________________
૯૨
તારાદિત્રયદ્વાત્રિંશિકા/મ્લોક-૩૦
હોય છે, તોપણ પ્રથમની ચાર દૃષ્ટિ સુધી અવેઘસંવેદ્યપદ વિદ્યમાન છે, અને તે વખતે તેઓનું મોહગ્રસ્ત માનસ હોય છે. તેથી ખણજ રોગવાળાને ખણજમાં જેમ સુખની બુદ્ધિ થાય છે, તેમ પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનકો જીવ માટે કુકૃત્ય છે, તે તેઓને કૃત્યરૂપે લાગે છે, અને કૃત્યરૂપ જે અહિંસાદિ તે અકૃત્યરૂપે જ લાગે છે. જોકે પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો યમ-નિયમાદિમાં પ્રવૃત્તિ કરે છે, તે અંશમાં તેઓનો વિપર્યાસ ગયો છે, તોપણ સર્વજ્ઞના વચનથી વિપરીત જે કંઈ મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છે, તે પ્રાણાતિપાતાદિના ભાવોસ્વરૂપ છે, અને તે જીવ માટે કુકૃત્ય છે, અને વિપર્યાસને કારણે આવા કુકૃત્યને પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો કૃત્ય માને છે.
વળી ભગવાનના વચનાનુસાર પૂર્ણ યોગમાર્ગની પ્રવૃત્તિ જીવ માટે કૃત્ય છે, પરંતુ પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને જે સ્થાનમાં બોધ નથી, તે યોગમાર્ગનું સ્થાન વિપર્યાસને કારણે અનાચરણીયરૂપે દેખાય છે. જેમ ખણજના સુખમાં આસક્ત એવો કોઈ ખણજનો રોગી ખણજના રોગથી પોતે સુખી છે તેમ માને, તેથી ખણજ મટાડવાનો અર્થી નથી, પરંતુ ખણજને ખણીને આનંદ લેવાનો અર્થી છે; તેમ અવેદ્યસંવેદ્યપદવાળા જીવો સંસારનાં કારણોને સેવીને ક્લેશમાંથી આનંદ લેવાના સ્વભાવવાળા છે, અને પરમ અક્લેશરૂપ નિર્વાણના કારણીભૂત યોગમાર્ગમાંથી આનંદ લેવાના સ્વભાવવાળા નથી. તેથી મોક્ષમાર્ગને યથાવત્ સુખરૂપે જાણી શકતા નથી. માટે યોગમાર્ગના સેવનના કૃત્યને પણ અકૃત્યરૂપે જુએ છે.
જેમ ખણજના કેટલાક રોગીઓ ખણજના સુખને જ સુખરૂપે જોતા હોય છે, તેમ કેટલાક કુષ્ઠ રોગીઓના શરીરમાં કીડાઓ પડેલા હોય, અને તે કીડાઓથી જ્યારે વ્યાકુળ થાય ત્યારે અગ્નિ પાસે તાપણું કરવા બેસે તે વખતે અગ્નિના તાપથી તે કીડાઓ કંઈક નિશ્ચેષ્ટ જેવા થાય ત્યારે, તે કુષ્ઠરોગી જીવને શાતાનો અનુભવ થાય છે, અને કોઈક વિપર્યાસ બુદ્ધિવાળા તે કુષ્ઠરોગીને ‘આ શાતા જ પરમાર્થથી સુખ છે' તેવી બુદ્ધિ હોય; તો તે કુષ્ઠરોગીને રોગ મટાડવાનું ગમે નહીં, પણ અગ્નિસેવનથી આનંદ લેવાનું ગમે. તેમ અવેઘસંવેદ્યપદવાળા જીવોને ઇન્દ્રિયોથી થતા આહ્લાદમાં સુખબુદ્ધિ હોય છે, અને ‘આ જ પારમાર્થિક સુખ છે' તેવો ભ્રમ વર્તે છે. જ્યારે વેઘસંવેદ્યપદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org