SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૭ સ્કૂલબોધ છે, સૂક્ષ્મબોધ નથી, અને તે સ્કૂલબોધનું બીજ અપાયશક્તિ છે. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિન્ય વિદ્યમાન છે. આ અપાયશક્તિ પ્રથમની ચાર દૃષ્ટિ સુધી અક્ષત છે યોગમાર્ગના બોધથી અભિભૂત થઈ નથી. તેથી પ્રથમની ચાર દૃષ્ટિ સુધીના જીવોને સૂક્ષ્મબોધ નથી. સૂક્ષ્મબોધ કેમ નથી ? તેમાં યુક્તિ બતાવે છે – અવેદ્યસંવેદ્યપદમાં પુણ્યબંધ થાય છે, તે પણ અપાયના ઉત્તરવાળો છે અર્થાત્ તે પુર્યાબંધ ભાવિમાં અપાયને ઉત્પન્ન કરાવે તેવો છે; અને તે સ્પષ્ટ કરવા ટીકામાં કહ્યું કે આ પુણ્યબંધ વિખનાન્તરીય'=યોગમાર્ગમાં વચ્ચે વિઘ્ન કરે તેવો છે; કેમ કે તે પુણ્ય પાપાનુબંધી છે. આશય એ છે કે તત્ત્વના વિષયમાં જે કાંઈ વિપર્યા છે, તે અવેદ્યસંવેદ્યપદરૂપ છે, અને પ્રથમની ચાર દૃષ્ટિ સુધીના જીવોમાં કંઈક માર્ગાનુસારી બોધ થવા છતાં તત્ત્વના વિષયમાં વિપર્યાસ પણ વિદ્યમાન છે, અને આ વિપર્યાસ પાપના અનુબંધનું કારણ છે. તેથી પ્રથમ ચાર દૃષ્ટિવર્તી જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે ત્યારે જે કંઈ પુણ્યબંધ કરે છે, તે પુણ્યબંધમાં વિપર્યાસના પરિણામને કારણે પાપાનુબંધીપણું પ્રાપ્ત થાય છે. તેથી તે પુણ્ય જ્યારે વિપાકમાં આવશે ત્યારે પણ ફરી જીવને વિપર્યાસ પેદા કરાવશે, અને વિપર્યાસ એ દુરંત સંસારના પરિભ્રમણનું કારણ છે, તેથી નરકાદિ અપાયશક્તિના મલિનપણારૂપ આ વિપર્યાય છે. અહીં વિશેષ એ છે કે દૃષ્ટિ બહારના જીવોમાં એકાંત વિપર્યાસ હોય છે. તેથી દૃષ્ટિ બહારના જીવો લેશ પણ યોગમાર્ગને અભિમુખ થયા નથી; અને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો યોગમાર્ગના અભિમુખ પરિણામવાળા છે, અને કંઈક યોગમાર્ગને સેવે પણ છે; આમ છતાં તત્ત્વના વિષયમાં કંઈક વિપર્યાસ પણ છે, અને તે વિપર્યાસ સામગ્રી મળતાં નિવર્તન પામે તેવો શિથિલ છે, છતાં વિપર્યાસ એ પાપના અનુબંધને કરનારો છે. કોઈપણ જીવ શુભ કાર્ય કરતો હોય ત્યારે પુણ્ય બાંધે છે, તોપણ જો તે જીવમાં વિપર્યાય હોય તો તે પુણ્યબંધ પાપના અનુબંધવાળો થાય છે. તેથી દૃષ્ટિ બહારના જીવોમાં તીવ્ર વિપર્યા હોવાને કારણે તેઓ સદનુષ્ઠાન દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy