SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ અહીં પ્રશ્ન થાય કે અપાયશક્તિનું માલિન્ય સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું કેમ છે ? તેથી કહે છે – (અપાયશક્તિના માલિમાં) અપાયહેતુના આસેવાના ક્લિષ્ટ બીજનો= વિપર્યાસનો, સદ્ભાવ હોવાથી અપાયશક્તિનું માલિત્ય સૂક્ષ્મબોધતા વિઘાતને કરનારું છે, એમ અત્રય છે. અહીં પ્રશ્ન થાય કે અપાયહેતુના આસેવનના ક્લિષ્ટ બજનો સભાવ હોવાથી સૂક્ષ્મબોધનો વિઘાત કેમ થાય છે ? તેથી કહે છે – તેનું અપાયહેતુના આસેવનના ક્લિષ્ટ બીજનું સદ્જ્ઞાનાવરણના ક્ષયોપશમના અભાવ સાથે નિયતપણું હોવાથી, અપાયશક્તિનું માલિત્ય સૂક્ષ્મબોધતા વિઘાત કરનારું છે. પૂર્વમાં કહ્યું કે વજના ચોખા જેવા વેદ્યસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય નથી. ત્યાં પ્રશ્ન થાય કે વેદ્યસંવેદ્યપદ વજના ચોખા જેવું કેમ છે ? તેથી કહે છે – પ્રાયઃ દુર્ગતિમાં પણ માનસ દુઃખનો અભાવ હોવાને કારણે તેની જેમ= વજના ચોખાની જેમ, વેધસંવેદ્યપદવાળાને ભાવપાકનો અયોગ હોવાથી તત્વમાર્ગમાં વિપર્યાસરૂપ ભાવપાકનો અયોગ હોવાથી, વેદ્યસંવેદ્યપદ વજેતા ચોખા જેવું છે. ભાવાર્થ :વેધસંવેધપદનું વિશેષ સ્વરૂપ – શ્લોક-૨૩માં કહેલ કે દીપાદૃષ્ટિના બોધમાં સૂક્ષ્મપણું નથી. દીપાદૃષ્ટિના બોધમાં સૂક્ષ્મપણું કેમ નથી ? તે બતાવવા માટે કહે છે – વજના ચોખા જેવા વેદસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય નથી. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે વેદ્યસંવેદ્યપદ વગરના દીપ્રાદષ્ટિવાળા જીવોમાં સૂમબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય છે. માટે દીપ્રાદૃષ્ટિમાં સૂક્ષ્મબોધ નથી, તેમ શ્લોક-૨૩ સાથે સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy