________________
તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૨૯-૩૦ અહીં વિશેષ એ છે કે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં જેમ અવેદ્યસંવેદ્યપદ છે, તેમ અતાત્ત્વિક એવું વેદ્યસંવેદ્યપદ પણ છે, અને જે વેદ્યસંવેદ્યપદ છે, તે સમ્યગ્દષ્ટિકાલિન એવા તાત્ત્વિકવેદ્યસંવેદ્યપદનું કારણ છે, તેથી સર્વથા નિષ્ફળ નથી; અને જ્યારે પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો યોગબીજો ગ્રહણ કરે છે, ત્યારે તેઓમાં રહેલું વેદ્યસંવેદ્યપદ સમ્યક્ત્વની પ્રાપ્તિને અભિમુખ પ્રવૃત્ત હોય છે, તે વખતે તેઓ પુણ્યાનુબંધી પુણ્ય પણ બાંધે છે. આમ છતાં, તેની અહીં વિવક્ષા કરેલ નથી; કેમ કે અહીં અવેદ્યસંવેદ્યપદનું કાર્ય બતાવવું છે, પણ પ્રથમની ચાર દૃષ્ટિમાં રહેલાં વેદ્યસંવેદ્યપદનું કાર્ય બતાવવું નથી. III સારાંશ -
પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં કંઈક અંશથી વેદ્યસંવેદ્યપદ છે, તો કંઈક અંશથી અવેદ્યસંવેદ્યપદ પણ છે, અને અવેદ્યસંવેદ્યપદ વેદ્યસંવેદ્યપદ કરતાં પ્રબળ છે.
(૧) જ્યારે આ જીવો યોગબીજો ગ્રહણ કરે છે ત્યારે તેઓનું વેઘસંવેદ્યપદ ખીલી રહ્યું છે. તેથી તે અંશને આશ્રયીને પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે.
(૨) સ્વદર્શનના રાગ નીચે ઉપયોગ પ્રવર્તતો હોય તો અવેદ્યસંવેદ્યપદ ખીલતું હોય છે. ત્યારે યોગમાર્ગની પ્રવૃત્તિથી બંધાતું પુણ્ય પાપાનુબંધી થાય છે.
(૩) જ્યારે સ્વદર્શનના રાગથી ઉપયુક્ત થઈને યોગમાર્ગની પ્રવૃત્તિ નથી, ત્યારે અવેદ્યસંવેદ્યપદ વૃદ્ધિ પામી રહ્યું નથી, પરંતુ અવસ્થિત છે; અને યોગબીજોનું ગ્રહણ થાય તેવો ઉપયોગ પણ નથી, તેથી વેદ્યસંવેદ્યપદ પણ ખીલી રહ્યું નથી. તે વખતે યોગમાર્ગની પ્રવૃત્તિથી નિરનુબંધ પુણ્ય થાય છે. ૨૯ll અવતરણિકા :
અવેવસંવેદ્યપદમાં પુગ્ય કેવું બંધાય છે ? અને પાપ કેવું બંધાય છે? તે પૂર્વશ્લોકમાં બતાવ્યું. હવે અવેદ્યસંવેદ્યપદકાળમાં કેવો વિપર્યાસ છે? તે બતાવે છે – શ્લોક :
कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यमेव हि । अत्र व्यामूढचित्तानां कण्डूकण्डूयनादिवत् ।।३०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org