________________
૭૮
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ અહીં પ્રશ્ન થાય કે અપાયશક્તિનું માલિન્ય સૂક્ષ્મબોધનો વિઘાત કેમ કરે છે? તેથી કહે છે –
પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં અપાયના હેતુના આસેવનના કારણભૂત ક્લિષ્ટ બીજરૂપ વિપર્યાસનો સદ્ભાવ છે, અને આ વિપર્યાત સદૂજ્ઞાનાવરણના ક્ષયોપશમના અભાવની સાથે નિયત છે. માટે અપાયશક્તિનું માલિન્ય સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું છે.
આશય એ છે કે જીવો નરક, તિર્યંચાદિ દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે, તે સર્વનું મૂળ કારણ જીવમાં વર્તતો વિપર્યા છે, અને આ વિપર્યાસને કારણે જીવો દુર્ગતિઓના કારણભૂત એવા આરંભ-સમારંભ સેવે છે અને દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે. આ વિપર્યાસ દૃષ્ટિબહારવર્તી જીવોમાં ઘણો છે, અને આથી જ તેઓ અનંતકાળ સુધી નરકાદિ દુર્ગતિઓના કારણભૂત એવા આરંભ-સમારંભનું સેવન કરીને સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. આ વિપર્યાસ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં કંઈક ઓછો હોવા છતાં સર્વથા નષ્ટ થયો નથી, તેથી દુર્ગતિઓની પરંપરાનું કારણ બને તેવું મલિનપણું પ્રથમની ચાર દૃષ્ટિઓમાં વિદ્યમાન છે અને તે સૂક્ષ્મ બોધના વિઘાતને કરનારું છે; કેમ કે સદ્જ્ઞાનાવરણના ક્ષયોપશમના અભાવની સાથે વિપર્યાસનું નિયતપણું છે. તેથી જે જીવોને વેદ્યસંવેદ્યપદ પ્રગટેલું છે, તેઓમાં સદ્દજ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમભાવ વર્તે છે, તેથી તેઓમાં વિપર્યાસ નથી. માટે તેઓમાં દુરત સંસારની પ્રાપ્તિનું કારણ બને તેવું માલિન્ય નથી.
વળી જેમ વજના ચોખા રાંધવાથી રંધાવારૂપ વિક્રિયાને પામતા નથી, તેમ સૂક્ષ્મબોધવાળા જીવોને વિપરીત સંયોગોમાં પણ માનસિક વિપર્યાસ થવારૂપ દુઃખ થતું નથી; ક્વચિત્ શારીરિક પીડામાં દુર્ગાનાદિ થાય તોપણ તત્ત્વનો સૂક્ષ્મ બોધ હોવાને કારણે તત્ત્વરુચિમાં પ્લાનિ આવતી નથી. તેથી વેદ્યસંવેદ્યપદવાળાને ભાવથી તત્ત્વમાર્ગની રુચિમાં કોઈ પરિવર્તન પ્રાપ્ત થતું નથી, તેથી વેદ્યસંવેદ્યપદને વજના ચોખા જેવું કહ્યું છે.
અહીં “પ્રાય દુતાવ'= પ્રાયઃ દુર્ગતિમાં પણ એમ કહેવાથી એ બતાવવું છે કે સદ્ગતિઓમાં પણ ક્વચિત્ કર્મને વશ થઈને મહાઆરંભ અને મહાપરિગ્રહની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org