________________
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬
૭૫ યોગ્યતા છે; કેમ કે સમ્યજ્ઞાનની પૂર્વભૂમિકારૂપ યથાર્થ જ્ઞાન ચારે દૃષ્ટિઓમાં છે. તેથી ચારે દૃષ્ટિઓમાં પણ વેદ્યસંવેદ્યપદ માનવાની આપત્તિ આવે; અને જો ચારે દૃષ્ટિઓમાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ નથી, તો માસતુષાદિ મુનિઓમાં પણ યોગ્યતામાત્રથી તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ કઈ રીતે સ્વીકારી શકાય ? આ પ્રકારની કોઈને શંકા થાય તેને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે ગ્રંથિભેદજનિત રુચિવિશેષ જ વેદ્યસંવેદ્યપદ પ્રવૃત્તિનું નિમિત્ત છે, અને તેવી રુચિવિશેષ માસતુષાદિ મુનિઓમાં છે, અને ચારદૃષ્ટિવાળા જીવોમાં નથી. માટે માસતુષાદિ મુનિઓમાં તાત્વિક વેદ્યસંવેદ્યપદ છે, અને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ નથી.
આશય એ છે કે તત્ત્વના તીવ્ર પક્ષપાતપૂર્વક અને તત્ત્વાતત્ત્વના વિભાગ માટે પૂર્ણ મધ્યસ્થતાની પરિણતિરૂપ રુચિવિશેષ માસતુષાદિ મુનિઓમાં છે. તેથી માસતુષાદિ મુનિઓ “સર્વજ્ઞનું વચન એકાંત તત્ત્વ છે” તેવી સ્થિર રુચિ ધારણ કરીને મધ્યસ્થતાથી સ્વશક્તિ અનુસાર સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણવા માટે ઉદ્યમવાળા છે, માટે માસતુષાદિ મુનિઓમાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ છે. જ્યારે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો મોક્ષના અર્થી છે અને મોક્ષના ઉપાયરૂપ તત્ત્વના પણ અર્થી છે, અને તત્ત્વ જાણવા પ્રત્યેના વલણવાળા પણ છે; આમ છતાં પૂર્ણ મધ્યસ્થતા નથી અને તત્ત્વનો ઉત્કટ પક્ષપાત નથી. તેથી કોઈક સ્થાનમાં સ્વરુચિ અનુસાર તત્ત્વને જોડે છે, તે અંશથી તેઓને તત્ત્વની વિપરીત રુચિ છે. માટે માસતુષાદિ મુનિઓ જેવી રુચિવિશેષ તેઓને નથી. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં વેદ્યસંવેદ્યપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવી રુચિવિશેષ નથી. માટે ત્યાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ નથી. માસતુષાદિ મુનિઓમાં તાત્ત્વિક વેદ્યસંવેદ્યપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવી ગ્રંથિભેદજનિત રુચિવિશેષ છે. માટે તાત્વિક વેદ્યસંવેદ્યપદ છે. ગરપા અવતરણિકા -
શ્લોક-૨૩માં કહ્યું કે દીપ્રાદષ્ટિના બોધમાં સૂક્ષ્મપણું નથી. ત્યાં પ્રશ્ન થાય કે સૂક્ષ્મપણું કેમ નથી ? તેથી શ્લોક-૨૪માં બતાવ્યું કે પ્રથમની ચાર દૃષ્ટિઓમાં અવેદ્યસંવેદ્યપદ અધિક છે અને વેદસંવેદ્યપદ અલ્પ છે, માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org