________________
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ સુખાત્મક આત્માનો પરિણામ છે. તે બતાવવા માટે જ અહીં કહ્યું કે શૌચભાવનાથી પ્રકાશ-સુખાત્મક સત્ત્વની શુદ્ધિ થાય છે.
(૪) સૌમનસ્ય :- ખેદના અનનુભવને કારણે માનસિક પ્રીતિ થાય તે સૌમનસ્ય. શૌચભાવનાને કારણે દેહ જુગુપ્સનીય લાગવાથી તેની આળપંપાળ કરવાની મનોવૃત્તિ ઘટે છે, જેથી દેહની આળપંપાળ માટે શ્રમ કરવારૂપ ખેદનો અનનુભવ થવાને કારણે માનસિક આનંદ થાય છે.
(૫) એકાગ્રતા :- શૌચભાવનાને કારણે કાયા પ્રત્યેનું મમત્વ ઘટવાથી યોગસાધનાના માર્ગમાં એકાગ્રતા આવે છે.
(૬) ઇંદ્રિયોનો જય :- કાયા પ્રત્યેનું મમત્વ ઘટવાથી કાયાને અનુકૂળ વિષયો પ્રત્યે પણ મમત્વ ઘટે છે, અને બધા જીવોની કાયા જુગુપ્સનીય દેખાવાથી કોઈનાં રૂપરંગ જોઈને ઇંદ્રિયો વિષયઅભિમુખ જતી નથી. તેથી શૌચભાવનાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૭) આત્માનાં દર્શન કરવાવિષયક યોગ્યતા:- ભોગાદિની મનોવૃત્તિ ઘટવાથી ઇન્દ્રિયોના જયને કારણે વિવેકખ્યાતિ અર્થાત્ શરીર અને આત્માના ભેદજ્ઞાનરૂપ આત્મદર્શન કરવા વિષયક યોગ્યતા પ્રગટે છે.
બીજી દૃષ્ટિવાળા યોગીઓ શૌચભાવના કરતા હોય છે, જેના કારણે ઉપર્યુક્ત સાત ફળો ક્રમસર તેઓને પ્રાપ્ત થાય છે. બધા જ બીજી દૃષ્ટિવાળા યોગીઓને આ ફળો પ્રાપ્ત થાય તેવો નિયમ નથી, તોપણ બીજી દૃષ્ટિવાળા જીવોની શૌચભાવનાની પ્રવૃત્તિ તે ફળની નિષ્પત્તિની ભૂમિકારૂપ છે, અને કોઈક યોગીને તે ફળો પ્રગટ પણ થયાં હોય. જ્યારે પહેલી દૃષ્ટિવાળા યોગીઓને તો યમાદિની સ્થૂલ આચરણાથી અધિક શૌચાદિ ભાવનામાં કેવી રીતે યત્ન કરવો, તેનો બોધ હોતો નથી. તેથી જ્યારે આવો બોધ પ્રગટે ત્યારે જીવ બીજી દૃષ્ટિમાં આવે છે. Imall અવતરણિકા :
શ્લોક-રમાં પાંચ નિયમ બતાવ્યા. તેમાં શૌચ નામના નિયમના પ્રાદુર્ભાવથી કયાં ફળો પ્રાપ્ત થાય છે, તે શ્લોક-૩માં બતાવ્યું. હવે સંતોષાદિ ચાર નિયમના પ્રાદુર્ભાવથી કયાં કયાં ફળો મળે છે, તે બતાવે છે –
થાય છે. આ
બતાવે છે તો વાલી ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org