SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૧૮ પરંતુ ભગવસ્ત્રવચનમાં વ્યાકુળતાનું હેતુપણું હોવાને કારણે શ્વાસપ્રશ્વાસનો રોધ નિષિદ્ધ જ છે; કેમ કે યથાયોગ સમાધાન જયથાયોગ સમાધાનપૂર્વક જ, પ્રવૃત્તિનું શ્રેયપણું છે અર્થાત્ જે પ્રમાણે મન-વચનકાયાના યોગોની લક્ષ્યને અનુરૂપ સ્વસ્થતા રહે તે રીતે જ પ્રવૃત્તિનું શ્રેયપણું છે. વળી પ્રાણાયામ ભગવાનના પ્રવચનમાં નિષિદ્ધ કેમ છે ? તેમાં અન્ય હેતુ કહે છે – પ્રાણરોધથી પલિમન્થનું યોગમાર્ગની પ્રવૃત્તિના વિલંબનનું, અનતિપ્રયોજતપણું છેઃખાસ કોઈ પ્રયોજન નથી. તે કહેવાયું છે=ભગવાનના પ્રવચનમાં શ્વાસપ્રશ્વાસ નિરોધનો નિષેધ છે, તે આવશયકલિથુક્તિ ગાથા-૧૫૧૦માં કહેવાયું છે – “અભિગ્રહવાળા પણ=મારણાનિક ઉપસર્ગો વખતે કાયાને વોસિરાવનાર પણ, ઉચ્છવાસનો વિરોધ કરતા નથી, તો વળી ચેષ્ટાવાળા-ગોચરી આદિ ચેષ્ટા અર્થે કાયોત્સર્ગ કરનારા શું ? અર્થાત્ ઉદ્ઘાસનો રોધ કરે નહીં, કેમ કે વિરોધમાં સઘ મરણ થાય છેeતરત જ મરણ થાય છે, અને જયણાથી સૂક્ષ્મ ઉચ્છવાસને છોડે છીંક, બગાસું વગેરે આવે ત્યારે કાયોત્સર્ગકાળમાં પણ મુહપત્તિ આદિ મુખ પાસે રાખવારૂપ જયણાથી ઉચ્છવાસને છોડે.” (આ.નિ. ગાથા-૧૫૧૦) અને આ પતંજલિ આદિથી કહેવાયેલું ક્વચિત્ પુરુષવિશેષમાં અર્થાત્ પ્રાણાયામની રુચિવાળા પુરુષમાં, પોતાનું યોગ્યતાનુસારી, ઘટે છે; કેમ કે યોગીઓનું વિવિધરુચિપણું છે અર્થાત્ જુદી જુદી રુચિવાળા યોગીઓ હોય છે. અહીં પ્રશ્ન થાય કે યોગીઓની જુદી જુદી રુચિ છે, એટલા માત્રથી પુરુષવિશેષમાં પ્રાણાયામ ઉપયોગી છે, એમ કેમ સિદ્ધ થાય ? એથી કહે છે – પ્રાણાયામની રુચિવાળાઓને પ્રાણાયામથી પણ ફળ સિદ્ધ હોવાથી પુરુષ વિશેષમાં પ્રાણાયામ પણ યોગ્યતા અનુસાર ઉપયોગી છે. અહીં પ્રશ્ન થાય કે પ્રાણાયામની રુચિવાળાને પ્રાણાયામથી પણ ફળની સિદ્ધિ કેમ છે ? તેથી કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy