________________
go
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૧ विषयस्पष्टसंवित्त्यभावेऽपि अतत्त्वश्रवणत्यागेन तद्योगात् पुण्यवृद्धिः स्यादेवेति માવઃ સારા
ટીકાર્ય :
આ રીતે શ્લોક-૨૦માં બતાવ્યું કે ચોથી દૃષ્ટિવાળા યોગી પ્રાણથી પણ ધર્મને અધિક માને છે એ રીતે, ધર્મની પ્રાણથી પણ અધિકપણાની પ્રતિપત્તિ હોવાના કારણે, ત્યાં=ધર્મમાં ઉત્સર્ગથી પ્રવૃત્તિ હોવાથી ક્વચિત તેવા સંયોગમાં ધર્મથી અન્ય પ્રવૃત્તિ હોવા છતાં ઉત્સર્ગથી=સામાન્યથી, ધર્મમાં જ ચોથી દષ્ટિવાળા જીવોની પ્રવૃત્તિ હોવાથી તત્ત્વશ્રુતિરૂપ મધુર પાણીથી તે પ્રકારના તત્વશ્રવણરૂપ મધુર પાણીથી અર્થાત્ બોધનું અવંધ્યકારણ બને તે પ્રકારના તત્ત્વશ્રવણરૂપ મધુર પાણીથી, સદાશયવાળા= સુંદર પરિણામવાળા, ભવસ્વરૂપ ખારા પાણીના ત્યાગથી, પુણ્યબીજની વૃદ્ધિ કરે છે.
કથા'-પૂર્વમાં કહ્યું કે આ રીતે ચોથી દૃષ્ટિમાં રહેલા સદાશયવાળા યોગી તત્ત્વશ્રુતિરૂપ મધુર પાણી દ્વારા પુણ્યબીજની વૃદ્ધિ કરે છે, તે વાત ‘રથા'થી સ્પષ્ટ કરે છે –
મધુર પાણીના યોગથી તેના માધુર્યતા અનવગમમાં પણ જલની મધુરતા નહીં જાણવા છતાં પણ, જે પ્રમાણે જ બીજ પ્રરોહને ધારણ કરે છે વિકાસને પ્રાપ્ત કરે છે, તે પ્રમાણે તત્વશ્રુતિના અચિંત્ય સામર્થ્યથી તત્વવિષયક સ્પષ્ટ સંવિત્તિના અભાવમાં પણ અતત્વશ્રવણના ત્યાગ વડે તેના યોગથી તત્વશ્રવણના યોગથી, પુણ્ય વૃદ્ધિ થાય જ પુણ્યબીજની વૃદ્ધિ થાય જ, એ પ્રમાણેનો ભાવ છે. પ૨૧II ભાવાર્થ – તત્વશ્રવણ ગુણનું માહાભ્યઃ
(૧) પુણ્યબીજની વૃદ્ધિ - પૂર્વશ્લોકમાં બતાવ્યું કે ચોથી દૃષ્ટિવાળા જીવોને પ્રાણ કરતાં પણ ધર્મનું અધિક મહત્ત્વ છે, તેથી ધર્મને સાંભળવાનો અભિમુખ ભાવ તેઓને અતિશય છે. આવા જીવોને તત્ત્વશ્રવણરૂપ મધુર પાણીનો યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org