SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૪ ચાર દષ્ટિઓમાં, ચરમયથાપ્રવૃત્તિકરણથી જ છે, એ પ્રમાણે આચાર્યો કહે છે=યોગાચાર્યો કહે છે. વિમોવત્ત તે શ્લોકમાં કહ્યું તે, આને અભિપ્રેત કરીને પૂર્વમાં ગ્રંથકારે કહ્યું એને અભિપ્રેત કરીને, કહેવાયું છે= યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક-૬૭માં કહેવાયું છે – જે કારણથી આમાં=મિત્રાદિ ચાર દૃષ્ટિઓમાં, અવેઘસંવેદ્યપદ તેવું ઉલ્બણ છે= તેવું ઉદ્ધત છે, તે કારણથી પહેલી ચાર દૃષ્ટિઓમાં સૂક્ષ્મબોધ નથી, એમ યોગદષ્ટિ પૂર્વશ્લોક-૬૬ સાથે સંબંધ છે. આનાથી=અવેઘસંવેદ્યપદથી પરં=બીજું વેદસંવેદ્યપદ, પહેલી ચાર દૃષ્ટિઓમાં પક્ષીની છાયામાં જલચરની પ્રવૃત્તિના આકારવાળું છે.” ૨૪ નોંધઃ- ટીકામાં વરમાણુ' શબ્દના સ્થાને પરમાણુ પાઠ હોય, તેમ લાગે છે. તેથી તે પ્રમાણે અમે અર્થ કરેલ છે. પાઠ ઉપલબ્ધ થયો નથી. ભાવાર્થચારે દષ્ટિઓમાં વર્તતા અવેધસંવેધપદ અને અંશથી પ્રગટેલા વેધસંવેધપદનું સ્વરૂપ : પૂર્વશ્લોકમાં કહ્યું કે દીપ્રાષ્ટિમાં જે બોધ છે, તેમાં સૂક્ષ્મપણું નથી. સૂક્ષ્મપણું કેમ નથી ? તેમાં હેતુ બતાવતાં કહે છે -- જે કારણથી મિત્રાદિ ચારે દૃષ્ટિઓમાં અવેદ્યસંવેદ્યપદ ઉલ્લણ છે=અધિક માત્રામાં છે, માટે દીપ્રાષ્ટિના બોધમાં સૂક્ષ્મપણું નથી. અહીં કહ્યું કે પહેલી ચાર દૃષ્ટિઓમાં અવેદ્યસંવેદ્યપદ અધિક છે. તેથી પ્રશ્ન થાય કે કોનાથી અધિક છે ? તેના સમાધાનરૂપે વેદ્યસંવેદ્યપદ કરતાં અધિક છે, તેમ બતાવવું છે. તેથી જિજ્ઞાસા થાય કે ચાર દૃષ્ટિઓમાં વેદ્યસંવેદ્યપદ કેવું છે? તેના સમાધાનરૂપે કહ્યું કે પક્ષીની છાયામાં “આ જળચર છે તેવી પ્રવૃત્તિના જેવી વેદ્યસંવેદ્યપદની આભા અદ્યસંવેદ્યપદમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે પાણીમાં પક્ષીની છાયા પડતી હોય અને તે છાયાને જોઈને કોઈ કહે કે “આ જલચર છે,' વસ્તુતઃ તે જલચર નથી; તેમ ચાર દૃષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy