________________
તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૮-૨૯
૮૭
યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય છે. તેથી તેવી મોહગર્ભ પ્રવૃત્તિથી મોહની વાસના ઉત્પન્ન થાય છે, જેથી મોહગર્ભ વૈરાગ્યવાળા જીવો ઉત્તરમાં નરકાદિ અપાયને ઉત્પન્ન કરાવે એવી મોહવાસનાને ઉત્પન્ન કરે છે; કેમ કે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો જે કંઈ અનુષ્ઠાન સેવે છે, તે સર્વ અનુષ્ઠાનમાં પણ વિપર્યાસરૂપ મોહ પડેલો છે. તેથી તે અનુષ્ઠાનથી ફરી અવશ્ય મોહવાસના પ્રગટ થવાની છે. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોની યોગપ્રવૃત્તિ પણ અકિંચિત્કર છે.
અહીં વિશેષ એ છે કે વિપર્યાસને પ્રધાન કરીને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોની યોગની પ્રવૃત્તિ અકિંચિત્કર કહેલ છે, અને આ જીવોને ગુણવાનનું પારતંત્ર્ય મળે તો તેઓની યોગપ્રવૃત્તિ સફળ થાય, અન્યથા નહીં, તેમ બતાવવું છે. આથી જ ૧૫૦૦ તાપસોની મોહમૂલક પ્રવૃત્તિ શાસ્ત્રકારોએ અકિંચિત્કર કહી અને ગૌતમસ્વામીના યોગથી તેઓની પ્રવૃત્તિ મોક્ષની પ્રાપ્તિ કરાવનારી થઈ. આ વાત માટે જુઓ ‘ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથ' પ્રથમ ઉલ્લાસ, ગાથા
નં. ૭. I॥૨૮॥
અવતરણિકા :
પ્રથમની ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારી અપાયશક્તિ વિદ્યમાન છે, તે વાત શ્લોક-૨૭માં બતાવી. વળી બતાવ્યું કે ત્યાં પુણ્યબંધ થાય છે, તે પણ પાપાનુબંધી થાય છે. વળી પહેલી ચાર દૃષ્ટિવર્તી જીવો યોગની પ્રવૃત્તિ કરે છે, તે પણ મોહગર્ભિત વૈરાગ્યવાળી છે, તેથી દુર્ગતિની પ્રાપ્તિરૂપ અપાયને ઉત્પન્ન કરાવનારી મોહવાસનાને ઉત્પન્ન કરે છે. આ રીતે પ્રથમની ચાર દૃષ્ટિમાં રહેલું અવેધસંવેદ્યપદ કઈ રીતે અનર્થકારી છે, તે બતાવ્યું. હવે તે અવેઘસંવેદ્યપદકાળમાં યોગમાર્ગના સેવનથી બંધાતું પુણ્ય પણ કેવું હોય છે ? અને અવેધસંવેદ્યપદને કારણે પાપ બંધાય છે, તે કેવું બંધાય છે ? તે બતાવે છે
શ્લોક ઃ
-
अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकम् । भवाभिनन्दिजन्तूनां पापं स्यात्सानुबन्धकम् ।।२९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org