SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ જે આ પ્રમાણે (૧) ઉત્સાહ=વીર્યનો ઉલ્લાસ : યોગ સાધવા માટે તત્પર થયેલા યોગીને જેનાથી પોતે કાર્ય સાધી શકે તેના પ્રત્યે રુચિ હોય છે, અને તે સામગ્રીની પ્રાપ્તિ થાય તો ઉત્સાહ આવે છે. જેમ ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરીને ‘હું મારા આત્માનું કલ્યાણ કરું’ એવા પ્રકારના આશયવાળો શ્રાવક ભગવાનની ભક્તિ અર્થે કોઈક રીતે ધાર્યા પ્રમાણે ધનાદિ મળે તો ઉત્સાહમાં આવીને ભગવાનની ભક્તિ કરે છે, તેમ જે યોગીને મન સ્થિર ક૨વા માટે પ્રાણાયામ પ્રત્યે રુચિ છે, અને પોતે પ્રાણાયામ સાધી શકે ત્યારે તેને ઉત્સાહ આવે છે, કે ‘હવે હું પ્રાણાયામના બળથી મનને સ્થિર કરીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકીશ', અને તેવા ઉત્સાહને કારણે મન સ્થિર ક૨વામાં વીર્યનો ઉલ્લાસ થાય છે, તેવા યોગી પ્રાણાયામના બળથી મન સ્થિર કરીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે. (૨) નિશ્ચય=કર્તવ્યનો એકાગ્ર પરિણામ : તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ - કોઈ શ્રાવક ભગવાનની ભક્તિ કરવા તત્પર થયેલો હોય, અને તેને કર્તવ્યનો નિર્ણય હોય કે “આ ભગવાનની ભક્તિ જો તેમના ગુણોના સ્મરણપૂર્વક અને વીર્યના પ્રકર્ષથી કરવામાં આવે તો અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા સાક્ષાત્ વીતરાગતાનું કારણ છે; આમ છતાં તેનું ચિત્ત હજુ નિર્લેપતાને પામ્યું નથી, તેથી અસંગઅનુષ્ઠાનના કારણભૂત વચનઅનુષ્ઠાનરૂપ સંયમને પણ તે ગ્રહણ કરી શકતો નથી; છતાં ભગવાનની ભક્તિ અવશ્ય પરંપરાએ વીતરાગતાનું કારણ છે એવા નિશ્ચયપૂર્વક કરે તો ભગવાન પ્રત્યેનો વૃદ્ધિ પામતો આદરભાવ તેમના વચનાનુસાર ચાલવાની શક્તિનો સંચય કરાવીને અસંગઅનુષ્ઠાન દ્વારા વીતરાગતાનું કારણ બને છે માટે કર્તવ્યનો એકાગ્ર પરિણામ પણ યોગનો ઉપાય છે.” Jain Education International (૩) ધૈર્ય=સંકટ આવી પડે તોપણ પ્રતિજ્ઞામાં અવિચલન : ઉત્સાહપૂર્વક યોગ સાધવા માટે તત્પર થયેલ યોગી પણ, લક્ષ્યનો સ્પષ્ટ નિર્ણય ન હોય તો લક્ષ્યને અનુકૂળ યત્ન કરી શકે નહીં; અને કોઈ યોગી ઉત્સાહપૂર્વક લક્ષ્યનો સ્પષ્ટ નિર્ણય કરીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy