________________
૨૨
તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૮ કારણભૂત એવાં કૃત્યોને પણ સમ્યક કરી શકતો નથી.' આ પ્રકારના અધ્યવસાયને કારણે ધીમે ધીમે પણ પોતાના કૃત્યોની ત્રુટિઓ દૂર કરવા માટે યત્ન કરે છે.
(૮) અધિકમાં સસ્પૃહા જિજ્ઞાસા :- આ દૃષ્ટિવાળા યોગીઓ પોતે જે ભૂમિકામાં રહેલા છે, તે ભૂમિકાનાં ઉચિત કૃત્યોનું સેવન કરતા હોય છે; પણ એટલામાત્રથી તેઓને સંતોષ નથી, પરંતુ પોતાની ભૂમિકાની અપેક્ષાથી ઉપરની ભૂમિકાનાં કૃત્યો વિષયક જિજ્ઞાસા હોય છે, અને વિચારે છે કે “કેવી રીતે આ મહાત્મા આ કૃત્ય કરીને આત્મહિત સાધે છે ? હું પણ તેને જાણું.' આ પ્રકારની જિજ્ઞાસા તેઓને થાય છે. વળી તે જાણવામાત્રમાં વિશ્રાંત થતી નથી, પરંતુ જાણીને તેઓને તે કૃત્યો તે રીતે કરવાનો અભિલાષ પણ છે. માટે તેઓ ભાવયોગીઓ પાસેથી તે કૃત્યોને જાણવાનો યત્ન કરે છે, અને જાણીને અધિક અધિક સેવન માટે યત્ન કરે છે, અને શક્તિસંચય થાય ત્યારે તે મહાત્માની જેમ પોતે પણ તે રીતે કૃત્ય કરી શકે છે.
(૯) દુઃખના ઉચ્છેદના અર્થી જીવોના જુદા જુદા પ્રકારના ક્રિયાયોગમાં કર્થતાબુદ્ધિ :- આ દૃષ્ટિવાળા યોગીઓ વિચારે છે કે “સંસારના ક્લેશને ત્યાગ કરનારા યોગીઓની જુદા જુદા પ્રકારની ક્રિયાઓ તે તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, તે સર્વ હું કેવી રીતે જાણું ? કે જેથી હું પણ તે પ્રકારે કૃત્ય કરીને આ સંસારનો અંત કરું ?
આનાથી એ ફલિત થાય કે આવા જીવોને સંસારનો ઉચ્છેદ કઈ પ્રવૃત્તિથી થાય ? તે પ્રવૃત્તિ જાણવાની અત્યંત ઇચ્છા હોય છે. તેથી સંસારના ઉચ્છદ માટે જે જે શક્ય ઉપાય દેખાય તે તે ઉપાયમાં અવશ્ય યત્ન કરે છે.
અહીં કર્થતાબુદ્ધિના કથનમાં સાક્ષીરૂપે યોગદષ્ટિ સમુચ્ચયનું ઉદ્ધરણ આપ્યું છે. તેમાં કહ્યું કે સર્વભવ દુઃખરૂપ છે, તો તેનો ઉચ્છેદ શેનાથી છે ? તેના ખુલાસારૂપે આ દૃષ્ટિવાળા વિચારે છે કે ક્ષમાદિ ગુણોથી આ ભવનો ઉચ્છેદ છે, તો તે ક્ષમાદિ ગુણો કેવી રીતે જણાય ? તો વિચારે છે કે મુનિઓની પ્રવૃત્તિથી જણાય. વળી વિચારે કે મુનિઓની ચિત્ર પ્રવૃત્તિ છે, જે સંપૂર્ણ કેવી રીતે જણાય ? અર્થાત્ જણાય તેમ નથી. કેમ જણાય તેમ નથી ? તેનું સ્પષ્ટીકરણ આગળના શ્લોક-૯માં કરેલ છે. III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org