________________
તારાદિત્રયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક કરાવશે. વળી હજુ અવેદ્યસંવેદ્યપદનું પ્રાબલ્ય છે, તેથી વિપર્યાસ વર્તે છે, યથાર્થ બોધ થતો નથી. તેથી ગ્રંથકારશ્રી આ બત્રીશીના અંતે અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે સત્સંગ અને આગમને ઉપાયરૂપે બતાવે છે.
યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, અને યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબોધકર એવા સ્વ. પ. પૂ. મોટા પંડિત મહારાજ પૂ. મોહજિતવિજયજી મહારાજાએ જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ. પૂ.હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ. પૂ. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર મારો યત્ન થતો રહ્યો. મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું. ત્યાં સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખનકાર્ય કરી તેની સંકલન કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં મને રત બનાવી અંતે મને પૂર્ણ બનાવે, તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું.
આ ગ્રંથના ગુજરાતી વિવરણના પ્રસંશોધનના કાર્યમાં મૃતોપાસક, શ્રુતભક્તિકારક, સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સાધ્વીજી દૃષ્ટિરત્નાશ્રીનો તથા સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
‘ધાત્રિશિકા' ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો મિચ્છા મિ દુક્કડું માંગું છું.
પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણમનન-ચિંતન-નિદિધ્યાસનથી હું પણ યોગમાર્ગને પ્રાપ્ત કરી પૂર્ણ બનું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org