________________
પ૪
તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૧૮-૧૯ યોગમાર્ગની પ્રવૃત્તિ શિથિલ થવાનો સંભવ રહે છે. તેથી યોગીઓ વારંવાર વિચારે છે કે “મનુષ્યભવનો પરમાર્થ યોગ જ છે, માટે લેશ પણ પ્રમાદ વિના યોગની નિષ્પત્તિ થાય તે રીતે જ મારે મન-વચન-કાયાને પ્રવર્તાવવા જોઈએ.” આ પ્રકારનું સૂક્ષ્મ સમાલોચન વારંવાર કરે તો “યોગમાર્ગ જ તત્ત્વ છે' તેવો સ્પષ્ટ બોધ માનસમાં રહેવાથી યોગમાર્ગની પ્રવૃત્તિ નિરાકુળ બને છે. માટે તત્ત્વદર્શન પણ યોગમાર્ગની પ્રવૃત્તિમાં કારણ છે. () જનપદ ત્યાગ=ગતાનુગતિક લોકવ્યવહારનો ત્યાગ :
જીવે અનાદિકાળથી ગતાનુગતિક પ્રવૃત્તિ કરી છે, પરંતુ શાસ્ત્રનિયંત્રિત પ્રવૃત્તિ કરી નથી. ગતાનુગતિક પ્રવૃત્તિ અનાદિભવઅભ્યસ્ત છે, તેથી યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા પછી પણ પ્રતિક્ષણ શાસ્ત્રવિધિનું સમાલોચન કરીને, શાસ્ત્રથી નિયંત્રિત લક્ષ્યને અનુરૂપ પ્રયત્ન ન કરવામાં આવે તો યોગ નિષ્પન્ન થાય નહિ; અને જો ગતાનુગતિક પ્રવૃત્તિના નિવારણ પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવે તો ઉત્સાહાદિ ભાવપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા યોગીને પણ ક્યારેક શાસ્ત્રવિધિથી અનિયંત્રિત પ્રવૃત્તિ થવાને કારણે તે અનુષ્ઠાન સમ્યગુયોગનિષ્પત્તિનું કારણ બનતું નથી. તેથી અસ્મલિત યોગમાર્ગની પ્રવૃત્તિ અર્થે ગતાનુગતિક લોકવ્યવહારનો ત્યાગ કરી શાસ્ત્રવ્યવહારથી પ્રવૃત્તિ કરવી જોઈએ. JI૧૮. અવતરણિકા :
શ્લોક-૧૭માં દ્રવ્યપ્રાણાયામ બતાવ્યો અને શ્લોક-૧૮માં પાતંજલ મતે દ્રવ્યપ્રાણાયામ ધારણા માટે કઈ રીતે ઉપયોગી છે, અને ભગવાનના શાસનમાં દ્રવ્યપ્રાણાયામને કોઈ પુરુષવિશેષ સિવાય કઈ રીતે અનુપયોગી કહ્યો છે, તેની સ્પષ્ટતા કરી. હવે ચોથી દષ્ટિવાળા યોગીને પ્રાણાયામ નામનું ચોથું યોગાંગ પ્રગટે છે, તે ભાવપ્રાણાયામ છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક -
रेचनाद् बाह्यभावानामन्तर्भावस्य पूरणात् । कुम्भनानिश्चितार्थस्य प्राणायामश्च भावतः ।।१९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org