________________
૧૨
તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૪ ઈશ્વરપ્રણિધાનથી સમાધિની સિદ્ધિ છે.” “તિ' પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
અને તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ ત્રણનું પણ શોભન અધ્યવસાય સ્વરૂપ હોવાને કારણે ક્લેશરૂપ કાર્યના પ્રતિબંધ દ્વારા સમાધિને અનુકૂળપણું જ સંભળાય છે.
જે પ્રમાણે કહેવાયું છેeતપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ ત્રણેનું સમાધિને અનુકૂળપણું છે, તે પાતંજલયોગસૂત્રમાં કહેવાયું છે –
સમાધિની ભાવના માટે અને ક્લેશને પાતળા કરવા માટે “તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન ક્રિયાયોગ છે.” (પા.યો.ફૂ. ૨-૧/૨-૨)
ત્તિ' શબ્દ પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. જો ભાવાર્થસંતોષ, સ્વાધ્યાય, તપ અને દેવતા પ્રણિધાનનું ફળ :
પૂર્વશ્લોકમાં પાંચ નિયમોમાંથી શૌચનિયમનું ફળ બતાવ્યું. હવે આ શ્લોકમાં સંતોષાદિ ચાર નિયમોનાં ફળ બતાવે છે –
(૨) સંતોષ નિયમ - બીજી દૃષ્ટિમાં રહેલા યોગીઓ સંતોષ નિયમનું સેવન કરે છે=“આત્મહિત સાધવા માટે સંતોષને કેળવવો જોઈએ તે પ્રકારનું લક્ષ્ય કરીને પ્રકૃતિને સંતોષવાળી બનાવવા યત્ન કરે છે; અને સંતોષ જ્યારે સુઅભ્યસ્ત થાય છે, ત્યારે યોગીઓને અતિશય સુખ ઉત્પન્ન થાય છે, જેની આગળ બાહ્ય ઇંદ્રિયોથી થયેલું સુખ “સોમા ભાગે પણ આવતું નથી.
(૩) સ્વાધ્યાય નિયમ :- સ્વાધ્યાય એટલે પ્રણવપૂર્વક મંત્રનો જાપ. બીજી દૃષ્ટિવાળા યોગી યોગમાર્ગની સાધનાના અર્થે સ્વાધ્યાયમાં યત્ન કરે છે, જે જપરૂપ છે, અને તેનાથી જે ઇષ્ટદેવતાનો જાપ કરે છે, તેનું દર્શન પણ થાય છે.
આશય એ છે કે જ્યારે મંત્રજાપ સુઅભ્યસ્ત બને છે, ત્યારે તે મંત્રથી અભિપ્રેત એવા દેવતાનું પોતે સાક્ષાત્ દર્શન કરતા હોય તેવો પરિણામ પ્રગટ થાય છે.
(૪) તપ નિયમ :- બીજી દૃષ્ટિવાળા યોગી તપનિયમનો અભ્યાસ કરતા હોય છે, અને તપ જ્યારે સુઅભ્યસ્ત થાય છે, ત્યારે ચિત્તમાંથી રાગાદિ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org