SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬ ૮૧ અનંત સંસારી થાય છે ત્યારે અપાયશક્તિના માલિન્યવાળા થાય છે, અને દુરંત સંસારના પરિભ્રમણને કરે છે; તોપણ જે વખતે ક્ષોપશમભાવનું સમ્યગ્દર્શન વિદ્યમાન છે, તે વખતે વિપર્યાસ નહીં હોવાથી ભગવાનના વચનથી કોઈ પણ વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે ‘આ પ્રવૃત્તિ મારા માટે એકાંત અહિતનું કારણ છે.' એવી સ્થિર બુદ્ધિ હોવાથી, તે પાપપ્રવૃત્તિ સકંપ બને છે. તેથી તે સેવાયેલું પાપ નરકાદિ અપાયનું કારણ બનતું નથી. માટે વ્યવહારિક એવા પણ વેદ્યસંવેદ્યપદમાં અપાયશક્તિનું માલિન્ય નથી. વળી નિશ્ચયનય તો સમ્યગ્દર્શનથી પાત પામેલા એવા અનંત સંસારીઓને ક્ષયોપશમ સમ્યક્ત્વકાળમાં પણ વેઘસંવેદ્યપદ સ્વીકારતો નથી, અને કહે છે કે જેનામાં વેદ્યસંવેદ્યપદ હોય, તેનામાં તપ્તલોહપદન્યાસતુલ્ય પણ પાપપ્રવૃત્તિ ચરમ જ હોય, અને જેનામાં ચરમ પાપપ્રવૃત્તિ નથી, તેનામાં વેદ્યસંવેદ્યપદ નથી. તેથી ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા જીવોમાં નિશ્ચયનય વેદ્યસંવેદ્યપદ સ્વીકારતો નથી. અહીં વિશેષ એ છે કે પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો સંસારની પ્રવૃત્તિને પાપરૂપ માને છે, અને મોક્ષમાર્ગને પોતાના હિતનું કારણ માને છે, તેથી સ્વબોધને અનુરૂપ હિતમાં પ્રવૃત્તિ કરે છે; અને પ્રમાદવશ સંસારની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તે પ્રવૃત્તિને પાપરૂપ માને છે, તેથી તેઓની તે પાપપ્રવૃત્તિ સકંપ છે; પરંતુ જે અંશમાં સૂક્ષ્મબોધ નથી, તે અંશમાં ભગવાનના વચનથી વિપરીત રુચિ છે, અને તે વિપરીત રુચિ સ્વયં પાપરૂપ છે, અને તે વિપરીત રુચિથી જે કંઈ વિપરીત પ્રવૃત્તિ થાય છે, તે પણ પાપરૂપ છે, પરંતુ તેમાં પાપબુદ્ધિ નહીં હોવાને કારણે તે પાપપ્રવૃત્તિ સકંપ નથી, પરંતુ નિષ્કપ છે, અને નિષ્કપ પાપપ્રવૃત્તિ નરકાદિ અપાયનું કારણ છે. તેથી ચાર દૃષ્ટિવાળા જીવોમાં અપાયશક્તિનું માલિન્ય કંઈક અંશથી છે. ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનવાળા જીવોમાં ભગવાનના વચનની સ્થિર રુચિ છે, અને ભગવાનના વચનથી વિપરીત નાનામાં નાની પ્રવૃત્તિ પણ તેઓને પાપરૂપ લાગે છે, અને આ પ્રવૃત્તિ પોતાના અહિતનું કારણ છે, તેમ પણ સ્પષ્ટ જણાય છે. તેથી જો ક્વચિત્ તે પાપપ્રવૃત્તિ કરતા હોય તોપણ સકંપ પાપપ્રવૃત્તિ કરે છે. તેથી ક્ષાયોપમિક સમ્યગ્દર્શનવાળા જીવોની પાપપ્રવૃત્તિ અપાયશક્તિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy