________________
૪૯
તારાદિત્રયદ્વાચિંશિકા/બ્લોક-૧૮ રાગાદિ ક્લેશો ઓછા થાય છે, અને તેથી સાત્ત્વિક પ્રકૃતિ ઉલ્લસિત થાય છે, અને તે સાત્ત્વિક પ્રકૃતિ પ્રકાશમય છે. તેથી પ્રાણાયામ દ્વારા યોગમાર્ગને અનુકૂળ એવી ધારણાની યોગ્યતા પ્રગટે છે.
આ પ્રમાણે પતંજલિ આદિ વડે કહેવાયું છે. ભગવાનના પ્રવચનમાં શ્વાસ-પ્રશ્વાસ નિરોધનો નિષેધ :
ભગવાનના પ્રવચનમાં વ્યાકુળતાનો હેતુ હોવાને કારણે શ્વાસ-પ્રશ્વાસનો નિરોધ નિષિદ્ધ છે. તેથી શ્વાસ-પ્રશ્વાસના નિરોધરૂપ પ્રાણાયામ શ્રેય નથી, પરંતુ જે પ્રમાણે પોતાના મન-વચન-કાયાના યોગોનું સમાધાન રહે તે રીતે પ્રવૃત્તિનું શ્રેયપણું છે.
તેથી એ ફલિત થાય કે ભગવાનના વચનાનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાના અર્થી જીવે, ચિત્તને તત્ત્વથી ભાવિત કરીને જે રીતે મન-વચન અને કાયા સમાધિપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે, તે રીતે પ્રવૃત્તિ કરવી ઉચિત છે, પરંતુ પ્રાણાયામમાં પ્રયત્ન કરવો ઉચિત નથી; કેમ કે પ્રાણાયામમાં કરાયેલો પ્રયત્ન શ્વાસ-પ્રશ્વાસના રોધરૂપ હોવાને કારણે વ્યાકુળતાનો હેતુ છે અર્થાત્ યોગમાર્ગની પ્રવૃત્તિ છોડીને શ્વાસ-પ્રશ્વાસના નિરોધની ક્રિયામાં ચિત્ત વ્યાકુળ રહે છે, અને તે શ્વાસનો રોધ ક્વચિત્ મૃત્યુ આદિનું પણ કારણ બની શકે. તેથી જે રીતે પોતાના યોગો યોગમાર્ગની પ્રવૃત્તિ માટે સ્વસ્થતાથી પ્રવર્તી શકે, તે રીતે યોગમાર્ગની પ્રવૃત્તિ કરવી શ્રેય છે.
વળી ભગવાનના પ્રવચનમાં પ્રાણાયામનો નિષેધ કેમ કર્યો છે ? તેમાં બીજો હેતુ કહે છે – પ્રાણરોધથી પલિમન્થનું અતિપ્રયોજનપણું છે.
આશય એ છે કે જેટલા કાળ સુધી પ્રાણાયામમાં વ્યગ્ર રહેલા યોગી યોગમાર્ગની પ્રવૃત્તિ વિલંબનથી કરે તેટલા કાળ સુધી યોગમાર્ગની પ્રવૃત્તિનો પલિમંથ=વિલંબ થાય છે, તે પલિમંથ કરવાનું અનતિપ્રયોજન છે અર્થાત્ જે સાધક પ્રાણાયામ વિના ચિત્તને તત્ત્વથી ભાવિત કરીને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકતો હોય, તેણે પ્રાણાયામમાં શક્તિનો વ્યય કરી યોગમાર્ગની પ્રવૃત્તિનો વિલંબ કરવો ઉચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org