________________
તારાદિત્રયહાચિંશિકા/બ્લોક-૨૨ મહાત્માની ગુણવાનની ભક્તિ પરલોકના પણ હિતને કરનારી થાય છે. તેથી ગુરુભક્તિ ઉભયલોકના સુખને કરનારી છે, તેમ કહેલ છે. (૩) ગુરુની ભક્તિથી પ્રકૃષ્ટ ફળરૂપે તીર્થકરનું દર્શન :
ગુરુ પાસેથી જે તત્ત્વની પ્રાપ્તિ થઈ છે, તે તત્ત્વ સર્વજ્ઞ ભગવંતે બતાવેલો યોગમાર્ગ છે. તેથી જેને તત્ત્વશ્રવણને કારણે ગુરુ પ્રત્યે ભક્તિ થઈ છે, તેને યોગમાર્ગના આદ્ય પ્રરૂપક એવા તીર્થંકર પ્રત્યે પરમાર્થથી ભક્તિ છે. તેથી જ્યારે તે ગુણવાન એવા ગુરુની ભક્તિમાં તન્મય થાય છે, ત્યારે તેનો ઉપયોગ તીર્થકર સાથે તન્મયભાવવાળો છે. તેથી ગુરુભક્તિથી સમાપત્તિ આદિરૂપે ભગવાનનું દર્શન થાય છે અર્થાત્ સાક્ષાત્ ચક્ષુ સામે ભગવાન દેખાતા નથી, પરંતુ ગુરુ જે આ યોગમાર્ગ બતાવે છે, તે યોગમાર્ગના પ્રરૂપક તીર્થકરો છે, તેવો બોધ થવાથી તે યોગમાર્ગના પ્રરૂપક તીર્થકરોના ધ્યાનથી એકાગ્રતા આવે છે. તેથી ધ્યાનથી તીર્થકરનો સ્પર્શ થાય છે, જે સમાપત્તિરૂપ છે; અને તે સમાપત્તિકાળમાં ભાવનો પ્રકર્ષ થાય તો તીર્થંકર નામકર્મનો બંધ થાય છે, જેના ફળરૂપે તીર્થકરના ભવની પ્રાપ્તિ થાય છે; અને અંતે જ્યારે તીર્થંકરનામકર્મ વિપાકરૂપે આવે છે, ત્યારે તીર્થની સ્થાપના કરીને અનેક જીવોની કલ્યાણની પરંપરાનું કારણ બને છે, અને તે સર્વ કલ્યાણની પરંપરાનું કારણ આ તત્ત્વશ્રવણથી પ્રગટ થયેલ તીવ્ર ગુરુભક્તિ છે.
અહીં ગુરુભક્તિનો અર્થ કર્યો કે “મવિતરરાધ્યત્વેન પ્રતિપત્તિઃ' અર્થાત્ “આરાધ્યપણારૂપે પ્રતિપત્તિ” તે ભક્તિ છે અર્થાત્ આ ગુરુ મારા માટે આરાધ્ય છે તે રૂપે ગુરુનો સ્વીકાર.”
તેથી એ ફલિત થાય કે “આ ગુણવાન ગુરુ જે માર્ગ બતાવે તે માર્ગમાં સમ્યગુ યત્ન કરીને તેમની આરાધના કરવાથી મારું હિત છે, અને આ ગુણવાન ગુરુની હું વૈયાવચ્ચ કરું કે જેથી તેમનામાં રહેલા ગુણોની આરાધના થાય.” આ પ્રકારનો જે બોધ તે ગુરુભક્તિ છે.
આ ચોથી દૃષ્ટિનું વર્ણન છે, અને ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણગુણ પ્રગટે છે; પરંતુ ચોથી દૃષ્ટિમાં રહેલો તત્ત્વશ્રવણગુણ તીર્થંકરનામકર્મ આદિના બંધનું કારણ નથી; કેમ કે મિથ્યાત્વ અવસ્થામાં તીર્થકર નામકર્મનો બંધ થઈ શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org