SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ५५ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨-૨૩ નહીં. આમ છતાં ચોથી દૃષ્ટિમાં વર્તતો તત્ત્વશ્રવણગુણ તત્ત્વની પ્રાપ્તિ કરાવે છે ત્યારે સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય છે, અને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તત્ત્વશ્રવણથી પ્રગટ થયેલી તીવ્ર ગુરુભક્તિ સમાપત્તિ આદિરૂપે તીર્થંકરનું દર્શન કરાવે છે. માટે તત્ત્વશ્રવણના ફળરૂપે તીર્થંકરનામકર્મનો બંધ થાય છે, તેમ અહીં બતાવેલ છે, માટે કોઈ વિરોધ નથી. [૨૨] અવતરણિકા : ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણગુણ પ્રગટેલો છે, અને તત્ત્વશ્રવણગુણપૂર્વકની તત્ત્વશ્રવણની ક્રિયા ચોથી દૃષ્ટિમાં વર્તતા જીવોમાં કેવું કાર્ય ઉત્પન્ન કરે છે, તે શ્લોક-૨૧માં બતાવ્યું. ત્યારપછી તત્ત્વશ્રવણગુણ તત્ત્વની પ્રાપ્તિ દ્વારા પ્રકૃષ્ટ કેવું ફળ પ્રાપ્ત કરાવે છે, તે શ્લોક-૨૨માં બતાવ્યું. હવે જ્યાં સુધી જીવ ચોથી દૃષ્ટિમાં વર્તે છે, ત્યાં સુધી તત્ત્વશ્રવણગુણ હોવા છતાં સૂક્ષ્મબોધ કેમ નથી ? તે બતાવવા અર્થે કહે છે શ્લોક ઃ - कर्मवज्रविभेदेनानन्तधर्मकगोचरे । वेद्यसंवेद्यपदजे बोधे सूक्ष्मत्वमत्र न ।। २३ ।। અન્વયાર્થ: વર્મવવિષેવેન=કર્મવજના વિભેદથી અનન્તધર્મોપરે અનંત ધર્મવિષયક વેદ્યસંવેદ્યપને વોયે વેધસંવેદ્યપદથી ઉત્પન્ન થયેલા બોધમાં સૂક્ષ્મત્વમ્=સૂક્ષ્મપણું છે, ત્ર=અહીં=ચોથી દૃષ્ટિમાં ન=નથી=બોધમાં સૂક્ષ્મપણું નથી. ।।૨૩। શ્લોકાર્થ : કર્મવજના વિભેદથી અનંત ધર્મવિષયક વેધસંવેધપદથી ઉત્પન્ન થયેલા બોધમાં સૂક્ષ્મપણું છે, અહીં નથી=ચોથી દૃષ્ટિમાં નથી. ।।૨૩।। ટીકા ઃ कर्मेति कर्मैव वज्रमतिदुर्भेदत्वात् तस्य विभेदेनानन्तधर्मकं = भेदाभेदनित्यत्वानित्यत्वाद्यनन्तधर्मशबलं यद्वस्तु तद्गोचरे = वस्तुनस्तथात्वपरिच्छेदिनि, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy