________________
તારાદિત્રયદ્વાચિંશિકા/સંકલના
‘દ્વાચિંશદ્વાચિંશિકા” ગ્રંથની બાવીશમી તારાદિત્રયદ્વાચિંશિકા’ના પદાર્થોની સંકલના
મિત્રાદૃષ્ટિ' નામની પૂર્વદ્ધાત્રિશિકા-૨૧માં ગ્રંથકારશ્રીએ મિત્રાષ્ટિનું વર્ણન કર્યું. પ્રસ્તુત કાત્રિશિકામાં તારાદષ્ટિ, બલાદષ્ટિ અને દીપ્રાષ્ટિનું સ્વરૂપ બતાવે છે. તારાદષ્ટિ -
તારાદૃષ્ટિમાં મિત્રાદૃષ્ટિ કરતાં તત્ત્વમાર્ગનો બોધ કંઈક સ્પષ્ટ હોય છે. તેના કારણે નિયમ નામનું યોગાંગ પ્રગટે છે અને આત્મકલ્યાણની પ્રવૃત્તિ અર્થે કરાતા અનુષ્ઠાનમાં ઉદ્વેગ નામનો દોષ જાય છે. વળી, મિત્રાદષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ બોધ થયેલો હોવાને કારણે વિશેષ તત્ત્વ જાણવાની જિજ્ઞાસા પ્રગટે છે. તારાદષ્ટિમાં ચક્ષુની કીકી જેવો બોધ હોય છે. અર્થાત્ જેમ ચક્ષુમાં રહેલી કીકી જેની સારી હોય તેને બાહ્ય પદાર્થો દેખાય છે, તેમ તારાદૃષ્ટિમાં થયેલો બોધ કંઈક યોગમાર્ગને દેખાડે છે. તેથી અધિક યોગમાર્ગ જાણવાની જિજ્ઞાસા થાય છે. આથી યોગમાર્ગને જોવાની ચક્ષુ મળી તે બતાવવા માટે બીજી દૃષ્ટિનું નામ તારાદષ્ટિ છે.
વળી તારાષ્ટિમાં યોગમાર્ગ પ્રત્યે અવિચ્છિન્ન પ્રીતિ હોય છે, ભાવયોગીઓ પ્રત્યે બહુમાન હોય છે અને શક્તિ અનુસાર ભક્તિ હોય છે, તથા અશુભ પ્રવૃત્તિ નહિ હોવાને કારણે હવે સંસારમાં મને અનર્થો પ્રાપ્ત થશે' તેવો અત્યંત ભય હોતો નથી. વળી, ધર્મ પ્રત્યે અત્યંત આદર હોવાને કારણે ઉચિત ક્રિયાઓની હાનિ થતી નથી અને અજાણતાં પણ અત્યંત અનુચિત પ્રવૃત્તિ થતી નથી, અનુષ્ઠાનમાં પોતાનાથી થતા પ્રમાદ માટે ત્રાસ વર્તે છે, પોતાની ભૂમિકાથી અધિક યોગમાર્ગ જાણવાની જિજ્ઞાસા હોય છે અને શિષ્ટ પુરુષોને પ્રમાણ કરીને સર્વત્ર પ્રવૃત્તિ હોય છે. બલાદષ્ટિ:
બલાદૃષ્ટિમાં તારાદૃષ્ટિ કરતાં તત્ત્વમાર્ગનો બોધ કંઈક વધુ સ્પષ્ટ હોય છે. તેના કારણે સ્થિરસુખાસન નામનું યોગાંગ પ્રગટે છે. બલાદષ્ટિમાં તત્ત્વનું દર્શન દઢ હોવાને કારણે તત્ત્વને સાંભળવાની ઇચ્છા ઉત્કટ હોય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org