________________
તારાદિત્રયદ્વાચિંશિકા/સંકલના યોગમાર્ગમાં ક્ષેપ દોષ હોતો નથી. આ દૃષ્ટિવાળા જીવોને જીવન જરૂરિયાતની સામગ્રીની પ્રાપ્તિથી સંતોષ હોય છે અને તેથી સ્થિર સુખી જીવન હોય છે.
પહેલી બે દૃષ્ટિ કરતાં ત્રીજી દૃષ્ટિમાં બલવાન બોધ હોય છે, તેથી તેનું નામ બલાદૃષ્ટિ છે. બલવાન બોધ હોવાને કારણે આ દૃષ્ટિવાળા યોગીઓને અર્થપ્રયોગમાત્રમાં પ્રીતિ હોય છે અર્થાત્ સદ્અનુષ્ઠાન કરવા માત્રથી સંતોષ હોતો નથી, પણ તે સદ્અનુષ્ઠાનોથી પરિણામની નિષ્પત્તિ થાય તે રીતે અનુષ્ઠાન કરવામાં પ્રીતિ હોય છે, અને તેનું કારણ પૂર્વની બે દૃષ્ટિ કરતાં બલાદૃષ્ટિમાં બલવાન બોધ છે. દીપ્રાદષ્ટિ :
દીપ્રાદૃષ્ટિવાળા યોગીઓ શુભભાવોની વૃદ્ધિ માટે યત્ન કરતા હોય છે અને પોતાનામાં વર્તતા અશુભ ભાવોને કાઢવા માટે યત્ન કરતા હોય છે, તથા પ્રગટ થયેલા શુભ ભાવોને સ્થિર કરવા માટે યત્ન કરતા હોય છે. આ પ્રકારના ભાવપ્રાણાયામમાં તેઓ યત્ન કરતા હોય છે, અને પ્રકૃતિ પ્રશાંત પરિણામવાળી હોવાને કારણે યોગમાર્ગમાં ઉત્થાન દોષ હોતો નથી, તેથી ઉપશમભાવપૂર્વક સદ્અનુષ્ઠાન કરી શકે છે. વળી તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટેલો હોય છે, જેથી તત્તાતત્ત્વના વિવેક માટે શક્તિના પ્રકર્ષથી યત્ન કરે એવી નિર્મળ બુદ્ધિ હોય છે.
આમ છતાં, દીપ્રાદૃષ્ટિવાળા જીવોને સૂક્ષ્મબોધ નથી. તેથી સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી, તોપણ સામગ્રી મળે તો સમ્યકત્વની પ્રાપ્તિ સુલભ થાય તેવા પ્રકારનો તત્ત્વશ્રવણ ગુણ હોય છે. આ દૃષ્ટિમાં રહેલા યોગીઓને પોતાના પ્રાણ કરતાં ધર્મનું મહત્ત્વ અધિક હોય છે.
આ ચારેય દૃષ્ટિઓમાં રહેલા જીવોને યોગમાર્ગનો બોધ હોવા છતાં અવેદસંવેદ્યપદ એવું બલવાન છે કે જેથી આટલો યોગમાર્ગનો બોધ થવા છતાં અવેદ્યસંવેદ્યપદ નિવર્તન પામતું નથી; અને જે કાંઈ યોગમાર્ગનો બોધ થયો છે, તે અંશથી તે વેદ્યસંવેદ્યપદરૂપ છે, તોપણ વેદ્યસંવેદ્યપદ કરતાં અવેદ્યસંવેદ્યપદની અધિકતા છે, તેથી વેદ્યસંવેદ્યપદ અતાત્ત્વિક છે.
વેદસંવેદ્યપદ એટલે પદાર્થનો યથાર્થ બોધ, અને તે યથાર્થબોધ સમ્યગ્દષ્ટિને હોય છે. તેની પૂર્વે ચાર દૃષ્ટિ સુધી અવેદ્યસંવેદ્યપદ હોય છે. આથી તત્ત્વમાર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org