________________
૨૪
તારાદિત્રયાત્રિશિકા/બ્લોક-૯ ટીકાર્ય :
નામાવં. નિરન્તરમ્ ! અમારી મહાન પ્રજ્ઞા નથી=અવિસંવાદી બુદ્ધિ તથી; કેમ કે સ્વપ્રજ્ઞાથી કલ્પના કરાયેલા અર્થમાં વિસંવાદનું દર્શન છે.
અહીં પ્રશ્ન થાય કે પોતાની પ્રજ્ઞાથી મુમુક્ષુઓની=મુનિઓની અશેષ પ્રવૃત્તિનો નિર્ણય ન થઈ શકે, તોપણ શાસ્ત્રથી મુનિઓની અશેષ પ્રવૃત્તિનો નિર્ણય થઈ શકે છે. તેથી કહે છે –
તથા=અને શાસ્ત્રનો વિસ્તાર સુમહાન છે અપાર છે, ત—તમા–તેથી, શિખા=સાધુજનસંમત–ઉત્તમજનસંમત, અહીં પ્રસ્તુત વ્યતિકરમાં તત્વનિર્ણયના પ્રસંગમાં, પ્રમાણ છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –
જે તેઓ વડે આચરણ કરાયું તે જયથાશક્તિ સામાન્યથી કરવું યોગ્ય છે, એ પ્રમાણે અર્થ છે. તિતિએ= પૂર્વમાં વર્ણન કર્યું છે, આ દષ્ટિમાં સદા નિરંતર માને છે. હા. ભાવાર્થ :તારાદષ્ટિવાળા યોગીનો તત્ત્વને જાણવાવિષયક મધ્યસ્થભાવ :
આ દૃષ્ટિવાળા યોગીને વિચાર આવે છે કે મુમુક્ષુઓની સર્વ પ્રવૃત્તિ કેમ જાણી શકાતી નથી ? તેથી કહે છે : અમારામાં મહાન પ્રજ્ઞા નથી કે જેથી તેઓની બાહ્ય આચરણાના બળથી તેઓમાં વર્તતો ક્ષમાદિને અનુકૂળ પ્રયત્ન કેવો છે, તે જાણી શકાય. પોતાની મહાન પ્રજ્ઞા કેમ નથી ? તેમાં તે વિચારે છે કે પોતાની પ્રજ્ઞાથી વિકલ્પિત પદાર્થોમાં પોતાને જ પાછળથી વિસંવાદ દેખાય છે અર્થાત્ પોતે જ પૂર્વે આ પ્રવૃત્તિ ક્ષમાદિગુણને અનુકૂળ છે તેમ માની યત્ન કર્યો, છતાં તે પ્રયત્નથી સમાદિગુણો પ્રગટ્યા નહીં, તેવો વિસંવાદ દેખાય છે. તેથી નક્કી થાય છે કે મુમુક્ષુઓની અશેષ પ્રવૃત્તિ પોતે જાણી શકતો નથી.
વળી તે વિચારે છે કે ભલે મારી પાસે મહાન પ્રજ્ઞા નથી, પરંતુ શાસ્ત્રના બળથી તેનો નિર્ણય થઈ શકે છે. માટે શાસ્ત્રમાં યત્ન કરવામાં આવે તો મુમુક્ષુઓની અશેષ પ્રવૃત્તિનું જ્ઞાન થઈ શકે, અને તે જ્ઞાન પ્રમાણે પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org