________________
તારાદિત્રયાત્રિશિકા/શ્લોક-૧૫-૧૬
૩૯ યત્ન પ્રવર્તે છે, તેથી ક્ષેપદોષનો અભાવ છે; અને તેના કારણે યોગનિષ્પત્તિમાં જે જે ઉપાયો સેવે છે, તેમાં દક્ષપણું આવે છે, કેમ કે જેમ જેમ તે યોગના ઉપાયોનું સેવન કરે છે, તેમ તેમ તેની ઉત્તરોત્તર મતિ વૃદ્ધિ પામે છે અર્થાત્ ઉપેય એવા યોગની નિષ્પત્તિનું કારણ બને તે રીતે સેવાતા એવા યોગના ઉપાયોમાં ઉત્તરોત્તર મતિની વૃદ્ધિ થાય છે. તેથી તેનું અનુષ્ઠાન ઉપેયને સાધવા માટે અધિક-અધિક સમર્થ બને છે. આથી ત્રીજી દૃષ્ટિમાં માર્ગગમન શરૂ થાય છે.
આ વાત દૃષ્ટાંતથી બતાવે છે જેમ કોઈ વૃક્ષની વાવણી કરતું હોય ત્યારે તેના બીજને પાણીનું સિંચન કરવામાં આવે તો તે બીજ અતિ પુષ્ટ બને છે, તેથી તેનાથી થયેલું વૃક્ષ પણ અતિ પુષ્ટ બને છે; તેમ અહીં પણ ક્ષેપદોષ વગર યોગના ઉપાયોને ત્રીજી દૃષ્ટિવાળા સેવે છે, તેથી યોગના ઉપાયો પૂર્વપૂર્વ કરતાં ઉત્તરઉત્તરમાં પુષ્ટ થતા જાય છે, અને પુષ્ટ થયેલા એવા તે ઉપાયો ઉપેયને સાધવા માટે વિશેષ સમર્થ બને છે; અને જેમ પ્રમાણોપેત પાણીના સિંચન વિના વવાયેલું વૃક્ષ હોય તો તે વૃક્ષ કૃશ બને છે, તેમ #પદોષથી કરાયેલું અનુષ્ઠાન પણ અકુશળતા સ્વરૂપ કુશપણાને પ્રાપ્ત કરે છે. માટે યોગની નિષ્પત્તિમાં લેપદોષનો અભાવ પ્રબળ કારણ છે. I૧પણા
-: દીપ્રાદષ્ટિ – અવતરણિકા :
શ્લોક-૧૦ થી ૧૫ પર્યત બલાદષ્ટિનું વર્ણન કર્યું. હવે ક્રમ પ્રાપ્ત દીપ્રાદષ્ટિને કહે છે – શ્લોક :
प्राणायामवती दीप्रा योगोत्थानविवर्जिता ।
तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधमनाश्रिता ।।१६।। અન્વયાર્થ:પ્રાથમવતી=પ્રાણાયામવાળી, યોગાનવિનતા=યોગવિષયક ઉત્થાનથી વજિત, તત્ત્વશ્રવાસંયુવત્તા તત્વશ્રવણથી યુક્ત, સૂકવોથમનશ્રિત સૂક્ષ્મબોધથી રહિત રીપ્ર=દીપ્રા છે દીપ્રાદષ્ટિ છે. I૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org