________________
તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૪-૫
૧૩
ક્લેશાદિ ભાવોરૂપ અશુચિનો ક્ષય થાય છે, જેથી કાયાની સિદ્ધિ અને ઇન્દ્રિયોની સિદ્ધિ થાય છે. કાયાની સિદ્ધિ થવાથી પોતાની ઇચ્છા પ્રમાણે કાયાને નાનીમોટી આદિ કરી શકે છે, અને ઇન્દ્રિયોની સિદ્ધિ થવાને કારણે ઇન્દ્રિયોથી સૂક્ષ્મ પદાર્થો જોઈ શકે છે, ભીંત આદિના વ્યવધાનથી રહેલા પદાર્થો જોઈ શકે છે અને દૂરના ક્ષેત્રમાં રહેલા પદાર્થોને પણ જોઈ શકે છે.
(૫) દેવતાપ્રણિધાન :- સર્વ ક્રિયાઓનું ફળનિરપેક્ષપણા વડે ઈશ્વરને સમર્પણલક્ષણ ઈશ્વરપ્રણિધાન છે. આ ઈશ્વરપ્રણિધાનથી ઈશ્વર પ્રસન્ન થશે અને પ્રસન્ન થયેલા ઈશ્વર સમાધિમાં અંતરાય કરનારા ફ્લેશોનો નાશ કરીને સમાધિને પ્રગટ કરે છે. જોકે સાક્ષાત્ ઈશ્વર કંઈ કરતા નથી, તોપણ ઈશ્વરને આશ્રયીને કરાયેલી ભક્તિથી આ ફળ પ્રાપ્ત થાય છે, તેથી તે ઈશ્વરકૃત છે, એ પ્રકારના ઉપચારને આશ્રયીને ઈશ્વર સમાધિને પ્રગટ કરે છે તેમ કહેલ છે.
તપ, સ્વાધ્યાય અને દેવતાપ્રણિધાન, આ ત્રણે પણ શોભન અધ્યવસાય હોવાને કારણે રાગાદિ ક્લેશરૂપ કાર્યના પ્રતિબંધ દ્વારા સમાધિને અનુકૂળ બને છે. તપની ક્રિયા, જપની ક્રિયા અને સર્વ ક્રિયાઓનું ઈશ્વરને સમર્પણ : આ ત્રણે સુંદર અધ્યવસાયરૂપ છે. તેથી તે અધ્યવસાયથી ફળનિરપેક્ષપણા વડે રાગાદિ ક્લેશરૂપ મોહના કાર્યનો પ્રતિબંધ થાય છે. તેથી આ ત્રણે ક્રિયાઓ જીવને સમાધિને અનુકૂળ એવી પરિણતિ પ્રગટ કરે છે. ||૪||
શ્લોક ઃ
विज्ञाय नियमानेतानेवं योगोपकारिणः ।
अत्रेषु रतो दृष्टौ भवेदिच्छादिकेषु हि । । ५ । । અન્વયાર્થ:
i=આ રીતે=શ્ર્લોક-૩ અને ૪માં બતાવ્યું એ રીતે, યોોપરિપક તાન્ નિયમાન વિજ્ઞાય=યોગના ઉપકારી એવા આ નિયમોને જાણીને અર્થાત્ પૂર્વમાં વર્ણન કરાયેલા શૌચાદિ પાંચ નિયમોને જાણીને અત્ર સૃષ્ટો=આ દૃષ્ટિમાં=તારાદૃષ્ટિમાં રહેલા યોગી તેવુ જ્ઞાતિવેષુ દિ=આ ઇચ્છાદિક નિયમોમાં રતો ભવેત્=રત થાય. ॥૫॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org