SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૬ પ્રવૃત્તિ કરતા હોય તોપણ ચિત્તમાં વિપર્યાસ થતો નથી; પરંતુ “નિરવદ્ય ભાવ જ જીવને માટે એકાંતે હિત છે,” એ પ્રકારે ચિત્ત સ્થિરબુદ્ધિવાળું હોય છે. તેથી અંતઃવૃત્તિથી સમ્યગ્દષ્ટિ જીવોનું ચિત્ત મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત નિરવદ્ય આચારો પ્રત્યે બળવાન રુચિ ધરાવે છે. માટે કર્મને વશ થઈને મહાઆરંભમહાપરિગ્રહાદિની પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેઓને ભાવપાકનો અયોગ છે. “પ્રાયઃ' કહેવાથી એ કહેવું છે કે દુર્ગતિ આદિની પીડામાં માનસિક આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય તોપણ, તત્ત્વમાર્ગમાં વિપર્યાસ થાય તેવું માનસ દુઃખ હોતું નથી; પરંતુ પોતાના ભૂતકાળનાં કર્મો યાદ કરીને તત્ત્વ તરફ પોતાનું ચિત્ત રાખવા યત્ન કરે છે. તેથી દુર્ગતિમાં પણ અન્ય જીવોને એવું માનસ દુઃખ હોય છે, તેવું માનસ દુઃખ સમ્યગ્દષ્ટિને નથી; તે બતાવવા માટે પ્રાયઃ માનસ દુઃખ નથી, તેમ કહેલ છે અર્થાત્ સર્વથા માનસ દુઃખ નથી, એમ નહીં પરંતુ બહુલતાએ માનસ દુઃખ નથી. ટીકા - एतच्च व्यावहारिकं वेद्यसंवेद्यपदं भावमाश्रित्योक्तं, निश्चयतस्तु प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणां नास्त्येव वेद्यसंवेद्यपदभावः, नैश्चयिकतद्वति क्षायिकसम्यग्दृष्टौ श्रेणिकादाविव पुनढुंर्गत्ययोगेन तप्तलोहपदन्यासतुल्याया अपि पापप्रवृत्तेश्चरमाया एवोपपत्तेः । થોદું – “अतोऽन्यदुत्तरास्वस्मात् पापे कर्मागसोऽपि हि । तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ।। वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति । વરવ મવન્વેષા પુનત્યયોતિ:” (યો... સ્નો-૭૦-૭૨) રૂતિ રદ્દા ટીકાર્ય : તિષ્ય ..... પુનત્યયાતિ અને આ શ્લોકમાં કહ્યું કે વજના ચોખા જેવા વેધસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધતા વિઘાત કરનારું અપાયશક્તિનું માલિત્ય નથી એ, વ્યવહારિક વેધસંવેદ્યપદરૂપ ભાવને આશ્રયીને કહેવાયું. વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy