________________
૮૦
તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૬ નિશ્ચયથી–નિશ્ચયનયથી, પ્રતિપતિત સર્શતવાળા=ભ્રષ્ટ નિશ્ચયનયથી સમ્યગ્દર્શનવાળા, અનંત સંસારીઓને વેધસંવેદ્યપદનો ભાવ નથી જ= ક્ષયોપશમભાવના સમ્યકત્વકાળમાં પણ વેધસંવેદ્યપદનો ભાવ નથી જ; કેમ કે વૈશ્ચયિક તદ્વાન એવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં=નિશ્ચયનયને અભિમત એવા વેધસંવેદ્યપદવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં, શ્રેણિક આદિની જેમ ફરી દુર્ગતિનો અયોગ હોવાને કારણે તખલોહપદાસ તુલ્ય પણ ચરમ જ પાપપ્રવૃત્તિની ઉપપત્તિ છે.
જે પ્રમાણે કહેવાયું છે જે પ્રમાણે “યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૭૦-૭૧માં કહેવાયું છે –
અતઃ આનાથી=અવેદ્યસંવેદ્યપદથી, અન્ય–બીજું=વેદસંવેદ્યપદ ૩ત્તર સુ= સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં છે. સ્મા–આનાથી=વેવસંવેદ્યપદથી કર્મના અપરાધના કારણે પણ, પાપમાં=પાપકર્મરૂપ હિસાદિમાં વૃત્તિ:=પ્રવૃત્તિ, જો કદાચિત હોય તો તપાવેલા લોઢા ઉપર પગના સ્થાપન તુલ્ય છે.” (યો.દ.સ. શ્લોક-૭૦-૭૧) ૭૦
વેદ્યસંવેદ્યપદથી સંવેગના અતિશયને કારણે પણ આ પાપપ્રવૃત્તિ પરમ વૈ=છેલ્લી જ મવતિ થાય છે, કેમ કે ફરી દુર્ગતિનો અયોગ છે. શ્લોકમાં “ત' પાદપૂર્તિમાં છે.” (યો.દ.સ. શ્લોક-૭૦-૭૧) ૭૧TI
ઉદ્ધરણ પછીતો “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પરકા ભાવાર્થ - વ્યવહારિક અને નૈચ્ચયિક વેધસંવેધપદ ક્યાં છે? -
શ્લોકમાં કહ્યું કે વજના ચોખા જેવા વેદ્યસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય નથી. એ કથન જીવમાં રહેલા વ્યવહારનયને અભિમત એવા વેદ્યસંવેદ્યપદરૂપ ભાવને આશ્રયીને કહેવાયું છે.
તેનાથી એ પ્રાપ્ત થાય છે કે ક્ષયોપશમ સમ્યગ્દર્શનવાળા જીવોમાં વ્યવહારનય વેદ્યસંવેદ્યપદ સ્વીકારે છે, અને તેવા ક્ષયોપશમ સમ્યગ્દર્શનવાળા જીવો પાપપ્રવૃત્તિ કરે તો તખ્તલોહપદન્યાસતુલ્ય કરતા હોય છે. તેથી તેઓની પાપપ્રવૃત્તિમાં નરકાદિ અપાયશક્તિનું માલિન્ય નથી. આમ છતાં ક્ષયોપશમભાવનું સમ્યક્ત્વ પાત પામી શકે છે, અને ક્ષયોપશમભાવના સમ્યક્ત્વથી પાત પામીને જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org