં પ્રશ્ન થાય કે આગમ તો સન્માર્ગમાં પ્રવર્તક છે. તેથી આગમને સન્માર્ગ પ્રવર્તક ન કહેતાં આગમ અનુવાદપર છે, તેમ યોગાચાર્યોએ કેમ કહ્યું ? તેથી કહે છે આગમ અયોગ્ય જીવોમાં નિયોગ કરતું નથી=સમ્યગ્ વ્યાપાર કરાવી શકતું નથી. તેથી એ સ્પષ્ટ થાય છે કે આગમ તો પદાર્થનું નિરૂપણ માત્ર કરે છે, પ્રવૃત્તિ કરાવી શકતું નથી, પ્રવૃત્તિ તો જીવ સ્વપરાક્રમથી જ કરે છે. માટે યોગાચાર્યોએ કહ્યું કે આગમ અનુવાદપર જ છે અર્થાત્ માત્ર દિશા બતાવે છે. અહીં વિશેષ એ છે કે દૃષ્ટિબહારના જીવો ઉત્તમ પુરુષોના યોગથી કે સત્શાસ્ત્રોના યોગથી પણ પોતાનામાં રહેલા વિપર્યાસરૂપ અવેદ્યસંવેદ્યપદને કાઢી શકતા નથી; અને પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો સંસારથી ભય પામેલા છે, તત્ત્વના અર્થી છે અને મોક્ષે જવાના અભિલાષવાળા છે, તેથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે; અને આવા જીવો પણ અત્યંત માર્ગાનુસારી બુદ્ધિથી સત્શાસ્ત્રોમાં પ્રયત્ન ન કરે તો સૂક્ષ્મબોધ નહીં હોવાને કારણે ક્યાંક વિપરીત બોધ પણ થાય. આમ છતાં, જો તેઓ પ્રસ્તુત ઉપદેશને ગંભીરપણે વિચારે અને તે ઉપદેશ તેમના હૈયાને સ્પર્શે, તો પ્રથમની ચાર દષ્ટિવાળા જીવો સત્પુરુષોનો સંબંધ Page #118 -------------------------------------------------------------------------- ________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ૯ વિશેષ રીતે કરે છે, જેથી પુરુષોના વચનના બળથી અનુભવને અનુરૂપ શાસ્ત્રવચનો ઉચિત સ્થાને જોડીને પોતાનામાં રહેલા અદ્યસંવેદ્યપદનું નિવર્તન કરી શકે, અથવા તો અત્યંત મધ્યસ્થ બુદ્ધિથી આગમનાં વચનોને ઉચિત રીતે જોડવા યત્ન કરે તો શાસ્ત્રવચનથી અનુભવને અનુરૂપ પદાર્થો તેમને દેખાય છે. તેથી પોતાનામાં રહેલા વિપર્યાસરૂપ અવેઘસંવેદ્યપદને તેઓ કાઢી શકે છે, અને જો પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો પણ પ્રસ્તુત વચનને ગંભીરતાથી વિચાર્યા વગર સપુરુષોનો સમાગમ કરતા હોય, કે આગમનો અભ્યાસ કરતા હોય, તોપણ તે સત્પરુષોનો સમાગમ કે આગમનો અભ્યાસ વિશિષ્ટ સંબંધવાળો ન થાય તો તેનાથી પોતાનામાં રહેલો વિપર્યાસ જતો નથી, અને યોગમાર્ગમાં પ્રવૃત્ત હોવાને કારણે તેઓ આરાધક છે, તોપણ બોધમાં રહેલા વિપર્યાસને કારણે દીર્ધસંસારની અનુબંધશક્તિનો ઉચ્છેદ કરી શકતા નથી. તેથી અવેદ્યસંવેદ્યપદની અનર્થકારિતા બતાવ્યા પછી તેને જીતવા માટેનો ઉપદેશ ગ્રંથકારે પ્રસ્તુત શ્લોકમાં આપ્યો છે. II3રા इति तारादित्रयद्वात्रिंशिका ।।२२।। Page #119 -------------------------------------------------------------------------- ________________ Page #120 -------------------------------------------------------------------------- ________________ "अवेद्यसंवेद्यपदं सत्सङ्गागमयोगतः / तद् दुर्गतिप्रदं जेयं परमानन्दमिच्छता // " “તે કારણથી=દારુણ વિપાકવાળું અવેધસંવેધપદ છે 'તે કારણથી, પરમાનંદને ઈચ્છતા પુરપે દુર્ગતિને આપનાર એવા અવેધસંવેધપદને સત્સંગ અને આગમના યોગથી જીતવું જોઈએ.” : પ્રકાશક : DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in 9824048680 9428500401 Por Private Personal Use Only