________________
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૩૨
૯ વિશેષ રીતે કરે છે, જેથી પુરુષોના વચનના બળથી અનુભવને અનુરૂપ શાસ્ત્રવચનો ઉચિત સ્થાને જોડીને પોતાનામાં રહેલા અદ્યસંવેદ્યપદનું નિવર્તન કરી શકે, અથવા તો અત્યંત મધ્યસ્થ બુદ્ધિથી આગમનાં વચનોને ઉચિત રીતે જોડવા યત્ન કરે તો શાસ્ત્રવચનથી અનુભવને અનુરૂપ પદાર્થો તેમને દેખાય છે. તેથી પોતાનામાં રહેલા વિપર્યાસરૂપ અવેઘસંવેદ્યપદને તેઓ કાઢી શકે છે, અને જો પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો પણ પ્રસ્તુત વચનને ગંભીરતાથી વિચાર્યા વગર સપુરુષોનો સમાગમ કરતા હોય, કે આગમનો અભ્યાસ કરતા હોય, તોપણ તે સત્પરુષોનો સમાગમ કે આગમનો અભ્યાસ વિશિષ્ટ સંબંધવાળો ન થાય તો તેનાથી પોતાનામાં રહેલો વિપર્યાસ જતો નથી, અને યોગમાર્ગમાં પ્રવૃત્ત હોવાને કારણે તેઓ આરાધક છે, તોપણ બોધમાં રહેલા વિપર્યાસને કારણે દીર્ધસંસારની અનુબંધશક્તિનો ઉચ્છેદ કરી શકતા નથી. તેથી અવેદ્યસંવેદ્યપદની અનર્થકારિતા બતાવ્યા પછી તેને જીતવા માટેનો ઉપદેશ ગ્રંથકારે પ્રસ્તુત શ્લોકમાં આપ્યો છે. II3રા
इति तारादित्रयद्वात्रिंशिका ।।२२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org