________________
તારાદિત્રયદ્વાચિંશિકા/બ્લોક-૧૦ ભાવાર્થ :
બલાદષ્ટિનું સ્વરૂપ :
બલાદૃષ્ટિને પ્રાપ્ત યોગીનો બોધ કેવો હોય છે ? અને કયા કયા ગુણો તેને પ્રાપ્ત થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે --
બલાદૃષ્ટિનું દર્શન બોધ - મિત્રાદૃષ્ટિમાં રહેલા યોગીનો બોધ મંદ હોય છે, જે યોગમાર્ગના પ્રારંભિક બોધરૂપ છે, જેથી માત્ર બાહ્ય આચરણામાં આત્મકલ્યાણની બુદ્ધિ થાય છે. તારાદૃષ્ટિમાં કંઈક સ્પષ્ટ બોધ થાય છે અને તેને કારણે જ શૌચ-સંતોષાદિ ભાવો તરફ તેનો યત્ન થાય છે. તેમાં બાહ્ય આચરણા કરતાં પરિણામ તરફનો કંઈક યત્ન દેખાય છે. જ્યારે ત્રીજી દૃષ્ટિવાળા યોગીઓનો બોધ, પહેલી બે દૃષ્ટિ કરતાં કંઈક અધિક છે, કંઈક અતિશયતાવાળો છે, અને કાષ્ઠઅગ્નિકણની ઉપમાવાળો હોવાથી કંઈક દઢ છે. તેથી પહેલી બે દૃષ્ટિ કરતાં દીર્ઘકાળ ટકે એવો છે, જેથી પ્રવૃત્તિકાળમાં પણ કંઈક બોધ અનુચુત રહે છે.
આસન - આ દૃષ્ટિમાં ત્રીજું યોગાંગ આસન પ્રગટે છે. યોગની સિદ્ધિ માટે સુંદર માનસયત્ન કરવા અર્થે સુખકારક અને નિષ્કપ એવું આસન આવશ્યક છે; કેમ કે આસન પીડા થવાને કારણે ઉદ્વેગ પેદા કરતું હોય તો સાધનામાં સહાયક બને નહીં. આ દૃષ્ટિવાળા યોગીએ યોગમાર્ગમાં યત્ન કરવા માટે આસન જીતેલું હોય છે. તેથી અનુજનીય અને સ્થિર એવા આસનના બળથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવા યત્ન કરે છે.
પરા તત્ત્વશુશ્રુષા - પહેલી બે દૃષ્ટિ કરતાં ત્રીજી દૃષ્ટિમાં કંઈક ૨ અધિક બોધ હોવાને કારણે બીજી દૃષ્ટિમાં થયેલી જિજ્ઞાસાના બળથી જ વિશેષ તત્ત્વ દેખાય છે, જેથી તત્ત્વને સાંભળવા માટેની પ્રકૃષ્ટ શુશ્રુષા થાય છે. આ તત્ત્વશુશ્રુષા શ્રવણની સામગ્રી પ્રાપ્ત થાય તો અવશ્ય તત્ત્વબોધ પ્રાપ્ત કરાવીને વિશ્રાંત થાય તેવી હોય છે, કેમ કે તત્ત્વજિજ્ઞાસામાંથી ઊઠેલી આ શુશ્રુષા છે. તેથી તત્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના વિશ્રાંત થાય નહીં.
ક્રિયાવિષયક ક્ષેપ નથી - બીજી દૃષ્ટિમાં કષ્ટસાધ્યતાજ્ઞાનજન્ય આળસરૂપ ઉગ દોષ ગયેલ છે. જે સાધકને યોગમાર્ગની કોઈક પ્રવૃત્તિ કષ્ટસાધ્ય દેખાય અને તેના કારણે તે પ્રવૃત્તિમાં આળસ આવે તો તે પ્રવૃત્તિ કદાચ બાહ્યથી કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org