SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨-૧૩ (૧) અંતરાયવિજય ઃ- સ્થિર અને સુખકારક આસનને કારણે સાધનામાં અંતરાય કરનારા કંપનાદિ ભાવો ઉ૫૨ વિજય થાય છે. (૨) શીતોષ્ણાદિ દ્વન્દ્વથી દુઃખની અપ્રાપ્તિ :- દેહ પ્રત્યે મમત્વ ઓછું થઈ ગયું હોવાથી શીતોષ્ણાદિ દ્વન્દ્વો વડે આત્યંતિક દુઃખની અપ્રાપ્તિ થાય છે. (૩) પ્રણિધાનપૂર્વક દુષ્ટ દોષોનો પરિત્યાગ :- ચિત્તને અનંત આકાશાદિગત સ્થાપન કરીને સમાપત્તિ કરેલી હોવાથી યોગનિષ્પત્તિના પ્રણિધાનપૂર્વક દૃષ્ટ દોષોનો પરિત્યાગ થાય છે. 33 આશય એ છે કે અનંતકાળ અને અનંત આકાશ પ્રત્યે મનને સ્થિર કરેલું હોવાથી ‘હું સદા શાશ્વત છું, અને માત્ર દેહમાં નહીં પણ ચૌદ રાજલોકમાં રહેનારો છું' એવી બુદ્ધિ થવાથી દેહનું મમત્વ ઓછું થાય છે, અને તેથી પોતાના લક્ષ્યના પ્રણિધાનપૂર્વક દૃષ્ટ દોષોનો પરિહાર કરી શકે છે અર્થાત્ માનસિક અસ્વસ્થતા આદિ ક્લેશોનો પરિત્યાગ કરી શકે છે. સામાન્યથી દરેક જીવને રાગાદિ સતાવતા હોય અથવા તો કોઈક ચિંતાથી ચિત્ત વ્યગ્ર હોય તો તે મનની તેવા પ્રકારની સ્થિતિથી જનિત ક્લેશો છે; અને આ ક્લેશો જીવોને નિર્મળ પ્રજ્ઞા હોય તો બુદ્ધિરૂપી ચક્ષુથી દેખાય છે, અને બલાદષ્ટિવાળા યોગી નિર્મળ બોધને કારણે સ્વચિત્તગત ક્લેશોને જાણીને આસનરૂપ યોગાંગના બળથી પ્રણિધાનપૂર્વક આ દૃષ્ટ દોષોનો પરિહાર કરી શકે છે. ૧૨ અવતરણિકા : શ્લોક-૧૦માં બલાદૅષ્ટિમાં પ્રગટ થતા ભાવો બતાવ્યા. ત્યારપછી બલાદષ્ટિમાં પ્રગટ થતું સ્થિર સુખકારક આસન શેનાથી થાય છે ? અને તેનાં કાર્યો શું છે ? તે શ્લોક-૧૧-૧૨માં બતાવ્યું. હવે બલાદૃષ્ટિમાં પ્રગટ થતી પરા તત્ત્વશુશ્રુષા કેવી છે ? તે બતાવે છે શ્લોક ઃ कान्ताजुषो विदग्धस्य दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ।।१३।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy