________________
૪૦
શ્લોકાર્થ :
પ્રાણાયામવાળી, યોગના ઉત્થાનથી વર્જિત, તત્ત્વશ્રવણથી યુક્ત, સૂક્ષ્મબોધથી રહિત દીપાદષ્ટિ છે. ૧૬||
ટીકા ઃ
તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
प्राणायामवतीति प्राणायामवती-प्राणायामसहिता दीप्रा दृष्टिः, योगोत्थानेन विवर्जिता प्रशान्तवाहितालाभात्, तत्त्वश्रवणेन संयुक्ता शुश्रूषाफलभावात्, सूक्ष्मबोधेन विवर्जिता वेद्यसंवेद्यपदाप्राप्तेः । ।१६।।
ટીકાર્યઃप्राणायामवती
વેદ્યસંવેદ્યપરાપ્રાપ્ત: | પ્રાણાયામવાળી=પ્રાણાયામથી
સહિત દીપ્રાદૃષ્ટિ છે, યોગવિષયક ઉત્થાનદોષથી રહિત છે; કેમ કે પ્રશાંતવાહિતાનો લાભ છે. તત્ત્વશ્રવણથી સંયુક્ત છે; કેમ કે શુશ્રૂષાના ફળનો સદ્ભાવ છે અર્થાત્ શુશ્રૂષાગુણનું ફળ જે તત્ત્વશ્રવણ છે, તેનો સદ્ભાવ છે. સૂક્ષ્મબોધ વિવર્જિત છે–સૂક્ષ્મબોધરહિત છે; કેમ કે વેદ્યસંવેદ્યપદની અપ્રાપ્તિ છે. 119911
.....
Jain Education International
ભાવાર્થ:
દીપ્રાર્દષ્ટિનું સ્વરૂપ ઃપ્રાણાયામથી યુક્ત :
આ દૃષ્ટિમાં ચોથું યોગાંગ પ્રાણાયામ પ્રગટે છે. પ્રાણાયામના ત્રણ અવયવો છે : (૧) રેચક, (૨) પૂરક અને (૩) કુંભક. હઠયોગના પ્રાણાયામમાં આ રેચક, પૂરક અને કુંભક વાયુને આશ્રયીને છે, જ્યારે યોગમાર્ગમાં પ્રાણાયામ શુભ ભાવો અને અશુભ ભાવોને આશ્રયીને છે. તેથી ચોથી દૃષ્ટિવાળા જીવો પોતાના બોધના બળથી અશુભ ભાવોનું રેચન કરે છે, શુભ ભાવોનું પૂરણ કરે છે અને પૂરણ થયેલા શુભ ભાવોનું કુંભન કરે છે અર્થાત્ સ્થિરીકરણ કરે છે. તેથી ભાવપ્રાણાયામવાળી દીપ્રાદષ્ટિ છે. આ ભાવરેચકાદિનાં કાર્યો ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવવાના છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org