________________
૪૧
તારાદિત્રયાવિંશિકા/શ્લોક-૧૬ યોગવિષયક ઉત્થાનદોષથી રહિત :
ચોથી દૃષ્ટિવાળા જીવો જે ધર્મઅનુષ્ઠાન કરે છે, તેમાં યોગનું ઉત્થાન નથી અર્થાત્ ભગવદ્ભક્તિ આદિ સેવાના અનુષ્ઠાનથી ચિત્ત લક્ષ્ય તરફ જાય તે પ્રકારની સ્વસ્થતા ચિત્તમાં વર્તે છે; કેમ કે પ્રશાંતવાહિતાની પ્રાપ્તિ થયેલી છે.
આશય એ છે કે યોગમાર્ગના વિષયમાં ઘણો સ્પષ્ટ બોધ હોવાને કારણે આ દૃષ્ટિમાં ચિત્ત બાહ્ય પદાર્થોના આકર્ષણ વિનાનું થયેલું છે. તેથી ચોથી દૃષ્ટિના બોધને અનુરૂપ ચિત્તમાં રાગાદિભાવો શાંત થયેલા છે. તેથી શાંતરસનો પ્રવાહ ચિત્તમાં વર્તે છે, અને તેના કારણે આ દૃષ્ટિવાળા યોગી જે કોઈ ધર્મઅનુષ્ઠાન કરે છે, તેના દ્વારા વિશેષ વિશેષ પ્રકારના યોગની નિષ્પત્તિ કરી શકે તેવો ઉપશમભાવ વર્તે છે; જ્યારે ત્રીજી દૃષ્ટિવાળા યોગી ક્ષેપદોષ વગર પ્રવૃત્તિ કરતા હોવા છતાં ચિત્તમાં તેવા પ્રકારનો કષાયોનો ઉપશમ નહીં હોવાથી યોગની પ્રવૃત્તિમાં ઉત્થાનદોષ નિમિત્તને પામીને આવી શકે છે. તેથી જે અનુષ્ઠાનના સેવનથી ત્રીજી દૃષ્ટિવાળા યોગીઓ યોગમાર્ગને ઉલ્લસિત કરે છે, તેના કરતાં ઉત્થાનદોષ નહીં હોવાને કારણે તે જ ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનથી ચોથી દૃષ્ટિવાળા જીવો વિશેષ પ્રકારના યોગમાર્ગને ઉલ્લસિત કરી શકે છે. તત્ત્વશ્રવણ સંયુક્ત :
ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટે છે, જે શુશ્રુષાગુણના ફળસ્વરૂપ છે.
આશય એ છે કે ત્રીજી દૃષ્ટિવાળા યોગીને તત્ત્વ સાંભળવાનો તીવ્ર અભિલાષ હોય છે; આમ છતાં શ્રવણની ક્રિયા ન પણ થાય, અને સામગ્રી મળે તો શ્રવણની ક્રિયા કરે, તોપણ ત્રીજી દૃષ્ટિમાં શ્રવણગુણ પ્રગટેલો નહીં હોવાથી, ચોથી દૃષ્ટિવાળા યોગીને શ્રવણગુણથી જેવો સમ્યફ બોધ થાય છે, તેવો સમ્યકુ બોધ ત્રીજી દૃષ્ટિવાળા યોગીને શ્રવણની સામગ્રીથી પણ થઈ શકતો નથી. આમ છતાં ત્રીજી દૃષ્ટિમાં રહેલા શુશ્રુષાગુણવાળા પણ જીવો શ્રવણની સામગ્રી મેળવીને શ્રવણની ક્રિયાથી શ્રવણગુણને પ્રાપ્ત કરીને ચોથી દૃષ્ટિને પ્રાપ્ત કરે છે; જ્યારે ચોથી દૃષ્ટિવાળા યોગીને તો શુશ્રુષાગુણના ફળરૂપ શ્રવણગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org